Thursday, May 31, 2012

અલ્લાહના ૯૯ નામોના સર્જક : ડૉ. જેના અને રાહુલ : ડૉ.મહેબૂબ દેસાઈ



એકાદ બે માસ પહેલા મને એક પુસ્તક મળ્યું. જેના કાળા મુખપુષ્ઠ પર કોઈ પણ પ્રકારની ડીઝાઈન વગર સફેદ અક્ષરોમાં અંગ્રજીમા લખ્યું હતું,
૯૯ પેન્ટીન્ગસ ઓફ ૯૯ મોસ્ટ બ્યુટીફુલ નેમ ઓફ અલ્લાહ”* અર્થાત અલ્લાહના અત્યંત સુંદર નવ્વાણું નામોના ૯૯ ચિત્રો પુસ્તકના પૃષ્ઠો ઉથલાવતો ગયો તેમ તેમ મારા આશ્ચર્યની સીમા વિસ્તરતી ગઈ. સૌ પ્રથમ તો પુસ્તક અરેબિક શૈલી અર્થાત કુરાને શરીફ જેમ જમણી બાજુ એથી આરંભાય છે તેમ જ આરંભાય છે. અને એટલે જ પ્રથમ દ્રષ્ટિએ હું પુસ્તકના લેખિકા જેનાને મુસ્લિમ યુવતી માનતો હતો. પણ જયારે પુસ્તકના મુખપૃષ્ઠ પર તેનું સંપૂર્ણ નામ  ડૉ.જેના આનંદ એલ.વાંચ્યું ત્યારે આશ્ચર્ય સાથે પુસ્તકમાં મને વધુ રસ પડ્યો. ડૉ. જેનાના નામ નીચે જ અલ્લાહના એરેબીક શબ્દોનું આલેખન કરનાર વ્યક્તિનું નામ લખ્યું હતું રાહુલ દિલીપસિંહજી ઝાલા. મારું આશ્ચર્ય બેવડાયુ. બંને હિંદુધર્મીઓએ અલ્લાહના નવ્વાણું નામોને ચિત્રો અને તેના અર્થો દ્વારા શણગારવામાં પોતાની જિંદગીનો અમુલ્ય સમય ખર્ચ્યો હતો.એ પામીને મેં પુનઃ સુખદ આઘાત અનુભવ્યો. પુસ્તકના મુખ્યપૃષ્ઠ પર ઈશ્વર અલ્લાહ તેરે નામવિષયક સાબરમતીના ગાંધી આશ્રમમાં થયેલ ચિત્ર પ્રદર્શનનો સંગ્રહ વાંચીને મારી આંખો વધુ પહોળી થઈ. અલ્લાહના ૯૯ નામોના સુંદર ચિત્રો સાથે હિન્દી, અરેબિક, અંગ્રેજી અને ગુજરાતીમાં અલ્લાહના નામો અને તેના સરળ અર્થો વાળા ૯૯ ચિત્રોનું પ્રદર્શન સૌ પ્રથમ ગાંધી આશ્રમમાં આ બંને હિંદુ ધર્મીઓએ ગાંધી નિર્વાણ દિને કર્યું હતું. અને એ પછી તેનું પુસ્તક રૂપે પ્રકાશન થયું હતું. એ જાણી મારા સુખદ આઘાતની પરંપરા વિસ્તરી. પ્રદર્શન માટેના અલ્લાહના ૯૯ નામોનું ચિત્રણ કરતા પૂર્વે ડૉ. જેના અને રાહુલ ઝાલાએ ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. એ ચિત્રોનું નિરીક્ષણ કરતા પ્રથમ દ્રષ્ટિ એ જ જોઈ શકાતું હતું. અલ્લાહના નામો અને તેના અર્થને વ્યક્ત કરતા ચિત્રોમાં કયાંય માનવ,પશુ-પક્ષીની કૃતિ જોવા મળતી નથી. માત્ર કુદરતી સોંદર્ય અને સ્થૂળ પ્રતીકો દ્વારા અલ્લાહના ૯૯ નામોને અદભૂત રીતે ચિત્રો દ્વારા સાકાર કરવામા આવ્યા છે. જેમ કે અલ્લાહના ૯૯ નામોમાંનું ૧૩મુ નામ છે અલ બારી”. જેનો અર્થ થાય છે ચૈતન્ય તત્વ”. ડૉ. જેનાએ અલ્લાહના ચૈતન્ય સ્વરૂપને વ્યક્ત કરવા હદયના કાર્ડિયોગ્રામ (ઈ.સી.જી)નું ચિત્ર મૂકી પોતાની અધ્યાત્મિક કલ્પના શક્તિનો શ્રેષ્ઠ પરિચય આપ્યો છે. માનવ હદયની ધડકનો અને તેની ગતિ ખુદાના ચૈતન્ય સ્વરૂપનું ઉત્તમ ઉદાહરણ છે. એજ રીતે અલ્લાહના ૯૦માં નામ અલ માનીઅ:અર્થાત નુકસાન કે હાનીથી દૂર રાખનાર, રોકનારને ચિત્રાત્મક શૈલીમાં રજૂ કરવા ડૉ.જેનાએ હેલ્મેટનું રંગીન ચિત્ર મૂકયુ છે. હેલ્મેટ આધુનિક યુગમા સુરક્ષાનું ઉમદા પ્રતિક છે. તેના ઉપર એરેબીકમાં સુંદર અક્ષરોમાં અલ માનીઅ:લખ્યું છે. અલ્લાહનું ૪૮મુ નામ છે અલ વદૂદ:જેનો અર્થ થાય છે પ્રેમ કરનાર,પ્રેમ કરવા લાયક. એરેબીકમાં લખાયેલા અલ વદૂદ:શબ્દ નીચે ડૉ.જેનાએ ધબકતું માનવ હદય લાલ રંગમાં મૂકયું છે. જે પ્રેમ કરનાર અને કરવા લાયક દરેક માનવી અને ખુદાનું પ્રતિક છે. પૃષ્ઠ ૪૫ પર અલ્લાહના ૪૫મા નામ "અલ મુજીબ" અર્થાત પ્રાથના સંભાળનાર અને સ્વીકારનારના ચિત્રમાં ગુલાબી પૃષ્ઠભૂમિ પર નમાઝ પઢવાના મુઅસ્લ્લાનું સુંદર ચિત્ર જેના બહેન મુક્યું છે.
અલ્લાહના નામોના આવા ૯૯ ચિત્રાત્મક પ્રતીકો સમગ્ર પુસ્તકની અમુલ્ય જણસ છે. સાણંદ જેવા  નાનકડા ગામમા રહેતા ડૉ. જેના મેનેજમેન્ટ શાખાના ડોક્ટર છે. શિક્ષણ અને ટેક્ષટાઈલનો ડીપ્લોમાં ધરાવે છે. પણ શુદ્ધ ગાંધી વિચારોથી તરબતર છે.ગાંધીજી પર તેમણે ગાંધીઝ લીડરશીપનામક પુસ્તક લખ્યું છે. એક હિંદુ હોવા છતાં અલ્લાહના ૯૯ નામો અંગે પ્રદર્શન અને પુસ્તક કરવાનો વિચાર તેમને કેવી રીતે આવ્યો ? એવા પ્રશ્નના ઉત્તરમાં ડૉ. જેના કહે છે,
