Bhavnagar University
Department of History
M.A. Semester -4
Constitutional and Administrative History of India:1858-1950
Paper No. 14
Marks: 70
Lectures: 45
Unit: 1
1. Transfer of Power to British Crown: Act of 1858 and
Queen Victory’s Proclamation.
2. Council Acts: 1861, 1892 and 1909.
Unit: 2
3. Montague Declaration (1917) and Montford Reforms
(1919).
4. Exercise for Constitution: Simon Commission, C.R.Fromula
Round Table Conference.
Unit: 3
5. Act of 1935 and Provincial Autonomy
6. Constitutional Exercises during War Period (1940-1945)
Unit: 4
7. Mountbatten Plan and Indian Independence (1947)
8. Towards the new Constitution of Republic of India.
Unit: 5.
9. Crows Policy towards Princely State of India.
10. Development of local self government of India Under Crown.
Wednesday, October 14, 2009
Monday, October 12, 2009
Hazrat Davlash Pir : Prof. Mehboob Desai

શ્રદ્ધાનો દરિયો : હઝરત દાવલશાહ
ડો. મહેબૂબ દેસાઈ
ઇસ્લામમાં ચમત્કારો કરતા વિશેષ પ્રાધન્ય ઈમાન,શ્રધા, અને વિશ્વાસને આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ
ખુદા અને પછી તેના પ્યારા બંદા કે ભક્તો ની દુવા પર આમ ઇન્સાનનો વિશ્વાસ - ઈમાન ઇસ્લામી સંસ્કૃતિની શાન છે. રૂપેશ સિંઘા ઉંમર આશરે ૩૫ . જન્મે બંગાળી ક્ષત્રિય. શિવજીના પરમ ઉપાસક. જૈનકન્યા પ્રીમાં સાથે પ્રેમ લગ્નથી જોડાયેલા અને યશરાજ નામના પુત્રના પિતા સાથે થોડા દિવસ પૂર્વે મળવાનું થયું. વાતોમાંને વાતોમાં તેમણે મને કહ્યું,
" ખુદા-ઈશ્વર પર ઈમાન અને દાવલશાહ બાપુની દુઆઓથી જીવું છું."
મને ખુબ નવાઈ લાગી.છતાં એક પણ પ્રશ્ન પૂછ્યા વગર હું તેમને સાંભળી રહ્યો.
" દાવલશાહ બાપુની ૩૬૫ દરગાહ મહારાષ્ટ્રમાં છે. મારા બનેવીને પુનામાં નોકરીમાં સમસ્યા ઉભી થતા મારે પુના જવું પડ્યું. ત્યારે મને પુનામાં બંધ ગાર્ડન પાસે આવેલી દાવલશાહ બાપુની દરગાહની જાણ થઈ. અને મેં ત્યાં જઈ ફાતિહા અદા કર્યા. અને મારા બનેવીની મુશ્કેલી આસાન થઈ ગઈ."
મેં તેમની સામે જોઈ પૂછ્યું,
" તમને ફાતિહા પઢતા આવડે છે ?"
મારી સામે સ્મિત કરી રૂપેશભાઈએ આંખો બંધ કરી અને "અલ્હમ્દો લીલ્લાહે રબીલ આલમીન"ની આખી આયાત પઢી બતાવી. હું આશ્ચર્યચકિત નજરે તેમને તાકી રહ્યો.
