Monday, October 6, 2025
જીવન સ્મૃતિ
આજે મારા અંગત ગ્રંથાલય માથી ૩૫ વર્ષ પહેલાનો મારો મહાનિબંધ (Ph.d. Thesis) મળી આવ્યો. મહાનિબંધ જૂન ૧૯૯૦મા સબમિટ કર્યો હતો. ૧૯૯o માંજ મને Ph.d.ની ડિગ્રી પ્રાપ્ત થઈ. Indian Council of Historical Research, Delhi અને ભાવનગરના મહારાજ શિવભદ્રસિંહ જી ગોહિલની આર્થિક સહયોગથી ૧૯૯૨મા તે પુસ્તક રૂપે પ્રકાશિત થયો. ૧૯૯૨માં તેને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ સંશોધન ગ્રંથ નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું. અકાદમી દ્વારા પુસ્તકનું પરામર્શન જાણીતા લેખક અને ચિંતક શ્રી મનુભાઈ પંચોલી દ્વારા થયું હતું. ભાવનગર શિશુ વિહાર બુધ સભામાં મા. તખ્તસિંહ જી પરમાર અને મા. જયેન્દ્ર ભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં મારો સન્માન કાર્યક્રમ યોજાયો. એ ઇતિહાસ મહાનિબંધ ને જોઈ આંખો સામે તરવા લાગ્યો. : અલ્લાહ ઈશ્વર નો આભારી છું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment