Tuesday, December 20, 2022

મારા પિતા જીની બિસ્મિલ્લાહ


 આ તસ્વીર લગભગ  ઈ.સ. ૧૯૨૮ની છે. જેમાં મારા દાદા હાજી હુસેનભાઈ દેસાઈ અને મારા સાત વર્ષના પિતા ઉસ્માનભાઈ ઘોડા પર બિરાજ માન  છે. મારા દાદા અંગ્રેજના શાસનમાં ધોળકામાં પોલોસ સબ ઇસ્પેકટર હતા. આ તસ્વીર ઇસ્માલામિક પરંપરા મુજબ મારા પિતાજીની બીસ્મિલાહ પઢાવી એ દિવસની છે. એ સમયે બિસ્મિલ્લાહ ધામધૂમથી ધોળકા ગામમાં ઘોડા પર બેસાડી વર ઘોડો કાઢીને દાદાએ પઢવી હતી. 

જનાબ મુર્તઝા પટેલની કેફિયત


 


દોસ્તો, અહીં પ્રસ્તુત ફોટો માટે તેમાંથી જ નીકળેલ શેરથી શરૂઆત કરું...

"
જુઓ કેવી જામી છે અમારી આ મિજબાની !
જેમાં એક છે 'મહેબૂબ' અને બીજા છે 'જાની'."

હાં ! તો વાત એમ બની કે...મારા મુરબ્બા જેવા મુરબ્બી દોસ્ત સુરેશ દાદા જાનીએ મને 'ઐતિહાસિક સાહિત્ય'માં ડૂબીને તરી આવેલા બીજા એક વડીલ પ્રો. ડૉ. Mehboob Desai સાથે મુલાકાત કરાવી ગઈકાલની સાંજ જબરદસ્ત રીતે સુધારી આપી.
અમારી એ સાહિત્યિક ગોઠડીને હું 'મહેબૂબી ઇન્ટરવ્યૂ' કહીશ. કેમ કે ડૉ. મહેબૂબ સાહેબ એટલે ગુજરાતી સાહિત્યમાં ગોઠવાયેલું એ બોલતું પુસ્તક છે, જેનું 'બાઈન્ડીંગ' દેશ-વિદેશના ઇતિહાસના સોનેરી પાનાંઓની માહિતીઓથી થયેલું છે.
(
એક મિનિટ ! સબૂર. હમણાં આ પોસ્ટ વાંચી લેશો, પછી ગૂગલ અને યૂટ્યૂબ પર Dr Mehboob Desai નામ સર્ચ અને તેમના કામોનું રિસર્ચ કરશો તો અમને ત્રણેયને ઘણું વધારે ગમશે.)

વેલ ! એકવાર થયું એવું કે...મિર્ઝા ગાલિબ સાહેબ પાસે તેમનો એક શિષ્ય ઘણાં દિવસે મળવા આવ્યો, ત્યારે મિર્ઝા સાહેબે તેને કુતુહલવશ પૂછ્યું કે "અમાં બરખુર્દાર, ઇતને દીનો સે કહાં ગાયબ થે?"
ત્યારે શિષ્યએ ભોળા ભાવે કહ્યું: "ઉસ્તાદજી, ચન્દ દીનો કે લિયે દિલ્હી સે બહાર જાના હુવા થા. મશરૂફ થા. ઇસલિયે આપ સે મુખાતિબ ન હો સકા, મોઆફી ચાહતા હૂં. ઇતને દીનો સે ન કુછ લિખા ઔર ન કોઈ કિતાબ પઢી. તો આજ સોચા કી કુછ લમ્હે બસ ! આપ કે પાસ બૈઠ કર હી ગુઝાર લૂં. મેરા પઢના-લિખના દોનો કામ એકસાથ હો જાયેગા."

બસ એવું જ કાંઈક હું મહેબૂબ સાહેબને મૂકમાં કહી શકું છું અને સુરેશ જાની સાહેબને જણાવી શકું છું.
જેમની ઝીંદગી પોલીસ તરીકે પસાર થઇ હોય, તેવા દીકરાને 'પોલીસ' નહિ, પણ 'પોલિશ'ડ લાઈફ આપતા માંગતા પિતાએ બાળપણથી ખાદી(વાળી) સાદી ઝીંદગીમાં ઉછેર્યા હોય તેવો દીકરો આગળ જઈને પિતાનું નામ રોશન જ નહિ, મહેબૂબ પણ કરે ત્યારે, તેમાં સખ્ખત, ધમધોકાર અને અથાક મહેનતનું કોમ્બિનેશન હોય, હોય અને હોય જ.
ને આ દેસાઈ સાહેબ પાછા એમાં સબૂરી અને શ્રદ્ધાનું મોણ નાખે તો રોટલો કેવો મીઠ્ઠો પાકે ?!
(
અરે ! કોઈ સવાલ જ નથી બોસ. એકદમ મીઠ્ઠો જ પાકે. ને પછી તેની સાથે જોડાયેલાં લોકોની મુહબ્બત, માણસાઈ જોડાય ત્યારે મિજબાની મોટી જ બને.)
ડૉ. મહેબૂબ દેસાઈ સાહેબ એક એવું વ્યક્તિત્વ કહી શકાય કે જેમણે 'કર્મણ્યે વાધિકારસ્તે...' શ્લોકની સાથે કુરાન-એ-પાકના 'અલ આમાલો બિન નિયાત' આયાતને બખૂબી જીવી જાણી છે.
'
હેં ? એ કઈ રીતે ?'
એવો સવાલ તમને પણ થાય ત્યારે, તમે પણ તેમને રૂહ-બ-રૂહ જ મળીને જાણો તો સારું. એટલા માટે કે હું અને જાની દાદા બેઉ જણા તેમની સાથે બેસી એ થોડુંક જ જાણી લાવ્યા છે. (અને તમને તો ખબર છે કે મારી આદત...'થોડામાં ઘણું' કરવાની છે.)
છતાં આ દેસાઈ સાહેબના જીવનના અદભૂત પ્રસંગોની મહેફિલ માણવા માટે હું વ્હાલા Raam Moriને, બહેન Desai Shilpaને, ભાઈશ્રી Vivek Desaiને ખાસ ભલામણ કરી શકું કે આવનાર દિવસોમાં 'મારી કેફિયત' અંતર્ગત શ્રી મહેબૂબ દેસાઈ સાહેબનો પણ પ્રોગ્રામ નવજીવન પ્રેસના 'દેસાઈ' હોલમાં ગોઠવે.
કારણકે 'નવજીવન' મેળવતા રહેવું એ આપણા સૌનો અધિકાર છે. ને આમેય 'ગાંધી'ને આસિસ્ટ કરનાર 'દેસાઈ' જ તો હતા ને. તો જામવા દો 'દેહાઇઓનો મેળાવડો...'
ત્યાં હુધી હું આ નીકળ્યો બીજા એક મહેબુબી દોસ્તને મળવા....