જે દાવલશાહ પીરને કારણે તેમણે ફાતિહા માટેની આખી આયાત મોઢે કરી હતી, તે સૂફીસંત દાવલશાહ પીરનો ઉર્ષ ૩૦ ઓક્ટોબર (૧૧ જીલ્કાજ )ના રોજ છે. રૂપેશભાઈ જેવીજ શ્રધા અમદાવાદના કામઘેનું પેઢીના વડીલ ત્રિકમભાઈ નારાયણદાસનું આખું કુટુંબ સેવે છે. હઝરત દાવલશાહની દુવાઓથી તેમના સમગ્ર કુટુંબમાં સુરક્ષા,સુખ અને સમૃદ્ધી આવ્યાની વાતો કરતા કુટુંબનું એક પણ સભ્ય થાકતું નથી. ૧૯૮૫મા અમદાવાદમાં કોમી અશાંતિ વ્યાપી હતી. ચારે બાજુ આગ પ્રસરી હતી. ત્રિકમભાઈના મુહ્લ્લામાં સૌ ભયભીત હતા. પણ ત્રિકમભાઈ સૌને ધરપત આપતા અને કહેતા,
" ઈશ્વરની કૃપા અને દાવલશાહ પીરની દુવાથી આપણા વિસ્તારમાં કઈ નહિ થાય."
એ જ રાતે તેમને સ્વપ્નમાં દાવલશાહ પીર આવ્યા અને કહ્યું," બચ્ચા, એક સળગતું ચક્ર દિલ્હી દરવાજા થઈ,સલાપસ રોડ થઈ,ત્રણ દરવાજા થઈ ચાલ્યું જશે. તમારા વિસ્તારને કશુજ થશે નહિ"
અને સાચ્ચેજ એમ થયું.
તેમનો આખો વિસ્તાર તેમના કહેવા મુજબ દાવલશાહ પીરની દુવાથી બચી ગયો.
અમદાવાદના મોટા સૂફી સંત હઝરત શાહેઆલમ સાહેબના ખીદમતગર તરીકે જાણીતા અબ્દુલ લતીફ બિન મલિક ઉર્ફ હઝરત દાવલશાહની અસલ મઝાર સૌરાષ્ટ્રના મોરબી શહેર નજીક હાલર (જોડિયા) પાસે આમરણ ગામે આવેલ છે. આ જ દાવલશાહ પીર ગુજરાતના સુલતાન મહેમુદ બેગડાના માનીતા ધાર્મિક ઉમરાવ હતા. હઝરત દાવલશાહ સાહેબનો સમગ્ર વ્યવહાર ઇસ્લામના કાનુન મુજબ જ ચાલતો હતો. ઈબાદત અને ઈમાનદારી તેમના જીવનના મુખ્ય ઉદેશો હતા. મિરાતે સિકંદરીમાં તેની નોધ લેતા લખ્યું છે,
" યુદ્ધના સમયમાં એકવાર સીપાયોએ પોતાના ચાર દિવસ ભૂખ્યા ઘોડાઓને કોઈના ખેતરમાં ચરવા છોડી મુક્યા.એ જોઈ દાવલશાહ સાહેબ બોલી ઉઠ્યા " ખુદાનો ખોફ (ડર) રાખો અને તમારા ઘોડાઓને સબ્ર શીખવો"
સિપાયોએ જવાબ વાળ્યો ,
" ઘોડાઓ ચાર દિવસથી ભૂખ્યા છે. તેમનામાં સબ્ર ક્યાંથી આવે ?"
સીપાયોનો જવાબ સાંભળી દાવલશાહ સાહેબે પોતાનો ઘોડો ખુલ્લા ખેતરમાં છૂટો મૂકી દીધો. ઘોડાએ ખેતરનું એક તણખલું મોંમાં ન લીધું. સૌ સિપાયો હઝરત દાવલશાહના ઘોડાની સબ્ર જોઈ રહ્યા.ત્યારે આપે ફરમાવ્યું ,
" તમારી સબ્ર અને ઈમાનદારીનો પ્રભાવ તમારી સાથે જીવતા દરેક જીવ પર પડે છે."
આવા પાક સુફીસંત દાવલશાહ પીરની વફાત જીલ્કાજ માસના ૧૧માં ચાંદે હિજરી સવંત ૯૧૨ ઈ.સ. ૧૫૦૬ના રોજ થઈ હતી.
