Monday, December 7, 2009

vandematram : Comments

આસ્લમુઅલ્યકા
સુવાસ અને આરીફની વાત સાથે સંમત છું. મેં આખું ગીત વાંચ્યું છે. અને તેનો ભાવાર્થ પણ જોયો છે.
પણ કોઈ ગીત ગાવા માત્રથી મારું ઈમાન ડગીજાય તેટલું નબળું નથી.અને કોઈ મુસ્લિમનું પણ ન હોવું
જોઈએ. કારણકે ઈમાન ઇસ્લામની નીવ છે.
વન્દેમાતરમનો આરીફ મોહંમદ ખાને કરેલો ઉર્દુ અનુવાદ જાણવા જેવો છે,
”માં તસ્લીમાત !
તું ભરી હૈ મીઠે પાની સે
ફળ-ફૂલો કી શાદાબી સે
દક્કીન કી ઠંડી હવાઓ સે
ફસલો કી સુહાની ફીજાઓ સે
તસ્લીમાત , માં તસ્લીમાત !

તેરી રાતે રોશન ચાંદ સે
તેરી રોનક સબ્જે-ફામ સે
તેરી પ્યાર ભરી મુસ્કાન સે
તેરી મીઠી બહુત જુબાન સે
તેરી બાહોંમે મેરી રાહત સે
તેરે કદમો મેં મેરી જન્નત સે

ડો. મહેબૂબ દેસાઈ

1 comment: