Sunday, October 26, 2014

 
અહમદ મહમદ કાછલિયા : મહાત્માના સર્જનના સાથી
ડૉ. મહેબૂબ દેસાઈ


ઇસ્લામના નવા વર્ષ હીજરી સંવત 1436નો  આરંભ ૨૬ ઓકોબર ૨૦૧૪ના રોજ થયો છે. નુતન વર્ષના આરંભ પછી તુરત આરંભાયેલ ઇસ્લામના નવા વર્ષની સૌને શુભેચ્છાઓ. ઇસ્લામ એટલે શાંતિ, સમર્પણ અને ત્યાગ એવા સાચુકલા સિદ્ધાંતોને જીવનભર વરેલા અહેમદ મહમદ કાછાલીયાને આજે કોણ ઓળખે  છે ? ગાંધીજીને મોહનમાંથી મહાત્માના બનાવવાની પ્રક્રિયાના સહાયક અને સાથી અહમદ મહમદ કાછલિયા જેવા પાક એકનિષ્ઠ આદમીને સ્મરી નવા ઇસ્લામક વર્ષની મુબારકબાદ સૌને પાઠવું છું. ગાંધીજી તેમના પુસ્તક "દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ" માં અહેમદ મહમદ કાછાલીયા વિષ સવિસ્તર લખ્યું છે.

.. ૧૮૯૩મા ભારતમાંથી બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી નામનો યુવાન આફ્રિકા ગયો, ત્યારે કોઈને ખબર નહતી કે એક વર્ષની બાંધી મુદત માટે જઈ રહેલ મોહનદાસ ત્યાં ઇતિહાસ સર્જાશે. અને ગાંધીજીનું બહુમાન મેળવી પરત આવશે. મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી  ગાંધીજીનું માન મેળવનારા બેરિસ્ટરના જાહેરજીવનનો આરંભ દક્ષિણ આફ્રિકામાં થયો. ત્યારે મોહનદાસના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના વિચારો હજુ બાલ્યાવસ્થામાં હતા. આવા પ્રારંભિક  કાળમાં મોહનદાસના અપરિપકવ વિચારોમાં વિશ્વાસ મૂકી તેમના જાહેરજીવનને પ્રોત્સાહિત કરનાર દક્ષિણ આફ્રિકામાં વસતા ગુજરાતના મુસ્લિમ વેપારીઓ અને કાર્યકરો હતા. બાબતની ઇતિહાસમાં બહુ ઓછી નોંધ લેવાય છે. પણ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના પોતાના  પ્રથમ સત્યાગ્રહમાં પ્રેરકબળ બની રહેલા ગુજરાતના મુસ્લિમ વેપારીઓ અને કાર્યકરોની ખુલ્લા દિલે પોતાના લખાણોમાં પ્રશંસા કરી છે. તેમનો વિગતે પરિચય આપ્યો છે. ગુજરાતના મુસ્લિમોની સહકારની પરંપરાનો આરંભ દક્ષિણ આફ્રિકાના નાતાલ બંદરે ગાંધીજી ઉતર્યા ત્યારેથી થયો હતો. નાતાલ બંદરે મોહનદાસને લેવા આવેલા શેઠ અબ્દુલાથી તેઓ ખુબ પ્રભાવિત થયા હતા. અંગે ગાંધીજી લખે છે,

"અબ્દુલ્લા શેઠનું અક્ષરજ્ઞાન ઘણું ઓછુ હતું. પણ અનુભવજ્ઞાન પુષ્કળ હતું. તેમની બુદ્ધિ તીવ્ર હતી. અને વાતનું તેમને પોતાને ભાન હતું. અંગ્રેજી જ્ઞાન કેવળ વાતચીત પૂરતું મહાવરાથી મેળવી લીધું હતું. પણ એવા અંગ્રેજી મારફત પોતાનું બધું કામ ઉકેલી શકતા. બેંકના મેનેજરો સાથે વાત કરે, યુરોપિયન વેપારીઓ સાથે સોદા કરી આવે, વકીલોને પોતાનો કેસ સમજાવી શકે. હિન્દીઓમાં તેમનું માન ખુબ હતું. તેમની પેઢી તે વેળા બધી હિન્દી પેઢીઓમાં મોટી હતી, અથવા મોટામાની એક હતી . તેમની પ્રકૃતિ વહેમી હતી. તેમને ઇસ્લામનું અભિમાન હતું. તત્વજ્ઞાનની વાતોનો શોખ રાખતા.અરબી આવડતું છતાં કુરાન શરીફની અને સામાન્ય રીતે ઇસ્લામી ધર્મ સાહિત્યની માહિતી સારી ગણાય. દ્રષ્ટાંતો તો હાજર હોય. તેમના સહવાસથી મને ઇસ્લામનું વ્યવહારુ જ્ઞાન ઠીક મળ્યું. અમે એકબીજાને ઓળખતા થયા ત્યારે પછી તે મારી સાથે ધર્મ ચર્ચા પુષ્કળ કરતા" (સત્યના પ્રયોગો, પૃ. ૧૯૫)

