Saturday, April 28, 2018

મુઝ મે ભેદ નહિ હૈ : મોરારીબાપુ : ડૉ. મહેબૂબ દેસાઈ



થોડા દિવસ પહેલા મારા એક વિદ્યાર્થી કોમેલ રાજાણીએ મને પૂ. મોરારીબાપુનો એક વિડીઓ વોટ્સઅપ પર મોકલ્યો. સાથે લખ્યું હતું, બાપુએ વ્યાખ્યાનમા આપને યાદ કર્યા છે એ વિડીઓ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામા આવેલ ફીફાદ ગામમાં સૂફીસંત હઝરત સૈયદ જંતરશાહ બાબાના ઉર્સના કાર્યક્રમનો હતો. આ વર્ષે સૂફીસંત હઝરત સૈયદ જંતરશાહ બાબાના ઉર્ષની ઉજવણીમા મુખ્ય મહેમાન તરીકે પૂ. મોરારીબાપુને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું  હતું. એ કાર્યક્રમમા પૂ. મુરારીબાપુએ આપેલ વ્યાખ્યાનમાં લગભગ આઠેક વર્ષ પૂર્વે મારી અને તેમની સાથે તલગાજરડાના ચિત્રકૂટ આશ્રમમાં ઘટેલી ઘટનાને તેમણે યાદ કરી હતી.
૨૦૧૦મા હું અને મારી પત્ની સાબેરા બીજીવાર હજયાત્રાએ ગયા હતા. હજયાત્રા પછી યુનિવર્સીટીના એક કાર્યક્રમ અંગે મેં પૂ. મોરારીબાપુને એક પત્ર પાઠવ્યો. જેમાં લખ્યું હતું,
હજયાત્રાએથી પરત આવ્યા પછી પ્રથમ પત્ર આપને પાઠવી રહ્યો છું. હજયાત્રાની પ્રસાદી ઝમઝમનું જળ,ખજુર અને અત્તર આપને રૂબરૂ આપવા આવવાની ઈચ્છા છે.
પત્ર બાપુને મળ્યો કે તુરત બાપુનો ફોન આવ્યો,
મહેબૂબ સાહબ, હજયાત્રાએથી આવી ગયા તે જાણ્યું. ઈશ્વર આપની હજ કબુલ ફરમાવે
આ વાતને લગભગ દસેક દિવસ થઈ ગયા. ભાવનગર વિશ્વ વિદ્યાલયના ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રના એક કાર્યક્રમ માટે મારે બાપુને રૂબરૂ મળવા જવાનું નક્કી થયું. અને બાપુને રૂબરૂમાં ઝમઝમનું જળ, આજવા ખજુર અને અત્તર આપવાની મારી ઈચ્છા વધુ પ્રબળ બની.
તા. ૩ જાન્યુઆરીના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે હું જયારે તલગાજરડા(મહુવા)મા આવેલ બાપુના ચિત્રકૂટ આશ્રમમાં પહોંચ્યો, ત્યારે બાપુ એક સૌ જેટલા ભક્તોથી ઘેરાયેલા હતા. આટલી મોટી બેઠકમાં બાપુને કેમ મળવું, તેની મીઠી મુંઝવણ હું અનુભવી રહ્યો હતો. અંતે હિંમત કરી મારી પાસે ઉભેલા એક સ્વયંમ સેવકને મેં મારી ઓળખાણ આપી અને મારા આગમનનો ઉદેશ કહ્યો. એ ભાઈએ મને કહ્યું,
તમેં બાપુ ને મળી લો. બપોરે ૧૨ થી ૧ બાપુ બધાને મળે છેપણ આટલા બધા ભક્તોની વચ્ચે બાપુને મળતા મારા પગો સંકોચ અનુભવી રહ્યા હતાં. છતાં હિમત કરી મેં કદમો માંડ્યા. બાપુ હિંચકા પર બેઠા હતા.જયારે ભક્તજનો નીચે બેઠા હતાં. મેં હિંચકા તરફ ચાલવા માંડ્યું. એ સમયે બાપુનું ધ્યાન ભક્તો સાથેના વાર્તાલાપમાં હતુ. એટલે હિંચકા પાસે જઈ મેં મારો પરિચય આપતા કહ્યું,
મારું નામ મહેબૂબ દેસાઈ છે. આપને મળવા ભાવનગરથી આવ્યો છું.
નામ સાંભળી બાપુએ મારા તરફ જોયું. અને તેમના ચેહરા પર સ્મિત ફરી વળ્યું. મારા પર એક નજર નાખી તેઓ બોલ્યા,
આવો આવો, મહેબૂબ સાહબ, અરે કોઈ જરા ખુરસી લાવશો
બાપુના આવા આદેશથી હું થોડો વધારે મૂંઝાયો. આટલા બધા ભક્તો ભોય પર બેઠા હોઈ અને હું બાપુ સામે ખુરશી પર બેસું તે કેવું લાગે ? પણ બાપુ સામે કઈ જ દલીલ કરવાની મારી માનસિક સ્થિતિ ન હતી. એટલે ખુરશી આવતા મેં તેમાં ચુપચાપ સ્થાન લીધું. અને મારા થેલામાંથી ઝમઝમના જળની બોટલ, ખજૂરનું બોક્સ અને અત્તરની શીશી કાઢી બાપુને આપતા કહ્યું,
આપને મક્કાની આ પ્રસાદી રૂબરૂ આપવાની ઘણી ઈચ્છા હતી
બાપુએ પ્રથમ આજવા ખજૂરનું બોક્સ મારા હાથમાંથી લીધું. અને હિચકા પર પોતાની બાજુમાં મુક્યું. પછી મેં ઝમઝમની બોટલ તેમના હાથમાં મુક્તા કહ્યું,
ઝમઝમનું જળ ઇસ્લામમાં અત્યંત પવિત્ર ગણાય છે. સો તેનું આચમન કરે છે. આપ પણ તેનું આચમન કરી શકો છો
મારી વાત સાંભળી ચહેરા પર સ્મિત પાથરી બાપુ બોલ્યા,
તમે જ મને તેનું આચમન કરાવો નેઅને બાપુએ તેમના હાથની હથેળી મારી સામે ધરી.મેં બોટલ ખોલી બાપુના હાથમાં ઝમઝમનું પાણી રેડ્યું. અને ગંગા જળ જેટલા જ શ્રધ્ધા ભાવથી બાપુએ ઝમઝમનું આચમન કર્યું. ત્યારે સો ભક્તો બાપુની આ ચેષ્ઠાને જોઈ રહ્યા હતા. ઝમઝમના આચમન પછી ભક્તજનોને સંબોધતા બાપુ બોલ્યા,
મહેબૂબ સાહબ સાથે આજે મારી પણ હજ થઈ ગઈઅને ત્યારે ભક્તજનોએ બાપુના એ વિધાનને તાળીઓથી વધાવી લીધું. પણ બાપુ આટલેથી ન અટક્યા.તેમણે મારી સામે જોઈ પોતાની ઈચ્છાને વ્યક્ત કરતા કહ્યું,
મહેબૂબ સાહબ, માત્ર ઝમઝમ પીશ નહિ. તમે એક કલાક રોકાય જાવ. હું આ ઝમઝમનો રોટલો બનાવડાવી આપની સામે આરોગીશ. અને તેમણે તલગાજરડાના આશ્રમ સામેથી એક ભરવાડ બહેનને બોલાવ્યા અને તેમને કહ્યું,
આ પવિત્ર જળ છે. તે તમે લઇ જાવ અને તેમાંથી રોટલો બનાવીને લાવો.
એ બહેન ઝમઝમનું પાણી લઇ ગયા. અને થોડીવારે તેમાંથી બાજરીનો રોટલો બનાવીને લાવ્યા. બાપુએ એ રોટલો મારી સામે આરોગ્યો.
અને પછી બોલ્યા,
મહેબૂબ સાહબ, મુઝ મે ભેદ નહી હૈ

ત્યારે હું એ સંત ફકીરની સર્વધર્મ સમભાવની આચરણમાં મુકાયેલ ક્રિયાને આંખોમાં ઊભરાયેલા પાણી સાથે તાકી રહ્યો. એ ઘટનાને બાપુએ આજે આઠ વર્ષ પછી જાહેરમાં યાદ કરી મને ફરી એકવાર ભીજવી નાખ્યો છે.