મિરાતે સિકંદરીના કર્તા લખે છે,
" હઝરત દાવલશાહની વફાતને એક સો પાંચ વર્ષ થયા છતાં હજુ પણ લોકોની ભીડ તેમની દરગાહ પર જામે છે."
આજે પણ આમરણ ગામે તેમના ઉર્ષમાં માનવ મહેરામણ ઉભરાય છે, અને શ્રધાની જ્યોત જ્યાં સુધી પ્રગટતી રહેશે ત્યાં સુધી માનવ મહેરામણ ઉભરાતું રહેશે.
Thursday, October 1, 2009
Happy New Year to All : Prof. Mehboob Desai
સુવિચારોના સથવારે નુતન વર્ષાભિનંદન
ડો. મેહબૂબ દેસાઈ
દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. નવા વર્ષના આગમનની ખુશીનો ઉત્સવ છે.
જીવનના દુખો,ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે.ખુશીને માણવાનો
પ્રસંગ છે. દરેક ધર્મમાં ખુશીને જીવવાના અવસરો મુક્કરાર થયા છે. હિંદુ
ધર્મમાં દિવાળી અને બેસતું વર્ષ છે. ઇસ્લામમાં ઈદ છે.
ખ્રીસ્તીમાં ક્રીશ્મસ છે. પારસીમાં પતેતી છે. આ બધાના નામો , રીવાજો અને
પહેરવેશો ભલે અલગ અલગ હોઈ પણ બધાનો ઉદેશ એક જ છે. અને તે છે ખુશી,આનંદ.
એ દિવસે સૌ
સાથે મળીને વડીલોના આશીર્વાદ લે છે. ભાવતા ભોજન આરોગે છે.અને ખુશીને માણી
સકાય તેટલી પેટ ભરીને માણે છે.
પ્રસંગોને માણવાની આ રીત દરેક ધર્મમાં સમાન છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) આ
અંગે કહે છે,
"તહેવારોમાં હળો મળો, હસી-મજાક કરો. ખાઓ -પીઓ , અને ખુશી મનાવો. ખુશીને
બરાબર ઉજવો "
ખુશીની ઉજવણી માત્ર ભાવતા ભોજન અને આનંદ પુરતી સીમિત ન હોઈ સકે. સદ
વિચારોનું આચમન પણ ઉત્સવની ઉજવણીનો હાર્દ છે. દીપાવલીની ઉજવણી ખલીલ
જિબ્રાનના કેટલાક સદ અવતરણોના આચમનથી કરીએ.
" મારા દુશ્મને મને કહ્યું ," તારા દુશ્મનને પ્રેમ કર' અને મેં તેનું
અનુસરણ કર્યું. અને મેં મારી જાતને ચાહી"
"ભક્તિ માટે અલગતા અને એકાંત અનિવાર્ય નથી"
"શક્તિ અને સહનશીલતા એ બે ભાગીદર છે."
"મારી અજ્ઞાનતાનું કારણ હું સમજુ તો હું સંત થઈ જાઉં"
"વાક્છટા અટેલે કાન પર જીભની લુચ્ચાઈ,પણ વ્ક્તુત્વ એટલે હ્રદયનું આત્મા સાથે મિલન"
" વિજ્ઞાન અને ધર્મ વચ્ચે પૂર્ણ સંવાદિતતા છે, પરંતુ વિજ્ઞાન અને વિશ્વાસ
વચ્ચે પૂર્ણ વિસંવાદ છે."
"મજબુત મનુષ્ય એકાંતમાં વિકસે છે,જયારે નિર્બળ ખરી પડે છે."
"ખરો ધાર્મિક માણસ એક ધર્મને વળગી રહેતો નથી, અને જે એક ધર્મને વળગી રહે
છે તે ધાર્મિક નથી"
"કંજૂસ સિવાયના બધા તરફ ઉદાર થવું એ જ કરકસર"
"ધર્મગુરુ ભોળા ભક્તોના હાડકા અને કબરો પર પોતાના અરમાનો પુરા કરે છે."