સૌ પ્રથમ હું મહાત્મા ગાંધીજીના જીવનથી અત્યંત પ્રભાવિત છું. અને બીજું, મને ગર્વ છે કે મારો ઉછેર મારા માતા પિતાએ ધર્મનિરપેક્ષ વાતાવરણમાં કર્યો છે. મારી માતા નીલા આનંદ રાવે મારી સશક્ત અને કમજોર બન્ને જીવન સ્થિતમાં સકારાત્મક અને નવસર્જિત કાર્યો પ્રત્યે મને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. આજ જીવન શૈલીને કારણે મેં સૌ પ્રથમ ગાંધી વિચાર અને એ પછી સર્વ ધર્મોનો અભ્યાસ કર્યો છે. સર્વધર્મના અભ્યાસે મને અહેસાસ કરાવ્યો છે કે દરેક ધર્મ આદરને પાત્ર છે. દરેક ધર્મનું મૂળ બીજ શાંતિ અને પ્રેમ છે. અને એટલે જ આ ચિત્રો દ્વારા મેં ઇસ્લામના શાંતિ અને પ્રેમના સંદેશને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે.
પણ આ સમગ્ર ઘટનાની પરાકાષ્ઠા સાચ્ચે જ રુંવાડા ઉભા કરી દે તેવી છે. આ પુસ્તકનું  સર્જન કરનાર બંને હિંદુ મહાનુભાવો શરીરિક અને માનસિક રીતે  અસ્વસ્થ છે. અપરણિત અને એકાકી જીવન જીવતા ૪૦-૪૫ વર્ષની વયના ડૉ.જેનાબહેન બ્રેન અને સ્પાઈનલ કોર્ડના ગંભીર રોગથી પીડાય છે. તેમની ઝીંદગીનો કોઈ ભરોસો નથી. છતાં તેમના ચહેરા પર હમેશા હાસ્ય પથરાયેલું રહે છે. ગોરો વાન અને ગોળ ચહેરોના માલિક જેનાબહેન ચિત્રોના સર્જન સમયે ઝાઝું ચાલી સકતા ન હતા. ઉભા રહી શકતા ન હતા. તેમના હાથના આંગળાઓ બ્રશ પકડી શકવા અસમર્થ હતા. છતાં એવા સમયે જેનાબહેને અલ્લાહના ૯૯ નામોના ચિત્રોનું સર્જન કર્યું, એ ઘટના જ કોઈ પણ ધબકતા માનવીને સ્તબ્ધ કરી મુકે તેવી છે. અલ્લાહના ૯૯ નામોને એરેબીક ભાષામાં ચિતરનાર સુરેન્દ્રનગરના રાહુલ ઝાલા એક ગભરુ જવાન છે. ઊંચા-લાંબા, શ્યામવર્ણા અને વેધક આંખોવાળા રાહુલ ઝાલા ચિતભ્રમ અને સ્મૃતિ દોષથી પીડાય છે. ચિત્રોના સર્જન ટાણે પરોઢીએ ત્રણ વાગ્યે બ્રહ્મમુહરતમાં ડૉ. જેનાબહેનના ઘરે આવી જવું અને એરેબીક અક્ષરોમા અલ્લાહના નામોનું ચિત્રણ કરવાનું કાર્ય આરંભવું એ કોઈ સામાન્ય માનવીના લક્ષણો નથી. એ તો ખુદાની અતુટ ઈબાદત છે. આવા ક્ષતિગ્રસ્થ માનવીઓએ સર્જેલ અલ્લાહના ૯૯ નામોના ચિત્રોનું પુસ્તક આજના અસંતુલિત યુગમાં સીમાચિહ્ન રૂપ છે. અને એટલેજ મનના ઊંડાણમાંથી વારંવાર ઉદગારો સરી પડે છે, આવા અસ્વસ્થ માનવીઓ જ સ્વસ્થ સમાજ રચનાના સાચા ઘડવૈયાઓ છે.
------------------------------------
પુસ્તક પ્રાપ્તિ : ડૉ. જેના આનંદ,૧૨,યશ પ્રકાશ સોસાઈટી,સાણંદ,ગુજરાત. મોબાઈલ : ૯૯૨૫૫૧૯૨૮૫.

Visit to Allabad



Sunday, May 13, 2012

Oldest Mosque Of India : Village Ghogha, Dist.Bhavnagar,Gujarat,India


  

 Oldest Mosque of India
 Prof. Mehboob Desai

Old Mosque, its kibla rukh @ Baitul Mukaddas. around 1300 years old.
The first Arab traders landed at Ghogha, (Bhavangar, Gujrat India) around the early seventh century and built a masjid here. This was the time when Qibla (direction to be faced while offering namaaz,) of the Muslims was Jerusalem instead of Mecca. For a brief period of 16 to 17 months, between 622 and 624 A.D., after Hijrat (migration) to Medina, the Prophet (SALLALLAHU ALAIHE WASALLAM) and his believers faced Jerusalem while offering Namaaz. This ancient masjid, locally known as the Baarwaada Masjid or Juni Masjid, was built during this period and is one of the oldest if not the oldest masjid in India. Later the Prophet (SALLALLAHU ALAIHE WASALLAM) received Wahi (Revelation) commanding him to change the orientation point from Jerusalem in the north to Mecca in the south. This masjid, therefore, predates all the other masjids in India whose mehrab face Mecca. This ancient masjid also bears the oldest Arabic inscriptions in India. The masjid falls under the care of Barwaada Jammat.



  1. Over View




2. Kibala 


3. Aayats on the head of Kibala


4. Kibala



5. Space of Namaz


6.Back View of Masjit and Kibala

Thursday, May 10, 2012

ઇસ્લામ અને ભારતીય ધર્મગ્રંથો : ડૉ.મહેબૂબ દેસાઈ



ડૉ. એમ. એસ. શ્રીનિવાસ લિખિત હિંદી ગ્રંથ "હઝરત મહંમદ (સ.અ.વ.)ઔર ભારતીય ધર્મગ્રંથ"નું સંક્ષિપ્તીકરણ સ્ટાર પબ્લીકેશન,ભરુચ દ્વારા હાલમાં જ પ્રસિદ્ધ થયું છે. વિનામુલ્યે વિતરિત કરવામા આવતી આ નાનકડી પુસ્તિકા હિંદુ-ઇસ્લામ ધર્મના સમન્વયનું ઉમદા ઉદાહરણ છે. આ પુસ્તિકામાં હિંદુધર્મ ગ્રંથોમાં ઇસ્લામ અને મહંમદ સાહેબના ઉલ્લેખો આધારો સાથે આપવામાં આવ્યા છે. વેદોમાં અતિ પ્રાચીન ઋગ્વેદમા "નરશંસ" શબ્દથી શરુ થતા આંઠ શ્લોકો છે. નર એટલે મનુષ્ય અને આશંસ એટલે પ્રશંસિત. અર્થાત મનુષ્યો દ્વારા પ્રશંસિત. એ જ રીતે મહંમદ શબ્દ હમ્દ ધાતુ પરથી આવ્યો છે. હમ્દ એટલે પણ પ્રશંશા. અને મહંમદ એટલે પ્રશંશા પાત્ર. ભવિષ્ય પુરાણમાં મહંમદ સાહેબના આગમનનું ભવિષ્ય ભાખતા લખ્યું છે,
"એક બીજા દેશના એક આચાર્ય પોતાના મિત્રોની સાથે આવશે. તેમનું નામ મહામદ હશે. તેઓ રણ પ્રદેશમાં આવશે"
આ અધ્યાયના શ્લોક ૬,૭,૮ પણ મહંમદ સાહેબ વિષયમાં જ છે. ભવિષ્ય પુરાણના પર્વ ૩,ખંડ ૩ અધ્યાય ૧ શ્લોક ૨૫,૨૬,૨૭મા કહ્યું છે,
"તેઓના માણસોની ખ્તના થશે. તેઓ શીખા વગરના થશે. તેઓ દાઢી રાખશે. બુલંદ અવાજથી સ્તુતિ (અઝાન) કરશે. મંત્રથી પવિત્ર કર્યા વિના કોઈ પરમાટીનું સેવન કરશે નહિ (અર્થાત હલાહ માંસ જ ખાશે). આ રીતે તેઓના સંસ્કારોની ઓળખ થશે"
સંસ્કૃતના પ્રખર વિદ્વાન ડૉ. વેદપ્રકાશ ઉપાધ્યાય કહે છે,
"પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)ના જન્મ  સ્થાન સહીત અન્ય સામ્યતાઓ કલ્કી અવતાર સાથે પણ મળતી આવે છે"
કલ્કિ પુરાણના બીજા અધ્યાયના ૧૫મા શ્લોકમાં કહ્યું છે,
"જેમના જન્મ લેવાથી માનવજાતનું કલ્યાણ થશે. તેમનો જન્મ મધુમાસના શુકલ પક્ષ અને રવિ ફસલ (પાક)મા ચન્દ્રની ૧૨મી તારીખે થશે"
મહંમદ સાહેબનો જન્મ ૧૨ રબ્બીઉલ અવ્વલના રોજ થયો છે. રબ્બીઉલ અવ્વલનો અર્થ થયા છે મધુમાસ અર્થાત હર્ષોઉલ્લાસનો મહિનો. કલ્કિના પિતાનું નામ વિષ્ણુયશસ: છે.જયારે મહંમદ સાહેબના પિતાનું નામ અબ્દુલ્લાહ હતું. વિષ્ણુ એટલે અલ્લાહ. અને યશ એટલે બંદો અલ્લાહનો બંદો. અબ્દુલ્લાહ એટલે પણ અલ્લાહનો બંદો. ટૂંકમાં મહંમદ સાહેબ(સ.અ.વ.)ના આગમનનું ભવિષ્ય ભાખતા કલ્કિ પુરાણમા કહ્યું છે,
 "તેઓ ઘોડેસ્વાર અને તલવારધારી હશે. દુષ્ટોનું દમન કરશે. જગત્પતિ અર્થાત સંસારની રક્ષા કરનાર હશે. ચાર સાથીઓના સહયોગથી સભર હશે.(અર્થાત ચાર ખલીફા) અને અંતિમ અવતાર હશે. (અર્થાત અંતિમ પયગમ્બર હશે) મહાન ઉપદેશક હશે. આઠ સિધ્ધિઓ અને ગુણોથી ભરપુર હશે. તેમના શરીરમાંથી સુગંધ નિકળતી હશે. અનુપમ તેજસ્વીધારી હશે. ઈશ્વરીય વાણી (વહી)ના ઉપદેશક હશે" મહંમદ સાહેબના આગમનની ભવિષ્યવાણી ભાખતા આપવામાં આવેલા આ તમામ લક્ષણો મહંમદ સાહેબના વ્યક્તિત્વ સાથે શબ્દસહ મળતા આવે છે."
ઉપનિષદમા પણ મહંમદ સાહેબ અને ઇસ્લામના સંદર્ભ જોવા મળે છે. નાગેશ્વરનાથ બસુ દ્વારા સંપાદિત વિશ્વકોષના બીજા ખંડમા ઉપનિષદના એ શ્લોકો આપવામાં આવ્યા છે જેમાં ઇસ્લામ અને મહંમદ સાહેબનો ઉલ્લેખ જોવા મળે છે. અલ્લાહ ઉપનિષદના ૧,૨,૩, શ્લોકોમાં કહ્યું છે,
"વાસ્તવમાં અલ્લાહ વરુણ છે. તે સમગ્ર સૃષ્ટિનો બાદશાહ છે. અલ્લાહને પોતાના પૂજ્ય સમજો. મહંમદ અલ્લાહના શ્રેષ્ટતર રસુલ છે. અલ્લાહ આદિ, અંત અને સમગ્ર સંસારનો પાલનહાર છે. સઘળા સારા કામો અલ્લાહ માટે જ છે. વાસ્તવમાં અલ્લાહ એ જ સુર્ય, ચંન્દ્ર અને તારા પેદા કર્યા છે."
અલ્લાહ ઉપનિષદના ૪ થી ૧૦ શ્લોકો પણ આજ વાતને રજુ કરે છે,
"અલ્લાહે તમામ ઋષિઓ મોકલ્યા છે. ચંદ્ર ,સુર્ય અને તારાઓ તેણે જ પેદા કર્યા છે. અલ્લાહે બહ્માંડ (જમીન અને આકાશ) બનાવ્યુ છે. તેના સિવાય કોઈ પૂજ્ય નથી. અલ્લાહ અનાદી છે. તે આખા વિશ્વનો પાલનહાર છે.તે તમામ મુસીબતો અને બુરાઈઓને દૂર કરનાર છે.મહંમદ અલ્લાહના રસુલ છે, જે આ સંસારના પાલનહાર છે. આથી ઘોષણા કરો કે અલ્લાહ એક છે અને તેના સિવાય કોઈ પૂજ્ય નથી"
હિન્દુઓના વૈષ્ણવ સમુદાયમાં પ્રાણનાથી (પ્રણામી) સંપ્રદાય ઉલ્લેખનીય છે. એના સંસ્થાપક અને પ્રવર્તક મહામતિ પ્રાણનાથજી હતા. ઇ.સ ૧૬૧૮મા જન્મેલા પ્રાણનાથજીનું જન્મનું નામ મહેરાજ ઠાકુર હતું. તેમણે સમાજને એકેશ્વરવાદનું શિક્ષણ આપ્યું. એ જ પ્રાણનાથજી કહે છે,
"કૈ બડે કહે પયગમ્બર, પર એક મહંમદ પર ખતમ"
અર્થાત ધર્મ ગ્રંથોમાં અનેક પયગંબરોને મોટા કહેવામા આવ્યા, પણ મહંમદ સાહેબ પર ઇશદૂતની શ્રુંખલા સમાપ્ત થઈ છે. રસુલ મહંમદ અંતિમ પયગમ્બર હતા. પ્રાણનાથજી એ એક જગ્યાએ કહ્યું છે,
"રસુલ આવેગા તુમ પર, લે મેરા ફરમાન
 આયે મેરે અરસકી, દેખી સબ પહેચાન"
અર્થાત, મારો રસુલ મહંમદ તમારી પાસે મારો સંદેશ લઈને આવશે.તે સંસારમાં આવીને મારા અર્શ અથવા પરધામની બધી ઓળખ કરવવા માટે કેટલાક સંકેત આપશે"
એ જ રીતે જૈન અને બોદ્ધ ધર્મોમાં પણ ઇસ્લામના ઇસ્લામ અને તેના પયગમ્બરના ઉલ્લેખો જોવા મળે છે. જૈનધર્મના ગ્રંથકારો પણ કલ્કિ અવતારનું વર્ણન કર્યું છે. તેના આવવાનો સમય મહાવીર સ્વામીના એક હજાર વર્ષ પછીનો માન્યો છે. મહાવીર સ્વામીના જન્મનું વર્ષ ઈ.સ.પૂર્વે ૫૭૧ માનવામાં આવેલ છે. એ પછી એક હજાર વર્ષ પછી કલ્કિ અવતારનું આગમન થાય છે. એ મુજબ હઝરત મહંમદ સાહેબનો જન્મ એ જ વર્ષમાં થાય છે. જૈન ગ્રંથ હરિવંશ પુરાણમાં આ જ ઉલ્લેખ જોવા મળે છે.
આમ ઇસ્લામ અને તેના અંતિમ પયગમ્બરના ઉલ્લેખો હિંદુ ધર્મ ગ્રંથોમાં ઠેર ઠેર પડેલા જોવા મળે છે. એ બાબત જ દર્શાવે છે કે દરેક ધર્મ અન્ય ધર્મ પ્રત્યે આદર અને આસ્થા ધરાવે છે. પછી માનવી શા માટે તેમાં ભેદની રેખાઓ તાણી દુનિયા અને સમાજમાં સમસ્યાઓ સર્જે  છે ?

Tuesday, May 1, 2012

મૌતને નજીકથી નિહાળનાર : સ્ટીવ જોબ્સ ; ડૉ.મહેબૂબ દેસાઈ



મૃત્યું એ જીવનની સચ્ચાઈ છે. સામાન્ય માનવી માટે તે વિરહ છે.  જ્યારે સંતો માટે તે મુક્તિનો આનંદ છે. અને મહાન કે વિશિષ્ટ માનવીઓ માટે તે એક ઝિન્દગીનો સામાન્ય દસ્તુર છે. જેનાથી તેઓ ન તો ચલિત થાય છે, ન ગમગીન બને છે. બલકે મૌતને તેઓ જીવનનો સામાન્ય ક્રમ માની તેમના લક્ષમાં મડ્યા રહે છે. ડિજિટલ યુગની એવી જ એક વિભૂતિ છે સ્ટીવ જોબ્સ.
ઈશ્વરે બે બાબતો માનવીના હસ્તક નથી રાખી. જન્મ અને મૃત્યું. જન્મ અને મૃત્યુંનો સમય અને સ્થાન માનવી જાણી શકતો નથી. એટલે જ ઈશ્વર કે ખુદાના અસ્તિત્વને માનવી આજે પણ સ્વીકારે છે. મૃત્યુનો ભય દુનિયાના બધા ભયો કરતા અત્યંત તીવ્ર છે. મૌતના વિચાર માત્રથી માનવી ધ્રુજી જાય છે. પણ જે માનવી પોતાના મૌતને નજીકથી જોઈ લે છે. અને છતાં તે પોતાના જીવન કાર્યને વળગી રહે છે. તે સાચ્ચે  જ મહાન છે, વિશિષ્ટ છે. સ્ટીવ જોબ્સ એવી જ એક વિશિષ્ટ વ્યક્તિ હતા. ડિજિટલ વિશ્વના પિતામહ સ્ટીવ જોબ્સનું વોલ્ટર અઈઝેકસંન લખેલું જીવનચરિત્ર હમણાં જ વાંચવામાં આવ્યું. મૌતની સામે બાથ ભીડી પોતાના લક્ષ માટે સતત સક્રિય રહેનાર સ્ટીવને કેન્સર હોવાની પ્રથમવાર જાણ થઈ ત્યારે તેણે સૌ પ્રથમ ફોન તેના મિત્ર લેરી બ્રિલીયેનટ ને કર્યો. તેની સાથે તેની પ્રથમ મુલાકાત ભારતના એક આશ્રમમાં થઈ હતી. સ્ટીવે તેને પ્રથમ પ્રશ્ન કર્યો,
"તમે હજુ પણ ઈશ્વરમાં માનો છો ?"
બ્રિલીયેનટે કહ્યું, "હા , હિંદુ ગુરુ નીમ કરોલી બાબા કહે છે તે પ્રમાણે ઈશ્વરને પામવાના અનેક માર્ગો છે"
પછી તેણે સ્ટીવને પૂછ્યું,
"કોઈ સમસ્યા છે સ્ટીવ ?" જરા પણ તાણ વગર સ્ટીવ બોલ્યો,
"હા, મને કેન્સર છે"
પોતાને પ્રથમ ચરણનું કેન્સર હોવા છતાં સ્ટીવને તે વાત પ્રથમ તબક્કે જાહેર કરવાની જરૂર ન લાગી. અને અત્યંત સ્વસ્થ રીતે તે પોતાનું કાર્ય કરતો રહ્યો. તે પોતાના શરીર પર કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા કરાવવા ઇચ્છતો ન હતો. તેથી તેણે કેન્સરના ઉપચાર તરીકે શાકાહારી ભોજન લેવાનું શરુ કર્યું. અને ભારતીય આયુર્વેદિક ઉપચારો શરુ કર્યા. પોતાને થયેલ કેન્સરની વાત તેણે સૌ પ્રથમ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સંભારંભમા કરી. અને તે પણ વ્યાખ્યાનના ત્રણ મુદ્દામાંના એક મુદ્દા તરીકે.

