Tuesday, January 22, 2013

ગેગરેંપના ગુનેગારો પ્રત્યે ઇસ્લામિક દ્રષ્ટિકોણ : ડો. મહેબૂબ દેસાઈ


હાલમાં જ ગુજરાત વિદ્યાપીઠના સભાખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે એક જૂથચર્ચાનું આયોજન થયુ હતું. સમાજવિદ્યાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો વચ્ચે ગેંગરેપ જેવી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે, તેની વિષાદ છણાવટ સાથે ચર્ચા થઇ. તેમાં ત્રણ બાબતો તરી આવી.
૧. આવા કિસ્સાઓ માટે આપણા માધ્યમો જેવા કે અખબારો, ફિલ્મો કે ચેનલો પર આવતી જાહેરાતો કે   દ્રશ્યો જવાબદાર છે.
૨.  સ્ત્રીઓ પણ પોતાના પોશાક અને અંગ પ્રદર્શન દ્વારા દ્વારા પુરુષોને ઉશકેરવાનું કાર્ય કરે છે.
૩. કેટલાક વિદ્યાર્થીઓએ  આપણા સમાજની બદલતી જતી વિચારધાર અને સંસ્કારોને  જવાબદાર ઠેરવ્યા.
બંને પક્ષે લગભગ એકાદ કલાક ચર્ચા ચાલી. એ ચર્ચા યુવાનોમાં આવી રહેલ જાગૃતિના પ્રતિક સમાન હતી. ચર્ચામાં યુવાનો એ બાબત પર સહમત થયા કે સ્ત્રીના પોશાકો સમાજમાં વિકૃત દ્રષ્ટિને વિકસાવતા ન હોવા જોઈએ. આજ બાબત ઇસ્લામમાં જરા જુદી રીતે કહેવામાં આવી છે. ઇસ્લામમાં સ્ત્રીના પોષક અને શ્રુંગાર માટે કહેવામાં આવ્યું છે કે,
સ્ત્રીના પોષક અને શ્રુંગાર એ સૌ માટે દેખાડો કરવા નથી હોતા
કુરાને શરીફમાં એ પણ કહ્યું છે,
દરેક સ્ત્રીની સુરક્ષાની જવાબદારી પુરુષની છે
સાથે સાથે પુરુષોને પણ હિદાયત આપવામા આવી છે કે,
મોમીન મર્દો ને કહી દો કે તે તેમની નજર નીચી રાખે અને શર્મગાહને સુરક્ષિત રાખે
ચર્ચા સમયે કેટલાક વિદ્યાર્થી ભાઈ-બહેનો પ્લે કાર્ડમાં સુત્રો લખી લાવ્યા હતા. ગેંગરેપ કરનાર નરપિશાચોને તેમાં સજા સૂચવવામાં આવી હતી. તેમાં મોટે ભાગે તેમને ફાંસી અથવા તેમના લિંગનું છેદન મુખ્ય હતા. એ જોઈ મને મધ્યયુગમાં મહંમદ બેડાના સમયમાં ઘટેલ એક ઐતિહાસિક ઘટના યાદ આવી ગઈ.
મહમદ બેગડાને ચાર રાણીઓ હતી. એ ચારેને એક એક પુત્ર હતો .પ્રથમ રાણી રૂપ મંજરી , જેની કબર માણેકચોક (અમદાવાદ)માં છે. તેને મુહમદ નામક પુત્ર હતો . બીજી રાણી શેહપરી (સીપરી). જેના પુત્રનું નામ આબાખાન હતું. ત્રીજી રાણી હીરાબાઈ ના પુત્રનું નામ હતું ખલીલખાન (મુઝફ્ફરખાન) .