"પ્રેમ એ એક જ એવું પુષ્પ છે,જે ઋતુ સિવાય ખીલે છે."
"ધરતી શ્વાસ લે છે
આપણે જીવીએ છીએ
એ શ્વાસ રોકે છે
આપણે ઢળી પડીએ છીએ"
" જેણે વ્યથ જોઈ નથી,તે આનંદને પામી સકતો નથી"
"દયાળુ ન બનશો,
કારણકે
દયા ગુનાખોર કેદીયો પ્રત્યે
દર્શાવાય છે,
જયારે ન્યાય ,અને માત્ર ન્યાય જ નિર્દોષ વ્યક્તિની માંગ છે"
"અજ્ઞાન સાથીની મિત્રતા દારૂડિયા સામે દલીલ કરવા જેટલીજ મૂર્ખતાપૂર્ણ છે"
ખલીલ જિબ્રાનના આ વચનોને ઉત્સવના આનંદ સાથે વાગોળતા રહીએ , એજ પ્રાર્થના
સાથે સૌ વાચક મિત્રોને નુતન વર્ષાભિનંદન .
ડો. મેહબૂબ દેસાઈ
દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. નવા વર્ષના આગમનની ખુશીનો ઉત્સવ છે.
જીવનના દુખો,ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે.ખુશીને માણવાનો
પ્રસંગ છે. દરેક ધર્મમાં ખુશીને જીવવાના અવસરો મુક્કરાર થયા છે. હિંદુ
ધર્મમાં દિવાળી અને બેસતું વર્ષ છે. ઇસ્લામમાં ઈદ છે.
ખ્રીસ્તીમાં ક્રીશ્મસ છે. પારસીમાં પતેતી છે. આ બધાના નામો , રીવાજો અને
પહેરવેશો ભલે અલગ અલગ હોઈ પણ બધાનો ઉદેશ એક જ છે. અને તે છે ખુશી,આનંદ.
એ દિવસે સૌ
સાથે મળીને વડીલોના આશીર્વાદ લે છે. ભાવતા ભોજન આરોગે છે.અને ખુશીને માણી
સકાય તેટલી પેટ ભરીને માણે છે.
પ્રસંગોને માણવાની આ રીત દરેક ધર્મમાં સમાન છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) આ
અંગે કહે છે,
"તહેવારોમાં હળો મળો, હસી-મજાક કરો. ખાઓ -પીઓ , અને ખુશી મનાવો. ખુશીને
બરાબર ઉજવો "
ખુશીની ઉજવણી માત્ર ભાવતા ભોજન અને આનંદ પુરતી સીમિત ન હોઈ સકે. સદ
વિચારોનું આચમન પણ ઉત્સવની ઉજવણીનો હાર્દ છે. દીપાવલીની ઉજવણી ખલીલ
જિબ્રાનના કેટલાક સદ અવતરણોના આચમનથી કરીએ.
" મારા દુશ્મને મને કહ્યું ," તારા દુશ્મનને પ્રેમ કર' અને મેં તેનું
અનુસરણ કર્યું. અને મેં મારી જાતને ચાહી"
"ભક્તિ માટે અલગતા અને એકાંત અનિવાર્ય નથી"
"શક્તિ અને સહનશીલતા એ બે ભાગીદર છે."
"મારી અજ્ઞાનતાનું કારણ હું સમજુ તો હું સંત થઈ જાઉં"
"વાક્છટા અટેલે કાન પર જીભની લુચ્ચાઈ,પણ વ્ક્તુત્વ એટલે હ્રદયનું આત્મા સાથે મિલન"
" વિજ્ઞાન અને ધર્મ વચ્ચે પૂર્ણ સંવાદિતતા છે, પરંતુ વિજ્ઞાન અને વિશ્વાસ
વચ્ચે પૂર્ણ વિસંવાદ છે."