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે ખડેપગે ઉભા રહેનાર અહમદ મહમદ કાછલિયાનો ઉલ્લેખ પણ ગાંધીજીએ "દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ" નામક પોતાન ગ્રંથમાં સવિસ્તાર લીધેલ છે. ટ્રાન્સવાલાની રાજધાની પ્રિટોરિયામાં એક જંગી જાહેરસભા ભરાઈ. તેના પ્ર્મીખ હતા બ્રિટીશ ઇન્ડિયન એસોશિયેસનના હંગામી પ્રમુખ યુસુફ ઇસ્માઈલ મિયા. પોતાના ભાષણમાં તેમણે ગાંધીજીને તમામ સહકાર આપવાનું વચન આપ્યું. પણ તેનાથી વિશેષ તો સભામાં બોલવા ઉભા થયેલા અહમદ મહમદ કાછલિયાથી ગાંધીજી ખુબ પ્રભાવિત થયા. અંગે તેઓ લખે છે,

" હિંદીઓના ભાષણ શરુ થયા. પ્રકરણના અને ખરું જોતા ઇતિહાસના નાયકની ઓળખાણ તો મારે હવે કરાવવી રહી. જે બોલનાર ઉભા થયા તેમાં મર્હુમ અહમદ કાછલિયા હતા. એમને હું તો એક અસીલ તરીકે અને દુભાષિયા તરીકે ઓળખાતો. એઓં અત્યાર સુધી જાહેરકામોમાં અગ્રેસર થઈને ભાગ નહોતા લેતા, એમનું અંગ્રેજી કામ ચલાઉ હતું. પણ અનુભવે એટલે સુધી મેળવી લીધેલું કે પોતાના મિત્રોને અંગ્રેજી વકીલોને ત્યાં લઇ જાય ત્યારે તે પોતે દુભાષિયાનું કામ કરતા. દુભાષિયાપણું કઈ એમનો ધંધો હતો. કામ તો તે મિત્ર તરીકે કરતા. ધંધો પ્રથમ કાપડની ફેરીનો હતો. અને પાછળથી તેમના ભાઈ સાથે ભાગમાં નાનકડા પાયા પર વેપાર કરતા. પોતે સુરતી મેમણ હતા. સુરત જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. સુરતી મેમણોમાં તેમની પ્રતિષ્ઠા સરસ હતી. પણ એમની બુદ્ધિ એટલી બધી તેજ હતી કે ગમે તે વસ્તુ ઘણી સહેલાઇથી સમજી જતા. કેસોની આંટીઓ એવીરીતે ઉકેલતા કે હું ઘણી વેળા આશ્ચર્યચકિત થતો. વકીલ સાથે કાયદાની દલીલ કરતા પણ અચકાતા નહિ, અને ઘણી વેળા તેમની દલીલમાં વકીલોને પણ વિચારવા જેવું હોય . બહાદુરી અને એકનિષ્ઠામાં તેમનાથી ચડી જાય એવા કોઈ પણ માણસનો અનુભવ મને નથી થયો દક્ષિણ આફ્રિકામાં કે નથી થયો હિંદુસ્તાનમાં. કોમને અર્થે તેમણે સર્વસ્વ હોમ્યું હતું. મને તેમની સાથે જેટલા પ્રસંગો પડ્યા તેમાં મેં હંમેશાં તેમને એકવચની તરીકે જાણ્યા છે. પોતે ચુસ્ત મુસલમાન હતા. સુરતી મેમણ મસ્જિદના મુતવલ્લીમાંના તે પણ એક હતા. પણ તેની સાથે હિંદુમુસલમાન પ્રત્યે સમદર્શી હતા. મને એવો એક પણ પ્રસંગ... જેમાં તેમણે ધર્માન્ધપણે અને અયોગ્ય રીતે હિંદુ સામે મુસલમાનનો પક્ષ ખેંચ્યો હોય. તદ્દન નીડર અને નિષ્પક્ષપાતી હોવાને લીધે, જરૂરી જણાય ત્યારે હિંદુમુસલમાન બંનેને તેમના દોષ બતાવવામાં જરા ય સંકોચ ન કરતા. તેમની સાદાઈ ને તેમનું નિરભિમાન અનુકરણ કરવા લાયક હતાં. તેમની સાથેના મારા વરસોના ગાઢ પરિચય પછી બંધાયેલો મારો દૃઢ અભિપ્રાય છે કે મરહૂમ અહમદ મહમદ કાછલિયા જેવું માણસ કોમને મળવું દુર્લભ છે. (‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’, નવજીવન પ્રકાશન, પૃ. ૧૨૫-૧૨૬)

