Friday, December 2, 2016

“કહાં હૈ મેરા હિન્દોસ્તાન” : ડૉ. મહેબૂબ દેસાઈ


ગુજરાતની જાણીતી બાળ કવિયત્રી, હિન્દુધર્મની વિદુષી અને ગુજરાતી સાહિત્યની નિવૃત્ત અધ્યાપિકા
ડૉ.રક્ષાબહેન પ્રા. દવેએ ૨૮ નવેમ્બરની સવારે મને જાણીતા શાયર અજમલ સુલતાનપુરીનો તરન્નુમમા શાયરી પઠન કરતો એક વિડીયો વોટ્શોપ પર મોકલ્યો. રક્ષાબહેન સાથે મારો નાતો વર્ષો જુનો છે. હિન્દુધર્મ અને બાળ સાહિત્યના તેઓ જ્ઞાતા છે. હિંદુ ધર્મ પરના તેમના પુસ્તકો અને વ્યાખ્યાનો ઘણા લોકપ્રિય છે. હિંદુ ધર્મ અને સંસ્કૃતિના કોઈ શ્લોક અંગે જયારે મને કોઈ દ્વિધા જન્મે ત્યારે મેં અવશ્ય તેમને ફોન કરી પરેશાન કર્યા જ હોય. તેમની વિદ્વતા અંગે મને માન છે. કારણ કે તેમણે હિંદુ ધર્મ પર અઢળક વાંચ્યું છે, વિચાર્યું છે અને વ્યાખ્યાન સ્વરૂપે લોકો સુધી પહોંચાડ્યું છે. તેમના અનેક પ્રવચનો ગ્રંથો સ્વરૂપે પ્રસિદ્ધ થયા છે. જેમાંના કેટલાકનો અત્રે ઉલ્લેખ કરવાની રજા લઉં છું.
વમિતમ્ મધુરમ્--ગીતા પ્રવચનો, ગીતા સુગીતા કર્તવ્યા--ગીતા પ્રવચનો, અનુભવઃ મધુરઃ-મધુરાષ્ટકમ્ સ્તોત્ર-પ્રવચન, અવિનયમ્ અપનય--શંકરાચાર્યકૃત ષટ્પદી સ્તોત્રમ્ ઉપર પ્રવચનો, ભીષ્મસ્તુતિ: ભાગવત અંતરગત આવતી આ સ્તુતિ ઉપર પ્રવચનો, સમા સમાનાં કીર્તનો--સ્વરચિત છાંદસ કીર્તનો ઉપર પ્રવચનો,ૐ શિવાય નમઃ--શિવમહિમ્નઃ સ્તોત્ર –પ્રવચનો, શ્રીમદ્ ભગવદ્ ગીતા : એક જીવન-ગ્રંથ-જિલ્લા જેલમાં 14 દિવસ સુધી ગીતાના 18 અધ્યાય  ઉપર આપેલાં પ્રવચનોની V.D.O.-D.V.D.ભાગ 1-2, યાનિ નામાનિ ગૌણાનિ --વિષ્ણુસહસ્રનામસ્તોત્રમ્ ઉપર પ્રવચનો, વૃત્રાસુરકૃતા ભગવત્સ્તુતિ:--ભાગવતની એ સ્તુતિ ઉપર વિવરણ, શું આપ ઇશ્વરને માનો છો?--રાજેન્દ્રકુમાર ધવનના લેખનો અનુવાદ, શ્રીમદ્ ભાગવતજીનાં બે બાલ ચરિત્રો :ધૃવજી અને પ્રહ્લાદજી, પૂ. રમેશભાઈ ઓઝા સ્થાપિત હરિમંદિરના આઠમા પાટોત્સવ વખતે કરેલું પ્રવચન, આવત આધે નામ--રામરક્ષા સ્તોત્ર ઉપર પ્રવચનો, લક્ષ્ય હવે દૂર નથી--સ્વામી શ્રી રામસુખદાસજીનાં પ્રવચનોના રાજેન્દ્રકુમાર ધવને કરેલ સારસંગ્રહનો અનુવાદ. આવા ગૂઢ ધાર્મિક વિષયો પર મનન, ચિંતન અને વ્યાખ્યાનો આપનાર રક્ષાબહેન જયારે એક ઉર્દુ શાયરના અખંડ ભારત અંગેના બિન સાંપ્રદાયિક વિચારોને વાચા આપતી તરન્નુમમા ગાયેલી રચના મને મોકલે ત્યારે ભારતવાસી હોવાનો એક બુદ્ધિજીવી નાગરિક તરીકે મને ગર્વ થાય છે.

