Monday, December 26, 2011

પ્રભુથી ડરનારને જગતનો ડર નથી : પ્રભાશંકર પટ્ટણી : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતના ત્રણ મૂર્ધન્ય શાસકોની જન્મ શતાબ્દી ૨૦૧૨ના વર્ષમાં આવી રહી છે. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી (૧૫ અપ્રિલ ૧૮૬૨-૨ એપ્રિલ ૧૯૩૮),ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી (૧૯ મેં ૧૯૧૨- ૨ એપ્રિલ ૧૯૬૫) અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ(૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯). ગુજરાત રાજ્ય આ ત્રણે મહાનુભાવોની જન્મ શતાબ્દી ઉજવવા આતુર છે. આમા સર્વ પ્રથમ પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના દીવાન અને ગાંધીજીના પરમ મિત્ર જ ન હતા, પણ આધ્યત્મિક જ્ઞાનના ઉપાસક અને ઊંડા ચિંતક પણ હતા. એક આદર્શ શાસક તરીકે તેમનું જેટલું પ્રદાન ઇતિહાસમાં નોંધાયું છે, તેટલું જ તેમના આધ્યાત્મિક વિચારોએ પ્રજા ઘડતરનું ઉમદા કાર્ય કર્યું છે."જોઈએ છીએ" એવા મથાળા નીચે તેઓ હંમેશા લખતા,
"મારે એ મિત્ર જોઈએ છીએ, જે પોતાનો બધો પત્ર વ્યવહાર ખુલ્લા પોસ્ટકાર્ડમા જ હંમેશા લખતો હોઈ, તેણે જ અરજી કરવી"
અને અટેલે જ ખુલ્લા પોસ્ટકાર્ડમાં હંમેશા લખતા ગાંધીજી તેમના પરમ વડીલ મિત્ર હતા. વ્યક્તિની જીંદગી ખુલ્લી કિતાબ જેવી હોવી જોઈએ એવું દ્રઢપણે માનતા પટ્ટણી સાહેબ કહે છે,
"તમારી ટપાલ બીજો કોઈ ઉઘાડી શકે નહિ, એમ તમારો નિયમ હોઈ તો તમે તમારી પોતાનાથી જ બીહતા રહેજો. તમારે કઈ છુપાવવાનું છે,એવો એનો અર્થ છે. પ્રભુ એ છુપું દેખે છે, ને કોઈ દિવસ તે ખુલ્લું કરશે. જે પ્રભુને બતાવતા ડરતો નથી તેથી જ લોક ડરે છે. પ્રભુથી ડરનારને જગતનો ડર નથી"
કુશળ શાસક તરીકે ભાવનગર રાજ્યને દેશી રાજ્યોમાં "મીઠા રાજ્ય" તરીકે સ્થાન અપાવનાર પટ્ટણી સાહેબ વહીવટને નિર્જીવ નહોતા માનતા. વહીવટ આત્મા કે હદયની ભાવના વગર ન થઈ શકે એમ સ્પષ્ટ માનનાર પટ્ટણી સાહેબ કહે છે,
"વહીવટ, કાગળ ઉપર લખી નાખેલા નિયમો પ્રમાણે નહિ પણ વહીવટ ચલાવનાર મનુષ્યની સારી નરસી હદયભાવના ઉપર આધાર રાખે છે"
ભાવનગર સમાચારના દીપોસ્વી અંક : ૧૯૭૦મા જામે જમશેદ પટ્ટણી સાહેબનો એક પ્રસંગ ટાંકતા લખે છે, મુંબઈના માર્ગ પર એકવાર પટ્ટણી સાહેબ તેમના એક મિત્ર સાથે જઈ રહ્યા હતા. પાછળથી એક અવાજ સંભાળ્યો,
"એય દિવાન પટણા, ઉભો રહે"
પટ્ટણી સાહેબે પાછળ ફરી ફરીને જોયુ. સંપૂર્ણ ચીથરેહાલ ભિખારી જેવો દેખાતો એક માણસ ઉભો હતો. તેની પાસે જઈ પટ્ટણી સાહેબે અત્યંત નમ્રભાવે પૂછ્યું,
"શું છે ભાઈ ?" પેલાએ એ જ તોછડી ભાષામાં કહ્યું,
"હું તારા ગામનો છું. પણ મુંબઈમાં અત્યંત દુ:ખી છું. મને કઈક આપ પટણા"
પટ્ટણી સાહેબે પોતાના ખિસ્સામાંથી સો સોની બે નોટો કાઢી એ માનવીના હાથમાં મૂકી. અને કહ્યું,
"ભાઈ અત્યારે મારી પાસે આટલા જ રૂપિયા છે. આટલાથી તારું કામ રોડવી લે જે"
"સારું સારું" એમ કહી પેલા માણસે હાથની મુઠ્ઠીમાં બંને નોટ દબાવી ચાલતી પકડી.
સાથેનો મિત્ર ચકિત થઈ પટ્ટણી સાહેબને જોઈ રહ્યો. અને બોલ્યો,
"પટ્ટણી સાહેબ,આવા તોછડા માણસને આટલા બધા રૂપિયા ન અપાય"
પટ્ટણી સાહેબ બોલ્યા, "મારી પ્રજા મને ગમે તેવી રીતે બોલાવે પણ તેને મદદ કરવાની મારી પવિત્ર ફરજ છે"
આવા શુદ્ધ હદયથી શાસન કરનાર પટ્ટણી સાહેબ ઉમદા કવિ પણ હતા. રાજા અને પ્રજાના સંબધોને વાચા આપતું તેમનું એક કાવ્ય આધ્યત્મિક મૂલ્યોને વળગીને શાસન કરવા ઇચ્છતા સૌ શાસકો માટે આજે પણ માર્ગદર્શક સમાન છે.

"મિત્રો એ શત્રુના જેવા, મનથી ભાસતા હશે;
રાજ્યનો સર્વથા નાશ, ખાસ ત્યારે જ થતો હશે ;

પ્રજાભાવ પ્રજામાંથી, લુપ્ત જયારે થઈ જશે,
બાદશાહતના નામો, નામ માત્ર રહી જશે ;

પ્રજા બાળકની પેઠે, પાળતા ભૂલ જ્યાં થશે,
સમ્રાટને નરેશોના, રાજ્ય શાસન ડગી જશે ;

એ પરસ્પરની ગ્રંથી, જો સાચી સમજાય તો,
પ્રજા સુખી રહે, રાજા સદા નિર્ભય થાય તો"

ઈ.સ. ૧૯૨૫મા ભાવનગરમા કાઠીયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન મળવાનું હતું. એ વખતે પટ્ટણી સાહેબ ભાવનગર રાજ્યના કારભારી હતા. કાઠીયાવાડ રાજકીય પરિષદનું અધિવેશન ભાવનગરમાં ન મળે તેની ખાસ તકેદારી રાખવાની સુચન અંગ્રેજ સરકારે રાજ્યના કારભારી પટ્ટણી સાહેબને આપી હતી. પટ્ટણી સાહેબે ગાંધીજીને કાઠીયાવાડ રાજકીય પરિષદનું અધિવેશન ભાવનગરમાં ન ભરવા વિનંતી કરી. પણ ગાંધીજી મક્કમ હતા. એટલે બે શરતોને એ અધિવેશન ભરવાની પટ્ટણી સાહેબે મંજૂરી આપી.
૧. અંગેજ સરકાર કે બીજા દેશી રાજ્યો વિરુદ્ધ કોઈ ઠરાવો પસાર ન કરવા
૨. પરિષદનું પ્રમુખ સ્થાન ગાંધીજીએ લેવું.
આ શરતો સાંભળી ગાંધીજી મલકાયા. અને બોલ્યા.
"ધારો કે મારા પ્રમુખપદે પરિષદ ભરાય અને તેમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ પસાર થાય તો તમે શું કરો ?" હોઠો પર સ્મિથ પાથરતા પટ્ટણી સાહેબ બોલ્યા,
"તો ભાવનગરની જેલ દૂધથી ધોવડાવુંને તેમાં આપને પધરાવું, અને હું આપની તહેનાતમાં ઉભો રહું"
આવ કર્મનિષ્ઠ, માનવીય, નમ્ર,પ્રજાની મુશ્કેલીઓને નમ્ર ભાવે દૂર કરનાર પ્રજાસેવક પટ્ટણી સાહેબને તેમની જન્મ શતાબ્દીના આરંભે શત શત સલામ.

Saturday, December 24, 2011

"સદભાવના મારી દ્રષ્ટિએ......" : ડૉ. મહેબૂબ દેસાઈ

હાલમાં જ ડૉ. દક્ષેશ ઠાકર અને ડૉ. મુકુલ ચોકસી સંપાદિત પુસ્તક " સદભાવના મારી દ્રષ્ટિએ......" (નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ) મારા હાથમાં અનાયાસે જ આવી ચડ્યું. જેમાં પ.પુ. મોરારીબાપુથી માંડીને ગુજરાતના નામી ચિંતકો અને લેખકોના સદભાવના અંગેના વિચારો સુંદર રીતે સંકલિત કરવામા આવ્યા છે. પુ. મોરારીબાપુ પોતાના સદભાવનાના વિચારને એક સુંદર ઇસ્લામિક દ્રષ્ટાંત આપી સમજાવતા લખે છે,
"એક ફકીર હતો. મસ્જીતમાં નમાઝ પઢતો. એની એક નક્કી કરેલી જગ્યા. એમાં એના હાથ પગના ખાડા પડી ગયેલા. પણ એ રીઝર્વ જગ્યા...બાબાની,ફકીરીની... એ રોજ પાંચ નમાઝ પઢે. પચાસ વર્ષની છેલ્લી નમાઝ પૂરી થઈ. એવામાં આકાશવાણી થઈ. ખુદાએ કહ્યું, "હે ફકીર, તું પચાસ વર્ષથી નમાઝ પઢે છે. પણ તારી એક પણ નમાઝ સ્વીકારવામાં આવી નથી." નમાઝ પઢતા બધા જ બંદોઓ રડવા લાગ્યા.આ બાબા પચાસ વર્ષથી નિષ્કામ બંદગી કરે છે. ને તેની એક પણ નમાઝ કબુલ ન થઈ ? બધા દુખી થઈ ગયા કે બાબા આ કેવો ન્યાય છે ઉપરવાળાનો ? પણ બધાને આશ્ચર્યએ વાતનું થયું કે એ ફકીર જેના ટેકે રહીને નમાઝ પઢતો,એ થાંભલાને બાથ ભરીને આલિંગન આપી નાચવા લાગ્યો. બધાએ કહ્યું કે, તમારાથી નચાય નહિ. તમારે તો માથું પછાડવું જોઈએ કે પછાસ વર્ષની બંદગી નિષ્ફળ ગઈ.
ફકીરનો જવાબ હતો,
"પચાસ સાલકી બંદગી કબુલ હો , ન હો મારો ગોલી ! લેકિન ખુદા કો પતા તો હૈ કી કોઈ પચાસ સાલસે બંદગી કર રહા હૈ "
ભગવાન મારી કઈ કથા સ્વીકારે ને કઈ ન સ્વીકારે એની સાથે કઈ લેવા દેવા નથી. પણ એને ખબર તો છે કે કોઈ કઈ કરી રહ્યો છે ! "
માનવીની સહજતાને ત્રણ લાઈનમાં વ્યક્ત કરતા પુ, બાપુ આગળ લખે છે.
"દડદડ- દડદડ દડી પડે ભે માણસ છે,
હસતા હસતા રડી પડે ભે માણસ છે,
રમતા રમતા લડી પડે ભે માણસ છે"

આવા આમ ઇન્સાનની અંદર પડેલ સદભાવનાને સાકાર કરવાની આપણા સોની ફરજ છે. એ ફરજ પ્રત્યે સભાનતા કેળવતા જૈન આચાર્ય પુ, રાજરક્ષિત મહારાજા સાહેબની સદભાવનાની વ્યાખ્યા પણ જાણવા જેવી છે. તેમાં સદભાવનાના લક્ષણો વ્યક્ત થાય છે.
" સદભાવના તેને કહેવાય જેમાં હોઈ માત્ર પરાર્થનું સર્જન સ્વાર્થનું વિસર્જન અને સર્વનું કલ્યાણ. જેમાં માણસ પોતાની જાતને ભૂલી જાય અને માત્ર બીજાના પરાર્થમા-કલ્યાણના કાર્યોમાં લાગી જાય, તેને સદભાવના કહેવાય"
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સદભાવનાની પોતાની સમાજને વ્યક્ત કરતા લખે છે,
"ગુજરાત સદભાવનાની શક્તિથી વિકાસની પ્રયોગભૂમિ બની ગયું છે. સદભાવના વિચાર આખા દેશમાં એકતા અને ભાઈચારાથી વિકાસનો પથ બની રહેવાનું છે.સદભાવનાથી સમાજની સંવેદના પ્રગટાવવા માટેનું મારું આ અભિયાન રાજનૈતિક આંદોલન નથી સામજિક અભિયાન છે."
ભગવતી શર્મા લખે છે,
"સદ અને સત એ આપણા મહત્વના શબ્દો છે. બંનેની નકારાત્મક સંજ્ઞાઓ પણ એટલી જ સુપ્રસિદ્ધ છે. સદ અને અસદ તથા સત અને અસતનું સહઅસ્તિત્વ આપણે સ્વીકારેલું છે. કારણકે એ પન જગતનું એક વાસ્તવ છે... મહભારતના અંતે વ્યાસ મુની તારણ કાઢે છે: "એતો ધર્મ સ્તતો જય" અર્થાત જ્યાં ધર્મ ત્યાં વિજય. એનો અર્થ એ કે સદ તત્વને ધર્મને પક્ષે રહેવું જઈએ અથવા એમ કહીએ કે સદ એ જ ધર્મની પ્રમુખ ઓળખ છે" સ્વામી સચિદાનંદ સદભાવનાને પોતાના શબ્દોમાં સાકાર કરતા લખે છે,

"ભારત જેવા દેશમાં જ્યાં ઘણાં ધર્મો , ઘણી જાતિઓ તથા વર્ગો વસી રહ્યા છે, ત્યાં પ્રજા વચ્ચે ધર્મ દ્વેષ કરાવીને જાતી દ્વેષ કરાવીને કે પછી વર્ગ દ્વેષ કરાવીને રાજ કરવું એ પણ આંતકવાદ છે. બધી જાતિઓ પરમાત્માનું જ સંતાન છે, તેની જ નિર્મિત છે એટલે પરસ્પર સદભાવ,પ્રેમ અને ભાઈચારો વધે તેવી સમજ મળવી જોઈએ"
ડૉ ચંદ્રકાન્ત મહેતા સદભાવનાની સમજ આપતા નોંધે છે,
"સદ એટલે સારું, સદાશયવાળું કે શુભતત્વ પ્રેરિત એવો અર્થ ઘટાવતા સદભાવના એ શુભત્વ અને શિવત્વ પ્રેરિત ભાવના છે. એવી ભાવના સ્વયમ વ્રત છે, અનુષ્ઠાન છે,આંતરિક પવિત્ર અભિલાષા છે"

અને છેલ્લે જય વસાવડાએ રજુ કરેલ સદભાવના પ્રેરક એક ઘટનાને વ્યક્ત કરી પુસ્તકની વાત પૂરી કરીશ. ઈશ્વર-અલ્લાહને એક સમાન માનનાર કબીરને દિલ્હીના બાદશાહ સિકંદર લોદીએ તેડું મોકાયું. લોદીને ફરિયાદ મળી હતી કે આ માણસ હિંદુ-મુસ્લિમને એક કરવાના કારસ્તાન કરીને તખ્તને નબળો પાડી રહ્યો છે. લોદીના દરબારમાં કબીર મોડા પહોંચ્યા.બાદશાહે મોડા આવવાનો ખુલાસો પૂછ્યો.
કબીરવાણી, "નામદાર રસ્ત્તામાં મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું" બાદશાહ , " શું જોયું ?"
કબીરવાણી,
"મેં જોયું કે સોયના નાકા જેટલી જગ્યામાંથી દરિયો, પહાડ, હાથી, ઘોડા, હીરા, મોતી જંગલ .... બધું જ પસાર થઈ ગયું. પણ માણસ અટકી ગયો"
બાદશાહ કહે, " આવું તો કઈ હોઈ ? ગપ્પા મારે છે"
કબીરે જવાબ વાળ્યો,
"આપણી આંખની કીકી જેટલી ટચુકડી છે... એમાં આખી દુનિયા, આકાશ, સમુદ્ર , મહેલો ,નગરો બધું સમાય જાય છે. પણ કમનસીબે એમા એક મુસલમાન એક હિન્દુને નથી સમાવી શકતો અને એક હુંદુ એક મુસલમાનને નથી સમાવી શકતો"

આવું સુંદર પુસ્તક સંપાદિત કરવા બદલ બંને સંપાદકોને અભિનંદન.

Tuesday, December 13, 2011

વિવેકાનંદજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૨ જાન્યુઆરી ૨૦૧૨ના રોજથી સમગ્ર ભારતમાં સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ ઉજવણી માટે અનેક માર્ગોનું પરામર્શન સમય પૂર્વે જ આરંભી તેની ઉજવણીની ગહનતાનો સ્વીકાર કર્યો છે. આપણા યુવાનોના સંસ્કારોમાં સ્વામી વિવેકાનંદજીના વિચારો-આચારોને આણવાનો આ અવસર સમગ્ર વર્ષ દરમિયાન ક્રિયાશીલ રહેશે. જો કે આપણી શાળા કોલેજોમાં ભણાવતા ઇતિહાસ, સમાજ વિજ્ઞાન, સાહિત્ય, ધર્મ, અધ્યાત્મ વિજ્ઞાન અને સમાજકાર્ય જેવા વિષયોમાં આપણે કયારેય વિવેકાનંદજી, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રાજા રામ મોહન રાય, જેવા મહાનુંભાવોના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે અધ્યાત્મિક વિચારો અને આચારોને અભ્યાસક્રમનો ભાગ બનાવ્યા નથી. પરિણામે આજે તેમની જન્મ જયંતિની ઉજવણી નિમિતે તેમના આચાર વિચારોને યુવા પેઢી સુધી પહોંચાડવા આપણે સક્રિય બન્યા છીએ. અલબત એ જરૂરી પણ છે. સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્મ જયંતીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ઇતિહાસમાં બે દ્રષ્ટિએ ગુજરાતનું મહત્વ નોંધાયેલું છે.
૧. ગુજરાતની સ્વામી વિવેકાનંદજીની દીર્ઘકાલીન મુલાકાત
૨. ગુજરાતની ધરા પર જ શિકાગોની વિશ્વ પરિષદમાં જવાનો વિચાર વિવેકાનંદજીને જન્મ્યો અને વિકસ્યો.
ઈ.સ. ૧૮૯૩ની શિકાગોની વિશ્વ પ્રસિદ્ધ ધર્મ પરિષદમા જતા પૂર્વે વિવેકાનંદજીએ લગભગ છ માસ ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું. ગુજરાતના અમદાવાદ, વઢવાણ, લીમડી, ભાવનગર, શિહોર, જુનાગઢ, ભુજ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, પાલીતાણા અને નડિયાદ જેવા સ્થાનોએ વિવેકાનંદજીના પાવન પગલાઓ પડ્યા હતા. અમદાવાદમાં તેઓ નાયબ ન્યાયાધીશ શ્રી લાલશંકર ઉમિયાશંકરને ત્યાં રહ્યા હતા. શહેરની અંદર આવેલ કિર્તીમંદિરો અને ભવ્ય મસ્જિતોને નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા. અમદાવાદના જૈન સાક્ષરો અને ધર્માચાર્યો સાથે તેમણે ગહન આધ્યાત્મિક ચર્ચાઓ કરી હતી.લીમડીમાં તેઓ લીમડીના રાજા ઠાકોર સાહેબ બેહેમીયાચાંદના મહેમાન બન્યા હતા. લીમડીના રોકાણ દરમિયાન તેમણે ઘણાં પંડિતો સાથે સંસ્કૃતમાં ચર્ચા કરી હતી. જુનાગઢ જતા તેમણે ભાવનગર અને શિહોરની મુલાકાત પણ લીધી હતી. જુનાગઢમા તેમણે રાજ્યના દીવાન શ્રી હરિદાસ વિહરીદાસ દેસાઈની મહેમાનગતિ માણી હતી. સ્વામી વિવેકાનંદજીથી તેઓ એટલા પ્રભાવિત થયા કે રોજ બપોર બાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓને એકત્રિત કરી સ્વામીજી સાથે ધર્મચર્ચા કરતા. આ ધર્મચર્ચા માત્ર હિદુ ધર્મને જ ન સ્પર્શતી પણ ખ્રિસ્તી અને ઇસ્લામને પણ આવરી લેતી. ભુજમાં પણ સ્વામીજી રાજ્યના દીવાનના મહેમાન બન્યા હતા. કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજાને પણ તેઓ મળ્યા હતા.વેરાવળ અને સોમનાથ પાટણની તેમની મુલાકાત પણ અદભૂત હતી. શ્રી કૃષ્ણ ભગવાના દેહોત્સર્ગના સ્થાનની તેમને ખાસ મુલાકાત લીધી હતી. પોરબંદરમાં સુદામા મંદિરના દર્શન કર્યા હતા. એ સમયે પોરબંદરના મહારાજા સગીર હતા. એટલે બધો કારભાર રાજ્યના દીવાન શ્રી શંકર પાંડુરંગજી ચાલવતા હતા. સ્વામીજી દીવાન શંકર પાંડુરંગજીના નિવાસ્થાન ભોજેશ્વર બંગલામાં ઉતર્યા હતા. સ્વામીજી સાથે દીવાન સાહેબ નિયમિત સત્સંગ કરતા. એ સમયે દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલ એક વાત સ્વામીજીના અંતરમાં ઉતરી ગઈ હતી. તેને યાદ કરતા સ્વામીજી લખે છે,