"મજબુત મનુષ્ય એકાંતમાં વિકસે છે,જયારે નિર્બળ ખરી પડે છે."
"ખરો ધાર્મિક માણસ એક ધર્મને વળગી રહેતો નથી, અને જે એક ધર્મને વળગી રહે
છે તે ધાર્મિક નથી"
"કંજૂસ સિવાયના બધા તરફ ઉદાર થવું એ જ કરકસર"
"ધર્મગુરુ ભોળા ભક્તોના હાડકા અને કબરો પર પોતાના અરમાનો પુરા કરે છે."
"પ્રેમ એ એક જ એવું પુષ્પ છે,જે ઋતુ સિવાય ખીલે છે."
"ધરતી શ્વાસ લે છે
આપણે જીવીએ છીએ
એ શ્વાસ રોકે છે
આપણે ઢળી પડીએ છીએ"
" જેણે વ્યથ જોઈ નથી,તે આનંદને પામી સકતો નથી"
"દયાળુ ન બનશો,
કારણકે
દયા ગુનાખોર કેદીયો પ્રત્યે
દર્શાવાય છે,
જયારે ન્યાય ,અને માત્ર ન્યાય જ નિર્દોષ વ્યક્તિની માંગ છે"
"અજ્ઞાન સાથીની મિત્રતા દારૂડિયા સામે દલીલ કરવા જેટલીજ મૂર્ખતાપૂર્ણ છે"
ખલીલ જિબ્રાનના આ વચનોને ઉત્સવના આનંદ સાથે વાગોળતા રહીએ , એજ પ્રાર્થના
સાથે સૌ વાચક મિત્રોને નુતન વર્ષાભિનંદન .
Wednesday, September 30, 2009
દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. નવા વર્ષના આગમનની ખુશીનો ઉત્સવ છે. જીવનના દુખો,ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે.ખુશીને માણવાનો પ્રસંગ છે. દરેક ધર્મમાં ખુશીને જીવવાના અવસરો મુક્કરાર થયા છે. હિંદુ ધર્મમાં દિવાળી અને બેસતું વર્ષ છે. ઇસ્લામમાં ઈદ છે.
ખ્રીસ્તીમાં ક્રીશ્મસ છે. પારસીમાં પતેતી છે. આ બધાના નામો , રીવાજો અને પહેરવેશો ભલે અલગ અલગ હોઈ પણ બધાનો ઉદેશ એક જ છે. અને તે છે ખુશી,આનંદ. એ દિવસે સૌ
સાથે મળીને વડીલોના આશીર્વાદ લે છે. ભાવતા ભોજન આરોગે છે.અને ખુશીને માણી સકાય તેટલી પેટ ભરીને માણે છે.
પ્રસંગોને માણવાની આ રીત દરેક ધર્મમાં સમાન છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) આ અંગે કહે છે,
"તહેવારોમાં હળો મળો , હસી-મજાક કરો. ખાઓ -પીઓ , અને ખુશી મનાવો. ખુશીને બરાબર ઉજવો "
ખ્રીસ્તીમાં ક્રીશ્મસ છે. પારસીમાં પતેતી છે. આ બધાના નામો , રીવાજો અને પહેરવેશો ભલે અલગ અલગ હોઈ પણ બધાનો ઉદેશ એક જ છે. અને તે છે ખુશી,આનંદ. એ દિવસે સૌ
સાથે મળીને વડીલોના આશીર્વાદ લે છે. ભાવતા ભોજન આરોગે છે.અને ખુશીને માણી સકાય તેટલી પેટ ભરીને માણે છે.
પ્રસંગોને માણવાની આ રીત દરેક ધર્મમાં સમાન છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) આ અંગે કહે છે,
"તહેવારોમાં હળો મળો , હસી-મજાક કરો. ખાઓ -પીઓ , અને ખુશી મનાવો. ખુશીને બરાબર ઉજવો "
Subscribe to:
Posts (Atom)