અને ચોથી રાણીના પુત્રનું નામ હતું અહેમદશાહ. આ ચારે રાણીઓમાં શેહ્પરી અત્યંત ખુબસુરત અને પ્રભાવશાળી હતી. તેનો પુત્ર આબાખાન રંગીન મિજાજનો માલિક હતો. એક દિવસ આબાખાનની સવારી ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. પ્રજા એ સવારીને નિહાળવા રસ્તાની બંને બાજુ ઉભી હતી. રસ્તા પરના એક મકાનના કઠેરામાં એક અત્યંત ખુબસુરત કન્યા પણ શાહજાદાની સવારીને નિહાળી રહી હતી. . આબાખાનની નજર એ કન્યા પર પડી અને આબાખાન પોતાના રંગીન મિજાજને રોકી ન શક્યો. આબાખાને તે કન્યાને પ્રેમ ભર્યો ઈશારો કર્યો. પ્રજા આબાખાનના આ અપકૃત્યને જોઈ ગુસ્સે ભરાણી અને આબાખાન અને તેના રસાલા પર તૂટીપડી. શાહ્જદાના કિમંતી વસ્રતોના લીરેલીરા ઉડી ગયા . તેના સિપાયો ભાગી ગયા.
આ ઘટનાની જાણ મુહમદ બેગડાને થઈ. તેણે રાણી શેહ્પરી (સીપરી) અને પુત્ર આબાખાનને ખુલ્લા દરબારમાં બોલાવ્યા. અને ઘટનાની સત્યતા તપાસી.પ્રજાના નિવેદન સાંભળ્યા. અને પછી ઇન્સાફ કરતા કહ્યું ,
" આ સામે પડેલ ઈશ્ખોલ (પ્યાલો) ઉપાડો. તેમાં ઝેરની પડીકી નાખો. તેને પાણી ,ઓહ ભુલીયો આ તો શાહજાદો છે , તેને પાણીમાં ઝેર ન અપાય. તેને શરબત-એ-ગુલાબમાં ઝેર ઘોળીને આપો."
રાણી શેહ્પરી (સીપરી) આ સાંભળી ધ્રુજી ગઈ. મુહમદ બેગડાને તેણે આક્રંદ સાથે વિનંતી કરી,
" જહાંપના, શાહજાદો આબાખાન આપનો પુત્ર છે. આ તેની પહેલી ખતા છે. તેને આવી કડી સજા ન કરો.
મુહમદ બેગડો પોતાની પ્રિય રાણીની વ્યથા જોઈ રહ્યો. તેના ચહેરા પર તેની બિલકુલ અસર ન હતી. પોતાના ઇન્સાફને વળગી રહેતા તે બોલ્યો ,
"આ તમારો પુત્ર છે અને જેને તેણે બીભ્સ્ય ઈશારો કર્યો છે તે મારી પ્રજાપુત્રી છે. મારી પ્રજાની ઇઝ્ઝત આબરુની હિફાઝત કરવાની મારી પ્રથમ ફર્ઝ છે. પ્રજાના રક્ષકો જ પ્રજાના ભક્ષકો બનશે તો સૂફીસંતોની આ ધરા ધ્રુજી ઉઠશે."
રાણી શાહ્પારી (સીપરી)એ પોતાની વિનંતી ચાલુ રાખતા કહ્યું ,
"પણ, જહાંપના આટલી નાની બાબતની આટલી મોટી સજા ? "
આ સાંભળી મુહમદ બેગડો બોલી ઉઠ્યો ,
" આપની વાત સાચી છે. પણ મારો ઇન્સાફ આપના શાહજાદાની જિંદગી બરબાદ કરી નાખશે.
તેના હાથ પગ કાપી નાખવાનો મારો હુકમ તેને આખી જિંદગી રીબાવશે. અને એક માં તરીકે આપ એ જોઈ નહિ શકો. માટે ઝેર દ્વારા મુક્તિ એ જ એના માટે ઉત્તમ સજા છે."
અને રાણી શેહ્પરીએ પોતાના એકના એક પુત્રને શરબત-એ-ગુલાબમાં ઝેર ઘોળીને આપ્યું. આખો દરબાર મુહમદ બેગડાના ઇન્સાફને ચકિત નજરે જોઈ રહ્યો. થોડી જ પળોમાં શાહજાદા આબાખાનના શરીરમાં ઝેર પ્રસરી ગયું. અને એક સુલતાન બાપની ફર્ઝ ભૂલી પોતાના અદલ ઇન્સાફને ભીની આંખે તાકી રહ્યો.
આજે પણ આસ્ટોડિયા દરવાજા બહાર આવેલી શેહ્પરી (સીપરી)ની મસ્જિતમાં રાણી સીપરીની કબર
પાસે જ શાહજાદા આબાખાનની કબર મુહમદ બેગડાના ઇન્સાફની સાક્ષી પુરતી હયાત છે.

No comments:

Post a Comment