જુન ૨૦૦૫મા તેણે સ્ટેન ફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સંભારંભમા વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું.તે વ્યાખ્યાન સારું તૈયાર થયા એ માટે તેણે એરોન સોરકીન નામના વ્યવસાઈ લેખકને તે કાર્ય સોંપ્યું. પણ એરોન સોરકીને વ્યાખ્યાન સમયસર તૈયાર કરી ન શક્યા. પરિણામે સ્ટીવે વ્યાખ્યાન પોતાની રીતે આપ્યું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમા સ્ટીવ જોબ્સે આપેલ એ વ્યાખ્યાન સ્ટીવના યાદગાર વ્યાખ્યાનોમાંનું એક છે. કેમ કે તેમા સ્ટીવે દિલ ખોલીને હદય સપર્શી વાતો કરી હતી. તેણે કહ્યું હતું,
"આજે હું મારા જીવનની ત્રણ બાબતો કહેવા માંગું છું.સૌ પ્રથમ મારે જે કલાસ (વર્ગ)મા ભણવું જરૂરી હતું, તેમાં હું જતો ન હતો. અને મને રસ પડે તે વર્ગમાં જઈ હું બેસતો હતો. બીજું, મને એપલમાંથી દૂર કરવામાં આવ્યો તે મારા માટે ફાયદાકારક સાબિત થયું. સફળતાનો ભાર મારા માથે હતો તે દૂર થી ગયો. અને ફરીથી શરૂઆત કરવાની છે, તે સમજ સાથે ભાર વગર શરૂઆત કરી શક્યો. અને ત્રીજી બાબત મને કેન્સરનું નિદાન થયું છે, તેના કારણે મૌત પ્રત્યે આવેલી મારી સભાનતા"
એ પછી સ્ટીવે મૌત પ્રત્યેની પોતાની સભાનતા વ્યક્ત કરતા કહ્યું,
"થોડા સમયમાં જ હું મૃત્યું પામવાનું છું તેનું મને ભાન થયું છે. તેના કારણે જીવનમાં કેટલાક મોટા નિર્ણયો કરવામાં મને બહુ મોટી સહાય મળી છે.મૌતની વાત આવે એટલે બધું જ દૂર થઈ જાય- બાહ્ય અપેક્ષાઓ, અભિમાન, નિષ્ફળતાનો ડર, સંકોચ બધું જ. ફક્ત રહી જાય છે એ જ બાબત જે અગત્યની છે. આપણે કશું ગુમાવી બેસીશું તે ભાવનામા આપણે અટવાઈ જઈએ છીએ. તેમાંથી બહાર આવી જવાનો શ્રેષ્ટ માર્ગ એ યાદ રાખવાનો છે કે આપણે એક દિવસ અહીંથી જતા રહેવાનું છે. તમે નિર્વાણ થઈ જવાના છો, દિલની વાતો ન માનવાનું હવે તમારી પાસે કોઈ કારણ રહેતું નથી"
કેન્સરના બીજા ચરણમાં પણ સ્ટીવની માનસિક સ્થિતિ સામાન્ય જ હતી. તે પોતાનું કામ કર્યે જતો હતો. અલબત્ત મિત્રો અને સ્નેહીઓના આગ્રહ આગળ તેને નમતું મુંકવું પડ્યું હતું. તે પોતાના શરીર પર
શસ્ત્રક્રિયા કરાવવા સંમત થયો હતો. ઓપરેશન સફળ રહ્યું.પણ સમગ્ર લીવરમાં કેન્સરનું ટ્યુમર પ્રસરી હતું. ડોકટરો માટે તે ગંભીર બાબત હતી. આ અંગે સ્ટીવ કહે છે,
"તે લોકોને લાગતું હતું હું રાત નહિ ખેંચું.મારા સંતાનો પણ માનતા હતા કે ડેડને છેલ્લીવાર હોશમાં જોવાની આ રાત છે. પણ હું બચી ગયો"
આમ મૃત્યુંને નજીકથી નિહાળનાર સ્ટીવ કહે છે,
"આ પ્રકારના રોગ સાથે જીવવું અને પીડા સહન કરાવી, તેનાથી તમને રોજ રોજ એ યાદ આવે છે કે તમે કેટલા નશ્વર છો. ધ્યાન ન રાખીએ તો મગજ ભમી જાય. આપણે એક વર્ષથી વધારે આયોજન કરવાનું બંધ કરી દઈએ છીએ. તે ખોટું છે. તમારે એમ વિચારીને જ જીવવું જોઈએ કે મારે તો હજુ ઘણાં વર્ષો કાઢવાના છે"
જુલાઈ ૨૦૧૧ સુધીમાં તો કેન્સર તેના હાડકા સુધી ફેલાઈ ગયું હતું. હાડકા બહુજ કળતા હતા. ઊંઘ અનિયમિત થઈ ગઈ હતી. તેણે ઓફિસે જવાનું બંધ કરી દીધું હતું. અને ત્યારે પોતાની જીવન કથાના લેખક વોલ્ટર અઈઝેકસંનને બોલાવીને સ્ટીવ કહે છે,
"મારી ઈચ્છા છે કે મારા બાળકો મને જાણે હું કાયમ અહી રહેવાનો નથી. હું ઈચ્છું છું કે તેઓ સમજે કે મેં શું કર્યું છે. બીજું મને કેન્સર થયું ત્યારે મને લાગ્યું કે બીજા લોકો મારા અવસાન પછી મને જાણ્યા વગર પુસ્તક લખવાના જ છે. તો પછી તમે મને સંભાળીને લખો એ વધારે સારું છે"
જીવનને ભરપુર જીવનાર અને ડિજિટલ વિશ્વમાં કાંતિ કરનાર સ્ટીવ જોબ્સનું ૫ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ અવસાન થયું હતું.