"મને લાગે છે કે આપ આ દેશમાં ખાસ કઈ કરી શકશો નહિ. એના કરતા આપે પશ્ચિમના દેશમાં જવું જોઈએ.ત્યાં લોકો આપના વિચારો અને આપના વ્યક્તિત્વનો વાસ્તવિક પાર પામી શકશે. સનાતન ધર્મનો પ્રચાર કરીને આપ નક્કી પ્રાશ્ચાત્ય સભ્યતાના પ્રવાસ પંથ પર પુષ્કળ પ્રકાશ રેલાવી શકશો"

દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલા આ શબ્દો ભાવીમા ભંડારાયેલી વિવેકાનાદની શીકાગો યાત્રાના સંકેત પડ્યા છે. ગુજરાતની ધરતીમાં તેના મંડાણ થયાની તે સાક્ષી પૂરે છે. વિવિકાનંદજીનું વિશદ ચરિત્ર આલેખનાર સ્વામી ગંભીરાનંદ પણ લખે છે,

"આ દિવસોમાં સ્વામીજી અંતરમાં એક અદભુદ પ્રકારનો ખળભળાટ અનુભવી રહ્યા હતા.તેમને એમ થયા કરતુ કે શ્રી રામ કૃષ્ણએ એકવાર જે વાત કહેલી કે નરેનની અંદર એવી શકતી ભરેલી છે કે જેના જોરે તે જગતને ઉંધુચતુ કરી શકે છે. તે સત્ય થવાના એંધાણ તેમને વર્તાઈ રહ્યા હતા"

આમ ગુજરાતની સ્વામીજીની મુલાકાત દરમિયાન જ શિકાગોની ધર્મસભામાં ભાગ લેવાના બીજ તેમના અંતકરણમા રોપાયા હતા. એ બીજ જુનાગઢ અને પોરબંદરની મુલાકાત પછી અંકુર બની ફૂટ્યા.પોરબંદરની મુલાકાત દરમિયાન જ સ્વામીજીએ બીજા વર્ષે (૧૮૯૩)ભરાનાર વિશ્વ ધર્મ પરિષદમાં જવાના પોતાના વિચારને વ્યક્ત કરતા હરિદાસબાપુને કહ્યું હતું,

"જો કોઈ મારા આવવા જવાનો ખર્ચ આપે તો બધું બરાબર ગોઠવાય જાય અને હું ધર્મ પરિષદમાં જઈ શકું"
આમ ગુજરાતમાં જન્મેલ વિવેકાનંદજીના વિચારને પછી કોઈ માનવ સર્જિત અડચણો સાકાર થતા ન રોકી શકી. ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ વિવેકાનંદજી એ વિશ્વધર્મ પરિષદમા કરેલ સંબોધન “અમેરિકાના ભાઈઓ અને બહેનો” વિશ્વના ઇતિહાસમાં અમર બની ગયું. એ પછી પોતાના વ્યાખ્યાનમાં વિવેકાનંદજીએ હિંદુ ધર્મની સર્વધર્મ સમભાવની નીતિને વ્યક્ત કરતા કહ્યું હતું,

“મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુ અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા છે. અમે સર્વ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા બતાવવામાં માનીએ છીએ. એટલું જ નહિ સર્વ ધર્મો સત્ય છે, એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ”

વિશ્વને આવા વિચારો આપી ભારત અને હિંદુ ધર્મનો વિશ્વમાં જય જયકાર કરનાર સ્વામી વિવેકાનંદને સો સો સલામ.

Thursday, November 17, 2011

સદભાવના : ભાવનગરની પ્રજાના મૂળભૂત સંસ્કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

સદભાવના કે સદવિચાર એ દરેક ધર્મ અને સમાજ માટે અનિવાર્ય છે. એકવાર વિવેકાનંદજી જયપુરના મહારાજાને મળવા ગયા. ત્યાં એક ગણિકાના ગીતનો કાર્યકર્મ શરુ થવામાં હતો. એટલે વિવેકાનંદજીએ ત્યાંથી તુરત નીકળી જવા કદમો ઉપડ્યા અને ત્યારે જ ગણિકાના ગીતના શબ્દો તેમના કાને પડ્યા.
"પ્રભુ મોરે અવગુણ ચિત ન ધરો
સમદરસી હૈ નામ તિહારો, ચાહે તો પાર કરો.
પ્રભુ મોરે અવગુણ ચિત ન ધરો"
તુલસીદાસજીનું આ ભજન એક ગણિકાના મુખે સાંભળી વિવેકાનંદજી ત્યાં રોકાઈ ગયા. ભજન પૂર્ણ થતા એ ગણીકા પાસે આવી તેમની ક્ષમા માંગતા વિવેકાનંદજી બોલ્યા,
"મા, મને ક્ષમા કરો. મે આપના વિશે કુવિચાર કરી આપને અન્યાય કર્યો છે. નાના મોટા કોઈ પણ વ્યક્તિ માટે રજ માત્ર કુવિચાર પાપ છે"

સદભાવના કે સદવિચાર દરેક સમાજ અને રાજ્યના ઘડતર અને વિકાસ માટે પ્રેરક બળ છે. રાજ્ય પાસે આર્થિક સમૃદ્ધિ હોઈ પણ સામાજિક-ધાર્મિક સદભાવના ન હોઈ તો ગમે તેટલી આર્થિક સધ્ધરતા રાજ્યને વિકાસના માર્ગે લઈ જઈ શકતી નથી. માટે જ ગુજરાતમાં સદભાવના પ્રસરાવવાના હેતુથી મા. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રયાસો કરી રહ્યા છે. એ માટે તેમણે પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલયના કેમ્પસમાં એક દિવસનો ઉપવાસ કર્યો હતો. એ જ સદભાવનાને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રી મા. નરેન્દ્રભાઈ મોદી ૩ ડીસેમ્બરના રોજ ભાવનગર પધારી રહ્યા છે. તેમના આવા પ્રયાસો ગુજરાતમાં સદભાવના પ્રસ્થાપિત કરવામાં કેટલા કારગત નીવડશે, એ તો સમય જ બતાવશે. પણ તેમના આ પ્રયાસોમા વ્યક્ત થતી ભાવના અવશ્ય તારીફ-એ-કાબિલ છે. સદ એટલે સારી, અને ભાવના એટલે લાગણી. આવી નિર્મળ સદભાવનાનું આભ ત્રણ સ્તંભો પર ઉભું છે. એકતા, એખલાસ અને અમન. જે રાજ્યમાં આ ત્રણે સ્તંભો મજબુત હશે ત્યાં સદભાવનાની સુવાસ વાતાવરણને હંમેશા મહેકાવતી રહેશે.

ગુજરાત-સૌરાષ્ટના શહેરોમાં ભાવનગરનું નામ એક સંસ્કાર ભૂમિ તરીકે જાણીતું છે. ભાવનગર રાજ્યમાં કલા-સાહિત્ય, શિક્ષણ-વ્યાયામ અને રાજકારણ જેવા ભિન્ન ક્ષેત્રોમા હિંદુ-મુસ્લિમની સહિયારી ભાગીદારીએ અદભુત પ્રદાન કર્યું છે. કાચ ચિત્રોમાં એક સમયે ભાવનગરમાં કાનજીભાઈ મોચી સાથે ઈબ્રાહીમ લાખાણી,નૂરીબહેન અને ઝુબેદાબહેનના નામો જાણીતા હતા. તો સાહિત્યમાં કૃષ્ણલાલ શ્રીધરાણી અને ઝવેરચંદ મેઘાણી સાથે બેફામ, શાહબાઝ, બરકત વિરાણી અને કિસ્મત કુરેશી જેવા નામો પણ લોકજીભે રમતા હતા. શિક્ષણ ક્ષેત્રમાં નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી સાથે વ્યાયામ પ્રવૃતિમાં યુવાનોમાં જાણીતા બહુદ્દીનભાઈ શેખ અને સ્વામીરાવ જેવા નરબંકાઓના નામો ભાવનગરના ઇતિહાસમા અંકિત થયેલા છે. કારણ કે આ સદભાવનાને ભાવનગર રાજ્યના સમજુ અને પ્રજાપ્રિય શાસકોએ નાજુક વેલની જેમ એકતા, એખલાસ અને અમનના જળથી સીંચી હતી. અને એટલે જ ભાવનગરમાં સદભાવનાની સુવાસ આજે પણ સામાન્ય પ્રવાહ જેમ પ્રસરતી રહી છે. આજે પણ ભાવનગરના આંબા ચોકમાં આવેલ નારેશ્વરના મંદિરની સંધ્યાની આરતી અને ત્યાં જ આવેલી જુમ્મા મસ્જિતની મગરીબની અઝાનના સુર સાથે વહે છે. અને સૌ રાહદારીઓ એ આલાપને આજે પણ મનભરીને માણે છે. એ સદભાવનાને ખંડિત કરતો એક પણ બનાવ આજ દિન સુધી ભાવનગરમાં નથી બન્યો.

આવા જ સદવિચારોના પ્રસારમાં ભાવનગરના બે નરબંકાઓ શ્રી સ્વામી રાવ, જેઓ ભારતના સ્વાતંત્ર સંગ્રામના ઇતિહાસમાં પૃથ્વીસિંહ આઝાદ તરીકે જાણીતા છે. અને શ્રી બહાઉદ્દીન શેખ જાણીતા છે. આ બન્ને નામો ભાવનગરના ઇતિહાસમાં "મિયા અને મહાદેવની જોડી" તરીકે પ્રખ્યાત છે. એકવાર આઝાદી પૂર્વેના કાળમાં ભાવનગરમાં કોમી તંગદીલી વ્યાપી હતી. ત્યારે મિયા મહાદેવની આ જોડીએ જાહેરાત કરી હતી કે મિયા બહાઉદ્દીન શેખ મંદિરની રક્ષા કરશે અને મહાદેવ સ્વામી રાવ મસ્જીતની રક્ષા કરશે. એ ઘટનાનો ચિતાર આપતા સ્વામી રાવ લખે છે,
"જ્યારે મંદિર અને મસ્જિત પર હુમલાનો ભય હતો ત્યારે મે નગરજનોને વિશ્વાસથી કહ્યું બંને સ્થાનો પર કઈ જ નહિ થાય. નવજવાનોને મે સદવિચાર અને સદકાર્યો માટે તૈયાર કર્યા. સૌ જાણતા હતા કે મારો અંગત મિત્ર મુસ્લિમ છે. અમારા વચ્ચે અનહદ મહોબ્બત છે. અમે એક જ થાળીમાંથી જમીએ છીએ. અને એટલે જ અમે "મિયા-મહાદેવની જોડી" તરીકે ભાવનગરમાં જાણીતા છીએ.શહેરમાં અમે જાહેર કરી દીધું કે મિયા મંદિરની રક્ષા કરશે. અને મહાદેવ મસ્જીતની રક્ષા કરેશે. મહાદેવના મૃત્યુ પછી જ કોઈ હિદુ મસ્જીતમાં દાખલ થઈ શકશે. અને મિયાના મૃત્યુ પછી જ કોઈ મુસ્લિમ મંદિરને હાની પહોંચાડી શકશે. અને આમ અમે અમારા સાથીઓ સાથે આખા શહેરમાં ફરતા રહ્યા. પરિણામે વાતવરણ શાંત થઈ ગયું. અને મંદિર-મસ્જિત સુરક્ષિત રહ્યા"

ભાવનગરના મહારાજા ભાવસિંહજીના માનીતા ચોકીદાર ફતેહખાન અને તેમના પુત્ર જમાદાર મક્કેખાનથી માંડીને કૃષ્ણકુમારસિંહજીના વાહન ચાલક કાસમ સિપાઈ સાથેનો રાજઘરાનાનો સંબંધ ઊંચ નીચના ભેદભાવોથી પર હતો. જમાદાર મકકેખાનને તો તેઓ ૭ ઓક્ટોબર ૧૯૬૮ના રોજ અવસાન પામ્યા ત્યાં સુધી જીવાઈ રુ. એકસો રાજ્ય તરફથી નિયમિત ચુકવવામાં આવતી હતી. માત્ર મુસ્લિમ કોમ પ્રત્યે જ નહિ, પણ અન્ય લધુમતી સમાજ પ્રત્યે પણ શાસકોનો સદભાવ અદભૂત હતો.ભાવનગરના દીવાન પદેથી વિઠ્ઠલભાઈ રાજીનામું આપી નિવૃત થયા. ત્યારે ડૉ. બરજોરજીને ભાવનગરના દીવાન બનાવવામાં આવ્યા હતા. ભાવનગરની કોમી સદભાવનાની આ પરંપરા આજે પણ યથાવત છે. બાલમંદિરના ભૂલકાઓને પહેલા મુસ્લિમ ઘોડા ગાડીવાળા શાળાએ લઈ જતા આજે મુસ્લિમ રીક્ષાચાલકો એ કાર્ય કરે છે. અને એકપણ વાલીએ કયારે તેમાં શંકા કરી નથી.

આવા ભાવનગરમાં મા.મુખ્યમંત્રીનું સદભાવના ઉપવાસ માટે હાર્દિક સ્વાગત છે.

Wednesday, November 16, 2011

મારો લેખન હિસાબ

Details of Publication Works:



અ. ઇતિહાસ

ગુજરાતી

1. મહેક, લેખક, ૧૯૮૬
2. બેતાલીસમાં સૌરાષ્ટ્ર, પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ, ૧૯૮૯
3. સ્વાતંત્ર સંગ્રામમા અમરેલી, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ, ૧૯૯૧
4. આવિષ્કાર, " ૧૯૯૦
5. ભાવનગર રાજ્ય પ્રજા પરિષદઅને પ્રજાકીય લડતો , ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ ,૧૯૯૧
6. હિન્દોસ્તાન હમારા, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ,
7. ગુજરાતના સ્વાતંત્ર યુગનું આલેખન કરતા આધારભૂત ગ્રંથો, નવભારત સાહિત્ય મંદિર,અમદાવાદ,૧૯૯૫
8. આઝાદીના આશક મેઘાણી, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ, ૧૯૯૬
9. ગુજરાતના નવતર સત્યાગ્રહો, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ, ૧૯૯૯
10. આઝાદીના પગરવ, પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ, ૨૦૦૫
11. ગુજરાતની સ્વાતંત્ર સાધના, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ, ૧૯૯૯/૨૦૦૧
12. સોરાષ્ટ્રની સ્વાતંત્ર સાધના, " ૧૯૯૭
13. સરદાર પટેલ અને ભારતીયમુસ્લિમો, યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ,અમદાવાદ, ૨૦૦૧
14. વિ-ચાર્ય (સંશોધન લેખો), ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ, ૨૦૦૫
15. ભારતના ઈતિહાસની તવારીખ, પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ, ૨૦૦૬
16. સૂફી જાણ તો તેને રે કહીએ , " ૨૦૦૭
17. મુસ્લિમ મહાત્માઓ, પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ, ૨૦૧૦
18. ઇતિહાસ,વિચાર અને સંવેદના, પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ, ૨૦૧૧

ચરિત્રો

19. ગાંધીજી, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ, ૧૯૯૨
20. રવિશંકર મહારાજ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ, ૧૯૯૨
21. આપણા જવાહર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ, ૧૯૯૩
22. અડીખમ સ્વાતંત્ર સૈનિક મોરારજી દેસાઈ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ, ૧૯૯૩
23. ક્રાંતિકારી ભગતસિંહ, કૃતિ ટ્રસ્ટ, વિરમગામ. ૨૦૦૬

અંગ્રેજી
24. Islam and Non Violence, Gyan Publication, New Delhi, 2009


બ. શિક્ષણ

25. પ્રૌઢ શિક્ષણ: સિધ્ધાંત અને વ્યવહાર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ, ૧૯૮૮
26. પ્રૌઢ શિક્ષણ, પરિચય ટ્રસ્ટ, મુંબઈ, ૧૯૯૦
27. પ્રૌઢ શિક્ષણ: યોજના અને સંચાલન, પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ, ૧૯૯૧
28. પ્રૌઢ શિક્ષણ, યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ,અમદાવાદ, ૧૯૯૪

ક. સામાજિક ગ્રંથો અને સંશોધન

29. મુસ્લિમ માનસ, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીસ, દક્ષિણ ગુજ.યુનિ. સુરત, ૨૦૦૩
30. મુસ્લિમ સમાજ: વ્યથા અને વિચાર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૩

અંગ્રેજી

31. Social Engagements of Intellectuals in Civil Society, AWAG, Ahemedabad 2006

ડ. સાહિત્યક ગ્રંથો

32. નોખી માટીના નોખા માનવી, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ , ૧૯૯૫
33. સ્નેહની સરવાણી, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૪
34. સ્મૃતિવંદના, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૮
35. અલખને ઓટલે, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૭

ખ. પ્રવાસ સાહિત્ય

36. દો કદમ હમભી ચલે, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૯૭
37. સફર-એ-સાઉદી અરેબિયા, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૧
38. ગુજરાતમાં પ્રવાસન, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૪
39. યાત્રા, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, ૨૦૧૧
40. પ્રવાસન: સિધ્ધાંત અને વ્યવહાર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રેસમાં

ગ. આધ્યાત્મિક ગ્રંથ

41. પરબ (રત્નકણિકાઓ), ભાવનગરરાજ્ય ગ્રંથોજક સમિતિ, ભાવનગર, ૧૯૮૬
42. શમ્મે ફરોઝા-૧, કુસુમ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯૧
43. શમ્મે ફરોઝા-૨, કુસુમ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯૪
44. કબીર સોઈ પીર હૈ, યજ્ઞ પ્રકાશન, વડોદરા, ૧૯૯૭,૨૦૦૪,૨૦૧૦
45. માનવ ધર્મઇસ્લામ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૯૮
46. મુલ્યનિષ્ઠ મઝહબ ઇસ્લામ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૪
47. રાહે રોશન, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રેસમાં

સંપાદિત ગ્રંથો

48. પશ્ચિમ ભારતના દેશી રાજ્યોમાં શહેરીકરણ અને આધુનિકીકરણ,ભાવનગર યુનિવર્સીટી,ભાવનગર,૨૦૦૩
49. ઇતિહાસમાં પ્રવાસન વિનિયોગ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૪
50. ગાંધીજી : એક રાષ્ટ્રીય સેવક, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, પ્રેસમાં

Friday, November 4, 2011

Rise, Development and Effects of Sufism in Gujarat : Prof. Mehboob Desai

1. Origin of Sufism:

In the foundation of Sufism there is Islam. That universally acknowledged matter is not the point of discussion. Giving explanation of Sufism ‘Encyclopedia Britannica’ says,

"Ṣūfism, also spelled Ṣūfiism, mystical Islamic belief and practice in which Muslims seek to find the truth of divine love and knowledge through direct personal experience of God. It consists of a variety of mystical paths that are designed to ascertain the nature of man and God and to facilitate the experience of the presence of divine love and wisdom in the world."1

This spiritualism of Islam is called ‘Tasawwuf' in Arabic and ‘Sufi’ in Persian. ‘Tasawwuf' means woolen clothe wearer. Meaning of ‘Sufi’ also ‘suf’-it has come down from ‘wool’. Mostly Sufi saints used to put on the basic of it, their school of thought would have begun to be known as Sufism. But it is not proper to identify any school of thought simply through the dress, and to name and interpret it accordingly. About the origin of the word ‘Sufi’ it has been written in the preface of ‘Tazkirtul Auliya’ a Persian book describing the life-incidents of Sufi saints in effective style,

‘Suf’ is a Persian word. In Persian, Hakim (physician) and donors are called philosophers. ‘Phil’ means ‘Muhib’, i: e.one who loves. And suf means donors who love dexterously. In that sense ‘Sufi’ means who loves God with concentration. Similarly, the word ‘Tasawwuf' has been used in Arabic for Sufi. While clarifying its meaning, Allama Ibne Maldum writes,

"‘Tasawwuf’ means to remain concentrated in worship. Relinquishing wealth and worldly pleasures to worship only God with concentration"2

Above interpretations of ‘suf’ and ‘Tasawwuf' brighten spiritual aspects of Sufi. Let all may accept material interpretation of Sufi as one who puts on woolen clothe, but it does not express the real deeds of Sufi saints, Instead of limiting our interpretation of the word ‘Sufi’ upto spiritual terms, it is necessary to reach the origin of Sufi tradition.

While examining the history of Islam, the roots of Sufi tradition would be found buried upto ‘Masjid-E-Nabvi’, the oldest and most well knowen mosque of Islam. The leading prophct of Islam Hazrat Mohamed Saheb(S.A.V.) himself had constructed ‘Masjid-E-Nabavi’ the second mosque of Islam in Madina. He had made a room in one corner of that mosque. It was meant for the people who had no residence-like Aalims and fakirs. Such Aalims and fakirs used to gather there and discussed the prnciple of Islam. Mohamed sahib had given a clear instruction that whenever some food came to the mosque, it should first of all be given to Aalims and fakirs. Such room is called ‘suffah khand’. In Islamic history, only those who sit on it are called ‘Asahabe suffah’, that is, the companions of Mohamed Sahib, sitting under the ceiling of its shadow. About this ‘Suffah Khand’, in Sirte-E-Sarkare-E-Madina has written,

"Several persons who had become Muslim had no shelter from the earlier times. Several other coming from outside and after accepting Islam, stayed over in Madina to learn ‘Ilm-E-Din’. There was no space for their stay. For such fakirs this ‘chabutara’ (a raised high stand for feeding birds was a blessing. The greatest Islamic historian and writer of prophet Mohamed shaheb’s life-style and his great follower Hazrat Hurairah (R.D.) was also one among this ‘Asahab-E- suffah"3

This place of Islamic knowledge-learing is the root of the rise of Sufism in its real sense because in stead of literal meaning of the word sufi’ as a wearer of woollen cloth that word (‘Sufi’) is nearer to the original aim of the place ‘suffah’.

2. Definition of Sufism:

The life and philosophy of Sufi saints are based on three cardinal doctrines-muhabbat or the Love of God, marifa or the knowledge of God and tawhid or the unification of God.
Persian book ‘Tazkirtul Auliya’ the philosophy of life of Sufi saints through
their own life incidents has been tanslated into Gujarati as ‘Muslim Mahatmas’ (Great men). Biographies of 92 sufi saints have tried to give directly or indirectly definitions of Sufism. Giving definition of Sufi Hazart Zannun Misari says,

"Sufi’ is one who keeps unity in one’s act and word. His silence itself is the acquaintance of his state. He remains always free from worldly bondage"

Explaining the meaning of ‘Taswoof’ Hazart Bayzid Bustami says,

"Tasawwuf means sacrifice of happiness and acceptance of sorrow"

Hazarat Mansur Al Hallaj writes,

"They only are Sufis who are free from attachment of life and whose vision is only focused on God"

Hazarat Ibn Ata says,

"Sufism means peaceful co-existence with God"

Sufi saint Abu Amr Najaud says,

"Tasawwuf is to be patient under commandment and prohibition."4

In all these definition spiritual aims of sufi saints are expressed. Sufi saint remains absorbed in God’s love, forgetting themselves, they remain one with God.

‘Sufi believe that he is absent from himself and present of God’s

Giving terminology of God's such lovers Hujiri says,

"The lover is he dead (fani) in his own attributed and living (baqi) in the attributed of his Beloved"

That is, 'Sufi is non-existent for himself but he is a living being for God’s love’
These definitions of Sufi saints and Sufism are enough to express their fundamental
aims.

3. Spread of Sufism in India:

It is believed that advent of Sufism in India took place during the Mughal rule. However, even during the Turk Afghan rule (A.D 1206 to 1526) several Sufi saints had come to India. But during that age, their spread had not become effective. During Mughal period of rule (A.D 1526 to1707) they had got the benefit of liberal religious policy, such as liberal school of thought of Emperor Akbar to respect a number of religious sects, gave free ground to Sufism. Even then orthodox Muslims have not got inclined towards it. Famous saint Mir Abdul Vahid Milgrami had written a Sufi book named ‘Hakki Hind’ in A.D.1566.There after progressive development had taken place in Sufi beliefs, ideas and practices. During the same time school of thought of Sufism ‘Vahad-al-vajud’ spread in India.’Vahad-al-vajud’ means oneness of soul. Against this school of thought, Nakshabandiya school of Sufism gave predominance to ‘vahad-al-Shahad’, that is to the thought of unity of vision. Unity of vision is more important than the unity of life, whose growth is inevitable. To spread this thought in India, Sarehind sheikh Ahmed (A.D 1564 to 1624) played important role. Shaikh Ahmed had written a number of Sufi books among them, ‘Risale Tahliliya’, ’Risala fi Ithat al Nabuvat’ were main. But he is better known among their followers through ‘Muktubat’ written in Persian.

In the 18th century Sufi saint of Dellu Shah Vali Allah tried to achieve reconciliation between both these Sufi school of thought. He translated Quran-e-sherif into Persian the state (political) language of Mughul-India. During the same period Urdu poets like Mirdard also conveyed up to the common people Sufism incorporating it in their poems. Mughal rulers also gave force to the Sufism spreading in to India. Akbar himself was the supporter of chishti sect of Sufism. In the 16th century Kadri sect of Sufism entered in India. His chief exponent was Saiyed Mohamed Gothe. He spread this sect in Sindh and Kashmir. In Kashmir a Sufi saint named sheikh Mohamed Mir had propagated kadariya sect. Sufi saint Abdul Kadir and Moosa propagated this sect in Agra. Sheikh Abdul Kadir was even given estate by Akbar. Seventeenth century Sufi saint sheikh Mir Mohamed had also played noteworthy role in the spread of Sufism.
Besides these saints, saints like Mejan (existed in A.D 1504),Kutban (1449), Jayasi(1521), Usman(1614), Rahim(1521), Noormohamed (1745) also had contributed to the spread of Sufism. Kabir (1518), Dadu Dayal (existed in 1544),Aari saheb(1556) and other Sufi saints are known as independent Sufis. These saints were not connected with any sect of Sufism. Yet giving prominence to God’s love only, they had played important role in spreading communal conciliation.

4. Spread of Sufism in Gujarat:

During the Muslim rule (A.D.1206 to1707) Muslim Sultans of Gujarat had given asylum to Sufi saints. Being with the 18th century of Christ till the arrival of Turks, most of the Sufi and fakirs had settled in Gujarat through Arabia and Iraq by sea or land route through Afghanistan crossing mountains for the spread of Islam.8 A number of Hindus were attracted toward them, being impressed with high character of such saints, worship, simplicity and selfless life. Such saints were putting before the people Mohamed saheb’s principles of socio-economic equality and brotherhood in simple style. As a result a number of lower class Hindus who were vexed with Hindu caste system based on the four classes had turned towards Islam.

4.1 Encouragement through rulers:

Muslim rulers had too much respect for Sufi saints. Due to their generous attitude spread of Sufism had become possible all over India. Mughal Emperor Shah Jahan’s son Dara shikoh (died in A.D 1659) was a famous Sufi saint. It was because for the excess of his Sufi thoughts that he was hanged till death. Akbar had deep faith in chishti sect of the Sufism. Jahangir was born as s result of the blessings of Sufi Saint Salim Chishti (1480-1570).5 Contemporary Shaikh Salim chishti, Saint Abdul Aziz Chishti also was a famous Sufi saint. Akbar’s guardian Behram khan was his greatest worshipper. Following the footsteps of Delhi rulers, Sultans of Gujarat also had respectfully given refuge to Sufi saints. Since the time of Ahemed shah(1411-1442) the first saints and preachers of Sufi sect had started spreading in Gujarat for the expansion of their sect. Sufi saint like shaikh Ahemad khattu Ganjabaksh (A.D 1337 to1445), Saiyad Burhajidin Abu Mohamaed Bukhari ali as kutube Alam (died 1452),Shaikh Mohamud Iraji (died 1458), Saiyad Mohamed shah-e-Alam (A.D.1415 to1477),Saiyad Ahmad Jehan shah(died 1594 to 1595), Shaikh Jamaludin Aliaj Jamma(died 1533) and Allauddin Alta Mohamed(died 1578-79) had settled in Gujarat. They used to receive financial help from sultans. As a result, spread of branches od Sufi sect namely, Chishtiya, Soharvardiya, Shattariya, and Migribiya had become possible in Gujarat. Hazrat khwaja Mouninuddin chisti (12th Century) belonged to chistiya Sufi sect. His sect is there in Ajmer. Yet he carried influence over sultans and people of Gujarat. Ahmad shah, the first was the greatest, devotee of Sufi saint Ahmed khatu Ganjbaksh. Among Muslim rulers of Gujarat Kutub-E-Aalam sahib was respected also highly in Gujarat. His father Nasirudin Muhamed uchha was the son of famous chief of saints Saiyad Jalaluddin Makhdum Jehaniya Bukhari. It is believed that independent power of Gujarat had been achieved by the original man of sultan of Gujarat through blessing of Makhadum Jahaniya sahib. When sultan Ahemad shah once begged for his blessing kutub-E-Aalam had said my grand father (Maldum jahaniya) has already given blessing to your family for the throne of Gujarat Ahmed shah had said,

"That blessing was meant for the family,but you may bless the city of Ahmadabad".

While blessing kutub-E-Aalam had said
"Ahmadabad abdul Aabad" that means by God’s grace, Ahmadabad will always remain prosperous.10 Similarly sultan Mohmad Begda was the devotee of Sufi saint
Shah-E-Aalam. During that age, a book ‘Hikayat-E-Shahi’ expressing his miracles and preaching was very well-known. Imamshah Piranawala, Saiyad Mohamed Jonpuri (Imam mahedi ) and Shiya Abdula Dai-such saints also who had settled permanently in Gujarat and become favorite, had got co-operation of rulers from time to time. Due to this reason, rulers had provided them whatever facilities were possible to settle in Gujarat or to spread their religious sect.11

Thus through respect and encouragement to Muslim Sufi saints by Muslim rulers they (i.e. Muslim rulers) had given some laxity in the spread of Sufi saint. But no religious sect can spread or propagate its sect as long as it does not become acceptable to the common society and does not receive favorable attitude of the rulers.

4.2. Ideal thinking and life of Sufi saints:

By the life practices of Sufi saints who came to Gujarat, not only rulers but common people also were impressed for that ideal life of Sufi saint. While studying life stories of Sufi saints, certain specialties of their life were such that they influenced common society.
For example:

1. Life of Sufi saint was full of simplicity.
2. They owned (i.e. Sufi saints) clean and transparent character.
3. There was no difference between their life and principles.
4. They always used to remain absorbed in warship.
5. They were above social and economic discrimination.
6. They were self-less and benevolent.
7. They used to respect other religions or sect and accept their good principles and thoughts.6

Islam being at base of Sufism mostly Sufi saint used to think and reflect on the commands given in Quran and Hadith. They continuously recite God-Allah’s name and
remained intoxicated in it. Only sometimes they used to neglect matters like commands of Quran-e-sherif, namely ‘Namaz (prayer), Roza (fasting), and Hajja ( holly pilgrimage). However, high level Sufi saint strictly used to obey commands of Islam.
Saints like Hazrat Imam Gazali had played leading role in making Sufism ideal form of Islam. A big contribution of Sufi saints of Gujarat was that by removing so-called strict staunchness of Islam from common society, they had become successful in putting Islam as religion of man before the people. This led the oppressed lower class of Hindu society to put their steps towards Islam. Sufi saints had gladly welcomed the ‘satvik’ (derived from ‘satva’) thoughts also of Hindu religions along with social equality. For spreading their own thoughts, they also made use of philosophy of Hindu religions along with Islam. Thereby, to Indian or Guajarati Hindu society these Sufi saints seemed to belong to them. Like Hindu saints and sages people had started keeping faith and respect towards them also.
Of course, besides thought and ideal life-stories of Sufi saints people were attracted towards them also because of miraculous stories composed around Sufi saints.But over and above miracles, the picture of Sufi saints which stood out in society was the center of attraction for common people. Philosophy such as remembering God-Allah mediums of music, dancing, devotional songs.’kavali’,’Rubais’(metrical stanza of four lines in Arabic Persian or Urdu) ‘Ghazals’etc.had impressed all-like thinkers, writers, poets, lords and nobleman, officers along with common class of Gujarat.

4.3. Intellectuals

Contribution of intellectual class of Gujarat is not small in coveying suffism to the common society. Among such class can be included high officers and thinkers. This class had taken Sufism or Sufi saints at a high place in society by often expressing Sufi school of thought in their thought related exchange or writings. Unpublished writings of such lords and nobleman or thinkers are available duly collected somewhere even today in the form of manuscript in Persian.

"In the history of Gujarat at one time, that is, as long as there was Muslim regine over Gujarat, Persian was prevalent as a state or political language .Government orders were issued in the same language.Government correspondence also was carried out in the same language. Court language also was the same."7

As a result intellectual class of society was doing maximum use of Persian. Government directives or spiritual thoughts were doing thought related exchange in this language only. In so many unpublished but book in written form deep discussion of Sufism can be found. Ahmed Shah sultan (1390-1482) was very learned. He was fond of Sufis and has written"kashidas" in appreciation of Hazrat kutub-E-Aalam. Mansuur Bin Chand Mohamed also was very popular among Sufis Sheikh Abul Kasim was in Ahmadabad till A.D.1446. In hand written book "Risaltul Kabir",there is detailed discussion of training, sea-voyage, debates, miracles, along with Sufism also. Shikh Ahmed had settled in Sarkhej (1336-1445). He was the lion of the field of Sufism. "Tohfa"and "Alkabir" was the importance among his books. Extensive word-pictures about ‘Ishk-e-Ilahi’(love-making with God),and‘Pashtatap’(Repentance),’Niti’(morality)and ‘Gunbuddhi’(quality of intellect) can be found in them. Shikh Rasshidudin was a native of Ahmadabad. He was a profound scholar of Sufism. Shah khubniya chishti(dided A.D.1664) was also a native of Ahmadabad. ’Amvaje khubi’,’khubtarang’,and ‘jame jahanuma’ are his famous compositions. All these books dwell on Sufism. Hazrat pir Mohamedshah (A.D.1688-1749) also was a very learned saint. He has mostly written on Murshido and Muridos’ series in the form of poetry. All his book is mostly full of ‘Tasawwuf' and ‘Nasihats’. Saiyad Jafar was (1614-1674) a scholar of high caliber .He has written a number of books but the most famous among them is ‘Rozate shahiya which has twenty four parts, and twenty parts of it contain biographies of great men whereas other four pants contain ‘Taksir’,’Hadis’ and other matters. Till to date that books is not published. But its manuscript was much prevalent in that age. In the ‘kutubkhana’ located in the shrine of Hazrat pir Mohmedshah specimen of his writings exist even today Saiyed Jalaludin (1594-1649) was awarded the ‘Ilkab-e Maksud-e Alam’. He had learnt Sufism under his father Saiyad Mohamed. He was a good poet. His pen-name was ‘Raza’. Many of his ‘Rubais’ (metrical stanza of four lines in Arabic, Persian or urdu) written in appreciation of Mohamed shaheb had created craze among the people of that age. Original native place of Mohamed Kasim Bin Saiyad Abdual Rehman chishti was Sindh. But he had settled in Ahmadabad. He was a learned man of high caliber. He had close relations with chishti great men and had written a book named ‘Safinatus sadal’14

During the Middle age in Gujarat a number of such Sufi saints and lovers of Sufism were there. They had played noteworthy role in conveying Sufism among the high and middle age of society through their thought and pen. Of course such hand written books are not available today. But during that period when for spread of thoughts mostly handwriting manuscripts only were customary, their books provide powerful medium to spread Sufi thought in society.

4.4. Literary writers:

One more powerful medium of the spread of Sufism was literacy writers. Such writers had managed to give Sufism the place in people’s heart drawing it out of the boundaries of religion. They were leading lovers of realizing God’s love, becoming away from religious discriminations. Sweetness of Sufism which is therein Kabir’s couplets can be enjoyed by only someone who understands them.

चार वेद पंडित पढ़या, हरी सो किया न हेत
माल कबीर ले गया, पंडित ढूंढे खेत

(A learned man studied four Vedas, he did not love God. Goods (stuff) taken away by Kabir learned man searches in field)

लिखना, पढ़ना, चातुरी ये सब बाते सहेल
काम, दहन, मन वश करन, गगन चढ़न मुश्केल8

(Writing, reading, cleverness-all these are very easy, To burn lust, to control mind and to climb the sky-and all these very difficult)
To spread Sufi thought Muslim poets also had done effective compositions. A Sufi poet named Saiyad jalalidin born in A.D.1594 had made a number of compositions in Persian In one of them he writes:

अज कस्बे हुनर मुराद माल अस्त अय दिल
वज इल्मो अमल गरज कमाल अस्त अय दिल
मतलूब ज़े आशकी विसाल अस्त अय दिल
मकसूद ज़े हस्तीअम जमाल अस्त अय दिल

(O heart, to acquire skill means to earn wealth; to acquire knowledge means to reach the climax, but ‘Ashki’ means meeting with God and the aim of our existence means to reach light of God)
In Gujarat Akho(a Gujarati poet) is also well-known for his Sufi composition.

अखा, खुद को मत मारे
मारा "खुदी" मिले खुदा 9

(Akha do’t beat the self if you beat ‘khudi’,God will surely be obtained)

Sufi saint Dadu Dayal, who belonged to the period prior to Akha, had written compositions which were well known among common society in that age. Dadu Dayaal had discussed Sufism with Akbar for forty days. His compositions expressing Sufi thought were enjoyed by the people.

आपा मेटे हरी भजे, तन मन तजे विकार
नीर बैरी सब जिवसो, दादू यहू मत सार

(If you worship God yourself body and mind will give up passion. All life is not enemy. Dadu that view is the essence)

Thus in the spread of Sufi thought and Sufi literature its literary writers have played important role. Sufi philosophy has created such profound effect on these literatures that without it, Persian and its related other languages like ‘Turkey, Urdu, Sindhi, Pasto and Punjabi might lose their attraction.10

4.5. Spread of Religion:

Muslim rulers of Gujarat have given acquaintance of their favorable attitude in the spread of Islam. However, no religion can spread under favorable attitude or force of the rulers and can sustain. It has also written clearly in Quran, the holy book of Islam:
‘La Iqurah fiddin’, that is there should not be any kind of composition in matters of religion. About spread of religion everywhere guidance has been given in Quran-e-sherif.In one of the precepts of Quran it has been said:

‘Don’t enter discussion with those who have got other religious books. And if you do, do it with very sweet words. Then if someone becomes obstinate and does not believe, let him not believe but tell them that we believe in the book God has given us, and we believe in that. Your and our Allah is the one and only. And we bow our head before the same one Allah” 11

Sufi saints have literally carried out the execution of the above fundamental precepts of Quran. Two main principles adopted by Sufi saints in spreading Islam reflect in them:

1. Always present your opinion or thought gently.

2. Keeping the principles of “Tohid” of Islam (principles of monotheism) in the center, accept with pleasure the best stories of Hindu religion.

Such distinct style of the spread of Islam by Sufi saint had made deep effect on the common society. Rumors of miracles created around substantial life of these saints had also caused boundless attraction towards them among the people.

As a result Sufi saints like sheikh Ahmed khattu Ganjbaksh, Kutub-E-Aalam had achieved fine success in spreading Islam. All these saints presented Islam as peace and worship-centered religion in society and people accepted it with pleasure. Moreover, discrimination less equal policy of these saints had also made effect on society. Lower class of society was vexed with castism and discrimination between the high and the low under Hindu religion. Sufi saints had played major role in nursing and realizing their ardent desire to get equal respect and place in society. As a result the success obtained by Sufi saints in the spread of Islam remained more successful than the efforts of the ruler’s authority.

4.6. Rise of new class

On account of the influence of Sufi saints, a number of Hindu castes accepted Islam. . As a result, a new class of native Muslims grew up. Their social form was born out of the co-ordination between Hindu-Muslim cultures. There is no place for caste system in Islam. But in Gujarat classes which accepted Islam came from different castes and occupations. A number of castes came out from them. Customs, Traditions, Life-styles of this new class were quite similar to those of Hindu culture. In place of marriage, they started the custom of ‘Nikah’. But marriage songs recited at marriage now began to be heard at the time of ‘Nikah’. The custom of ‘Mameru’ (presents given by the parents to married daughter), the custom of ‘Paheramani’ (presents given by bride’s father to bridegroom and his relatives) remained the same under ‘Nikah’ ceremony also. Similarly, new surnames like identity of community of Muslims converted from Hindus came into existence. A number of castes like Pathan, Saiyad, Mughal, Baluchi, Makrani, Kureshi, Ghori, Multani, Kazi, Babi, Ghanchi, Molesalam Garasiya, Kasbati, Kumbhar, Khatri, Dhobi, Bhisti, Khoja, Rangrej (dyers), Gidi, etc. came into existence.

Religious and social co-ordination that took place in Gujarat was owing to Sufi saints. Because of Hindu-Muslim co-ordination and because of marriage-Nikah, a new species was born, which is called ‘Bayasar’. For a child born out of the two different species, arrangement was made in Muslim madresas for Islamic training. Yet effect of Hindu religion culture was found e.g. Molesalam Garasiyas were originally Rajput landlords. They accepted Islam. Yet, Hindu traditions and cultural specialties were preserved in their society.12

This class of native Muslims celebrated Hindu festivals also along with Muslim festivals. Along with non-vegetarian food they also used to take their original food. Such Muslim class in Ahmadabad and Saurashtra used to eat ‘Khichadi’ (dish made from mixture of rice and pulse) at night and in Surat in the morning. Ahmed shah, the first, and Sufi saint Sheikh Ahmed Khatta Ganjbaksh both used to eat ‘Khichadi’ at night. 13

4.7. Influence of Rulers:

Sufi Saint also influenced politicians of the country. To prevent political policy from diverting and to lead it on religious path, they have made efforts. There are many such examples in the history of India. Examples of Hemchandracharya and Vidyaranya are well known Sufi Saints had again given shape to the above thought. It is said Ahmed shah, the first, had taken advice of Sufi Saint Ahmed Khattu Ganjbaksh while laying the foundation of Ahmadabad City for settlement. That Sufi Saint asked for the permission of Hazrat Ali Khijar. He replied,

‘The foundation of Ahmadabad City be laid at the hands of four holy saints having the same name ‘Ahmed’ who have never missed Namaz for five times. Obeying this
command, the foundation of Ahmadabad was laid at the hands of Ahmed shah, Sheikh Ahmed Khattu Ganjabaksh, Saint of Patan Kazi Ahmed Juda and Malik Ahmed. Over and above these four saints named Ahmed, twelve ascetic-fakirs had also played important role in setting the city of Ahmadabad. 14

This incident expresses the influence of Sufi Saints on sultans. Sufi saints Ahmed Khattu Ganjbaksh carried deep effect on Ahmed shah, the first. He himself was very spiritual and devoted to religion. He was doing justice, weighing it completely. He had hanged his son-in-law on gallows and kept him in the same condition for the whole day. In such preservation of values, it was the spiritual influence of Sufi Saints of Ahmed shah.

During the period of Ahmed shah, the first, well known Sufi saint of Vatva, Hazrat
Kutub-E-Aalam and Ahmed Butt Ganjbaksh of Sarkeh (A.D. 1338 to 1446) were leading. Before the establishment of Ahmadabad Muzafarshah, the first (A.D. 1407 to 1411) and his son Muhamedshah were disciples of these saints. Rulers of Gujarat following Ahmed shah had also accepted both these saints as their ‘Pir’. They had expressed their desire to keep their tombs in their vicinity. Accordingly, three emperors of Gujarat have slept permanently under their shadows. The greatest Sultan of Gujarat, Mohamed Begda, his son Muzafar shah have slept permanently in the vicinity of these saints.

Leading saint of Gujarat, Kutub-E-Aalam also has left his influence over most of the rulers of Gujarat. The first disciple of Kutub-E-Aalam, Saiyad Usman Sheikh Burhani also was a well known saint. Due to his influence, people used to give him plentiful of gifts. But relinquishing all of them he preferred to live by setting a tent on the bank of river Sabarmati. That place later developed as Usmanpura. His mosque and tomb exist even today in Usmanpura. They had been built by Sultan Mohamed Begda. He had written a number of Sufi books. Among them, ‘Madarij-ul-Maharij’ is famous. In one of his Sufi Ghazals, he has written about state administration.

"State administration is the carpet of fakirs’ compound.
Sorrow is the wealth of fakirs.
Through the cloak of fakirs one gets permanent wealth (knowledge of the self). By harassing fakirs, one suffers from misery.
Their blessing creates love by converting hatred".15

Such preaching and association with Sufi saints had inspired the rulers of Gujarat to cultivate spiritual approach. Because of it, it would not be considered improper that policy, values and justice in administration would have received special predomin

4.8. Communal Harmony:

Communal union had spread among people of Gujarat because of spread of spiritual thought of Sufi saints in Gujarat. The aim of Sufi saints were not merely spread of Islam, but is also meant spread of spiritual values in society. As a result, these saints had
become a bridge in achieving co-ordination between Hindu-Muslim religion and culture. Because of the coming of Sufi saints, sweetness of Arabic and Persian also came down into Gujarati language. Islamic traditions entered Hindu culture. Sweets like ‘Gulab jamun’, ‘Barfi’, ‘Sakkarpara’ mixed in Indian culture. Life style, customs and dress of the new Muslim class remained the same. Influence of Sufi saints over common society had increased. The celebration of Death anniversary of saints began in the form of ‘Ursh’. As a result, such celebration became the platform of emotional unity of both Hindu-Muslim Societies. Under ‘Ursh’ Sufi music and songs and ‘Kavalis’ became the attraction of both the societies. 16
Such goodwill appearing in social contacts, flourished more in religious places of faith. A large number of Hindu Society could be seen offering coconuts or flowers with faith on the shrines and mosques of Sufi saints. Not only in Gujarat but Sufi saint Khwaja Garib Navaz whose Dargah is out of Gujarat attracted a large number of disciples and devotees in Gujarat. He became the center of faith of both Hindu-Muslim societies.
Thus communal goodwill and unity cultivated in religious faith and social, cultural, food, lifestyle and dress among the people of Gujarat was the contribution of Sufi saints.

5. Conclusions:

With the coming of Sufi saints in Gujarat it made Sufism an indivisible part of society. Its wide effect can be seen right from religion to literary fields. among sub-classes of ‘Sufi sect, Kadariya, Nakshbandi, ‘Badvi’, ‘Bektashi’, ‘Maulai’, ‘Rafai’, ‘shaghili’, ‘Sattari’ and ‘Sanoosi’ are included. But in Gujarat Kadariya, Nakshbandhi sects could be found in particular. Today even grand celebrations of ‘Ursh’ take place at the shrines of Sufi saints. Above the discriminations of castes, every society involves in it. They keep vows, offer flowers, and coconuts. Even today mosques of Sufi saints like symbol of Hindu-Muslim unity reminding of their grand past are spread all over Gujarat and they will remain forever.

-------------------------------------------------------------------------------
Footnote:

1. Encyclopedia of Britannica, Vol-6, New Delhi, India, p.85.
2. Attar (Hazrat), Fariduddin, Tazkirtul Aualiya, Bazme Rukhuddin Nakshbandi,Tin Darwaja, Ahmadabad,1990, p.25,26.
3. Hathurani, Ahemad Muhamad, Sirate Sarkare Madina (Gujarat), Vol-1, Noorani Kutabikhana, Chhapi,Dist. Banaskantha,p.559,560.
4. N. Hanif, Biographical Encyclopedia of Sufis, Central Asia & Middle East, Sarup & Sons, New Delhi, 110002, p. vi.
5. N. Hanif, Biographical Encyclopedia of Sufis, South Asia, Sarup & Sons, New Delhi, 110002, p. 346.
6. Pathak, Jagjivan Kalidas, Muslim Mahatamao(Gujarati),Sastu Sahitya Vardhan Kariyakay, Ahmadabad, please see for more details.
7. Zaveri, D.B. Krishalal, Farsi Article written by Gujarati,Gujarat Vernacular Society, Ahmadabad, 1945, p.1.
8. Shah, Vadilal Motilal (Editor), Kabir's Spiritual poems, Sastu Sahitya Vardhan Kariyakay, Ahmadabad, p. 89 to 92.
9. Tripathi, Jagannath Damodardas, Akha Kruty Kavyo(Gujarati), ,Gujarat Vernacular Society, Ahmadabad,1932, p. 155.
10. Bharat Gyankosh, p. 67.
11. Pandit Sundarlal, Hazarat Manmad ane Islam(Gujarati),Navjivan Parkashan, Ahmadabad, 1964, p. 61.
12. Master, Karim Mohamad, Maha Gujaratna Muslimo(Gujarati), M.S.University,
Baroda, 1970, 335, 336.
13. Maulana, Saiyad Abdul Fazal, Gujarat ki Tamaduni Tavarikh (Hindi), Ahmadabad, 185.
14. Jote, Ratanmanirav, Bhimrav, Gujarat no sanskrutik Itihas, Islam Yug(Gujarati),
Gujarat Vidhyasabha, Ahmadabad,1964,683.
15. Jote, Ratanmanirav, Bhimrav, Gujarat no sanskrutik Itihas, Islam Yug(Gujarati), p.683,
16. Bharat Gyankosh, p. 101.

Wednesday, October 19, 2011

સરદાર પટેલને મળેલ માનપત્ર : ડૉ. મહેબૂબ દેસાઈ


શ્રીયુત વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ

બારડોલીના વીર સરદાર,

સ્વાતંત્રતા પ્રાપ્ત કરવા માટે અત્યાર સુધીમા હિન્દુસ્તાને જે લડતો ચલાવી તે સર્વમાં બારડોલીની લડત સૌથી વધારે અપૂર્વ અને યશસ્વી થઈ શકી છે. તે આપના કુનેહ ભર્યા દ્રઢ અને પ્રમાણિક નૈતૃત્વને આભારી છે. અને તેથી સારા હિન્દુસ્તાનમા આપે જે નામના મેળવી છે તેના માટે અમો આપને અભિનન્દન આપીએ છીએ.
મહાત્મા ગાંધીના સત્યાગ્રહના સિધ્ધાંતને હિન્દોસ્તાનની હાલની પરિસ્થિતિમા અમલમાં મુકવો એ અશક્ય છે એવું માનનાર હિન્દી નેતાઓ, અને, એ સિધ્ધાંત તોફાની અને દેશને નુકશાન કર્તા છે તેવું માનનાર અન્ય હિંદીઓને તથા સરકારને આપે બતાવી આપ્યું છે કે તે સિધ્ધાંત અશક્ય, તોફાની કે નુકસાનકારક નથી. ઉલટું એક શસ્ત્રહીન પ્રજાનું અમોધ સાધન છે.
બારડોલીની પ્રજામાં આપે નવા પ્રાણ રેડી "મરવું , પણ મારવું નહિ" એ સુત્ર સમજાવી, સાર્વભૌમ બ્રિટીશ સરકાર જેવી મહાસત્તા સામે બહાદુરીભરી લડત ચલાવી,સરકારને નમાવી, સેંકડો વર્ષથી કચડાઈ રહેલી એ ખેડૂત પ્રજાને ન્યાય અપાવ્યો છે. તેનાથી આપનું નામ હિન્દોસ્તાનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
આપની જાહેર સેવાના ગુણગાન જેટલા ગાઈએ તેટલા ઓછા છે. નાગપુર, બોરસદ ખાતેની સત્યાગ્રહની જાણીતી ચળવળ આપે દીપાવી ત્યારથી જ હિન્દુસ્તાને આપની સમર્થ શક્તિનો અનુભવ કર્યો. ત્યાર પછી અમદાવાદ મ્યુનીસીપાલીટીમા સતત પરિશ્રમ કરી તેના વહીવટને અનુપમ બનાવી આપની શક્તિનો વધુ પરિચય કરાવ્યો. અને ગઈ સાલની ભયંકર અને આફત કારક અતિવૃષ્ટિથી નિરાધાર બનેલી ગુજરાતી પ્રજાની જે સેવા આપે બજાવી છે તેને માટે આખું ગુજરાત આપનું સદાનું ઋણી રહશે. પણ આ બધી સેવાઓને ટપી જાય તેવી બારડોલીની લડતથી આપે સમગ્ર હિન્દુસ્તાનમા આપનું નામ અમર કર્યું છે.
આપ એક એવા ગુજરાતી છો, અને અમદાવાદના નાગરિક છો : અને દેશને ખાતર ફકીરી લઈ સેવા વૃતિ સ્વીકારી, દેશની ભીડના પ્રસંગે આપ આત્મભોગ આપી પ્રજા પક્ષે ઉભા રહો છો, તેથી અમો અભિમાન પૂર્વક માનપત્ર આપવા પ્રેરાયા છીએ.
અન્તમાં પરમ કૃપાળુ પરમેશ્વર આપને દીર્ઘાયુ બક્ષે, અને આપના નેતૃત્વ નીચે સમસ્ત હિન્દુસ્તાન અનેક મુશ્કેલીઓ વટાવી પોતાના જન્મસિદ્ધ એવા સ્વરાજ્ય હક્કને પ્રાપ્ત કરે એવી અમો પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ.


અમો છીએ
આપના ગુણાનુરાગી
ભગુભાઈ કેશવલાલ (પ્રમુખ )
અને સભ્યો

ધી અમદાવાદ કેસ્ટર સીડ્ઝ મરચન્ટ એસોસિએશન

ઈ.સ. ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ પછી તુરત બારડોલીના કડવા પાટીદાર શ્રી ભગુભાઈ કેશવલાલ પટેલ દ્વારા અમદાવાદની ઢાંકવા ચોકી પાસે આવેલા શાંતિવિજય પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલ આ માનપત્ર ઘણી ઐતિહાસિક બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે.

૧. ઉપરોક્ત માનપત્રમાંથી ફલિત થાય છ કે ૧૯૨૦-૨૧ના અસહકાર આંદોલન પછી ગાંધીજીના સત્યાગ્રહના વિચારોને અંગ્રેજ શાસકો સાથે કેટલાક ભારતીય નેતાઓ પણ "અશક્ય, તોફાની કે નુકસાનકારક" માનવા લાગ્યા હતા. અને તેના પરિણામે જ સ્વરાજ્ય પક્ષની સ્થાપન થઈ હતી. જેના મુખ્ય નેતા ચિતરંજન દાસ, વિઠ્ઠલભાઈ પટેલ અને મોતીલાલ નહેરુ હતા. એ દ્રષ્ટિએ બારડોલી સત્યાગ્રહે ગાંધીજીના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના વિચારોને પુનઃપ્રજા અને નેતાઓનો વિશ્વાસ બક્ષ્યો હતો. જેના કારણે જ ગાંધીજી ઈ.સ. ૧૯૩૦ની સવિનય કાનુન ભંગની લડત માટે પ્રજા અને નેતાઓનો સહકાર પામી શકાયા હતા. પણ એ સત્ય પણ ઇતિહાસમાં નોંધાયેલું છે કે બારડોલી સત્યાગ્રહ વખતે એક પણ વાર ગાંધીજીએ બારડોલીની મુલાકાત લીધી ન હતી. કારણ કે ગાંધીજીના વિચારો પ્રત્યેની પ્રજા અને નેતાઓની વિશ્વનિયતાને પુનઃ સ્થાપિત કરવામા સરદાર પટેલે પોતાની સમગ્ર શક્તિ અને રાજકીય વ્યક્તિત્વ દાવ પર લગાવ્યું હતું. જો તેઓ તેમાં સફળ થાય તો તે ગાંધીજીના સિદ્ધાંતોની જીત બની રહે. અન્યથા સરદારની નેતાગીરીની ક્ષતિ બની રહે. આવા ઉમદા આદર્શો સાથે આરંભાયેલ બારડોલી સત્યાગ્રહ સરદાર અને ગાંધી બંને માટે સફળ પુરવાર થયો હતો.

૨. આ જ માનપત્રમાં સરદારના બીજા અનેક સેવાકીય કાર્યોનો ઉલ્લેખ જોવા મળે છે. જેમકે સરદાર પટેલે અમદાવાદના નાગરિક તરીકે અમદાવાદ નગરપાલિકાની જે સેવા કરી હતી, તેનો અત્રે ઉલ્લેખ જોવા મળે છે. ઇસ. ૧૯૧૭મા તેઓ અમદાવાદ નગપાલિકાની કોર્પોરેટરની ચુંટણી લડ્યા હતા. અને તે જીત્યા પણ હતા. એ પછી ઈ.સ. ૧૯૨૪ થી ૧૯૨૮ દરમિયાન તેમણે અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ કાર્ય કર્યું હતું. અમદાવાદ નગરપાલિકાના કોર્પોરેટર અને પ્રમુખ તરીકેની સરદાર પટેલની ભૂમિકા આજે પણ બહુ ઉજાગર થઈ નથી.

૩. આ ઉપરાંત ૧૯૨૬-૨૭મા સમગ્ર ગુજરાત અતિવૃષ્ટિના સકંજામાં સપડાયું હતું. ત્યારે પણ સરદારે ગુજરાતની અદભૂત સેવા કરી સમગ્ર ગુજરાતને તે મહામારીમાંથી બહાર આણવામા ભારે જહેમત લીધી હતી.

ટૂંકમાં સરદાર પટેલનું આ માનપત્ર સમાજ અને ઇતિહાસના આયના સમાન છે. જે એ યુગના સાચા ચિત્રને આપણી પાસે સાકાર કરે છે.


******************************************************************************

Wednesday, October 12, 2011

વકફ : દાનનો ઇસ્લામી તરીકો : ડૉ.મહેબૂબ દેસાઈ

શિમલામાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડી અર્થાત ભારતીય ઉચ્ચ અધ્યયન સંસ્થાનના પુસ્તકાલયમાંથી આજે એક વિશિષ્ટ ગ્રંથ મળી આવ્યો. કે.પી.શર્માએ લખેલ "મુસ્લિમ વિધિ" નામક આ ગ્રંથમાં ઇસ્લામિક વિધિઓ સાથે વકફ અંગે એક લાંબુ પ્રકરણ છે. આજે ભારતના મોટાભાગના રાજ્યોમાં મુસ્લિમ વકફ બોર્ડની રચના કરવામા આવેલ છે. છતાં આમ મુસ્લિમોમાં તે અંગે સ્પષ્ટ સમજનો અભાવ જોવા મળે છે.
"વકફ" શબ્દની ઉત્પતિ આમ તો ઇસ્લામના ઉદય પછી થઈ છે. વક્ફનો શાબ્દિક અર્થ થાય છે
નિષેધ, રોકવું કે બાંધવું. વકફ સંપતિને એ રીતે રોકે છે, બાંધે છે કે તેની માલિકી માત્ર ખુદાની થઈ જાય છે. એ પછી તે મિલકતની આવક માત્ર પવિત્ર, ધાર્મિક અને સેવાકીય કાર્યો માટે જ વાપરી શકાય છે. જો કે કુરાને શરીફમાં વકફ અંગે કોઈ સીધો ઉલ્લેખ નથી. પણ કુરાને શરીફની કેટલીક આયાતો જે દાન અને ખૈરાત સબંધિત છે તે વક્ફના વિચારના મૂળમાં છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"તેની સંપતિમાં ભિખારીઓ અને જાતી બહિષ્કૃત લોકોનો ઉચિત ભાગ છે"
"તમે સદકાર્યોનું સુખ ત્યાં સુધી નહી મેળવી શકો જ્યાં સુધી તમે જેને ચાહો છો તેને દાન નહી આપો અને તમે જે કઈ આપો છો તેની સચ્ચાઈ ખુદા બખૂબી જાણે છે."
વકફ અંગે એક કથા ઇસ્લામિક ઇતિહાસમાં જાણીતી છે. એકવાર હઝરત ઉમરને ખૈબર (કાબુલ)મા અત્યંત કીમતી જમીનો પ્રાપ્ત થઈ. તેના ઉપયોગ અંગે મશવરો કરવા તેઓ હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) પાસે આવ્યા. અને પૂછ્યું,
"હુઝુર, આ જમીનોનું શું કરીશું ?"
મહંમદ સાહેબે ફરમાવ્યું,
"એ સંપતિને સ્થિર કરી દો અને તેની આવકને સેવાકીય કાર્યમાં ખર્ચો"
હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)નું આ નાનકડું વાક્ય વકફના વિચારના મૂળમાં છે. હઝરત ઉમરે મહંમદ સાહેબના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. તે જમીન ન તો તેમણે વેચી, ન દાનમાં આપી, ન તેની કોઈ વસિયત કરી, ન તેનો કોઈ ઉતરાધિકારી રાખ્યો. માત્ર તે જમીન ખુદાના નામે રાખવામા આવી.અને તેની આવકમાંથી નિયમિત જરૂરતમંદોને મદદ કરવામા આવતી. તેમાંથી ગુલામો મુક્ત કરવામા આવતા. યાત્રીઓના આવાસ અને ભોજન માટે ખર્ચ કરવમાં આવતો અને અતિથીઓના સત્કાર માટે પણ તેમાંથી ખર્ચ કરવામાં આવતો.
એ અર્થમાં મુસ્લિમ વકફ વિધિ અધિનિયમ ૧૯૧૩ની ધારા ૨ મુજબ "વકફ"ની સરલ વ્યાખ્યા આપતા કહી શક્ય કે,
"ઇસ્લામમાં ઈમાન રાખનાર કોઈ પણ વ્યક્તિ દ્વારા મુસ્લિમ વિધિ અંતર્ગત માન્ય ધાર્મિક, પવિત્ર અને દાનના ઉદેશ્ માટે પોતાની સંપતિનું સ્થાહી ધોરણે ખુદાના નામે સમર્પણ કરવું." આ વ્યાખ્યાને સ્પષ્ટ કરતા કહી શકાય કે વકફ માટે નીચેની બાબતો આવશ્યક છે.
૧. કોઈ પણ સંપતિનું સ્થાહી સમર્પણ
૨. સંપતિનું સ્વામિત્વ ખુદાના નામે રાખવું.
૩. સંપતિને વકફ કરનાર પુક્ત અને સક્ષમ હોવો જોઈએ
૪. તે વકફ કરનાર સંપતનો કાયદેસરનો વારસદાર હોવો જોઈએ.
૫. વકફ થયેલ સંપતિનું શરતી સ્થળાંતર ન થઈ શકે.
૬. એકવાર વકફ થયેલી સંપતિ પુનઃ પ્રાપ્ત થતી નથી.
૭. વકફ થયેલ સંપતિ હસ્તાંતરિત ન થઈ શકે.
ઇસ્લામમાં વકફ ધર્મ અને સમાજની ઉન્નતી માટે કરવામા આવે છે. આવા ઉદેશ માટે "ધાર્મિક, પવિત્ર અને ખૈરાત" શબ્દો પ્રયોજાયા છે. અલબત વકફ શરિયતના આદેશ મુજબ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. વક્ફના કેટલાક નોંધપાત્ર ઉદેશો નીચે મુજબ આપી શકાય.
૧. મસ્જિત તથા ઉપાસના અર્થાત નમાઝના સ્થાન માટે.
૨. સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે.
૩. જલસેતુ કે પુલ માટે.
૪. ગરીબોને ભિક્ષા કે મક્કાની હજયાત્રા કરવવા સહાય કરવા માટે.
૫. મોહરમના મહિનામાં તાજિયા રાખવા માટે.
૬. મહોરમ માસમાં ઉંટો અને ઘોડા ઉપલબ્ધ કરાવવા માટે.
૭. ઈમામવાડાની મરામત કરવા માટે.
૮. પીર અને સંતોની મૃત્યુતીથી અર્થાત ઉર્ષની ઉજવણી કરવા માટે.
૯. મસ્જિતમા રોશની કરવા માટે.
૧૦. કુરાને શરીફના અધ્યયન માટે.
૧૧. મક્કામા હજયાત્રીઓને વિનામુલ્યે રહેવા માટે મકાન બનાવવા માટે.
૧૨. ફકરો અને ગરીબોને દાન આપવા માટે .
૧૩. દરગાહ કે પીરની કબર માટે.
એકવાર સંપતિ કે મિલકતને વકફ કર્યા પછી તેના માલિકનો તેના પાર કોઈ અધિકાર રહેતો નથી. વકફ સંપતિના વહીવટ માટે મુતવલ્લીની નિયુક્તિ કરવામા આવે છે. મુતવલ્લીના કાર્યોના નિરીક્ષણ અને નિયંત્રણ માટે કાયદામાં કેટલીક જોગવાઈઓ આપવામાં આવી છે. આમ વકફ થયેલ સંપતિનું સંચાલન મુતવલ્લી અને તેના કાયદાઓ દ્વારા થાય છે.
આજે ભારતમાં અનેક વકફ બોર્ડ અસ્તિત્વમાં છે. પણ તેમાં મહદઅંશે કટ્ટરપંથી, અંધવિશ્વાસુ અને અશિક્ષિત મુસ્લિમો હોવાને કારણે વક્ફના નાણા મીઠાઈ વિતરણ, રોશની અને સુશોભન જેવી તુચ્છ બાબતોમાં ખર્ચાય છે. પરિણામે મુસ્લિમ સમાજનો આર્થિક, સામાજિક કે શૈક્ષણિક વિકાસ થતો નથી. વક્ફના નાણા શાળા-કોલેજના સંચાલન, વિદ્યાર્થી છાત્રાલયો અને એવા જ સમાજપયોગી કાર્યો પાછળ જયારે ખર્ચતા થશે ત્યારે મુસ્લિમ સમાજના વિકાસ અર્થે અન્ય દિશામાં ચાતક નજરે જોવું નહિ પડે-આમીન.

