(ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૫મુ રજતરજતજયંતી જ્ઞાનસત્ર કીમ એજ્યુકેશન ટ્રસ્ટ, ના યજમાન પદે કીમમાં મળ્યું હતો. એ નિમિત્તે કીમ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી " ગુજરાતની અસ્મિતા: મારી નજરે" (સંપાદક: ઉત્તમ પરમાર) નામક ગ્રન્થ પ્રસિદ્ધ થયો હતો. ગુજરાતના અનેક મહાનુભાવોએ તેમાં પોતાની દ્રષ્ટિએ ગુજરાતની અસ્મિતાને આલેખવાનો પ્રયાસ કર્યો હતો. એ ગ્રન્થનું અવલોકન
ગુજરાતના જાણીતા ઇતિહાસકાર ડો.મકરંદ મહેતાએ નિરીક્ષકના ૧-૨-૨૦૧૦ના અંકમાં કર્યું હતું. એ અવલોકનમાં ડો. મહેબૂબ દેસાઈના લેખ "દૂધ અને સાકરની અસ્મિતા" અંગે ડો. મકરંદ મહેતાએ આપેલ અભિપ્રાય)
" બંદૂકવાલા અને દાઉદભાઈની જેમ મહેબૂબ દેસાઈએ કોમી એખલાસની ભાવના વ્યક્ત કરી છે. તેમણે ઈતિહાસ અને સાંપ્રત પ્રવાહોને સાંકળીને "અસ્મિતા"નું વર્ણન અને વિશ્લેષણ આબેહુબ રીતે કર્યું છે. તેમણે ૧૯૩૯ના ભાવનગરના રાજ્ય પ્રજા પરિષદ સમયે સરદાર પટેલની ભૂમિકાનું આલેખન કરતા કહ્યું છે કે પરિષદના પ્રમુખ સરદાર હતા. સરદાર પર અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો અને સૌરાષ્ટ્રમાં કદી પણ બન્યું ન હતું તેમ ભાવનગર કોમી અશાંતિનો ભોગ બન્યું.મહેબૂબે લખ્યું છે,
" ત્યારે મિયાં અને મહાદેવની જોડી બહાઉદ્દીન શેખ અને પૃથ્વીસિંહ આઝાદે ભાવનગરમાં કોમી એકતાનું અદભૂત વાતાવરણ સર્જ્યું હતું."
તે સમયના પૃથ્વીસિંહ આઝાદના શબ્દોને મહેબૂબ દેસાઈ નીચે મુજબ ઠાલવ્યા છે,
“મંદિર અને મસ્જિત બંને ઉપર હુમલો થવાનો ભય હતો. મેં નગરજનોને વિશ્વાશથી કહ્યું કે બંને સ્થાનો સુરક્ષિત રહેશે. અમારી મિયાં - મહાદેવની જોડીએ શહેરમાં શાંતિ- અમન માટે જાહેરાત કરી કે બહાઉદ્દીન મંદીરની સુરક્ષા કરશે અને તેમની શહીદી પછી જ કોઈ પણ મુસ્લિમ મંદિરને નુકસાન કરી શકશે. અને મહાદેવ (પૃથ્વીસિંહ) મસ્જિતની સુરક્ષા કરશે અને તેમની શહાદત પછી જ કોઈ પણ હિંદુ મસ્જિતને નુકસાન કરી શકશે"
મહેબૂબે કોમી એકતાના બીજા એવા હ્રદયસ્પર્શી દ્રષ્ટાંતો આપ્યા છે કે તે શાળા- કોલેજોના વિદ્યાર્થીઓના પાઠ્ય પુસ્તકમાં ઉમેરવાની આજે જરૂર છે. તેમણે બંદૂકવાલા અને દાઉદભાઈની જેમ નવી આશાનું સિચન કર્યું છે. તેમના શબ્દોમાં,
" ગુજરાતની આવી અસ્મિતા ૨૦૦૨ વખતે ગેરહાજર હતી. છતાં વાદળમાં છુપાઈ ગયેલા સૂર્ય જેમ તેનો પ્રકાશ ક્યાંક ક્યાંક દ્રષ્ટિગોચર થતો હતો. કારણકે કોઈ પણ મજહબ હિંસાને પ્રાધન્ય નથી આપતો. ઇસ્લામ અને વૈદિક ધર્મની અસ્મિતા પણ એ જ સૂચવે છે... ગુજરાતની આવી અસ્મિતા ઇતિહાસના પાનાઓમાં દટાયેલી પડી છે. એ દટાયેલી અસ્મિતા ધબકારા ઈચ્છે છે. અસ્મિતાનો આ સંચાર તેમાં ધબકારા અર્પશે તો અસ્મિતાની સ્મૃતિવંદના સાચા અર્થમાં સાકાર થશે."
