Monday, February 15, 2021

સૂફી સાહિત્યના હજારો રંગ : ડૉ. મહેબૂબ દેસાઈ

 સૂફી સંતોએ સમાજમાં સામાજિક, ધાર્મિક અને નૈતિક પરિવર્તન આણવામાં મહત્વનું પ્રદાન કર્યું છે. પણ તેમનું સાહીત્યક પ્રદાન જરા પણ ઓછું નથી. તેમની રુબાઈઓ, કવ્વાલી, કાવ્યો કે ગઝલોમાં છુપાયેલું તત્વજ્ઞાન માણવા અને સમજવા જેવું છે. સૂફી સંતોના શિરમોર સમા અલ મન્સુરની “અનલ હક્ક” અર્થાત “હું ખુદા છું” ની ઉકતી સામે “અહં બ્રહ્માસ્મિ – હું બ્રહ્મ છું” ની સમાન આધ્યાત્મિક વિચારધારાએ એ યુગમાં ધાર્મિક વંટોળ ઉભો કર્યો હતો. અને અંતે અલ મન્સુરને સૂળી પર ચઢાવી દેવામાં આવ્યો. આમાં છતાં તેના મુખમાંથી અંતિમ ક્ષણ સુધી અલ્લાહની ઈબાદતના સૂર વહેતા રહ્યો હતા. એ મન્સૂર લખે છે,

“અગર હૈ શૌક મિલને કા,

 તો હરદમ લો લગાતા જા

 જલા કર ખુદ નૂમાઈ કો

 ભસમ તન પર લગતા જા”

મન્સુર જયારે સૂળી પર ચઢ્યો ત્યારે એક સૂફી સાધકે કહ્યું હતું,

“બડા લુત્ફ હૈ યાર ઈશ્ક મેં

 માર ભી હૈ ઔર પ્યાર ભી હૈ

 સૂલી પર મન્સુર ખડા હૈ

 દાર ભી હૈ દીદાર ભી હૈ”

આવા જ એક રહસ્યવાદી સૂફી સંત અબૂ સઈ પરમાત્માની મહોબ્બતમાં કહે છે,

 “મેરે દિલમે તેરા બસેરા હૈ

 વરના મેં ઇસ ખૂન સે તર કર દૂ

 મેરી આંખો મેં તેરી ચમક હૈ

 વરના મેં ઇસે આંસુઓ સે ભર દૂ

 મેરી સિર્ફ  એક હી રુહાની ખ્વાહીશ હૈ

 તુઝમે સમા કર મેં એક હો જાઉં”

બાબા કૂહી ફારસી સંત અને કવિ થઇ ગયા. ખુદા સાથેનો તેમનો લગાવ તેમની રચનામાં ભાસે છે,

 “હાટ ઔર મઠ મેં મેને કેવલ ખુદા કો દેખા

 પર્વત પર, ઘાટી મેં મેને કેવળ ખુદા કો દેખા

 કલેશ મેં બહુધા ઉસે મેને અપની બગલ મેં દેખા

 સ્નેહ મેં, સૌભાગ્ય મેં મેને કેવળ ખુદા કો દેખા

 ઈબાદત ઔર રોજે મેં, ચિંતન ઔર સ્તુતિ મેં

પયગંબર કે દિન મેં મેને સિર્ફ ખુદા કો દેખા”

સૂફી સંત અને કવિ નઝીરનું સાહિત્ય આજે પણ સંશોધનનો વિષય છે. તેમના કાવ્યોમાં જીવનની વાસ્તવિકતા અને ચિંતન જોવા મળે છે.

“હમ ચાકર જિસ કે હુસ્ન કે હૈ

 વહ દિલબર સબ સે આલા હૈ

 ઉસને હી હમ કો જી બખ્શા

 ઉસને હી હમ કો પાલ હૈ

 દિલ અપના ભોલા ભાલા હૈ

 ઔર ઈશ્ક બડા મતવાલા હૈ

 કયા કહીએ ઔર નજીર આગે

 અબ કૌન સમજને વાલા હૈ

 હર આન હંસી હર આન ખુશી

 હર વક્ત અમીરી હૈ બાબા

 જબ આશિક મસ્ત ફકીર હુયે

 તબ ક્યાં દિલગીરી હૈ બાબા”

જીવનની ક્ષણિકતાને વાચા આપતા નજીર લખે છે,

“જબ ચલ તે ચલતે રસ્તે મેં

 યહ ગૌન તેરી ઢલ જાયેગી

 એક બધિયા તેરી મીટ્ટી પર

 ફિર ઘાસ ન ચારને આયેગી

 એ ખેપ જો તુને લાદી હૈ

 સબ હિસ્સો મેં બટ જાયેગી

 ઘી પુત જમાઈ બેટા કયા

 બંજારન  પાસ ન આયેગી

 સબ ઠાઠ પડા રહ જાયેગા

 જબ લાદ ચલેગા બંજારા”  

સૂફી સંત અમીર ખુશરોની રચનઓમાં મુલ્યો અને ચિંતનની પરાકાષ્ટા વ્યક્ત થાય છે,

 “બહુત રહી બાબુલ ઘર દુલહિન

 ચલ તેરે પી ને બુલાઈ

 બહુત ખેલ ખેલી સખીયન સો

 અંત કરી લરકાઈ

 ન્યાહી ધોઈ કે વસ્તર પહિરે

 સબ હી સિંગાર બનાઈ

 વિદા કરન કો કુટુંબ સબ આઈ

 ચાર કહાર ડોલી ઉઠાઈ”

આમા દુલ્હન એ ભકત છે પિયાનું ઘર ખુદાની મંઝીલ છે.

 “ખુસરુ રૈન સોહાગ કી

 જાગી પી કે સંગ

 તન મોરો મન પીઉ કે

 દોઉ ભયે એક રંગ”

સૂફી સંત યારી સાહબ (૧૬૬૯-૧૭૨૪)ની રચનાઓની સરળતા લોકભોગ્ય હતી. ૫૫ વર્ષનું ટૂંકું જીવન જીવી ગયેલા યારી સાહબ લખે છે,

“ઝીલમીલ ઝીલમીલ બરસે નુર

 નૂર જુહૂર સદા ભરપુર

 રુનઝુન રુનઝુન અનહત બાજે

 ભંવર ગુંજાર ગગન ચડી ગાજે

 રીમઝીમ રીમઝીમ બરસે મોતી

 ભયો પ્રકાશ નિરંતર જોતી

 નિર્મલ નિર્મલ નિર્મલ નામા

 કહ યારી તહં લિયો વિસામા”

ખુદાની શોધને બહુજ માર્મિક ઢંગથી વ્યક્ત કરતા યારી સાહેબ લખે છે,

“આઠ પહર નિરખત રહો સનમુખ સદા હુજુર

 કહ યારી ઘર હી મિલે કાહે જાતે દૂર”

કવિ પ્રેમી તરીકે જાણીતા થયેલા બરકત ઉલ્લાહ નામક સૂફી સાધક (૧૬૫૭-૧૭૩૦) હિંદુ મુસ્લિમ એકતાને વ્યક્ત કરતા લખે છે,

“પેમી હિંદુ તુરક મેં, હર રંગ રહો સમાઈ

 દેવળ ઔર મસીત મેં, દીપ એક હી ભાઈ

 મારગ સિંધ પરેમ કો, જયો ચાહે કોય

 મગર મચ્છ કે બદન મેં, પરથમ બસેરો હોય”

સૂફી સંત બુલ્લેશાહ ની રચનાઓમાં ખુદા પ્રત્યેનો પ્રેમ અને પ્રેમની ઉંચાઈ જોવા મળે છે,

“બેશક મંદિર મસ્જિત તોડો

 મુઝે પ્યાર કૈસા

 પર પ્યાર ભરા દિલ ન તોડો

 જિસ દિલ મેં  દિલબર રેતા”

આવા હજારો રંગોને-વિચારોને ખૂબસૂરત શબ્દોમાં સાકાર કરનાર આપણા સૂફી સંતોનું સાહિત્ય આપણી અણમોલ જણસ છે. પણ તેના પર ન તો હજુ આપણા સંશોધકોની નજર પડી છે, ન સાહીત્યકારોની અને એટલે જ આજે પણ તે ઇતિહાસના પડો ભંડારાયેલું પડ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment