Wednesday, November 4, 2009

Ahinsa : Prof. Mehboob Desai

ડો. મહેબૂબ દેસાઈ

અહિંસા : આપણો સાંસ્કૃતિક વારસો



આજના યુગમાં અહિંસા સાથેનું જીવન દુર્લભ બનતું જાય છે. ભારતના યુગપુરુષોએ અહિંસાનો મહિમા વારંવાર તેમના ઉપદેશોમાં ગાયો છે. એ ઉપદેશોમાંના કેટલાક અવતરણો આજે વાગોળીએ.
અહિંસાના પરમ ઉપાસક ભગવાન મહાવીર કહે છે,
"સર્વ પ્રાણીઓને જીવનની કામના છે. જેમ તું તારી જાતને ચાહે છે, તેમ તું બીજાને પણ ચાહ"
મહાન રાજ્નીતિજ્ઞ ચાણક્ય કહે છે,
" અહિંસા ધર્મનું લક્ષણ છે."
શ્રી વ્યાસ પુરાણમાં લખ્યું છે,
"પારકાને પીડવાથી પાપ થાય છે"
ભગવાન બુદ્ધ કહે છે,
"આ લોકના સર્વ જીવોને કોઈ શસ્ત્ર વાપરી મારવા નહીં."
ભગવત ગીતામાં લખ્યું છે,
"જે પ્રાણીઓમાં આત્મવત દ્રષ્ટિ રાખે છે, તે જ પંડિત છે."
મહાભારતમાં કહ્યું છે,
"અહિંસા જ પરમ ધર્મ છે"
શિક્ષાપત્રીમાં નોધ્યું છે,
"અહિંસા આદી સદાચાર જે મનુષ્ય પાળે છે, તે આ લોક અને પરલોકમાં મહાસુખ પામે છે"
ગુરુ નાનક કહે છે,
'જે કોઈ માસ ખાય છે અને માદક પ્રદાર્થોનું સેવન કરે છે, તેનું તમામ પુણ્ય નષ્ટ થાય છે"
કુરાને શરીફમાં કહ્યું છે,
"જે અન્ય પ્રાણીઓ સાથે દયાનો વ્યવહાર કરે છે, તેના પર અલ્લાહ દયા કરે છે"
મહંમદ સાહેબ (સ.અ.વ.) કહે છે,
"દરેક જીવ વાળા પ્રાણીની સેવા કરવી તે સવાબ છે"
જૈન ધર્મમાં કહ્યું છે,
"પ્રાણી માત્રને જરા પણ પીડા ન આપવી તે જ દયા છે"
સત્ય સાઈબાબા કહે છે,
"બધા જ જીવો પર અપરંપાર દયા દર્શાવો"
શ્રી હેમચંદ્રચાર્યએ કહ્યું છે,
"જેમ આપણા આત્માને સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે , તેમ અન્યને પણ સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે"
સંત સુરદાસ કહે છે,
"દીનન દુ:ખ્હરન્ દેવ સન્તન હિતકારી"
સંત તુલસીદાસ કહે છે,
"તુલસી દયા ના પારકી
દયા આપકી હોઈ ,
તું કીણિ નૈ મારૈ નહી
તો તનૈ ન મારૈ કોઈ "
શ્રી રવીન્દ્રનાથ ટેગોર કહે છે,
" મારો પ્રેમ મને કોઈ ને કોઈ સેવાના કાર્ય તરફ દોરે છે"
સંત દયારામ ,
" સાચો સંત તે જેને દુ:ખ મળે તો પણ સુખ દે"
અહિંસાને આવી વિભાવના આપણા સંતોની આપણી સંસ્કૃતિની અમુલ્ય ભેટ છે.

No comments:

Post a Comment