મુસ્લિમ સમાજના ફીફાદના ઉર્સ અને સમૂહ લગ્નમાં પૂ. મોરારીબાપુએ આપેલ વ્યાખ્યાનમાં હજજ યાત્રા પઢીને આવ્યા પછી મેં તેમને આપેલ ઝમઝમના પાણીનો કિસ્સો યાદ કર્યો. આભાર બાપુ. 
૫ એપ્રિલ ૨૦૧૮



Wednesday, April 18, 2018

ટાઈમ મેનેજમેન્ટ અને રમઝાન : ડૉ.મહેબૂબ દેસાઈ


લગભગ ૧૬ મેં (ચાંદ પર આધારિત હોયને)થી ઇસ્લામના પવિત્ર માસ રમઝાનનો આરંભ થઈ રહ્યો છે. ઇસ્લામમાં રમઝાન માસનું મહત્વ અનેક ગણું છે. આજ માસમાં મોટાભાગની આસમાની કિતાબોનું અવતરણ થયું છે. હઝરત ઈસ્માઈલ (અ.સ.) પર આ જ માસની ૩જી તારીખે "સહીફા"નું અવતરણ થયું હતું. હઝરત દાઉદ (અ.સ.) પર આજ માસની ૧૮મી તારીખે "જબૂર"નું અવતરણ થયું હતું.હઝરત મુસા (અ.સ.)એ આજ માસની ૬ તારીખે "તૌરાત" આપી હતી. હઝરત ઈસા (અ.સ.)ને "ઈંજીલ" પણ આજ માસની ૧૩મી રમઝાને મળી હતી. અને ઇસ્લામની મોટામા મોટી દેન "કુરાને શરીફ"ના અવતરણનો આરંભ પણ આજ માસમા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને વહી દ્વારા થયો હતો. "રમઝ" શબ્દ અરબી ભાષાનો છે. તેનો અર્થ થાય છે બાળવું. એ અર્થમાં કહીએ તો ગુનાઓને બાળવાનો અને ઈબાદત દ્વારા નેકીઓનો ખજાનો લુંટવાનો માસ એટલે રમઝાન માસ.
આમ રમઝાન માસ ઈબાદત અને દાન-પુણ્યનો માસ છે. તેની એક એક મિનીટનો સદુયોગ દરેક મુસ્લિમ કરવા તત્પર રહે છે. પણ એ માટેનું આયોજન આજના ઝડપી યુગમાં કરવું સૌ માટે મુશ્કેલ બને છે. ઇસ્લામમાં ટાઇમ મેનેજમેન્ટનો વિચાર છેક મહંમદ સાહેબના સમયથી ચાલ્યો આવે છે. જો કે મહંમદ સાહેબે તેના સૈધાંતિક સ્વરૂપ કરતા તેના અમલને પોતાના જીવનમાં સાકાર કર્યો હતો. એ જ સંદર્ભમાં આજે રમઝાન માસ દરમિયાનના ટાઇમ મેનેજમેન્ટની થોડી વાત કરવી છે.
રમઝાન માસ પૂર્વે તેની એક એક પળનું આયોજન દરેક મુસ્લિમે કરવું જોઈએ. કારણ કે આ માસ અલ્લાહનો માસ છે. અલ્લાહને ઈબાદત (ભક્તિ) અને સદકાર્યોથી ખુશ કરવાની એક એક પળનો સદ ઉપયોગ કરવાનો માસ છે, તેથી તેનું આયોજન અનિવાર્ય છે. એ માટે નીચેની કેટલી બાબતો રમઝાન માસ પૂર્વે અને દરમિયાન અમલમાં મુકવી જરૂરી છે.
૧. આજના ઈલેક્ટ્રોનિક યુગમાં માનવીનો મોટાભાગનો સમય મોબાઇલ અને ટેલીફોનીક ચર્ચામાં જાય છે. રમઝાન માસમાં આપ ટેલીફોન અને મોબાઇલ ચેટને માર્યાદિત કરો. મિત્રો સ્વજનો અને વ્યવસાયિક કાર્યકરો સાથેની તમારી વાતચીત માત્ર કામ પુરતી જ રાખો. નકામી વાતોને ટાળો. જેથી ઈબાદત તરફ તમારી રૂચી જળવાઈ રહે. વળી, મોબાઇલ જેવા માધ્યમ દ્વારા આપ મુલ્ય નિષ્ઠ ઇસ્લામિક વિચારોના પ્રચાર પ્રસારનું કાર્ય પણ કરી રમઝાનની સુવાસ પ્રસરાવી શકો છે.
૨.  આજનો માનવી પોતાના દિવસનો મોટાભાગનો સમય કોમ્પુટર અને ઈન્ટરનેટ પાછળ પસાર કરે છે. અલબત કોમ્પુટર અને ઈન્ટરનેટ આજના યુગની જરૂરિયાત છે. વ્યવસાયનો એક ભાગ છે. પણ તેની સાથે તે સમયના વ્યયનું મુખ્ય સાધન પણ છે. આજે ઈમેઈલ, ફેસબુક, ટવીટર, યુટ્યુબ કે ઇનસ્ટાગ્રામ જેવા માધ્યમો મનોંરજન અને સમય પસાર કરવાના માધ્યમો બની ગયા છે. કમ સે કમ રમઝાન માસમા તેની પાછળ વધુ સમય વ્યય ન કરો. તેના બદલે તે સમય ઇબાદત અને સદકાર્યો માટે ફાળવો. જેથી આપની ઇબાદતમાં એકગ્રતા અને સદકાર્યોમાં સક્રિયતા આવશે.  
૩.  રમઝાન માસ એ ખાવાપીવાનો માસ નથી. એ તો ઈબાદત અને કુરાને શરીફના અધ્યન અને પઠનનો માસ છે. પણ મોટે ભાગે રમઝાન માસમા શેહરી અને ઇફ્તીયારીની તૈયારીમા જ આપણું રસોડું સક્રિય રહે છે. પરિણામે મા-બહેનો, દીકરીઓ અને પત્નીને ઈબાદતનો સમય બહુ જૂજ સાંપડે છે. વળી, આપણે પણ સહેરી અને ઇફ્તીયારીમા વિવિધ વ્યંજનો વાળા ભોજન પર વિશેષ ધ્યાન આપતા હોય છીએ.પરિણામે આપણી નમાઝ અને તિલાવતમા સુસ્તી પ્રવેશે છે. રમઝાન માસમાં ભોજન સાદું અને પોષ્ટિક લેવાનો આગ્રહ રાખો. જેથી વધુ સમય ઈબાદતમા ફાળવી શકાય.
૪.  રમઝાન માસ પૂર્વે તમારી અને ઘરની  જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓની પાકી યાદી બનાવી રમઝાન માસ પહેલા તેની ખરીદી કરીલો. જેથી રમઝાન માસ દરમિયાન ખરીદી પાછળ સમય ફાળવવો ન પડે. અને તેટલો વધુ સમય આપ ઈબાદતમા ફાળવી શકો. રમઝાન માસના છેલ્લા દસ દિવસ ઈબાદત માટે અત્યંત મહત્વના હોય છે. એવા સમયે ખરીદીમા આપનો કિમતી સમય ન પસાર કરો.
૫.  રમઝાન માસમા ઇફ્તીયારી પાર્ટીઓ હવે સામાન્ય બની ગઈ છે. રાજકીય નેતાઓ અને સામાજિક સંસ્થાઓ તેનું રમઝાન માસ દરમિયાન આયોજન કરતા હોય છે. રમઝાનમા ઇફ્તીયારી અર્થાત રોઝો ઉપવાસ છોડાવવાનું કાર્ય પુણ્ય સવાબ છે. પણ એ સવાબ માટે માત્ર ઇફ્તીયારી પાર્ટીઓ જરૂરી નથી. મહંમદ સાહેબ ફરમાવ્યું છે, ગરીબ, અસહાય અને જરૂરત મંદ લોકો માટે ઇફ્તીયારીનું આયોજન કરો.  એ પણ ઇબદાતનું એક સ્વરૂપ છે. ઇફ્તીયારી પાર્ટી કરતા ગરીબ, અસહાય અને જરૂરત મંદ લોકો માટે ઇફ્તીયારીનું આયોજન કરો. તેમાં આપનો સમય ફાળવો.
૬. રમઝાન માસમાં આપના સૂવાના સમયમાં કાપ મૂકો. આ માસ ઈબાદતનો માસ છે. સદકાર્યો કરવાનો માસ છે. કોને ખબર છે કે આ રમઝાન માસ કોના જીવનનો છેલ્લો માસ છે ? માટે આપનો સુવાનો સમય માર્યાદિત કરી, વધુમાં વધુ સમય નમાઝ, કુરાને શરીફની તિલાવત અને સદાકાર્યોમાં પસાર કરો.
૭.  સેહરી માટે સવારે વહેલા જાગી, સૌ પ્રથમ તહજ્જુજની નમાઝ અદા કરો. કુરાને શરીફ પઢો. સહેરી બાદ ફઝર અર્થાત સવારની નમાઝ અવશ્ય પઢો. નમાઝ સમયે સતત અહેસાસ કરો કે આપ ખુદા સન્મુખ ઉભા છો. અને ખુદા પાસે દુવા પણ એમ જ માંગો જાણે તમે ખુદા સન્મુખ બેસી આજીજી કરી રહ્યા છે.  

