Monday, May 11, 2020

વિદ્યાર્થી પરિચય-૨



ડૉ. એમ .જે. પરમાર એટલે આદર્શ સહ અધ્યાપક અને ઉત્તમ શિષ્ય. મેં તેમની સાથે પ્રથમ સહ અધ્યાપક અને પછી વિભાગના વડા તરીકે જીવનના મહત્વના ૧૪ (૧૯૯૮ થી ૨૦૧૨) વર્ષો ઈતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર વિશ્વ વિદ્યાલય, ભાવનગરમાં સુખરૂપ વિતાવ્યા છે. વિભાગને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ કરવામાં તેમનો સહકાર અમુલ્ય હતો. આજે પણ તેઓ મને ગુરુ તરીકે માન આપે છે. કારણ કે તેઓએ મારા માર્ગદર્શક તળે પીએચ.ડી. પૂર્ણ કર્યું છે. હાલ તેઓ ઈતિહાસ અનુસ્નાતક ભવન, એમ. કે. ભાવનગર વિશ્વ વિદ્યાલય, ભાવનગરના વડા તરીકે કાર્યરત છે. તેમને સલામ કરતા આનંદ અનુભવું છું.

No comments:

Post a Comment