Saturday, October 8, 2011

અંકુર સિંચ્યાનું સંભારણું :ડૉ. મહેબૂબ દેસાઈ*

એ સમય હતો ૧૯૭૪નો. હું તાજો બી.એ. થયો હતો. એ યુગમાં મને લેખકો અને કવિનું અદભૂત આકર્ષણ હતું. પણ તેમને મળવાનો કે તેમની સાથે વાત કરવાનો કયારેય મોકો મળ્યો ન હતો. એ દિવસોમાં નાટકના માધ્યમ દ્વારા હું અને જાણીતા કવિ શ્રી. નાથાલાલ દવેનો પુત્ર અરવિંદ અનાયાસે મિત્રો બની ગયા. મિત્રતા કેળવાયા પછી ખબર પડી કે તે કવિશ્રી નાથાલાલ દવે નો પુત્ર છે. પછી તો નાટકના રિહર્સલ માટે અરવિંદને ત્યાં અવારનવાર જતો. ત્યારે સફેદકફની લેંઘો અને પગમાં ગાંધી ચપલ સાથે બગીચામા વિચાર મગ્ન અવસ્થામાં ટહેલતા અરવિંદના પિતાજીને હું જોતો. ત્યારે મનમાં કુતુહલ જાગતું કે આટલી ચિંતન અવસ્થમાં બગીચામાં ફરતા ફરતા તેઓ શું વિચારતા હશે ? અંતે એક દિવસ હિમ્મત કરી મેં અરવિંદને પૂછ્યું,
"બાપુજી, બગીચામાં ટહેલતા ટહેલતા રોજ શું વિચારે છે ?"
"બાપુજી, બગીચામાં ફરતા ફરતા કવિતા રચે છે"
પછી તો અરવિંદ સાથે ખાસ્સી બે વર્ષ ઘનિષ્ટ મૈત્રી રહી. એ દરમિયાન એકવાર મુ. નાથાલાલભાઈ સાથે વાત કરવાની તક સાંપડી. એટલે મેં મારા મનની દ્વિધાને વ્યક્ત કરતા તેમને પૂછ્યું,
"આપ આટલા સુંદર કાવ્યોનું સર્જન કેવી રીતે કરી શકો છો ?"
ચહેરા પર બાળક જેવું સહજ સ્મિત પાથરતા તેઓ બોલ્યા,
"હું કાવ્યોનું સર્જન નથી કરતો, થઈ જાય છે."
જો કે એ સમયે તેમના એ જવાબમાં મારી શ્રધ્ધા ઝાઝી કેળવાઈ ન હતી. પણ છતાં આટલા મોટા કવિ સાથે દલીલ કેમ કરાય ? એમ માની હું તેમની વાત મૌન બની સાંભળી રહ્યો. એ પછી પાંચેક વર્ષ પસાર થઈ ગયા. ઈ.સ ૧૯૭૮માં ભાવનગરની શ્રીમતી ગાંધી મહિલા કોલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે જોડ્યો. એ દરમિયાન જ મેં થોડું લખવાનું પણ શરુ કર્યું હતું. જનસત્તા ગ્રુપના રંગતરંગ અને ચાંદનીએ વખતે ખાસ્સા લોકપ્રિય હતા. રંગતરંગના સંપાદક શ્રી રતિલાલ જોગી હતા. જ્યારે ચાંદનીના સંપાદક શ્રી. વિષ્ણુભાઈ પંડ્યા હતા. રંગતરંગમાં હું જીવનચરિત્રો લખતો અને ચાંદનીમાં મારી પત્ની સાબેરાના નામે લઘુકથાઓ લખતો. અલબત્ત આ રહસ્ય આજે પણ વિષ્ણુભાઈ જાણતા નથી. આજે પ્રથમવાર તે જાહેરમાં વ્યક્ત કરું છું. પણ એ સમયે મને કયારેય લખવા માટે માહોલ, મૂડ કે સામગ્રીની ગુણવત્તાની મહત્તા સમજાય ન હતી. હું તો એમ જ માનતો હતો કે લેખન એક એવી ક્રિયા છે કે જે તમે ધારો ત્યારે કરી શકો છો. અલબત્ત મારી એ માન્યતને એક વધુ ઘટનાએ ઠેસ પહોંચાડી.

ગાંધી મહિલા કોલેજના એક કાર્યક્રમમાં ભાગ લેવા મા.ઉમાશંકરભાઈ જોશી ભાવનગર આવ્યા.કોલેજના આચાર્ય શ્રી જયેન્દ્રભાઈ ત્રિવેદીએ મને તેમને મુકુન્દભાઈ પારાશર્યને ત્યાં પહોંચાડવાનું કાર્ય સોંપાયું. મને બરાબર યાદ છે એ દિવસોમાં મારી પાસે ગુજરાત સરકારના સાહસ દ્વારા તૈયાર થયેલું ગીરનાર સ્કુટર હતું. એ દિવસે મારા ગીરનાર સ્કુટરની પાછળની સીટ પાવન બની ગઈ. મા.ઉમાશંકરભાઈ મારા
સ્કુટરની પાછળની સીટ પર બેઠા. મેં સ્કુટર હંકાર્યું. લગભગ પાંચ સાત મિનિટના એ સાનિધ્યમાં મેં ઉમાશંકરભાઈને મારો જુનો અને મને સતત મુંઝવતો પ્રશ્ન પૂછ્યો,
"આપ આટલા સુંદર કાવ્યો કેવી રીતે સર્જો છો ?"
મારા સ્કુટરની પાછળની સીટ પર મારો ખભો પકડીને બેઠેલા ઉમાશંકરભાઈ બોલ્યા,
"મહેબૂબભાઈ, લેખન એ કલા છે. એ ઈશ્વરદત્ત છે. ઈશ્વર લખાવે છે ત્યારે જ હું લખું છું"
તેમનો એ જવાબ મારા હદયમાં ઉતરી ગયો. પણ તે સમજવા જેટલી સમજ કદાચ હજુ મેં કેળવી ન હતી.
મારા લેખન કાર્યને હવે દસેક વર્ષ થવા આવ્યા હતા. પણ સર્જનાત્મક લેખન અંગેનો મારો અનુભવ અલ્પ હતો. એવામાં ગુજરાતમાં એક નવું દૈનિક ગુજરાત ટુડે શરુ થયું.તેના તંત્રી શ્રી અઝીઝ ટંકારવીએ મને એક કોલમ લખવા આપી."નોખી માટીના નોખા માનવી" એ કોલમમાં જીવનના માર્ગ પર મળેલા વિશિષ્ટ જીવંત પાત્રો વિશે મેં લખવાનું શરુ કર્યું. ત્યારે મને અનેકવાર કલમ ન ચાલવાના કપરા અનુભવો થયા. કલાકો સુધી કલમ પકડીને બેસી રહું, છતાં તેમાંથી એક પણ શબ્દ ન અવતરે, એક પણ વિચાર કલમબદ્ધ ન થાય. જ્યારે કયારેક તેનાથી બિલકુલ વિપરીત પણ બનતું. કશું જ આયોજન ન હોય અને હું અનાયસે જ એકાદ ક્લાક્મા મારા આસપાસના પાત્રને કલમ દ્વારા હુબહુ સાકાર કરી દેતો. આવી ઘટનાઓ એ મને લેખન કલા એ ઈશ્વર-ખુદાની દેન છે એમ માનવા પ્રેરયો. એ કોલમ"નોખી માટીના નોખા માનવી" બેએક વર્ષ ચાલી. પછી તે જ નામે તેનું પુસ્તક પણ થયું. પણ એ અનુભવે મને લેખક તરીકે ધડવામા મહત્વનો ભાગ ભજવ્યો.
આજે લેખન કાર્યના ત્રીસેક વર્ષના અનુભવના અંતે મેં અનુભવ્યું છે કે લેખનમાં માહોલ, મૂડ અને સામગ્રી અવશ્ય મહત્વના છે. જેમ કે મારા પરમ મિત્ર કવિશ્રી વિનોદ જોશી અને હું એક જ વિશ્વ વિદ્યાલયમાં કાર્ય કરતા હોય અવારનવાર મળવાનું, નિરાંતે વાતો કરવાનું બને છે. એકવાર મેં અમસ્તા જ તેમણે પૂછ્યું,
"કેવા કાગળ અને કેવી કલમ દ્વારા તમને લખવાનું ગમે ?"
જરા આછું સ્મિત કરતા તેઓ બોલ્યા,
"ઉત્તમ કાગળ અને ઉમદા પેન હોઈ તો જ લખવાનું ગમે"
જો કે તેમની એ વાત સાથે હું સંપૂર્ણ સહમત નથી. પણ એ વાત મક્કમ પણે સ્વીકારું છું કે માહોલ, મૂડ અને ઉત્તમ સામગ્રી હોઈ તો પણ કયારેક કલમ નથી ચાલતી. મારા જીવનમાં તેના અનેક દ્રષ્ટાંતો પડ્યા છે. એટલે ઉત્તમ માહોલ,મૂડ અને સામગ્રી સાથે અત્યંત જરૂરી છે પ્રેરણા, બળ કે અંદરનો ધક્કો. એવી અનેક ઘટનાઓ મારા જીવનમાં બની છે જ્યારે મેં મારી કારની પાછળની સીટ પર, રેલવેના ડબ્બામાં કે એરની ફલાઈટમા એક જ બેઠકે મારો લેખ પૂર્ણ કર્યો હોય.એવા સમયે ત્યા ન તો કોઈ ઉત્તમ સગવડતા હોય છે, ન માહોલ. છતાં અંદરનો ધક્કો, પ્રેરણા કે બળ જ સર્જન માટે કારણભૂત બને છે. અને એટલે જ આજે ત્રીસેક વર્ષોના લેખન અનુભવ પછી પણ કયારેક મારી કલમ અટકી જાય છે. શબ્દો જડતા નથી. શૂન્ય અવકાશથી મન ભરાય જાય છે ત્યારે મારા ગીરનાર સ્કુટરની પાછળની સીટ પરથી મા.ઉમાશંકરભાઈ જોશીએ ઉચ્ચારેલ શબ્દો મારા કાનોમાં પડધો બની અથડાવા લાગે છે
"મહેબૂબભાઈ, લેખન એ કલા છે. એ ઈશ્વરદત છે. ઈશ્વર લખાવે છે ત્યારે જ હું લખું છું"
------------
* શ્રી કૌશિક મહેતા(તંત્રી,ફૂલછાબ)ના પુસ્તક માટે તા.૮ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ શિમલામાં લખાયેલ લેખ

Sunday, October 2, 2011

દારા શિકોહ રચિત મજ્મ ઉલ બહરૈન : ડો. મહેબૂબ દેસાઈ

છેલ્લા બે સપ્તાહથી સિમલાની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીમા છું. જેમ સિમલા કુદરતી સોંદર્યનું સ્વર્ગ છે, બરાબર એમ જ ત્યાની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડી સંશોધકો માટે સ્વર્ગ સમાન છે. અહીની વિશાળ અને સમૃદ્ધ લાઇબ્રેરી જોવા, જાણવા અને માણવા જેવી છે. વાઇસરોય હાઉસના વિશાળ અને ભવ્ય મકાનમાં આવેલા તેના ગ્રંથાલયમાંથી મને સૂફી સંત દારા શિકોહે લખેલ મહાન ગ્રંથ "મજ્મ ઉલ બહરૈન" અર્થાત "સમુદ્ર સંગમહ"નો જગન્નાથ પાઠકે સંસ્કૃત અને હિંન્દીમાં કરેલો અનુવાદ મળી આવ્યો. મૂળ આ ગ્રંથ દારા શિકોહે ફારસીમાં લગભગ ઈ.સ. ૧૬૫૦ થી ૧૬૫૬ દરમિયાન લખ્યો હતો. ઇસ્લામ અને હિંદુ ધર્મના મૂળભૂત તત્વજ્ઞાનનું આટલું તુલનાત્મક અધ્યયન અને સંસોધન આ પહેલા કોઈએ કર્યું નથી. આ ગ્રંથ અંગે ડૉ. કાનૂનગો લખે છે,
"દારા શિકોહ દ્વારા ઇસ્લામ અને હિંદુ ધર્મના અધ્યયનનું આ મીઠું ફળ છે. દારા શિકોહ જેવો શાહજાદો વિશુદ્ધ શાસ્ત્રીય શૈલીમાં બંને ધર્મોની સુંદર છણાવટ કરે છે. ગ્રંથનો આરંભ ઈશ્વર-ખુદાની સ્તુતિથી થાય છે. એ પછી મહંમદ સાહેબ (સ.અ.વ.) અને તેમના પરિવાર માટે કલ્યાણ અને શાંતિની પ્રાર્થના કરવામા આવેલ છે. એ પછી દારા શિકોહ કહે છે,
' હિંદુ અને ઇસ્લામ ધર્મના સંતો મૌલવીઓના સતત સંપર્ક અને ગોષ્ઠીના અંતે હું એટલું જાણી શક્યો છું કે બંને ધર્મમાં માત્ર એક શબ્દનો જ ભેદ (એખ્લાફેલબ્ઝી) છે."
અર્થાત હિંદુ ધર્મ જેને ઈશ્વર કહે છે ઇસ્લામ તેને ખુદા કહે છે. એ સિવાય બંનેના તત્વજ્ઞાનમા કોઈ જ ભેદ નથી.
મોગલ શાસક અકબર પછી દારા શિકોહ એ જ હિંદુ મુસ્લિમ વચ્ચે ધાર્મિક એકતા સ્થાપિત કરવા સધન પ્રયાસો કર્યા હતા. પણ તેની વિચારધારા અકબરથી ભિન્ન હતી. અકબરે દીનેઈલાહી ધર્મની સ્થાપના દ્વારા કોમી એખલાસ સ્થાપવા પ્રયાસ કર્યો હતો. જ્યારે દારા શીકોહનું માનવું હતી કે ,
"કોઈ પણ નવીન ધર્મનો વિકાસ કરવો નિરર્થક છે. કારણ કે તે હિંદુ અને મુસ્લિમ બંને માટે અસ્પષ્ટ અને અસ્વીકાર્ય બનશે. પણ બંનેના તુલનાત્મક અધ્યયન દ્વારા અવશ્ય પ્રેમ અને એખલાસ સ્થાપી
શકાશે"
અને એ જ હેતુને સાકાર કરતો ગ્રંથ "મજ્મ ઉલ બહરૈન" તેણે લખ્યો. સૂફીઓના કદારીયા સીલસીલાના અનુયાયી દારા શિકોહના આ ગ્રંથમાં સૃષ્ટિવાદના એ મૂળભૂત સિધ્ધાંતોનું સંકલન કરવામાં આવ્યું છે જેમાં હિંદુ અને ઇસ્લામ ધર્મમાં સમાનતા દ્રષ્ટિ ગોચર થાય છે. તેણે તેની ભૂમિકામાં લખું છે,
"બંને જાતિઓના ચુનીંદા લોકો માટે તેણે આ પુસ્તક લખ્યું છે. જેઓ ધર્મને આત્માની શુદ્ધિનું માધ્યમ માને છે"
ગ્રંથના આરંભમાં આપવામાં આવેલી રૂબાઈ દારા શિકોહની આધ્યાત્મિક ઊંચાઈને અભિવ્યક્ત કરે છે.
"એ જ પડોશી, સહયાત્રી અને સાથી બધું જ છે. ભીખારીઓની ગોદડી અને રાજાના ભવ્ય પરિધાનમાં પણ એ જ છે. ઊંચ અને રહસ્યમય વિચારોના ગર્ભમાં પણ એ જ છે અને ઈશ્વરના શપથ અને ખુદાની સૌગંદમા પણ એ જ છે."

આ ગ્રંથમાં કુલ ૨૧ તાત્વિક બાબતો વિશે દારા શિકોહે વિસ્તૃત ચર્ચા કરેલ છે.જેમાં ૧. તત્વોની વ્યાખ્યા ૨. ઇન્દ્રિયોનું નિરૂપણ ૩. ધ્યાનનું નિરૂપણ ૪. પરમેશ્વરના ગુણગાન ૫. રૂહ-આત્માનું નિરૂપણ
૬. પ્રાનાદીની નિરૂપણ ૭. એકાત્મવાદનું નિરૂપણ ૮. રહમતની વ્યાખ્યા ૯. નૂરનું નિરૂપણ ૧૦. ખુદા કે ઈશ્વરના દર્શનનું નિરૂપણ ૧૧. ઈશ્વરના નામોનું નિરૂપણ ૧૨. સીધ્ધ્ત્વ અને ઋષિત્વનું નિરૂપણ
૧૩. બ્રહ્માંડનું નિરૂપણ ૧૪. દિશાઓનું નિરૂપણ ૧૫. આકાશોનું નિરૂપણ ૧૬. પૃથ્વીનું નિરૂપણ
૧૭. પૃથ્વીઓના વિભાગોનું નિરૂપણ ૧૮. જન્નત દોજખનું નિરૂપણ.

રૂહ-આત્માના પ્રકરણમાં દારા શિકોહ લખે છે,
"રૂહ બે પ્રકારની છે. ભારતીય ચિંતકો તેને આત્મા અને પરમાત્મા કહે છે. ઇસ્લામમાં રૂહ શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારની હોય છે. જે રીતે જળ અને તેના તરંગો વચ્ચે અનંત સબંધ છે. તેવી જ રીતે શરીર અને આત્મા વચ્ચે અનંત સબંધ છે."
એકાત્મવાદનું નિરૂપણ કરતા દારા શિકોહ મૌલાના જલાલ્લુદ્દીન રૂમીનું અવતરણ ટાંકતા લખે છે,
"જો તમે તેને પામવા ઇચ્છો , તો એક ક્ષણ માટે પણ તેને ન શોધો.
જો તેને જાણવા ઈચ્છો તો તેના વિશે બિલકુલ ન વિચારો,
જો તમે તેને એકાંતમાં મળવા ઈચ્છો તો અને તાદ્રશ્ય તેને જોવા ઈચ્છો છો,
તો,તમે તેના રહસ્યોથી દૂર થઈ જાવ છો.
પણ જ્યારે તમે તેના ગુપ્ત અને પ્રગટ રૂપના વિચારમાંથી બહાર આવી જાવ છો,
ત્યારે નિશ્ચિત રીતે પગો પ્રસરાવી તેના આશ્રિત થઈને પરમ આનંદિત સુઈ જાવ,
બસ, તે તમને આપો આપ આવીને મળશે"
આવા જ્ઞાની સૂફી વિચારક દારા શિકોહની તેના નાના ભાઈ ઔરંગઝેબે સત્તાની પ્રાપ્તિ માટે હત્યા કરી હતી. સત્તાના આ સંઘર્ષમાં દારા શિકોહ જેવા અત્યંત સૂફીજ્ઞાનીને ઇસ્લામના ફતવાનો ભોગ બની ફાંસીના માચડે લટકી જવું પડયું હતું. એ ઘટના મોગલ ઇતિહાસનું કરુણ પ્રકરણ છે. જો કે
ઔરગંઝેબની કટ્ટરતા ઇસ્લામના માનવીય અભિગમને સમજવામાં નિષ્ફળ ગઈ હતી. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાને શરીફ લઈ ઇસ્લામનો પ્રચાર કરવા નીકળેલ બાદશાહ ઔરંગઝેબ એ વાત ભૂલી ગયો હતો કે કુરાને શરીફમાં ‘લાઈકરા ફિદ્દિન’ અર્થાત્ ‘ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરીશ’ નો આદેશ વારંવાર આપવામાં આવ્યો છે. સૂફીવાદ અને ઇસ્લામની આવી માનવતાને ન સમજી શકનાર ઔરંગઝેબ આજે પણ મહાન વિચારક અને સૂફીસંત દારા શિકોહની હત્યા માટે ઇતિહાસમાં બદનામ છે અને રહેશે.