ઉપરોક્ત બાબતો આપના રમઝાન માસના ટાઇમ મેનેજમેન્ટમા આવરી લો. આપણે સૌ ખુદા ગુનેગાર બંદાઓ છીએ. ઉપરોક્ત તમામ બાબતોનો અમલ આપણા સૌ માટે શક્ય ન પણ બને. છતાં તેનો આંશિક અમલ પણ, જો આપણે સૌ કરવાનો પ્રયાસ કરીશું તો, ખુદા નજીક પહોંચવાની આપણી કોશીશ પર ખુદાની અવશ્ય નજર પડશે, એવી દુવા- આમીન.        

Monday, April 16, 2018

History of Freedom Movement of Gujarat,Islam and Sufisim by Prof. Mehboob Desai: દુવા (પ્રાર્થના) : ડૉ.મહેબૂબ દેસાઈ

History of Freedom Movement of Gujarat,Islam and Sufisim by Prof. Mehboob Desai: દુવા (પ્રાર્થના) : ડૉ.મહેબૂબ દેસાઈ: રમઝાન માસ આપણા આંગળે આવી આપને ઈબાદત માટે પ્રેરી રહ્યો છે. એવા સમયે ઈબાદત અર્થાત પ્રાર્થનાની સત્વશીલતા અંગે જાણવું જરુરી છે. આજથી લગભગ ૯૩...

દુવા (પ્રાર્થના) : ડૉ.મહેબૂબ દેસાઈ


રમઝાન માસ આપણા આંગળે આવી આપને ઈબાદત માટે પ્રેરી રહ્યો છે. એવા સમયે ઈબાદત અર્થાત પ્રાર્થનાની સત્વશીલતા અંગે જાણવું જરુરી છે. આજથી લગભગ ૯૩ વર્ષ પૂર્વે જાન્યુઆરી ૧૯૨૫ના રોજ ભાવનગર મુકામે ભરાયેલ કાઠીયાવાડ રાજકીય પરિષદ, જેના પ્રમુખ ગાંધીજી હતા, તેના આરંભમાં એક પ્રાર્થના ગવાઈ હતી. ગાંધીજીના અંતેવાસી રિહાના તૈયબજીના સ્વરે ગવાયેલ એ સુંદર ભજન આજે પણ પ્રાર્થનાની સાચી મીમાંસા વ્યક્ત કરે છે. રિહાના તૈયબજી એક એવા મુસ્લિમ સંત હતા જેમણે ૧૯૨૪મા ધી હાર્ટ ઓફ અ ગોપી (The Heart of a Gopi) નામક ગ્રંથ લખ્યો હતો. જેઓ કુરાને શરીફ અને કૃષ્ણના ઊંડા અભ્યાસુ હતા. સૌ પ્રથમ તેમણે ગાયેલ પ્રાર્થનાને માણીએ.