પ્રોફે. (ડો.) મકરંદ મહેતા
Saturday, February 27, 2010
Thursday, February 25, 2010
Saturday, February 20, 2010
Man can be destroyed......ડો. મહેબૂબ દેસાઈ


જેમની આ સત્ય કથા છે તે ભારતી શર્મા સાથે ડો.મહેબૂબ દેસાઈ, ભારતી શર્માની સ્કુલના બાળકોને ઇનામ વિતરણ કરતા
“Man can be destroyed,
Cannot be defeated”
ડો. મહેબૂબ દેસાઈ
ભારતી શર્મા સાથે આમ તો મારો કોઈ સિધ્ધો પરિચય નહીં. પણ તેમના પતિ સંજય શર્મા મારા પીએચ.ડી.ના વિદ્યાર્થી હતા. એ નાતે વર્ષો પહેલાં તેમણે મને તેમના ધંધુકાના ઘરે જમવા નોતર્યો હતો.એ સમયે ઉજળોવાન, ઘાટીલો દેહ,બોલકણી આંખો અને હોઠો પર સ્મિત ધરાવતી પચ્ચીસેક વર્ષની યુવતી સાથે મારો પરિચય કરાવતા સંજયે કહ્યું હતું,
"સર , આ મારી પત્ની ભારતી છે."
અને તે દિવસે ભારતીએ મને પોતે બિન ગુજરાતી હોવા છતાં પોતાના હાથે બનાવેલી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ ભાવપૂર્વક જમાડી હતી. બસ, ભારતી સાથેની એ મારી પ્રથમ મુલાકાત. એ પછી સંજય મને પીએચ.ડી.ના કાર્ય અંગે મળતો. જયારે ભારતી મને ફોન પર મળી લેતી. એ વાતને દસેક વર્ષ વીતી ગયા.છતાં ભારતીનો ઘાટીલો દેહ,નમણો ચહેરો,બોલકણી આંખો અને મધુર સ્મિત મારી સ્મૃતિમાં અકબંધ જળવાઈ રહ્યા હતા. દસેક વર્ષના અંતરાલ પછી અચાનક એક દિવસ ભારતીનો ફોન આવ્યો. એજ મધુર સ્વરમાં તે બોલી ઉઠી,
"સર, મૈં ભારતી બોલ રહી હું. મુઝે ભૂલ તો નહિ ગયે ? "
" તુઝે કૈસે ભૂલ સકતા હું. તેરા સ્વાદિષ્ટ ખાના અભી તક મુઝે યાદ હૈ"
"સર, આપકો મેરી સ્કુલ કે વાર્ષિક ઉત્સવમેં આના પડેગા"
ઘણા વર્ષો પછી ભારતીનો અવાજ સાંભળી મને આનંદ થયો. છતાં સમયની સમસ્યાને કારણે મેં તેને ના પાડી. પણ એમ માની જાય તો ભારતી નહિ. અત્યંત પ્રેમ ભર્યા સ્વરે આગ્રહ કરતા તે બોલી ઉઠી,
" આપ જબ કહેંગે તબ રખેંગે. પર આપકો હી આના હોગા"
અંતે મારી અનુકુળતા મુજબની એક તારીખ અમે નક્કી કરી. છેલ્લા દસેક વર્ષમાં ભારતીએ "ફિલ્ડ વ્યુ એકેડમી"નામક એક નાનકડી શાળા શરુ કરી હતી. ધંધુકાથી બે એક કિલોમીટરના અંતરે અડવાળ રોડ પર એક નાનકડું મકાન સંજયે બનાવી આપ્યું હતું. તેમાં ભારતી શાળા ચલાવતી હતી. એ દિવસે હું તેની શાળાએ પહોંચ્યો ત્યારે ભારતી દરવાજા પર મારી રાહમાં ઉભી હતી.
મને જોઈ એ મારી કાર પાસે દોડી આવી. હું તેને જોઈ નવાઈ પામ્યો. ઘાટીલા દેહના બદલે ભારતીની સ્થૂળ કાયા મારી આંખોને ખૂંચવા લાગી.ચહેરાની નમણાશ પર ચરબીના થર જામી ગયા હતા.ચમકતી બોલકણી આંખો નિસ્તેજ હતી. અને બંને આંખો કાળા કુંડાળાઓથી ઘેરાય ગઈ હતી. અલબત્ત તેના સ્મિતમાં એ જ મીઠાસ હતી. તેના આવકારમાં એ જ પ્રેમ હતો. મેં કારમાંથી બહાર નિકળી તેને પ્રથમ જ કહ્યું,
'ભારતી, એ ક્યાં હો ગયા આપકો ? કહાં દસ સાલ પહેલેકી ભારતી ઔર કહાં આજકી ભારતી !"
મારા પ્રશ્નને સંભાળી ભારતી થોડી ખચકાય.પછી બોલી,
" સર, વક્ત વક્તકા કામ કરતા હી હૈ "
અને અમે બન્ને તેની ઓફિસમાં પ્રવેશ્યાં. ઓફિસમાં બેસી તેણે મને પોતાની નાનકડી સ્કુલ વિશે ઉત્સાહથી માહિતી આપી.
ધંધુકા ગામની આસપાસના ગામો ધોલેરા,પીપળી,પોલારપુર,ભીમનાથ,જસકા,ઝીન્ઝર,અડવાળ,જાળિયા,ફેદરા,રાણપુર,નાગનેશ જેવા ગામોમાંથી એક થી નવમાં ધોરણના વિદ્યાર્થીઓ તેની શાળામાં આવે છે.બાળકો માટે ગામડે ગામડે ફરી તેમના વાલીઓને સમજાવવા. અને એ પછી ગ્રામ્ય સન્સ્કૃતિમાંથી આવતા બાળકોનું અંગેજી માધ્યમ દ્વારા ધડતર કરવાનું કાર્ય કપરું છે. છતાં ભારતી એકલે હાથે તે કરતી.અંગ્રેજી માધ્યમની શાળા હોવા છતાં ભારતીય સન્સ્કૃતિ અને સભ્યતાના પાઠો બાળકોને ભણાવવાની નેમ ભારતીના શબ્દોમાં ભાસતી હતી.
અત્યંત અપૂરતી સાધન સામગ્રી વચ્ચે પણ ભારતીએ સુંદર વાર્ષિક ઉત્સવનું આયોજન કર્યું હતું. વાર્ષિક ઉત્સવમાં કોથળા દોડ, લીંબુચમચી દોડ જેવી સ્પર્ધાઓમાં દોડતા ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા ભારતી પણ તેમની સાથે દોડતી.કોઈ બાળક દોડતા દોડતા પડી જાય ત્યારે ભારતી તેની પાસે દોડી જતી અને તેને પુનઃ દોડવા હિંમત આપતી. બાળક પુનઃ દોડતું થાય ત્યારે તેનો આનંદ ભારતીના ચહેરા પર ઉપસી આવતો.
આવી સ્પર્ધાઓ પછી ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો. મારા હાથે દરેક ભુલકાને ઇનામો અપાય.