Tuesday, September 27, 2011

ઇસ્લામિક ટોપી અર્થાત તાકીયાહ : ડૉ.મહેબૂબ દેસાઈ

આજકાલ ઇસ્લામિક ટોપી કાફી ચર્ચામા છે. મા. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સદભાવના ઉપવાસના બીજા દિવસે વડોદરાના એક મૌલવીસાહેબએ નરેન્દ્રભાઈને ઇસ્લામિક ટોપી પહેરાવવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. તેમના એ પ્રયાસને મુખ્યમંત્રીશ્રીએ પણ નમ્રભાવે નિષ્ફળ બનાવ્યો હતો. જો કે આ ઘટનાને લીધે ગુજરાતના સમગ્ર મુસ્લિમ સમાજમા "કોઈ નહિ હૈ હમારા" જેવી ભાવના ગંઠીત થતા ઘેરા દુઃખની લાગણી પ્રસરી છે. તેની પાછળની એક માત્ર દલીલ સમગ્ર મુસ્લિમ સમાજમાં એવી થઈ રહી છે કે મા. મુખ્યમંત્રીશ્રીએ આ અગાઉ દરેક સમાજની ટોપી ધારણ કરી છે. તેની સાક્ષી પુરતી અનેક તસ્વીરો અખબારોના પાનાઓ પર પ્રસિદ્ધ થઈ ચુકી છે.તો પછી માત્ર ઇસ્લામિક ટોપી પ્રત્યે આવો પક્ષપાત શા માટે ? અને તે પણ ગુજરાતમાં સદભાવના કે ભાઈચારો પ્રસરાવવાના હેતુથી જ્યારે તેમણે ખુદે આટલું ભવ્ય આયોજન કર્યું હતું એ જ મંચ ઉપરથી શા માટે મુખ્યમંત્રીશ્રી એ આવી ચેષ્ટ કરી ? તેનો જવાબ કોઈ સામાન્ય નાગરિક આપી શકે તેમ નથી. તેનો જવાબ તો મુખ્યમમંત્રીશ્રી ખુદ જ આપી શકે. એટલે મુસ્લિમ સમાજની એ વ્યથાને માત્ર સ્પર્શી આજે મારે અત્રે ઇસ્લામિક ટોપીના મૂળ અને ઉદેશ અંગે થોડી વાતો કરવી છે.
ઇસ્લામિક ટોપી માટે એરેબીક ભાષામાં "તાકીયાહ" શબ્દ પ્રયોજાયો છે. મુસ્લિમો તાકીયાહ ગમે તે રંગની ધારણ કરી શકે છે. કારણ કે ઇસ્લામમાં એ અંગે કોઈ રૂઢ આદેશ નથી. વળી, ટોપીના આકાર બાબત પણ ઇસ્લામમાં કોઈ નિશ્ચિત ઉલ્લેખ જોવા મળતો નથી. આમ છતાં ભારતમાં ઇસ્લામના અનુયાયીઓ સફેદ, લીલી કે કાળી ગોળ ટોપી મોટે ભાગે ધારણ કરે છે. ભારત સિવાય વિશ્વના અન્ય મુસ્લિમ રાષ્ટ્રોમાં જુદા જુદા પ્રકારની ઇસ્લામિક ટોપી ધારણા કરવામા આવે છે. જેમાંની એક છે તુરબન કેપ. જે ગોળ અને ઉંચી હોય છે. ઇસ્લામિક હદીસમાં અબુ દાઉદનું એક અવતરણ છે કે,
"મહંમદ સાહેબે ફરમાવ્યું છે કે સામાન્ય મુસ્લિમ અને આલીમ વચ્ચેનો ભેદ ટોપીને કારણે વ્યક્ત થાય છે. આલીમ તુરબન ટોપી ધારણ કરે છે જ્યારે સમાન્ય મુસ્લિમ ગોળ અને માથાને બંધ બેસતી ટોપી પહેરે છે."
ટોપી ફરજીયાત ધારણ કરવા બાબત પણ ઇસ્લામમાં કોઈ આદેશ નથી. મક્કા અને મદીનાની મારી હજ યાત્રા દરમિયાન સાઉદીવાસીઓ ઉપરાંત અનેક વિદેશી મુસ્લિમોને મેં ટોપી વગર નમાઝ અદા કરતા મક્કા અને મદીનામાં મેં જોયા છે.પણ ભારતમાના ઇસ્લામ અને મહંમદ સાહેબના અનુયાયીઓ ટોપી કે માથું ઢાંક્યા વગર નમાઝ કે કુરાને શરીફ પઢતા નથી. માથાને ઢાંકવા માટે ભારતના મુસ્લિમો રૂમાલનો ઉપયોગ પણ કરતા જોવા મળે છે. કારણે કે તેમના માટે ટોપી કે રૂમાલ દ્વારા માથું ઢાંકવું એ ખુદાની બંદગી અને કુરાને શરીફના અધ્યયન માટે માનસુચક ક્રિયા છે. વિશ્વના મોટાભાગના મુસ્લિમો આ બાબતને સ્વીકારે છે. અને એટલે જ ભારતના મુસ્લિમો ટોપી ધારણ કરી મુસ્લિમ હોવા અંગેની પોતાની ઓળખ ગર્વથી વ્યક્ત કરે છે.

જો કે અરબસ્તાનમા ઇસ્લામિક સંસ્કારોના આગમન પૂર્વે પણ ટોપી કે કપડાથી માથું ઢાંકવાની પ્રથા પ્રચલિત હતી. એ માટે ત્યાની ભૌગોલિક સ્થિતિ જવાબદાર છે. અરબસ્તાન એ ખુલ્લા રણની તપતી રેતીનો પ્રદેશ છે. ત્યાંની ગરમીથી માથાને બચાવવા કે પવન ને કારણે ઉડતી ગરમ રેતીથી મો અને માથાને રક્ષવા માટે ટોપી રાખવાની પ્રથા વર્ષોથી અસ્તિત્વમાં છે. જો કે સાઉદી અરેબીયા જેવા રણ પ્રદેશમાં ટોપીના સ્થાને માથાને ઢાંકવા "ઇગાલ"નો ઉપયોગ વિશેષ થાય છે. માથા પર રંગીન રૂમાલી ઓઢી તેના પર કાળી રેશમી દોરી બાંધવાની ક્રિયાને ઇગાલ કહે છે.આરબો ઇગાલ સાથે તોપ પહેરે છે. તોપ એટલે મોટો ઝભો(ફફની). પણ આ ઝભો છેક પગ સુધી લાંબો હોય છે. સંપૂર્ણ શરીરને ઢાંકી દે છે. તેની પાછળનો ઉદેશ પણ અરબસ્તાનની ગરમ રેતીથી શરીરને બચાવવાનો જ છે.

વિશ્વના જુદા જુદા રાષ્ટ્રોમાં ઇસ્લામના અનુયાયીઓ જુદા જુદા પ્રસંગે ટોપીનો ઉપયોગ કરે છે. ઈંગ્લેન્ડમાં તેને પ્રાર્થના ટોપી કહે છે. જે નમાઝ સમયે પહેરવામા આવે છે. મલેશિયામાં બનેલી મશીનમાં ગૂંથીને તૈયાર થયેલી કાપડની સફેદ ટોપીનો ઉપયોગ ઈંગ્લેડ અને વિશ્વના મુસ્લિમ દેશોમાં વિશેષ થાય છે.ખુદા પ્રત્યેના લગાવ અને પ્રેમને અભિવ્યક્ત કરવા પણ કેટલાક મુસ્લિમો ટોપી નિયમિત ધારણ કરે છે. જેમ કે પાંચ સમયની નમાઝ નિયમિત અદા કરતા મુસ્લિમ ચોવીસે કલાક ટોપી પહેરી રાખે છે. ઇસ્લામમાં નમાઝ ઉપરાંત અન્ય ધાર્મિક પ્રસંગોમાં પણ ટોપી ધારણ કરવામા આવે છે. જેમકે નિકાહ કે જનાજાને કાંધો આપતી વખતે ટોપી પહેરવાની પ્રથા છે. તેમાં પણ મુખ્યત્વે પ્રસંગની ગરીમા જાળવવાનો ઉદેશ સમાયેલો છે.
ઇસ્લામિક ટોપીને જુદા જુદા દેશોમાં ભિન્ન નામો પ્રદાન થયા છે. ઈગ્લેન્ડમાં તેને પ્રાથના ટોપી કહે છે. અફઘાનિસ્તાનમાં તેને પાકોમ કહે છે. જે મોટે ભાગે સલવાર –કમીઝ કે સુટ પર પહેરવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં તેને પીકી કહે છે. તેનો સમાવેશ રાષ્ટ્રીય પોશાક તરિકે કરવામા આવે છે.માલવ દેશમાં તેને થોપી કહે છે. જ્યારે ચીનમાં તેને હુઈ કહે છે. મલેશિયામાં બાજુમેલાયુ તરીકે તે જાણીતી છે.

આ તમામ બાબતો ઇસ્લામિક ટોપીને માન અભિવ્યક્ત કરવાના માધ્યમ તરીકે રજુ કરે છે. તેમાં કયાંય રૂઢીચુસ્ત ઇસ્લામિક વિચારને સ્થાન નથી.

Wednesday, September 21, 2011

With International Students


Lecture on "Islam and Non violence" at International Certificate course of Gandhian Philosophy, Gujarat Vidhyapith, Ahemedabad on 20-9-2011. After the Lecture with International Students.

Tuesday, August 30, 2011

ગીતા અને કુરાન* : ડો. મહેબૂબ દેસાઈ


૧. ભૂમિકા:

વિનોબા ભાવે ગાંધીયુગના એવા ચિંતક હતા કે જેમણે ગીતા અને કુરાનનું ઊંડાણથી અધ્યન કર્યું હતું. ગીતાના શ્લોક જેટલા શુદ્ધ ઉચ્ચારો સાથે તે બોલતા એટલી જ કુરાનની આયાતો પણ શુદ્ધ એરેબીક ઉચ્ચારો સાથે પઢતા.અબુલ કલામ આઝાદ એકવાર વર્ધામા ગાંધીજીને મળવા આવ્યા, ત્યારે ગાંધીજીએ વિનોબાને કુરાનનો પાઠ કરવા કહ્યું. વિનોબાજીએ એવી સુંદર લઢણ અને શુદ્ધ ઉચ્ચારો સાથે કુરાનની આયાતો પઢી કે મૌલાના આઝાદ દંગ રહી ગયા. એ યુગમાં એક અનુયાયીએ વિનોબાજીને પૂછ્યું,
"આજકાલ તમે આધ્યાત્મનો વિશેષ ઉલ્લેખ કરો છો. આ આધ્યાત્મ એટલે શું ?"
વિનોબાએ તેનો ઉત્તર આપતા કહ્યું,
"આધ્યાત્મ એટલે
૧. સર્વોચ્ચ નૈતિક મૂલ્યો
૨. નૈતિક જીવન વિશેની અતુટ શ્રધ્ધા
૩. જીવન માત્રની જ્ઞાન અને ભાન રાખનારી નિર્મળ શ્રદ્ધા
૪. મૃત્યુ પછી જીવન સાતત્ય અંગેનો અતુટ વિશ્વાસ."(૧)

વિનોબાજીના ઉપરોક્ત આધ્યાત્મ વિચારોના કેન્દ્રમા આપણા બે મહાન ગ્રંથો ગીતા અને કુરાન પડ્યા છે. જેમાં ધર્મના ક્રિયાકાંડોથી પર માત્રને માત્ર મુલ્ય નિષ્ઠ વિચારો અભિવ્યક્ત થયા છે. જો કે અત્રે એ વિચારોનો પૂર્ણ તુલનાત્મક અભ્યાસ કરવો સંભવ નથી. પણ તેના થોડા છાંટાઓનું આપને આચમન કરાવવાનું પ્રયોજન છે.

૨. ગ્રંથ અને રચયતા:

ભગવદ્ ગીતા ૧૮ અધ્યાયોમાં પ્રસરેલ છે. તેના કુલ ૭૦૦ શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખે ૫૭૩ શ્લોકો ઉચ્ચાર્યા છે. અર્જુનના મુખે ૮૫ શ્લોકો છે. ૪૧ શ્લોક સંજયના મુખે છે. જયારે ધ્રુતરાષ્ટ્રના મુખે એક જ શ્લોક મુકાયો છે, જેના દ્વારા ગીતાનો આરંભ થાય છે. કુરાને શરીફ ૩૦ પારા (પ્રકરણો)માં પથરાયેલ છે. અને તેમાં કુલ ૬૬૬૬ આયાતો છે. બંને મહાન ધર્મગ્રંથોના સર્જકોને દેવી દરજ્જો પ્રાપ્ત છે. લગભગ ૧૨૫ વર્ષનું આયુષ્ય ભોગવનાર ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ રમતિયાળ અને ગુઢ હતું. હઝરત મહંમદ પયગમ્બર(ઈ.સ.૫૭૧-૬૩૨) સાહેબ(સ.અ.વ.)નું વ્યક્તિત્વ અંતર્મુખી, માનવીય અને સાદગીના અભિગમથી તરબતર હતું. બંનેના ઉપદેશોમાં મુલ્યનિષ્ઠધર્મ કેન્દ્રમાં છે. કૃષ્ણ જેવું બુધ્ધીતત્વ

પામેલી બહુ આયામી વ્યક્તિ એ પરમાત્મા તરફથી સમગ્ર માનવજાતને મળેલી અનમોલ ભેટ છે. ૬૧ વર્ષનું આયુષ્ય ભોગવનાર હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબ પણ માનવજાતીના મસીહા બની
ખુદાના અંતિમ પયગમ્બર તરીકે અવતર્યા હતા. જેમણે અરબસ્તાનની જંગલી અને અંધશ્રદ્ધામાં જીવતી પ્રજાને ખુદાનો સંદેશ સંભળાવી, માનવતાના પાઠ ભણાવ્યા હતા. તેમને ખુદા તરફથી "વહી" દ્વારા મળેલ ઉપદેશોનો સંગ્રહ એ જ કુરાને શરીફ. બંને દેવી પુરુષોનું જીવન સામ્ય પણ જાણવા જેવું છે.
શ્રી કૃષ્ણ પૂર્ણ સંસારી હતા. તેમણે ન તો સંસારનો વિરોધ કર્યો હતો, ન સન્યાસ્તની પક્કડમાં આવ્યા હતા. તેમણે આઠ લગ્નો કર્યા હતા. તેમની પત્નીઓના નામ રુકમણી, જાંબુવંતી, સત્યભામા, ભદ્રા, મિત્રવૃંદા, સત્યા, કાલિંદી અને લક્ષ્મણા હતા.(૨) મહંમદ સાહેબ (સ.અ.વ.)પણ સંસારી હતા. તેમણે દસ નિકાહ કર્યા હતા. તેમની પ્રથમ પત્ની ખદીજા તેમના કરતા ઉમરમાં ૧૫ વર્ષ મોટા હતા. એ પછી હઝરત આયશા, હઝરત સવદા, હઝરત હફ્ઝા, હઝરત હિંદ,હઝરત ઝેનબ, હઝરત જુવેરીયા,હઝરત સફિયા, હઝરત ઉમ્મા-હબીબા અને હઝરત મેમુના સાથે તેમના નિકાહ થયા હતા.(૩) મહંમદ સાહેબના પ્રથમ નિકાહને બાદ કરતા બાકીના તમામ નિકાહ એ સમયની સામાજિક અને રાજકીય જરૂરીયાતનું પરિણામ હતા. આમ બંને મહાપુરુષો સંસારી હોવા છતાં તેમની ઈબાદત અને આધ્યાત્મિક ઊંચાઈ અદભૂત હતી. એ તેમના ઉપદેશોમાંથી ફલિત થાય છે.

૩. પ્રથમ શબ્દ અને પ્રથમ શ્લોક:

ગીતાનો આરંભ "ધર્મક્ષેત્ર" અથવા "ધર્મભૂમિ" શબ્દથી થાય છે. જયારે કુરાને શરીફનો આરંભ "બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ" શબ્દથી થાય છે. બંને શબ્દો આધ્યાત્મિક અભિગમનું પ્રતિક છે. ગીતાનો પ્રથમ શ્લોક અંધ ધૃતરાષ્ટ્રના મુખે મુકાયેલો છે. આ પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે,

"હે સંજય, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રના યુદ્ધમાં, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા પાંડુઓના પુત્રોએ ભેગા થઈને શું કર્યું?"(૪)

શ્રીમદ્ ભગવદ ગીતામા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની પરિભાષા બહુ વિસ્તૃત રીતે કરી છે. તેનો આરંભ આ શ્લોકથી થાય છે. ધર્મ-અધર્મની વિશાદ છણાવટ ગીતાના ઉપદેશનો કેન્દ્રીય વિચાર છે. કર્મ, અકર્મ અને વિકર્મને કેન્દ્રમાં રાખી શ્રીકૃષ્ણએ ધર્મની વિભાવના સમગ્ર ગીતામાં સમજાવી છે. ગીતામાં શ્રીકૃષ્ણએ જે ધર્મની વાત કરી છે, તે કોઈ સંપ્રદાય નથી. તે તો માનવધર્મ છે. માનવી તરીકેના કર્તવ્યની વાત છે. એ અર્થમાં ધર્મક્ષેત્રની વિભાવના સમજાવવાનો આ પ્રથમ શ્લોકમાં આરંભ થયો છે . શાબ્દિક દ્રષ્ટિએ જોઈએ તો આ શ્લોકમાં કુરુક્ષેત્રના મેદાનને ધર્મભૂમિ તરીકે મૂલવવામાં આવી છે. જ્યાં ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્યનું યુદ્ધ આકાર પામવાનું છે.
એ જ રીતે કુરાનનો પ્રથમ શબ્દ છે "બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ " અર્થાત "શરુ કરું છું અલ્લાહના નામે જે અત્યંત કૃપાળુ અને અને દયાળુ છે" એ પછી ઉતરેલી કુરાનની પ્રથમ આયાત ઇસ્લામની કોઈ

ક્રિયા,ઈબાદત પદ્ધતિ કે નિયમને વ્યક્ત કરતી નથી. એમાં માત્ર ઈશ્વર ખુદાના ગુણગાન સાથે ભક્ત પોતાને સદ્ માર્ગે ચલાવવાની ખુદાને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થનામાં કહ્યું છે,

"પ્રશંશા એક માત્ર અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો રબ(ખુદા)છે, ન્યાયના દિવસનો માલિક છે,
અમે તારી જ ઈબાદત કરીએ છીએ, અને તારી જ મદદ માંગીએ છીએ, અમને સીધો માર્ગ બતાવ,એ લોકોનો માર્ગ જેની ઉપર તે કૃપા કરી છે, જે તારા પ્રકોપનો ભોગ બન્યા નથી, જે પદભ્રષ્ટ નથી"(૫)

ઉપરોક્ત આયાતમા એક વાક્ય "રબ્બીલ આલમીન" આવે છે. જેનો અર્થ "સમગ્ર સૃષ્ટિનો રબ" થાય છે. અર્થાત સમગ્ર માનવ જાતનો રબ-ખુદા-ઈશ્વર. અહિયા "રબીલ મુસ્લિમ" માત્ર "મુસ્લિમોનો ખુદા" શબ્દ વપરાયો નથી. એ બાબત દર્શાવે છે કે ઈશ્વર એક છે, અને તે કોઈ એક કોમ કે સંપ્રદાયનો નથી. પણ સમગ્ર માનવજાતનો છે.

૪. યુધ્ધના સમાન ઉદેશો:

ઇસ્લામના ઇતિહાસમાં કરબલાના યુદ્ધ (ઈ.સ.૬૮૦)નું અત્યંત મહત્વ છે. પણ તેનો ઉલ્લેખ સુધ્ધા કુરાને શરીફમાં નથી. કારણ કે કરબલાનું યુદ્ધ મહંમદ સાહેબના અવસાન (ઈ.સ.૬૩૨) પછી ૪૮ વર્ષે લડાયું હતું. કુરાને શરીફમાં વિસ્તૃત રીતે માત્ર બે જ યુદ્ધોનો ઉલ્લેખ છે. જંગેબદ્ર અને જંગેઅહદ
કુરાને શરીફમાં જેનો સૌ પ્રથમ ઉલ્લેખ છે તે જંગેબદ્ર ૧૩ માર્ચ ઈ.સ. ૬૨૪ (૧૭ રમઝાન હિજરી ૨) બદ્ર (સાઉદી અરબિયા) નામની હરિયાળી ખીણમાં વસંત ઋતુમા લડાયેલ, કુરુક્ષેત્ર જેવું જ યુદ્ધ છે. જે રીતે કૌરવોએ પાંડવો ઉપર અત્યાચારો કર્યા, તેમની મિલકત પડાવી લીધી. તેમને ઝેર આપવાનો પ્રયાસ કર્યો. તેમના ઘરોને આગ લગાડી દીધી. અને ૧૨ વર્ષના વનવાસ અને એક વર્ષના ગુપ્તવાસ એમ ૧૩ વર્ષનો દેશ નિકાલ કર્યો. એ જ પ્રમાણે મક્કાના કુરેશીઓએ મહંમદ સાહેબ તથા તેમના અનુયાયીઓને ઉપરોક્ત તમામ યાતનાઓ ૧૩વર્ષ સુધી આપી હતી. મહંમદ સાહેબ અને તેમના અનુયાયીઓએ અત્યંત સબ્રથી તે સહન કરી. પણ જયારે અત્યાચારોની પરાકાષ્ટા આવી ગઈ ત્યારે મહંમદ સાહેબે પોતાના અનુયાયીઓ સાથે મક્કાથી મદીના હિજરત (પ્રયાણ) કરી.(૬) આમ છતાં મક્કાના કુરેશીઓએ મહંમદ સાહેબ પર અત્યાચાર કરવાનું ચાલુ રાખું. તેમણે મહંમદ સાહેબે જ્યાં આશ્રય લીધો હતો, તે મદીના પર વિશાળ લશ્કર સાથે ચડાઈ કરી. એ સમયે કુરેશીઓ પાસે ૭૦૦ ઉંટ,૧૦૦ ઘોડા અને ૧૦૦૦ સૈનિકો હતા. જયારે મહંમદ સાહેબના પક્ષે માત્ર ૩૧૫ અનુયાયીઓ હતા.
ગીતામાં કૌરવોને "આતતાયી"(૭) કહેવામાં આવ્યા છે. મનુસ્મૃતિમાં અને અન્ય ગ્રંથોમાં આતતાયી શબ્દ એવા લોકો માટે વપરાયો છે, જેઓ આગ લગાડે છે. ઝેર આપે છે. લુંટ ચલાવે છે. અન્યની ભૂમિ કે સ્ત્રીનું હરણ કરે છે. મહંમદ સાહેબ અને તેમના અનુયાયીઓ પર કુરેશીઓએ આવા જ જુલમ કર્યા હતા, તેના માટે કુરાને શરીફમાં "કાફિર" શબ્દ વાપરવામાં આવ્યો છે. કાફિર એટલે નાસ્તિક, નગુણો. ખુદા(ઈશ્વર)ની રહેમતો (કૃપાઓ)નો ઇનકાર કરનાર આવા કાફિરો સામે સૌ પ્રથમવાર યુદ્ધ કરવાની પરવાનગી આપતા કુરાને શરીફમાં કહ્યું છે,

"લડાઈ કાજે જેમના પર આક્રમણ કરવામાં આવે છે તેમને લડાઈ કરવાની પરવાનગી આપવામાં આવે છે. કારણ કે તેમના પર આ જુલમ છે. અને નિસંદેહ છે કે અલ્લાહ તેમની મદદ માટે પુરતો છે." (૮)

