Friday, February 9, 2024

“મેરા પ્યાર અંધા ભી થા ઔર બહેરા ભી થા” ઑ. પી. નૈયર : ડૉ. મહેબૂબ દેસાઈ

 

 પ્રેમનો તહેવાર એટલે વેલેન્ટાઇન ડે. એમ કહેવાઈ છે કે નફરત પ્રેમનું પ્રથમ સોપાન છે. પણ કયારેક પ્રધાડ પ્રેમ પછી પ્રઘાડ નફરત પણ સાચા પ્રેમની પરિભાષા બની જાય છે. “મેરા પ્યાર અંધા ભી થા ઔર બહેરા ભી થા”  આ શબ્દો એ મહાન સંગીતકારના છે, જેણે  ફિલ્મ રસિકોને આશા ભોંસલે દ્વારા એકથી એક ચડિયાતા ગીતો આપ્યા છે. ઑ પી નૈયાર અને આશા ભોંસલે ૧૯૬૩ થી ૧૯૭૨ નવ વર્ષ સુધી પ્રેમના પ્રઘાડ સબંધોથી બંધાયેલા રહયા હતા. મુંબઈ ખાતેના મીરામાર બિલ્ડિંગના પેન્ટ હાઉસમાં બંને એક સાથે જ રહેતા. તેમના એ પ્રેમબંધને ફિલ્મ સંગીતને અનમોલ ખજાનો આપ્યો છે. તુમ સા નહીં દેખા (૧૯૫૭), નયા દૌર (૧૯૫૭), સોને કી ચિડિયા (૧૯૫૮), હાવડા બ્રિજ (૧૯૫૮), રાગિણી (૧૯૫૮), ફાગુન (૧૯૫૮), બસંત (૧૯૬૦), જાલીનોટ (૧૯૬૦), એક મુસાફિર એક હસીના (૧૯૬૨), ફીર વહી દિલ લાયા હું (૧૯૬૨), કશ્મીર કી કલી (૧૯૬૪), મેરે સનમ (૧૯૬૫), સાવન કી ઘટા (૧૯૬૬), સીઆઇડી ૯૦૯ (૧૯૬૭), હમસાય (૧૯૬૮) અને કિસ્મત (૧૯૬૮) જેવી અનેક ફિલ્મોમાં આશા ભોંસલે અને ઑ પી નૈયરની જોડી એ બેમિસાલ ગીતો આપ્યા છે. પણ ૧૯૭૨માં આ પ્રેમ બંધનને જાણે કોઇની નજર લાગી ગઈ. અને બંને વચ્ચે પ્રઘાડ પ્રેમનું સ્થાન પ્રઘાડ નફરતે લઈ લીધું. ઑ પી નૈયરના આ પ્રેમ સબંધોને કારણે જ તેમના સ્વજનો તેમનાથી છૂટયા. ઘર છૂટ્યું. અને છેલ્લા દિવસોમાં તેઓ એક નાનકડા ઘરમાં પેઈન્ ગેસ્ટ તરીકે રહ્યા.

 

ઑ પી નૈયર સાહેબે આશા ભોંસલે સાથે જે છેલ્લું ગીત બનાવ્યું તે તેમના પ્રેમની વ્યથા અને કથા બંને વ્યક્ત કરે છે.   

 

चैन से हमको कभी आपने जीने ना दिया

ज़हर भी चाहा अगर, पीना तो पीने ना दिया

चैन से हमको कभी

चांद के रथ में रात की दुल्हन जब जब आएगी

याद हमारी आपके दिल को तरसा जाएगी

आपने जो है दिया, वो तो किसीने ना दिया

ज़हर भी चाहा अगर, पीना तो पीने ना दिया

चैन से ...

आपका ग़म जो इस दिल में दिन-रात अगर होगा

सोचके ये दम घुटता है फिर कैसे गुज़र होगा

काश ना होती अपनी जुदाई मौत ही आ जाती

कोई बहाने चैन हमारी रूह तो पा जाती

इक पल हँसना कभी दिल की लगी ने ना दिया

ज़हर भी चाहा अगर, पीना तो पीने ना दिया

 

આ ગીતના એક એક શબ્દમાં પ્રેમમાં હતાશ પ્રેમીની દાસ્તાન વ્યક્ત થાય છે. આશા ભોંસલે અને સંગીતકાર ઑ પી નૈયરની જોડીનું આ અંતિમ ગીત ૧૯૭૩માં રજૂ થયેલ સુનિલ દત્ત અને રેખાની ફિલ્મ “પ્રાણ જાય પર વચન ન જાયે” નું છે. પણ આ ગીત ફિલ્મમાં નથી. છતાં 1975ના વર્ષના ૨૨માં ફિલ્મફેર એવોર્ડ ફંક્શનમાં શ્રેષ્ટ  ફિમેલ સોંગનો ફિલ્મ ફેર એવોર્ડ આ ગીતને મળ્યો હતો. જે લેવા આશા ભોંસલે આવ્યા ન હતા. તેમના બદલે એ એવોર્ડ ઑ પી નૈયરે લીધો હતો. એવોર્ડ લઈ તેઓ સીધા ફંક્શન બહાર નીકળી ગયા. તેમની સાથે ગીતના શાયર એસ. એચ. બિહારી પણ બહાર આવ્યા. બંને નૈયર સાહેબની કારમાં બેઠા. અને કાર મુંબઈના માર્ગ પર દોડવા લાગી. થોડી વારે નૈયર સાહેબે કાર રોકી. અને હાથમાં રાખેલી ફિલ્મફેરની ટ્રોફી જોરથી બારી બહાર ફેકી. ફિલ્મફેર ટ્રોફી લાઇટના એક પોલ સાથે અથડાઇ અને તેના બે ટુકડા થઈ ગયા. ત્યારે સંગીતકાર નૈયર દુખદ સ્વરે બોલી ઉઠયા હતા,

મેરા પ્યાર અંધા ભી થા ઔર બહેરા ભી થા. ઇસી તરહ  ઉસને મેરા દિલ તોડા હૈ, અબ વો મેરી દુનિયા સે બહોત દૂર ચલી ગઈ હૈ”

 

હતાશ પ્રેમની આ પરાકાષ્ટા સાથે જ એક નાનકડા રૂમમાં પેઇન ગેસ્ટ તરીકે ઑ પી નૈયર સાહેબે ૨૮ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ દેહ ત્યાગ કર્યો. પણ તેમના પ્રઘાડ પ્રેમની કથા આજે પણ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતાં યુવાનોને પ્રેમની પરિભાષા સમજાવતી રહે છે.

 

 

1 comment:

  1. Dear Prof., Your insights about the Barwada Mosque are fascinating to me. Since I read the TOI article, I have been trying to contact you. I've already sent you an email enquiring about this. I hope you received it. If not, please share your email with me. Thank you.

    adeebmampad@gmail.com
    linkedin.com/in/adeeb-moorkan-b21a89189

    ReplyDelete