પછી અમે ભારતીની ઓફિસમાં આવ્યા.ત્યારે સંજય મને મળવા આવ્યો. એ સમયે ભારતી ઓફિસમાં ન હતી.એ તકનો લાભ લઇ મેં સંજયને ટકોર કરતા કહ્યું,
" સંજય, તુમ ભારતીકા ખ્યાલ નહીં રખતે, દેખો ઉસકી ક્યાં હાલત હો ગઈ હૈ "
સંજય મારી ટકોર સાંભળી ગમગીન થઈ ગયો. તેની આંખોમાં ભિનાશ પ્રસરી ગઈ.તેની બદલાયેલી મુખમુદ્રાને હું અવાચક નજરે તાકી રહ્યો.એટલે સંજયે ધીમા સ્વરે મને કહ્યું,
"સર, આપસે ક્યાં છુપાના, ભારતી વેજ્નર્સ ગ્રન્યુંલોમેટોસીસ (Wegeners Granulometosis)કી દર્દી હૈ. યે એસા રોગ હૈ જિસમેં ખુનકે ગઠે હો જાતે હૈ. કીડની ઔર લીવર કામ કરના બંધ કર દેતે હૈ.ઇસકા કોઈ ઈલાજ નહીં.દાક્તરોને કહે દિયા હૈ જીતની જિંદગી હૈ ઉસે અપને તરીકે સે જી લેને દો. કલકી ખબર નહીં"
હું સંજયની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયો.
"ભારતી યે જાનતી હૈ ? " મેં થોડા સ્વસ્થ થતા પૂછ્યું.
"સર, ઉસે સબ પતા હૈ. વો કહતી હૈ , મૈ ઇસી બચ્ચો કે સાથ ખેલતે ખેલતે મરના ચાહતી હું.એસી મોત અગર આ જાય તો તુમ રોના મત"
આટલું બોલતાતો સંજય ભાંગી પડ્યો. અને પોતાના આંસુઓને ખાળવા ઓફિસની બહાર દોડી ગયો. અમે આટલી વાત કરી ત્યાતો ભારતી આવી ચડી.
તેના ચહેરા પર એ જ મીઠી મુસ્કાન હતી.
"સર, આપકો મેરી સ્કુલ બતાના ચાહતી હું "
અને અમે બધા તેની નાનકડી સ્કુલના રૂમોમાં ફર્યા.દરેક રૂમને ભારતીએ જાતે શણગાર્યો હતો. લગભગ વીસેક મિનીટ રૂમોનું નિરીક્ષણ કરી અમે બધા બહાર આવ્યા. એટલે મેં કહ્યું,
" ભારતી અબ મુઝે ઈજાજત દીજિયે "
" સર, આપકા બહોત બહોત શુક્રિયા, આપને મેરે લિયે ઇતના વક્ત નિકલા. અગલે સાલ જિન્દા રહી તો ફિર આપકો હી બુલાઉંગી"
કાર સુધી સંજય અને ભારતી મને મુકવા આવ્યા. કારમાં બેસતા મેં ભારતીને કહ્યું,
"ભારતી અપના ખ્યાલ રખના"
મારી સામે એજ મીઠું સ્મિત કરતા ભારતીએ આકાશ તરફ નજર કરી. જાણે ક્હેતી ના હોઈ મેરા ખ્યાલ તો અબ ઉપરવાલા રખેગા.
અને મારી કાર અડવાળના ધૂળિયા રસ્ત્તા પર ડમરીઓ ઉડાડતી દોડવા લાગી અને ત્યારે અર્નેસ્ટ હેમિંગ્વેનું પેલું બહુ જાણીતું વાક્ય મારા હદયમાં વલોવાઈ રહ્યું હતું.