બંને લશ્કરો એક બીજા સામે યુદ્ધ કરવા ઉભા હતા. એ સ્થિતિ પણ ગીતા અને કુરાને શરીફની સમાનતાનું ઉત્તમ ઉદાહરણ છે. કૌરવો અને પાંડવો જેમ જ આ બદ્રના યુધ્ધમાં પણ બંને પક્ષે એક બીજાના સગાઓ ઉભા હતા. કોઈના કાકા, મામા, ભાઈ, સસરા દ્રષ્ટિ ગોચર થતા હતા.ગીતામાં પોતાના
સગા સબંધીઓને જોઈ અર્જુનનું હદય દ્રવી ઉઠ્યું હતું. તેણે લડવાની ના પડી દીધી હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું,

"હે અર્જુન, આવું નપુંસક વર્તન તારા જેવા વીર પુરુષને શોભતું નથી. તારા જેવા વીરને માટે આ શબ્દો કોઈ પણ સમયે યોગ્ય નથી. આ શુદ્રપણું, આ હદયની દુર્બળતા ત્યજી દે અને યુદ્ધ કરવા માટે ઉભો થા"(૯)
બરાબર એ જ રીતે કુરાને શરીફમાં યુધ્ધની સંમતિ મળવા છતાં અનેક મુસ્લિમોએ પોતાના સગા સબંધીઓ સામે લડવાની મહંમદ સાહેબને ના પાડી દીધી હતી. એ અંગે કુરાને શરીફમાં કહ્યું છે,

"આપના પરવરદિગારે આપને મદીનાથી હિકમત સાથે બદ્ર તરફ મોકલ્યા હતા.પણ મુસલમાનોનું એક જૂથ તેને ના પસંદ કરતુ હતું"(૧૦)

યુદ્ધ માટે ઇન્કાર કરતા અનુયાયીઓને સમજાવવા મહંમદ સાહેબે ઉપવાસ કર્યા, ખુદાને પ્રાર્થના કરી. ત્યારે મહંમદ સાહેબ પર કુરાને શરીફની નીચેની આયાત ઉતરી હતી. જેમાં કહ્યું હતું,

"તમારા પર જિહાદ(ધર્મયુદ્ધ) ફરજ કરવામાં આવેલ છે. તેથી તેનો ઇન્કાર કરવો તે યોગ્ય નથી. સંભવ છે કે જે વાત તમને યોગ્ય ન લાગતી હોય, તે જ વાત તમારા હિતમાં નિવડે અને જે વાત તમને યોગ્ય લાગતી હોઈ તે તમારા માટે અહિતની સાબિત થાય. અલ્લાહ દરેક બાબત સારી રીતે જાણે છે. પણ તમે જાણતા નથી"(૧૧)

"તમે એવા લોકો સાથે કેમ લડતા નથી, જેઓએ પોતાના સૌગંદ તોડી નાખ્યા અને રસુલ (મહંમદ સાહેબ)ને મક્કાથી હાંકી કાઢવાની તજવીજ કરી. અને તેઓ એ જ પ્રથમ લડવાની તમને ફરજ પાડી છે."(૧૨)
અને આમ બદ્રની હરીયાળી ખીણમાં બંને ફોજો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કુરુક્ષેત્રના યુદ્ધ જેમ જ મહંમદ સાહેબની ફોજમાં ધર્મ અને ન્યાય માટે લડવાનો અદભૂત જુસ્સો હતો. તેનું એક ઉત્તમ ઉદાહરણ ઇસ્લામી હદીસમાં નોંધાયેલું છે. યુધ્ધમાં મહંમદ સાહેબના પક્ષે મુસ્લિમોની સંખ્યા અત્યંત ઓછી હતી. જયારે કુરેશીઓ પાસે સંખ્યા બળ અને લશ્કરી સરંજામ વધુ હતો. એવા સમયે મહંમદ સાહેબના લશ્કરમાં એક

વ્યક્તિ પણ વધે તો તેનું ઘણું મહત્વ હતું. એવા કપરા સમયે બે મુસ્લિમો હિજૈફ બિન યમન અને અબુ હુસૈન મહંમદ સાહેબ (સ.અ.વ.)પાસે આવ્યા. અને કહ્યું,

“હે રસુલ , અમે મક્કાથી આવતા હતા ત્યારે રસ્તામાં અમને કુરેશીઓ એ પકડી લીધા હતા. અમને એ શરતે છોડ્યા છે કે અમે લડાઈમાં આપને સહકાર ન આપીએ. અમે મજબુરીમાં તેમની એ શરત સ્વીકારી હતી. પણ અમે તમારા પક્ષે લડવા તૈયાર છીએ.”

મહંમદ સાહેબ તેમની વાત એક ધ્યાને સાંભળી રહ્યા. પછી ફરમાવ્યું,

“હરગીઝ નહિ.તમે તમારો વાયદો પાળો. અને યુદ્ધથી દૂર રહો. અમે કાફરો સામે અવશ્ય લડીશું. અમને ખુદા જરૂર મદદ કરશે.”(૧૩)
આમ મુલ્યોના આધારે લડાયેલ આ યુધ્ધમાં કુરેશીઓ પાસે વિશાળ લશ્કર હોવા છતાં તેમને રણક્ષેત્ર છોડી ભાગવું પડ્યું. મહંમદ સાહેબના ૧૪ અને કુરેશીના ૪૯ માણસો યુદ્ધમા હણાયા. અને તેટલા જ કેદ પકડાયા

૫. ઈશ્વર-ખુદાની પરિકલ્પના:

ગીતા અને કુરાનની આટલી પ્રાથમિક ભૂમિકા પછી બંનેના તાત્વિક અને અધ્યાત્મિક વિચારોમાં રહેલ સામ્યતા પર થોડી નજર કરીએ. ગીતા અને કુરાને શરીફમાં ઈશ્વર કે ખુદાના વિચાર અંગેની સમાનતા નોંધનીય છે. ગીતાના અનેક શ્લોકોમાં ઈશ્વર માટે “જ્યોતિષામપિતુજ્જ્યોતિ” (૧૩.૧૭) અર્થાત “પ્રકાશોમાનો પ્રકાશ” શબ્દ વપરાયો છે. કુરાને શરીફમાં “નુરૂનઅલાનુર” (નુર ૩૫) શબ્દ પ્રયોજાયો છે. જેનો અર્થ થાય છે “પ્રકાશનો પ્રકાશ” એ જ રીતે કુરાને શરીફમાં એક જગ્યાએ “નુરસ સમાવત વલ અરદે” શબ્દ પ્રયોજાયો છે. તેમાં ખુદાને “ધરતી અને આકાશનો પ્રકાશ” કહેવામાં આવેલ છે.
ઈશ્વર-ખુદાના કાર્યને વ્યક્ત કરતા ગીતામાં કહ્યું છે,

“હે પાર્થ, તેઓ ઉપર કૃપા કરવાને તેમના અંતકરણમા બેઠેલો હું ઐક્યભાવથી સ્થિર છું. તેના અંતરમાં જો અજ્ઞાન રૂપી તમ ઉત્પન થાય તો હું મારા દિવ્ય તત્વજ્ઞાનના દીપક વડે તે તમસને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશથી જ્યોત પ્રગટાવું છું. જેથી અજ્ઞાનના અંધકારનો નાશ થાય છે” (૧૪)

કુરાને શરીફમાં પણ આ જ વિચારને આગળ ધપાવતા લખ્યું છે,
"જે લોકો ઈમાન લાવે તેમનો સહાયક અલ્લાહ છે. તે તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ
લઇ આવે છે." (૧૫)
ઉપનિષદમા પણ આ જ વાત કહેવામાં આવી છે. “તમસો મા જ્યોતિર્મય" "અમને તીમીરમાંથી જ્યોતિ
તરફ લઇ જા." મહંમદ સાહેબની પ્રાર્થનામા પણ આ જ વાતનો ઉલ્લેખ જોવા મળે છે. "હે અલ્લાહ મને પ્રકાશ આપ" ખુદા-ઈશ્વર સર્વવ્યાપી છે. તે ચારે દિશામાં પોતાની દ્રષ્ટિ રાખે છે. તેની નજરથી કશું દૂર

નથી. ગીતાના દસમાં અધ્યાયના ૩૩મા શ્લોકમાં ઈશ્વર માટે "વિશ્વતોમુખ" શબ્દ પ્રયોજાયો છે. અર્થાત ઈશ્વર સર્વ તરફ દ્રષ્ટિ રાખનાર છે. કુરાને શરીફમા પણ આ જ વિચારને સાકાર કરતા કહ્યું છે,

"પૂર્વ અને પશ્ચિમ સર્વ દિશાઓ અલ્લાહની જ છે. માટે તમે જે દિશા તરફ મુખ કરો છો તે દિશા તરફ અલ્લાહ પોતાની રહેમત (કૃપા) કરે છે." (૧૬)

૬. કર્મ અર્થાત આમાલનો સિધ્ધાંત:

ઇસ્લામ અને હિંદુ બંને ધર્મમાં કર્મનો સિધ્ધાંત પાયામાં છે.માનવીના કર્મના આધારે જ ઇસ્લામમાં જન્નત અને દોઝકનો વિચાર કુરાને શરીફમાં આપવામાં આવ્યો છે. એ જ રીતે હિંદુધર્મમાં પણ સ્વર્ગ અને નર્કની પરિકલ્પનાના મૂળમાં પણ કર્મનો સિધ્ધાંત પડેલો છે. આ વિચારને આધ્યાત્મિક અભિગમથી
ગીતામાં સમજાવવામા આવ્યો છે. ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મયોગ તરીકે તેનું વિસ્તૃત આલેખન થયું છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે તેમાં અલોકિક અને તલસ્પર્શી શૈલીમાં કર્મનો સિધ્ધાંત સમજાવ્યો છે. કર્મનો સિધ્ધાંત ને સાકાર કરતો જે શ્લોક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે ગીતાનો બીજા અધ્યાયનો ૪૭મો શ્લોક છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.

"કર્મણયેવાધીકારસ્તે મા ફલેષુ કદાચન,
મા કર્મફલહેતુર્ભુમા તે સંગોડસત્વકર્મણી"

આ એક શ્લોકમાં શ્રીકૃષ્ણ ચાર બાબતો તરફ નિર્દેશ કરે છે
૧. કર્મ કરવા તું સ્વતંત્ર છે
૨. પરંતુ તેનું ફળ ભોગવવા તું પરતંત્ર છે.
૩. ફળનો હેતુ જ લક્ષમા રાખીને કર્મ ન કરીશ.
૪. તારો અકર્મમાં સંગ ના થશો.(૧૭)

અર્થાત ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરીએ જા. કારણકે સારા કે ખરાબ કર્મ કરવાનું તારા હાથમાં છે. તેનું ફળ તારા હાથમાં નથી. તને તારા કર્મનું ફળનું ઈશ્વર જરૂર આપશે. ઇસ્લામમાં કર્મને "આમાલ" કહેલ છે. કુરાને શરીફમાં એક વાક્ય વારંવાર આવે છે. "અલ આમલ બીન નિયતે" અર્થાત "સદ્કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે" દા.ત. મારી પાસે જે થોડા નાણા છે તે મારી જરૂરિયાત માટે છે. પણ જો તેની મારે જરૂરત ન હોત અથવા તે મારી જરૂરત કરતા વધારે હોત તો હું તે કોઈ જરૂરતમંદ ને અવશ્ય આપી દેત. આવો વિચાર માત્ર પુણ્ય-સવાબ છે. એ જ રીતે અન્ય એક શબ્દ પણ કુરાને શરીફમાં વારંવાર વપરાયો છે. તે છે "ફી સબીલિલ્લાહ" અર્થાત "ખુદાના માર્ગે કર્મ કર" અને તારા એ નેક-સદ્કર્મનું અનેક ગણું ફળ તને મળશે. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,

"અને જે શખ્સ દુનિયામાં પોતાના કર્મોનો બદલો ચાહે છે તેને અમે તેનો બદલો અહિયા જ આપીએ છીએ. અને જે શખ્સ આખિરતમાં પોતાના કર્મોનો બદલો ઈચ્છે છે, અમે તેને તેનો બદલો ત્યાજ આપીશું.
અને જે લોકો પોતાના કર્મોના બદલા માટે માત્ર અલ્લાહના શક્ર્ગુઝાર છે તેમને અમે તેનો તુરત બદલો આપીશું"(૧૮)

"જે કોઈ એક નેકી લાવશે તેને તેથી દસ ગણું મળશે.અને જે કોઈ એક બદી લાવશે, તેને તેના પ્રમાણમાં સજા મળશે. પણ તેના ઉપર ઝુલ્મ કરવામા આવશે નહિ"(૧૯)
"એ લોકોને એવો જ બદલો આપવામાં આવશે જેવા કામ તેમણે કર્યા હશે"(૨૦)

ગીતામાં આ જ વાતને વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે,
"આલોકમાં કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પુજે છે, કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન થનારી સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે"(૨૧)

૭. એકેશ્વરવાદ અર્થાત તોહીદ:

ઇસ્લામના મૂળભૂત સિધાંતોમા બે બાબતો પાયાની છે.
૧. તોહીદ એટલે એકેશ્વરવાદ.
૨. સત્કાર્યો.
તોહીદ એટલે એકેશ્વરવાદ ઈસ્લામનો સૌથી મોટો સિધ્ધાંત છે. અને કુરાનના બધા જ ઉપદેશોનો અર્ક છે. ઇસ્લામના પ્રથમ કલમામાં જ કહ્યું છે "લાહી લાહા ઇલલ્લાહ મહંમદુર રસુલીલ્લાહ" અર્થાત ઈશ્વર એક છે અને મહંમદ તેના પયગમ્બર છે. પણ આ માન્યતાને અન્ય ધર્મીઓ પર બળજબરીથી લાદવાની ઇસ્લામમાં સખત મનાઈ કરવામાં આવેલ છે. કુરાને શરીફમાં એ માટે ખાસ કહ્યું છે,
“લા ઇકરા ફીદ્દીન” અર્થાત ધર્મની બાબતમાં કોઈ પણ પ્રકારની જબરજસ્તી ન કરશો”(૨૨)
ગીતાના ભક્તિયોગ અધ્યાય ૭ થી ૧૨મા પણ એકેશ્વરવાદ ને પર પ્રાધાન્ય આપેલ છે. સર્વ શક્તિમાન એક માત્ર ઈશ્વર છે. તેને ગમે તે સ્વરૂપે કે નામે પૂજો કે ઈબાદત કરો, તે તમને સાંભળે છે, તમારી મદદ કરે છે. ગીતાના નવમાં અધ્યાયના ૨૭મા શ્લોકમાં કહ્યું છે,

"હે કુંતી પુત્ર, જે ભક્તો શ્રધ્ધાથી યુક્ત થઈ બીજા દેવોને પુજે છે. તેઓ પણ અવિધિ પૂર્વક મને જ પુજે છે"
અર્થાત શાસ્ત્રોમાં જે જે દેવોનું વર્ણન આવે છે તે તમામ દેવો આખરે તો પરમાત્માના અંગભૂત છે. પરમાત્મા જ આ તમામ દેવોના સ્વામી છે.(૨૩) અવતારો,પયગમ્બરો દરેક યુગમાં પ્રજાને ધર્મનો માર્ગ ચીંધવા પૃથ્વી પર અવતર્યા છે. અલબત્ત તેમના નામ, સ્વરૂપ ,સમાજ, સ્થાન અને યુગ ભિન્ન છે. પણ

તેમનું મુખ્ય કાર્ય માનવજાતને સદ્ માર્ગે ચલાવવાનું છે. કુરાને શરીફમાં આ જ અર્થને સાકાર કરતી આયાતો કહ્યું છે,

"દરેક ઉમ્મત માટે પયગમ્બર અને ધર્મનો માર્ગ દેખાડનાર થયા છે"
"અને જે પયગમ્બર જે પ્રજા માટે મોકલવામાં આવેલ છે તેને તે પ્રજાની ભાષામાં સંદેશ આપીને મોકલવામાં આવેલ છે, જેથી તે સ્પષ્ટ રીતે સમજાવી શકે"(૨૪)

ઈશ્વરની એકતા સાથે જ ઇબાદત-ભક્તિની રીત પણ દરેક ધર્મમા ભિન્ન છે. તેનો ઉલ્લેખ પણ ગીતાના આ શ્લોકમાં સ્પષ્ટ થાય છે,

"જેઓ જે પ્રકારે (રીતે) મારે શરણે આવે છે, તેમને તે જ પ્રકારે હું ભજું છું. અર્થાત ફળ આપું છું. હે પાર્થ મનુષ્ય સર્વ પ્રકારે મારો માર્ગ અનુસરે છે(૨૫)

કુરાને શરીફમાં આ જ વિચારને સાકાર કરતા કહ્યું છે,
"અલ્લાહે સર્વ માટે નિતનિરાળા રીતરીવાજો તથા પૂજા વિધિઓ નિર્માણ કરી છે. અલ્લાહની ઈચ્છા હોત તો તમને સૌને એક જ કોમના બનાવી દેત.પરંતુ અલ્લાહની ઈચ્છા હતી કે જેને જે માર્ગ દેખાડ્યો છે તે રસ્તે તે ચાલે. તેથી ભેદભાવોમા ન પડો ને સત્કાર્યોની હોડ કરો. સર્વને અંતે તો અલ્લાહની શરણમાં જ જવાનું છે" (૨૬)

૮. ઇલ્મ કે જ્ઞાનનો મહિમા:

ગીતા અને કુરાન બંનેમા જ્ઞાનનો મહિમા વ્યક્ત થયો છે. જ્ઞાન વગરનો માનવી ધર્મ કે સમાજના વિકાસમા સહભાગી બની શકતો નથી. કુરાનમાં તો ઇલ્મ અર્થાત જ્ઞાનનું મુલ્ય મહંમદ સાહેબે તેમના પર ઉતરેલ પ્રથમ આયાતમાં જ વ્યક્ત કર્યું છે. મહંમદ સાહેબ હંમેશા રમઝાન માસમા સંસારથી અલગ થઈ ગારે હીરા જેવા એકાંત સ્થાન પર ખુદાની ઇબાદતમાં ગુજારતા. દર વર્ષની જેમ એ રમઝાન માસમાં પણ મહંમદ સાહેબ રમઝાન માસના આરંભે જ ગારે હીરામાં આવી ચડ્યા હતા. મહંમદ સાહેબ પર વહી ઉતરવાના એક દિવસ પૂર્વે તેમના વ્હાલસોયા પુત્ર કાસીમનું અવસાન થયું હતું. છતાં પુત્રના અવસાનના ગમમાં જરા પણ વિચલિત થયા વગર તેઓ ખુદાની ઇબાદતમાં રત રહ્યા. અને ત્યારે મહંમદ સાહેબ પર રમઝાન ૨૧ મંગળવાર, ૧૦ ઓગસ્ટ ઇ.સ.૬૧૧ના રોજ પ્રથમ વહી ઉતારી. "વહી" એટલે છુપી વાતચીત,ઈશારો. ઇસ્લામિક સંદર્ભમાં વહી એટલે ખુદા તરફથી આપવામાં આવેલ સંદેશ,પયગામ. અંગ્રેજીમાં તેને રીવીલેશન (Revelation) અર્થાત સાક્ષાત્કાર કહે છે. એ મનઝર ઇસ્લામિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલ છે. એ સમયે હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની વય ૪૦ વર્ષ, ૬ માસ અને ૧૨ દિવસની હતી. રમજાન માસનો એક્વીસમો રોજો હતો. રસૂલે પાક (સ.અ.વ.) હંમેશ મુજબ ગારેહિરામાં આખી રાત ખુદાની ઈબાદત કરી આરામ ફરમાવી રહ્યા હતા.ચારે તરફ એકાંત અને સન્નાટો હતો. પ્રભાતનું ઝાંખું અજવાળું ધરતીના સીના પર રેલાઈ રહ્યું હતું. બરાબર

એ સમયે ગારેહિરામાં અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલ આવી ચડ્યા. હઝરત જિબ્રીલ અલ્લાહના સૌથી માનીતા ફરિશ્તા હતા. સમગ્ર ફરિશ્તાઓના સરદાર હતા. કુરાને શરીફમાં તેમને "રુહુલ કુદ્સ" અને "રુહુલ અમીન" કહેલ છે. રુહુલ કુદ્સ અર્થાત પાક રૂહ, પવિત્ર આત્મા. એવા ઇલ્મ અને શક્તિના શ્રોત
હઝરત જિબ્રીલે ગારે હીરામાં આવી મહંમદ સાહેબને કહ્યું, "ઇકરાહ". એ ઘટનાનું વર્ણન કરતા ઇબ્ને હિશામી તેમના ગ્રંથ "સીરતુન-નબી"મા લખે છે,

"ત્યારે આવ્યા જિબ્રીલ મારી પાસે તે વેળા હું ઊંઘમા હતો. તેઓ એક રેશમી કપડું લાવ્યા હતા. તેમાં કંઈક લખેલું હતું. પછી તેમણે મને કહ્યું, પઢો(ઇકારહ). મેં કહ્યું હું પઢેલો નથી. ત્યારે તેમણે મને પકડીને

ભીંસમાં લીધો. ત્યાં સુધી કે મને થયું હું જાનથી ગયો. પછી તેમણે મને છોડી દીધો. અને ફરીવાર કહ્યું કે પઢો. મેં કહ્યું કે કેવી રીતે પઢું ? મને પઢતા નથી આવડતું ( ‘મા અના તિ-કારિ-ઇન)"(૨૭)

આવું ત્રણ વાર થયું. ચોથીવાર ફરિશ્તાએ આખી આયાત સંભળાવી અને તે પઢવા મહંમદ સાહેબ(સ.અ.વ.)ને કહ્યું. ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર
ઉતારેલી એ સૌથી પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાત ન તો ઇસ્લામના નિયમો વ્યક્ત કરે છે. ન ઈબાદત ની ક્રિયા.
એ આયાતમાં કોઈ ધાર્મિક રીતરીવાજો કે ક્રીયાકાંડોની વાત નથી. એ આયાત માત્રને માત્ર ખુદાએ કરેલ વિશ્વ અને માનવીના સર્જન સાથે શિક્ષણ અને જ્ઞાનને વાચા આપે છે. તે તરફ ચાલવાનો માનવીને આદેશ આપે છે. એ પ્રથમ આયાતમાં કહ્યું છે,