“તુઝ સે યહ ફરિયાદ હૈ, એ પાક રબ્બુલ આલમીન
 સબ રહે મિલ જુલ કે, તું માલિક હૈ, યહ તેરી ઝમી
 જિસ મેં હો તેરી રઝા, હમ ચાહતે હૈ બસ વહી,
 હમ રહે મહકૂમ, યા હાફિમ હો, કુછ પરવા નહિ.
 હમને સોચી જીતની તદબિરે, વો સબ ઉલટી પડી
 વહ તરીકા અબ બતા હમ કો, જો હૈ હબ્બુલમતી
 હિંદ બન જાય નમૂના, જુમ્લા કોમો કે લિયે
 જિસ્મ મેં આલમ કે હોવે, મીરલે ચશ્મે સુર્મગી
 લબ પે તેરા નામ હો, ઔર દિલ મેં તેરી યાદ હો
 કામ જો કુછ હો, તેરી ખાતિર હો, રબ્બુલ આલમ
 હિંદુ ઔર મુસ્લિમ કે દિલ સે દૂર હો બૂ ગમો કી”

આજે ૯૩ વર્ષ પછી પણ આ પ્રાર્થના કે ઈબાદત આપણા દેશ માટે અક્ષર સહ સાચી અને જરૂરી છે. સામાન્ય રીતે આપણી પ્રાર્થનાઓમા સૌ પ્રથમ સ્વ હોય છે અને પછી સર્વ હોય છે. ઇસ્લામમાં પ્રાર્થનાને દુવા કહે છે. દુવા કે પ્રાર્થના એટલે ખુદા-ઈશ્વર સાથે ભાવનાત્મક સંવાદ. મોટે ભાગે એ સંવાદમા દુઃખ દર્દ  દૂર કરવાની આજીજી હોય છે. મનની મુરાદોને પામવાની તમન્ના હોય છે. ખુદાને રાજી કરવાની કોશિશ હોય છે. આસ્થા, શ્રધ્ધા કે ઈમાન વગરની પ્રાર્થના પણ શ્વાસ વગરના શરીર જેવી છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,
મને(ખુદાને) પોકારો (દુવા કરો) હું તમને જવાબ આપીશ.
હજરત મુહંમદ બિન અન્સારીની વફાત (અવસાન) પછી તેમની તલવારના મ્યાનમાંથી એક ચિઠ્ઠી નીકળી 
હતી . તેમાં લખ્યું હતું,
"તમે ખુદાની રહેમત (દયા)ની પળ શોઘ્યા કરો.  પળે તમે જે દુવા કરશો તે કબૂલ થશે?"
હજરત મહંમદ પયગમ્બર (..) ફરમાવ્યું છે,
"દુવા (પ્રાર્થના)  ઇબાદત (ભકિત) છે."
હજરત ઇમામ સૂફિયાન ફરમાવે છે,
 "અલ્લાહને તે  બંદો (ભકત) વધુ ગમે છે. જે તેની પાસે સતત દુવા કર્યા કરે."
જો કે ઈશ્વર કે ખુદા પાસે દુવા માગવાની કે સંવાદ કરવાની પણ તહઝીબ છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,
"તમે તમારા પરવરદિગાર પાસે કરગરીનેઆજીજીપૂર્વકનમ્રતાથીધીમેથી દુવા માગો."