" Man can be destroyed,
Cannot be defeated “
Tuesday, February 16, 2010
તા.૧૦-૦૨-૨૦૧૦ન રોજ ભુતા કોલેજ, સિહોરના વાર્ષિક ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ડો.મહેબૂબ દેસાઈ
Wednesday, February 10, 2010
Valentine Masti
प्यारे दोस्तों,
मेरे विभाग मै आपका स्वागत है . दोस्त बनाना आसन है. पर दोस्ती निभाना बड़ा मुश्किल है. क्योकि दोस्ती मागती है निस्वार्थ प्यार और निस्वार्थ बलिदान. जीवन मै हरकोई सच्चा दोस्त नहीं बन सकता. ज़िन्दगी की राह मै थाली दोस्त और ताली दोस्त ज्यादा मिलते है. पर सच्चा दोस्त वोही होता है जो ज़िन्दगी के कठिन मार्ग पर हमेशा साथ चलता है.प्यार के लिए जहर तक पिने को तैयार रहता है .एक शायर ने कहा है
मै लबे शिकवा को सी लेता हु
हर हाल मै ज़िन्दगी जी लेता हु
जो हाथ महोब्बत से थाम ले
उस हाथ से मै ज़हर भी पी लेता हु
मै आपसे ऐसी ही दोस्ती चाहता हु . और मुजे यकीन है आपसे मुजे ऐसी ही दोस्ती अवश्य मिलेगी.
आज इतनाही .
फिर मिलेंगे
आपका
महेबूब देसाई
વિશ્વના ગુજરાતી ભાઈઓ-બહેનો અને લેખકો,
વિશ્વના ગુજરાતી ભાઈઓ-બહેનો અને લેખકો,
સલામ.
ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી મુકામે મળેલા ૪૫મા અધિવેશનમાં પ્રસિદ્ધ થનાર પુસ્તક "ચાલો, ગુજરાતીનું ગૌરવ વધારીએ" પુસ્તક હાલમાં જ મને મળ્યું છે.પુસ્તક નવભારત સાહિત્ય મંદિર ,અમદાવાદમાંથી મળી શકશે.તેમનું ઈમેલ આઈ ડી info@navbharatonline.com છે. ગુજરાતના અને ગુજરાત બહારના સૌ ગુજરાતીઓને વાંચવા લાયક આ ગ્રંથમાં ગુજરાતના નામી-અનામી લેખકોના ગુજરાતી ભાષા પરના અહોભાવ અને પ્રેમની અભિવ્યક્તિ અત્યંત સુંદર અને અસરકારક શૈલીમાં વ્યક્ત થઈ છે. વિનોબા, ગાંધીજી અને નારાયણ દેસાઈના વિચારો થી આરંભાએલ પુસ્તકમાં ભગવતીકુમાર શર્મા, ઈન્દુકુમાર જાની ઈલા પાઠક , કેશુભાઈ દેસાઈ,ગણેશ દેવી,નરોત્તમ પલાણ, નિરંજન રાજગુરુ , મનુભાઈ પંચોલી , રઈશ મનીયાર, કુમારપાળ દેસાઈ, ગુણવંત શાહ,દિનકર જોશી , પ્રકાશ શાહ ,મનસુખ સલ્લા , મણીલાલ પટેલ , મીરાં ભટ્ટ ,મહેબૂબ દેસાઈ, રઘુવીર ચોધરી ,રજનીકુમાર પંડ્યા ,સુરેશ દલાલ , સુદર્શન આયંગર જેવા લેખકોના લેખોથી શણગારેલ આ ગ્રન્થ સાચ્ચેજ માણવા લાયક બન્યો છે.
શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી (ફોન ૦૨૬૩૭ ૨૫૯૫૪૩)દ્વારા પ્રકાશિત ૩૧૪ પૃષ્ઠોના આ ગ્રંથની વિશિષ્ટતાએ છે કે તેમાં ગુજરાતી ભાષાનું ગૌરવ છલોછલ ભર્યું છે. વિશ્વના ગુજરાતી સમાજે આ ગ્રન્થ અચૂક મળેવી વાંચવા અને પોતાના અંગત ગ્રંથાલયમાં સાચવીને રાખવા જેવો છે.
મહેબૂબ દેસાઈ
સલામ.
ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી મુકામે મળેલા ૪૫મા અધિવેશનમાં પ્રસિદ્ધ થનાર પુસ્તક "ચાલો, ગુજરાતીનું ગૌરવ વધારીએ" પુસ્તક હાલમાં જ મને મળ્યું છે.પુસ્તક નવભારત સાહિત્ય મંદિર ,અમદાવાદમાંથી મળી શકશે.તેમનું ઈમેલ આઈ ડી info@navbharatonline.com છે. ગુજરાતના અને ગુજરાત બહારના સૌ ગુજરાતીઓને વાંચવા લાયક આ ગ્રંથમાં ગુજરાતના નામી-અનામી લેખકોના ગુજરાતી ભાષા પરના અહોભાવ અને પ્રેમની અભિવ્યક્તિ અત્યંત સુંદર અને અસરકારક શૈલીમાં વ્યક્ત થઈ છે. વિનોબા, ગાંધીજી અને નારાયણ દેસાઈના વિચારો થી આરંભાએલ પુસ્તકમાં ભગવતીકુમાર શર્મા, ઈન્દુકુમાર જાની ઈલા પાઠક , કેશુભાઈ દેસાઈ,ગણેશ દેવી,નરોત્તમ પલાણ, નિરંજન રાજગુરુ , મનુભાઈ પંચોલી , રઈશ મનીયાર, કુમારપાળ દેસાઈ, ગુણવંત શાહ,દિનકર જોશી , પ્રકાશ શાહ ,મનસુખ સલ્લા , મણીલાલ પટેલ , મીરાં ભટ્ટ ,મહેબૂબ દેસાઈ, રઘુવીર ચોધરી ,રજનીકુમાર પંડ્યા ,સુરેશ દલાલ , સુદર્શન આયંગર જેવા લેખકોના લેખોથી શણગારેલ આ ગ્રન્થ સાચ્ચેજ માણવા લાયક બન્યો છે.
શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી (ફોન ૦૨૬૩૭ ૨૫૯૫૪૩)દ્વારા પ્રકાશિત ૩૧૪ પૃષ્ઠોના આ ગ્રંથની વિશિષ્ટતાએ છે કે તેમાં ગુજરાતી ભાષાનું ગૌરવ છલોછલ ભર્યું છે. વિશ્વના ગુજરાતી સમાજે આ ગ્રન્થ અચૂક મળેવી વાંચવા અને પોતાના અંગત ગ્રંથાલયમાં સાચવીને રાખવા જેવો છે.
મહેબૂબ દેસાઈ
Tuesday, February 9, 2010
પ્રિય મિત્રો,
શાહરૂખ ખાનના નિવેદન માટે મહારાષ્ટ્રમાં થઈ રહેલ ઝેરી પ્રચાર આપણને ભારતના બંધારણની યાદ અપાવે છે.રમતના ક્ષેત્રમાં ખેલદિલી અનિવાર્ય છે.
આપણું બંધારણ પણ અન્ય દેશો સાથેના મોહબ્બત ભર્યા સબંધોને આવકારે છે. જવાહરલાલ નહેરુની વિદેશ નીતિ આજ પંચશીલના સિદ્ધાંતો પર આધારિત છે.
શાહરૂખ ખાનના આવાજ મોહબ્બત ભર્યા નિવેદનનો અવળો અર્થ કરી તેની ફિલ્મના પોસ્ટરો ફાડવા એ બિનલોકશાહી કૃત્ય છે. એવા કૃત્યને વખોડી કાઢનાર સલમાન ખાન ,શબાના આઝમી અને મહેશ ભટ્ટ અભિનંદનને પાત્ર છે.
મારે શાહરૂખ ખાનને પણ અભિનંદન આપવા છે. તેમની નીડરતા બદલ. તેમની ફિલ્મ "માય નેમ ઇસ ખાન" અત્યંત સફળ થશે તેવી મારી દિલી દુઆ છે- આમીન
પ્રોફે. મહેબૂબ દેસાઈ
શાહરૂખ ખાનના નિવેદન માટે મહારાષ્ટ્રમાં થઈ રહેલ ઝેરી પ્રચાર આપણને ભારતના બંધારણની યાદ અપાવે છે.રમતના ક્ષેત્રમાં ખેલદિલી અનિવાર્ય છે.
આપણું બંધારણ પણ અન્ય દેશો સાથેના મોહબ્બત ભર્યા સબંધોને આવકારે છે. જવાહરલાલ નહેરુની વિદેશ નીતિ આજ પંચશીલના સિદ્ધાંતો પર આધારિત છે.