પ્રિટોરિયાની જંગી જાહેરસભામાં અહમદ મહમદ કાછલિયાએ પોતાના જમણા તના ખુલ્લા આંગળા ગાળા ઉપર ફેરવતા ગર્જના કરતા કહ્યું હતું,

"હું ખુદાના કસમ ખાઈને કહું છું કે કતલ થઈશ, પણ કાયદાને વશ નહિ થાઉં અને ઈચ્છું કે સભા પણ નિશ્ચય પર આવશે" (એજન, પૃ. ૧૨૬)

લડતમાં સક્રિય રીતે ભાગ લેવાને કારણે દક્ષિણ આફ્રિકાની સરકારે શ્રી કાછલિયાના વેપારમાં અડચણો ઉભી કરવા માંડી. જે અંગ્રેજ પેઢીઓએ કાછલિયા શેઠને ધીરધાર કરી હતી, તેમણે અંગ્રેજ સરકારના દબાણને વશ થઇ વેપારમાં ધીરેલા નાણાંની કાછલિયા પાસે પઠાણી ઉઘરાણી શરુ કરી અને કહેણ મોકલ્યું કે,

"જો તમે લડતમાંથી નીકળી જાવ તો અમને નાણાની કઈ ઉતાવળ નથી. જો તમે તેમાંથી નીકળી જાવ તો અમને ભય છે, તમને સરકાર ગમે ત્યારે  પકડી લે તો અમારા નાણાનું શું થાય ? તેથી જો તમે લડતમાંથી નીકળી શકો તો અમારા નાણા તમારે તુરત ભરવા જોઈએ" 

પણ વીર પુરુષ કાછલિયાએ અગ્રેજ વેપારીઓને ખુમારીથી જવાબ આપ્યો કે,

"લડત મારી પોતાની અંગત બાબત છે, તેને મારા વેપાર સાથે કઈ સંબધ નથી. તે લડતમાં મારો ધર્મ, મારી પ્રજાનું માન અને મારું સ્વમાન સમાયેલું છે. તમારી ધીરધારને સારું  હું તમારો આભાર માનું છું. પણ તેને કે મારા વેપારને હું સર્વોપરી નથી ગણી શકતો" (એજન, પૃ. ૧૮૫)

શ્રી કાછલિયાનો જવાબ સાંભળી અગ્રેજ વેપારીઓ સમસમી ગયા. કારણ કે તેઓ તો કાછલિયાને નમાવવા ઇચ્છતા હતા. પણ કાછલિયા નમ્યા અને નાદાર કે દેવાદાર બનવાનું તેમણે પસંદ કર્યું. આવા ભડવીર વિષે ગાંધીજીએ નોંધ્યું છે,

"કાછલિયા બધી બાબતોમાં થોડું થોડું બોલી પોતાનો નિશ્ચય જાહેર કરી દેતા. અને એમા અડગ રહેતા. મને એક પણ પ્રસંગ એવો યાદ નથી કે જયારે તેમણે નબળાઈ બતાવી હોય અથવા તો છેવટના પરિણામ વિષે શંકા પણ બતાવી હોય"(એજન, પૃ. ૧૮૪)

આવા શ્રી અહમદ મહમદ કાછલિયાએ પોતાના એકના એક પુત્ર અલીને ગાંધીજીના ટોલ્સટોય આશ્રમમાં સાચો પ્રજા સેવક બનાવવા મુક્યો હતો. તેમના પગલા પછી બીજા મુસ્લિમ બાળકોને પણ તેમના માબાપે ગાંધીજીના આશ્રમમાં મુક્યા હતા. ૧૦-૧૨ વર્ષનો અલી કાછલિયા સ્વભાવ નમ્ર, ચંચળ, અને સત્યવાદી હતો. પણ પિતાનું નામ રોશન કરવા તે વધુ જીવ્યો. કાછલિયા શેઠે હદય પર પથ્થર મૂકીને પુત્રને કાંધો આપી વિદાય કર્યો અને પાછા ગાંધીજીના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના કાર્યમાં લાગી ગયા. અને લડત ચાલી ત્યાં સુધી તેઓ ગાંધીજી સાથે રહ્યા. આવા સિંહ પુરુષનું અવસાન કોમની ખિદમત કરતા કરતા ૧૯૧૮મા એટલે કે દક્ષિણ આફ્રિકાની લડત પૂર્ણ થયાના ચાર વર્ષે થયું. આજે પણ દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં મોહનમાંથી મહાત્માનું સર્જન કરનાર સેવકોમાં શ્રી અહમદ મહમદ કાછલિયાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે.

 

 
મહા

(‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’, નવજીવન પ્રકા

No comments:

Post a Comment