અજમલ સુલતાનપુરી ભારતના જાણીતા કવિ અને ઉર્દુના શાયર છે. ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના હરખપુર ગામના વતની અજમલ સુલતાનપુરીને ઉત્તર પ્રદેશ સાહિત્ય અકાદમી દ્વારા  ૨૦૧૬મા લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ તેમની બે રચનોથી ખુબ જાણીતા બન્યા છે. કહાં હૈ મેરા હિન્દોસ્તાન અને આગરા મેં તેરા શાહજહાં અત્રે તેમની પ્રથમ રચના કહાં હૈ મેરા હિન્દોસ્તાનની આપણે વાત કરી રહ્યા છીએ. જેમાં તેઓ અખંડ હિન્દોસ્તાનની  ખ્વાહીશ કરે છે, એ હિન્દોસ્તાન સમયે ન પાકિસ્તાન હતું , ન બાંગ્લાદેશ હતો. જેનો ધર્મ અથવા મઝહબ પ્રેમ હતો. જ્યાં હિંદુ મુસ્લિમ એક બીજાની જાન લેવા કરતા, એક બીજા પર જાન કુરબાન કરતા હતા. જ્યાં હિંદુ ગીતો અને ઉર્દુ ગઝલો એકસાથે ગવાતા હતા. જ્યાં મીર, ગાલીબ, તુલસીદાસ અને કબીર લોકોના માનસમાં વસતા હતા. એવા નિર્મળ અને પ્રેમથી છલકાતા હિન્દોસ્તાનની અજમલ સુલતાનપુરી તેમની આ રચનમા તલાશ કરી રહ્યા છે. રચના મને પ્રથમ વાંચનમાં જ સ્પર્શી ગઈ હતી અને તમને પણ અવશ્ય ગમી જશે. રચનાનું શીર્ષક છે,

કહાં હૈ મેરા હિન્દોસ્તાન

મુસલમાન ઔર હિંદુ કી જાન
કહાં હૈ મેરા હિન્દુસ્તાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

મેરે બચપન કા હિન્દોસ્તાન
ન બાંગ્લાદેશ દેશ, ન પાકિસ્તાન
મેરી આશા, મેરા અરમાન
વો પૂરા પૂરા હિન્દોસ્તાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

વો મેરા બચપન, વો  સ્કૂલ
વો કચ્ચી સડકે, ઉડતી ધૂલ
લહકતે બાગ મહકતે ફૂલ
વો મેરે ખેત,મેરા ખલીયાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

વો ઉર્દુ ગઝલે, હિન્દી ગીત
કહી વો પ્યાર, કહી વો પ્રીત
પહાડી ઝરનો કે સંગીત
દિહાતી લહરા, પુરબી તાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

જહાં કે કૃષ્ણ, જહાં કે રામ
જહાં કી શ્યામ સલોની શામ
જહાં કે સુબહ બનારસ ધામ
જહાં ભગવાન કરે સ્નાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

જહાં થે તુલસી ઔર કબીર
જાયસી જૈસે પીર ફકીર
જહાં થે મોમીન, ગાલીબ, મીર
જહાં થે રહમત ઔર રસખાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

વો મેરી પુરખો કી જાગીર
કરાંચી, લાહોર ઔર કશ્મીર
વો બિલકુલ શેર જેસી તસ્વીર
વો પૂરા પૂરા હિન્દોસ્તાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

જહાં કી પાક પવિત્ર જમીન
જહાં કી મીટ્ટી ખુલ્નશીન
જહાં મહારાજ મૌંયુનિદ્દીન
ગરીબ નવાઝ હિન્દોસ્તાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

વો ભૂખા શાયર, પ્યાસા કવિ
સિસકતા ચાંદ, સુલગતા રવિ
વો ઇસ મુદ્રા મેં એસી છબી
કરા દે અજમલ કો જલપાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં


આવો ફરી એકવાર આપણે સૌ ભેળા થઈ અજમલ સુલતાનપુરીની કલ્પનાના હિન્દુસ્તાનને સાકાર કરીએ, જ્યાં સૌનો મઝહબ માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ હોય : આમીન.

No comments:

Post a Comment