શાહરૂખ ખાનના આવાજ મોહબ્બત ભર્યા નિવેદનનો અવળો અર્થ કરી તેની ફિલ્મના પોસ્ટરો ફાડવા એ બિનલોકશાહી કૃત્ય છે. એવા કૃત્યને વખોડી કાઢનાર સલમાન ખાન ,શબાના આઝમી અને મહેશ ભટ્ટ અભિનંદનને પાત્ર છે.
મારે શાહરૂખ ખાનને પણ અભિનંદન આપવા છે. તેમની નીડરતા બદલ. તેમની ફિલ્મ "માય નેમ ઇસ ખાન" અત્યંત સફળ થશે તેવી મારી દિલી દુઆ છે- આમીન
પ્રોફે. મહેબૂબ દેસાઈ
Tuesday, February 2, 2010
સૂફી પરંપરા અનુપ્રાણિત ગુજરાતી સંત સાહિત્ય : પ્રોફ.મહેબૂબ દેસાઈ*
----------------------------------------------------------
Foot Note:
1. હથુરાની, મોં .અહેમદ મોહંમદ, સીરતે સરકારે મદીના,ભાગ-૧ ,નુરાની કુતુબખાના,છાપી ,બનાસકાંઠા, પૃ.૫૫૯-૫૬૦
2. દેસાઈ, ડો.મહેબૂબ, સૂફીજન તો તેને રે કહીએ, પ્ર.ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૭. પૃ.૧૬
3. દલાલ,સુરેશ (સંપાદક), કહત કબીર , ઈમેજ પબ્લીકેશન,મુંબઈ-અમદાવાદ,૨૦૦૫,પૃ.૧૨
4. પાઠક, જગજીવન કાલિદાસ, મુસ્લિમ મહાત્માઓ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, ૧૯૪૦, પુસ્ક્તમાં આપેલા સૂફી સંતોના જીવન ચરિત્રોના અભ્યાસનું તારણ
5. આચાર્ય, ડો..નવીનચન્દ્ર, ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ,અમદાવાદ,૧૯૮૪ પૃ.૮૪
6. નાયક, ડો.. છોટુભાઈ રણછોડભાઈ, ફારસી શબ્દનો સાર્થ વ્યુત્પતી કોશ, ભાગ-૩, ગુજરાત વિશ્વ વિદ્યાલય, અમદાવાદ ૧૯૮૦,પૃ. ૫૬
7. એજન, પૃ ૧૦૨
8. મહેતા મકરંદ અને અન્ય (સંપાદકો), મધ્યકાલિન ગુજરાતમાં ભક્તિ અને સૂફી આંદોલન, દર્શક ઈતિહાસ નિધિ, અમદાવાદ, ૨૦૦૮, પૃ. ૪૮ થી ૫૪
9. મહેતા,ગંગાદાસ પ્રાગજી, સૂફી કાવ્ય પ્રસાદી,પ્ર.કુસુમ પ્રકાશન,અમદાવાદ,૧૯૯૯,પૃ.૧૦૨.
10. એજન, પૃ. ૧૦૬
11. વધુ વિગતો માટે જુવો શમ્મ-એ-હિદાયત, પ્ર. ગંજે સોહદા કબ્રસ્તાન, દાણી લીમડા, અમદાવાદ, ૨૦૦૩.
12. નાયક, ડો.. છોટુભાઈ રણછોડભાઈ, ફારસી શબ્દનો સાર્થ વ્યુત્પતી કોશ, ભાગ- ૪, ગુજરાત વિશ્વ વિદ્યાલય,અમદાવાદ ૧૯૮૦, પૃ. ૩૪
13. નીલકંઠ, મહીપતરામ રૂપરામ, ભવાઈ સંગ્રહ, પૃ.૬૪
14. ઈશ્કુલ્લાહ, (તરજુમા સાથે),પ્ર. હઝરત પીર મોહંમદ શાહ ગ્રન્થાલય અને સંશોધન,
કેન્દ્ર, અમદાવાદ,૨૦૦૬, પૃ.૫૩.
Subscribe to:
Posts (Atom)