ઇસ્લામી ગ્રંથોમાં દુવા માગવા માટેનો ઉત્તમ સમય પણ આપવામાં આવ્યો છે.  મુજબ નમાજ માટે અઝાન થાય  પછી દુવા માગો. અઝાન અને તકબીર દરમિયાન દુવા માગો. ફર્ઝનમાજ પછી દુવા માગો. કુરાને શરીફની તિલાવત (વાંચન) પછી દુવા માગો. આબેઝમઝમના આચમન પછી દુવા માગો.
કાબા શરીફના દીદાર (દર્શન) પછી દુવા માગો.  ઉપરાંત હજયાત્રાએ જતા હાજી સાહેબોએ પવિત્ર સ્થાનો જેવાં કે કાબા શરીફની પરિક્રમા (તવાફ) સમયેખુદાના ઘર (બયતુલ્લાહ)ની અંદરઆબેઝમઝમના કૂવા પાસેમકામે ઇબ્રાહીમ પાછળઅરફાતના મેદાનમાં ઝિલહજના દિવસે મીનામાંહજરત મહંમદ પયગમ્બર (..)ના રોઝા મુબારક પાસે ખાસ દુવા માંગવી જોઈએ.  સ્થાનોમાં દુવા માંગવાથી તે અવશ્ય કબૂલ થાય છે.
દુવાના સ્થળ જેટલી  મહત્તા દુવાની પદ્ધતિની છે. દુવા કેવી રીતે માગવી પણ ઇસ્લામ ગ્રંથોમાં 
સવિસ્તાર આપવામાં આવ્યું છે. જેમાં નોંધપાત્ર બાબતો નીચે મુજબ આપી શકાય. દુવા હંમેશાં કિબલા તરફ મોં રાખીને  કરો. દુવા કરતા સમયે અવાજ ધીમો અને નમ્ર રાખો. હેસિયતથી વધુ દુવા  માગો. દુવા શકય તેટલી ટૂંકમાંસંક્ષિપ્તમાં માગો. દુવા યકીનવિશ્વાસ સાથે કરો. દુવા કરતા પહેલાં ભૂલોની માફી માગો. ખુદાને તે ગમે છે. સિજદામાં દુવા કરવી વધારે યોગ્ય છે.
દુવા સદ્કાર્યોઆમાલો અને પોતાની નાની મોટી નૈતિક જરૂરિયાતો માટે કરો. 
કોઈનું બૂરું કરવા કે અનૈતિક બાબતો માટે કયારેય દુવા  માગો. દુવામાં ભાષા મહત્ત્વની નથી. એકાગ્રતાઆજીજી અને વિશ્વાસ (ઇમાન) મહત્ત્વનાં છે. ગમે તે ભાષામાં દુવા કરો. ખુદા બંદાની દરેક ભાષા સમજે છે. આલીમોએ દુવા કબૂલ થવાના ચાર પ્રકારો આપ્યા છે. કેટલીક દુવાઓ તે  સમયે કબૂલ થઈ જાય છે. કેટલીક દુવાઓ સમય પાકયે  કબૂલ થાય છે. કેટલીક દુવાઓનો બદલો અન્યને મળે છે. જયારે દુવા કરનારને આખિરતના દિવસે તેનો બદલો મળે છે.
કેટલીક દુવાઓ આજીવનમાં કબૂલ થતી નથી પણ તે આખિરતમાં કબૂલ થાય છે.
ટૂંકમાં દુવા કે પ્રાર્થના  ખુદા-ઈશ્વર સાથેનો જીવંત સંવાદ છે. તેને જેટલો સરળનમ્રઆત્મીય અને વિશ્વસનીય બનાવી શકાય તેટલો 

બનાવો. સૌ પ્રથમ દુવા સર્વ માટે માંગો અને પછી સ્વ અર્થાત પોતાના માટે માંગો. ખુદા ઈશ્વર પોતાના બંદાની દુવા કબૂલ કરતા આનંદ અનુભવે છે. એટલે ખુદા પાસે દિલ ખોલીને માંગો અને માંગતા રહો