"પઢ-વાંચ પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાથી ઇન્સાનનું સર્જન કર્યું છે, એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું છે. અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે તમામ તેને શીખવી છે.".(૨૮)

એજ બાબત ગીતામા પણ વ્યક્ત થયેલી છે. ગીતાના ૧૩ થી ૧૮મા અધ્યાયને જ્ઞાનયોગ કહ્યો છે. તેમાં જ્ઞાનીના લક્ષણોની ચર્ચા ૧૩મા અધ્યાયના ૮ થી ૧૨ શ્લોકોમાં વિસ્તૃત રીતે કરવામા આવી છે. એ મુખ્ય લક્ષણોમાં અદંભીપણું, ક્ષમા, અનાસક્તિ, સરળતા, ચિત્તની શાંતિ, નિરાભિમાની, સ્થિરતા, પવિત્રતા, અહિંસાનો સમાવેશ થાય છે.(૨૯) એ જ રીતે કર્મયોગમાં પણ વારંવાર જ્ઞાનની વાત કરેલી છે. ચોથા અધ્યાયના ૩૭ થી ૪૨નાં અંતિમ અધ્યાયમાં જ્ઞાન અંગેના શ્લોકો જોવા મળે છે. એ બાબત સૂચવે છે કે ગીતા અને કુરાન એ માત્ર ધર્મગ્રંથો નથી. પણ જીવન જીવવાની કળા શીખવતા આધ્યાત્મિક ગ્રંથો છે. ગીતાના ચોથા અધ્યાયના કેટલાક શ્લોકો કુરાનની મહંમદ સાહેબ પર ઉતરેલ ઉપરોક્ત પ્રથમ આયાતની વધુ નજીક લાગે છે . એ શ્લોકોમાં કહ્યું છે,

“હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે, કારણ કે હે પાર્થ, સર્વ સંપૂર્ણ કર્મો જ્ઞાનમાં સમાય જાય છે.”
“કારણ કે જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કશું જ નથી. તે જ્ઞાનને યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરી આપોઆપ પોતામાં પામે છે”(૩૦)

૯. માનવીય અભિગમ:

આમ તો દરેક ધર્મ અને તેના ગ્રંથોમા માનવ અને માનવતા કેન્દ્રમાં છે. પણ તેની અભિવ્યક્તિ જુદા જુદા શબ્દો અને વિચાર દ્વારા થઈ છે. ગીતાના ૧૬મા અધ્યાયના પ્રથમ ત્રણ શ્લોકોમા દૈવી સંપતિ
વાળા માનવીના લક્ષણો આલેખ્યા છે. એ લક્ષણો માનવીને માનવતા તરફ દોરે છે. નિર્ભયતા,જ્ઞાન, સંયમ,અહિંસા, અક્રોધ,શાંતિ, સ્વાધ્યાય,દાન,નિષ્ઠા અને સરળતા જેવા ગુણો માનવીને દૈવી પુરુષ
બનાવવા કરતા માનવી બનાવવા તરફ નિર્દેશ કરે છે. પ્રભુને પામવાની સૌ પ્રથમ શરત માનવ માનવ વચ્ચે પ્રેમ છે. એ વાતને સાકાર કરતા ગીતાના કેટલાક શ્લોક જાણવા જેવા છે.

"હે પાંડવ, જે મારો ભક્ત મારા માટે કાર્ય કરનારો, મારે પરાયણ રહેનારો, આસ્તિક વિનાનો અને સર્વ પ્રત્યે વેર રહિત હોઈ, તે મને પામે છે." (૩૧)
અર્થાત તે જ માનવી પ્રભુ નજદીક પહોંચી શકે છે જે પ્રાણી માત્રથી વેર રાખતો નથી.

"સૃષ્ટિના આરંભમાં ઈશ્વરે યજ્ઞ દ્વારા સર્વ પ્રાણીમાત્રને ઉત્પન કરી, તેમને કહ્યું કે આ યજ્ઞથી જ (એટલે એકમેકની ભલાઈના કર્મોથી જ) સમૃદ્ધ થજો. ભલાઈના કર્મો જ તમને સારી સારી વસ્તુઓ અપાવનારા નીવડશે"(૩૨)
ઇસ્લામમાં આવી જ વિભાવનાને હઝરત મહંમદ (સ.અ.વ.) સાહેબ અને બીજા અનેક સંતોએ સાકાર કરી છે. હદીસોમાં મહંમદ સાહેબના માનવીય વ્યવહારના અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે.

એકવાર એક અનુયાયીએ મહંમદ સાહેબને પૂછ્યું,
"હે પયગમ્બર, ઇસ્લામની સૌથી મોટી ઓળખ કઈ ?"
મહંમદ સાહેબે ફરમાવ્યું,
"ભુખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું."
મહંમદ સાહેબ હંમેશા કહેતા,
"પોતાનો પડોશી ભૂખ્યો હોઈ ત્યારે જે માણસ પેટ ભરીને જમે છે, તે મોમીન (મુસ્લિમ) નથી"(૩૩)

અલબત્ત ઇસ્લામના અન્ય સંતોમાં સૂફીસંતોનો માનવીય અભિગમ જાણીતો છે.તેમના જીવન કવનનો

અભ્યાસ કરતા તેમની કેટલીક વિશિષ્ટતાઓ તરફ આપણું ધ્યાન જાય છે. જેમ કે,
૧. સાદગી પૂર્ણ જીવન
૨. સંયમી શુદ્ધ ચારિત્ર
૩. સેવાભાવી વૃતિ
૪. નિસ્વાર્થ અને પરોપકારીતા
૫. સામાજિક-ધાર્મિક સમાનતા.(૩૪)

મુસ્લિમ સંતોના આ લક્ષણો કુરાનમાં વ્યક્ત થયેલા અનેક માનવીય આયાતોના મૂળમાં છે. કુરાનમાં"ઇનલ્લાહ યુહીબ્બ્લ મુહ્સનીન" અર્થાત ખરેખર ખુદા તેને જ ચાહે છે જે બીજાની સાથે ભલાઈથી વર્તે છે. આ જ વિચાર કુરાનની અનેક આયાતોમાં વ્યક્ત થયો છે.
" આ એ લોકો છે જે ખુશી અને ગમ દરેક હાલતમાં ખુદાના નામે, ખુદાના માર્ગે ખર્ચ કરે છે અને ક્રોધને કાબુમાં રાખે છે. અને લોકોને ક્ષમા આપે છે. ભલાઈ કરનાર આવા લોકોને જ અલ્લાહ ચાહે છે, પ્રેમ કરે છે"(૩૫)
"અલ્લાહ એ આપેલ રોઝી રોટી ખાઓ. અને જમીન(દુનિયા-સમાજમાં)મા ફસાદ ન કરો"(૩૬)

"નિસંદેહ, મુસલમાન,યહુદી,ઇસાઈ, સાબીઈ આમાંથી જે લોકો એ અલ્લાહ અને તેના અંતિમ ન્યાયના દિવસ પર વિશ્વાસ કર્યો અને સદ્કાર્યો કર્યા તેને તેના ખુદા દ્વારા અવશ્ય પ્રતિફલ મળશે."(૩૭)

"જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા તેઓને અલ્લાહે વાયદો કર્યો છે કે તેઓના ગુનાહોને માફ કરી દેશે અને તેઓને પુણ્યના હક્કદાર બનાવશે"(૩૮)

ઇસ્લામમાં માનવીય સિધ્ધાંતને સાકાર કરવાના ઉદેશથી જ ઝકાત અને ખૈરાતને સ્વીકારવામાં આવેલ છે. ઝકાત એટલે ફરજીયાત દાન. જયારે ખેરાત એ મરજિયાત દાન છે. દરેક મુસ્લિમે પોતાની વાર્ષિક જંગમ અને સ્થાવર મિલકતના કુલ અઢી ટકા ઝકાત તરીકે ફરજીયાત કાઢવાના હોય છે.
ફરજીયાત દાન આપવાના આ સિધ્ધાંતમા પણ માનવતાને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે. કુરાને શરીફમા કહ્યું છે,
“જે લોકો અલ્લાહ્નના માર્ગ પર પોતાનો માલ ખર્ચે છે(દાન આપે છે), અને લેનાર પર અહેસાન જતાવતા નથી તે જ ખુદા પાસેથી તેનો બદલો પામે છે”(૩૯)
“જે વ્યક્તિ માંગનાર સાથે નમ્રતાથી વર્તન કરે છે અને માંગનાર દુરાગ્રહ કરે તો પણ તેને દરગુજર કરે છે તે દાન કરતા પણ વિશેષ પુણ્નો હક્કદાર બને છે.”(૪૦)

આ આયાતોનો ઉદેશ પણ જરૂરતમંદો સુધી માનવીય માર્ગે જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાનો છે. એ દ્વારા સમાન સમાજ રચનનો આદર્શ પણ સાકાર કરવાનો નેમ તેમાં રહેલો છે.

૧૦. ઇન્દ્રીઓ પર સંયમ:

ઈબાદત કે ભક્તિનો મહિમા બન્ને ગ્રંથોમાં વિશેષ આંકવામા આવ્યો છે. ઈબાદત કે ભક્તિના મીઠા ફળ ત્યારે જ પ્રાપ્ત થયા છે જયારે માનવી ઇન્દ્રીઓ પર સંયમ કેળવે છે. અને એટલે જ માનવીના કામ, ક્રોધ પર કાબુ રાખવા અંગે બંને ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. માનવ ઇન્દ્રીઓને વશ કરવા અંગે ગીતા કહ્યું છે,

"તે સર્વ ઇન્દ્રીઓને વશ કરી યોગીએ મારામાં લીન રહેવું, કેમ કે જેની ઇન્દ્રીઓ વશ (કાબુમાં)મા હોય છે, તેની બુદ્ધિ સ્થિર હોય છે." (૪૧)

કુરાનમાં આ જ વિચારને સાકાર કરતા કહ્યું છે,
"જેઓ સુખમાં અને દુઃખમાં પણ દાન આપે છે અને ક્રોધ પી જાય છે, તેમજ લોકોના અપરાધોને માફ કરે છે,અલ્લાહ એવા ભલાઈ કરનારાઓને ચાહે છે." (૪૨)

"અલ્લાહ ઈચ્છે છે કે તમારા પર દયા કરે પરંતુ જેઓ વાસનાઓની પાછળ પડ્યા છે. તેઓ ઈચ્છે છે કે તમે ખુદાના માર્ગેથી ઉલટા માર્ગે ભટકતા રહો." (૪૩)

એક હદીસમાં પણ મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
"બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે છે, આપણામાં બળવાન એ છે જે પોતાના ગુસ્સાને કાબુમાં રાખે છે"(૪૪)

આ જ વાતને ગીતાના નીચેના શ્લોકમાં વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે,
"ઇન્દ્રીઓ એવી મંથન કરનારી છે કે નિગ્રહનો પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષોના મનને પણ તેઓ બળાત્કારે વાસનાઓ તરફ ખેંચે છે." (૪૫)
ખુદા કે ઈશ્વરની ઈબાદત-ભક્તિ માટે ઇદ્ન્રીઓને વશમાં રાખવી કે તેના પર સંયમ રાખવો એ બન્ને ધર્મ ગ્રંથોનો હાર્દ છે. અને તો જ ઈશ્વર કે ખુદાની નજીક જવાનો માર્ગ મોકળો બને છે. એ સત્યને વાચા
આપતા આ ગ્રંથો ભલે ભિન્ન સંપ્રદાયના હોય પણ તેમનો ઉદેશ એક જ છે.

૧૧. કથા સામ્ય:

ગીતા અને કુરાનની કથાઓમાં પણ સામ્યતા ઉડીને આંખે વળગે છે. તેનું એક દ્રષ્ટાંત અત્રે આપી આ અલ્પ તુલના પર પૂર્ણ વિરામ મુકીશ. ગીતાના કેન્દ્રમાં માત્ર ઉપદેશ છે. તેમા કોઈ કથા કે પાત્રોના વિવરણને સ્થાન નથી. પણ તેના પાત્રોની કથાઓ મહાભારત સાથે આનુષંગી રીતે જોડાયલી છે. એવી જ એક કથા છે કર્ણની. કર્ણના માતુશ્રી કુંતી મહાભારતનું અદભૂત પાત્ર છે. દત્તક પિતા કુંતીભોજને ત્યાં ઉછરેલી કુંતીએ યજ્ઞ માટે પધારેલ ઋષિ દુર્વાસાની ખુબ સેવા કરી.તેના બદલામાં ઋષિ દુર્વાસાએ કુંવારી કુંતીને વરદાન આપ્યું,

"તું જે દેવનું સ્મરણ કરીશ તે દેવ તારા ઉદરમાં પોતાના જેવો જ દૈવી પુત્ર નિર્માણ કરશે." (૪૬)

અને કુંવારી કુંતીને સુર્યદેવના માત્ર સ્મરણથી કર્ણ નામક પુત્રનો જન્મ થયો. આમ કોઈ પણ પુરુષના સ્પર્શ વગર પુત્રની પ્રાપ્તિ કુંતીને થઈ. કુરાને શરીફમાં આવી જ ઘટના હઝરત મરિયમ સાથે ઘટે છે. જેનું વર્ણન કુરાનના પ્રકરણ-૩ની સુરે આલે ઈમરાનમાં આપવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે,

"અને જયારે ફરિશ્તાએ કહ્યું ' હે મરિયમ અલ્લાહ તને એક ફરમાનથી ખુશ ખબર આપે છે. તને એક પુત્ર થશે.તેનું નામ ઇસા ઇબ્ને મરિયમ હશે. દુનિયા અને આખિરતમાં સન્માનિત થશે. અલ્લાહના સમીપવર્તી બંદાઓમાં તેને ગણવામાં આવશે' આ સાંભળી મરીયમે કહ્યું ' પરવરદિગાર, મને પુત્ર કેવી રીતે થશે ? મને તો કોઈ પુરુષે હાથ સુધ્ધા અડાડ્યો નથી' ઉત્તર મળ્યો 'આવું જ થશે. અલ્લાહ જે ચાહે છે તે પૈદા કરે છે. તે જ્યારે કોઈ કામ કરવાનો નિર્ણય કરે છે ત્યારે માત્ર કહે છે થઈ જા(કુન) અને તે થઈ જાય છે"(૪૭)

અને આમ દુનિયામાં હઝરત ઇસા અલ્ય્સલ્લામનો જન્મ થયો. અલબત્ત કર્ણ અને ઇસા મસીહની તુલના ન કરી શકાય. કારણ કે બંનેની ભૂમિકા અને સ્થાન ભિન્ન છે. હઝરત ઇસા મસીહા ઇસ્લામના મોટા પયગમ્બર છે. અને ખ્રિસ્તી ધર્મના ભગવાન ઈસુ છે. પણ અત્રે તો તેમનો ઉલ્લેખ બંને ગ્રંથોમાં વ્યક્ત થયેલી કથાની સામ્યતા ને વ્યક્ત કરવા પુરતો જ કરવામા આવ્યો છે.

૧૨. તારતમ્ય:

ગીતા અને કુરાનની આ અલ્પ તુલનામાંથી પ્રાપ્ત થતી હકીકતો બંને ગ્રંથો વચ્ચેની સમાનતાને સાકાર કરે છે. આ તુલના પાછળનો મકસદ ભારતની સાંસ્કૃતિક વિરાસતમા વ્યક્ત થતી સદભાવના અને એકતા છે. જે દર્શાવે છે કે દરેક ધર્મના કેન્દ્રમાં માનવતા રહેલી છે. તેને ઉજાગર કરવાનું કાર્ય જે તે ધર્મના જાણકારો અને આલિમો-વિદ્વાનોનું છે. જો તેઓ તેને ઉત્તમ રીતે સાકાર કરેશે તો ધર્મના નામે સમાજમાં ઉત્પન થતા ભેદભરમો કે વિવાદો ભારતમાંથી અવશ્ય નિવારી શકશે. એ જ ઉદેશને સાકાર કરતા આ લેખને પૂર્ણ કરતા અંતમાં એટલું જ કહીશ,

"ચાહે ગીતા વાંચીએ, યા પઢિયે કુરાન,
તેરા મેરા પ્યાર હી હર પુસ્તક કા જ્ઞાન"

અસ્તુ.



પાદટીપ

૧. વિનોબા, કુરાનસાર, યજ્ઞ પ્રકાશન,વડોદરા, ૧૯૯૪,પૃ. ૧૮.
૨. દેરાસરી, ડાહ્યાભાઈ બેરિસ્ટર, પૌરાણિક કથા કોશ,ખંડ-૧, ગ્રંથલોક અમદાવાદ, જુન ૧૯૮૮, પૃ. ૧૫૮.
૩. પંડિત, સુંદરલાલ, હઝરત મહંમદ અને ઇસ્લામ,નવજીવન પ્રકાશન,અમદાવાદ,૧૯૬૪,પૃ.૧૦૬-૧૧૨.
૪. ઠક્કર હીરાભાઈ, શ્રીમદ ભગવદગીતા ભાવાર્થ,અધ્યાય-૧,શ્લોક-૩૬,કુસુમ પ્રકાશન,અમદાવાદ,
૨૦૦૧,પૃ ૧.
૫. દિવ્ય કુરાન (ગુજરાતી),અનુ. શેખ,ઝહીરૂદ્દીન,પ્ર,ઇસ્લામી સાહિત્ય પ્રકાશન,અહમદાબાદ,૧૯૮૬,
પૃ.૫૨,૫૩.
૬. ત્યારથી હિજરી સંવતનો આરંભ થયો
૭ . ઠક્કર હીરાભાઈ, શ્રીમદ ભગવદગીતા ભાવાર્થ,અધ્યાય-૧,પૃ ૩૨
૮. કુરાન-એ-શરીફ, પારા-૨૨, સુરે હજજ,આયાત-૩૯.
૯. સોની,ગુલાબરાય દેવજી, શ્રીમદ્દ ભગવત ગીતા,નવભારત સાહિત્ય મંદિર,અમદાવાદ,૨૦૧૧,પૃ. ૨૨
૧૦. કુરાન-એ-શરીફ, પારા-૮, સૂર-એ-અન્ફાલ, આયાત-૫
૧૧. કુરાન-એ-શરીફ, પારા-૨,સુરે બકારહ, આયાત-૨૧૬
૧૨. કુરાન-એ-શરીફ, પારા-૯ ,સુરે તવબહ, આયાત-૧૨
૧૩. હઈ, ડો. મુહંમદ અબ્દુલ (અનુ. નદવી અહમદ નદીમ),ઉસ્વા-એ-રસુલ અકરમ,ઇદારા ઈશાઅતે
દીનીયત,દિલ્હી,૨૦૦૯, પૃ.૩૦
૧૪. સોની,ગુલાબરાય દેવજી, શ્રીમદ્દ ભગવત ગીતા,પૃ.૧૫૮.
૧૫. કુરાન-એ-શરીફ, પારા-૨,સુરે બકરાહ, આયાત-૨૫૭.
૧૬. કુરાન-એ-શરીફ, પારા-૨,સુરે બકરાહ, આયાત-૧૧૫.
૧૭. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ, ભાગ ૧ થી ૬, પૃ.૧૩૭.
૧૮. કુરાન-એ-શરીફ, પારા-૩ ,સુરે આલે ઈમરાન, આયાત-૧૪૫ .
૧૯. કુરાન-એ-શરીફ, પારા-૬ ,સુરે અનઆમ , આયાત-૧૬૦.
૨૦. કુરાન-એ-શરીફ, પારા-૭ ,સુરે અઅરફ , આયાત-૧૪૭ .
૨૧. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ, ભાગ ૧ થી ૬, પૃ.૨૮૩.
૨૨. કુરાન-એ-શરીફ, પારા-૨,સુરે બકારહ, આયાત-૨૫૬
૨૩. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ, ભાગ ૭ થી ૧૨, પૃ.૧૪૬.
૨૪. દિવ્ય કુરાન (ગુજરાતી),અનુ. શેખ,ઝહીરૂદ્દીન,પૂર્વોક્ત ગ્રંથ, પૃ.૪૪૨ અને ૪૮૮
૨૫. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ, ભાગ ૧ થી ૬, પૃ.૨૮૧.
૨૬. કુરાન-એ-શરીફ, પારા-૫ ,સુરે માદઇહ,આયાત-૪૮.
૨૭. ઇબ્ન હિશામી, સીરતુન નબી-૧, નથુરાની અહમદ મુહંમદ (અનુવાદક-સંપાદક), પ્ર.મહંમ યુસુફ સીદાત
ચાસવાલા, સુરત, ૨૦૦૨,પૃ.૨૨૩
૨૮. દેસાઈ, મહેબૂબ, મુલ્યનિષ્ઠ મઝહબ ઇસ્લામ, ગુર્જર ગ્રંથ રતન કાર્યાલય, અમદાવાદ.૨૦૦૪,પૃ.૨૧૭.
૨૯. દવે,રક્ષાબહેન, ગીતા સુગીતા કર્તવ્યા,પ્ર.લેખક,૨૦૦૪, પૃ ૪૦.
૩૦. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ, ભાગ- ૧ થી ૬, પૃ. ૩૧૩ અને ૩૪૧.
૩૧. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ,ભાગ ૨, ૧૩ થી ૬, પૃ૩૩.
૩૨. પંડિત,સુંદરલાલ,(અનુ.ભટ્ટ ગોકુલભાઈ દોલતભાઈ), ગીતા અને કુરાન.નવજીવન
પ્રકાશન,અમદાવાદ.૧૯૬૩,પ્રુ૩૮
૩૩. પંડિત,સુંદરલાલ, હઝરત મહંમદ અને ઇસ્લામ,નવજીવન પ્રકાશન મંદિર,અમદાવાદ,૧૯૬૪,પૃ ૧૩૧.
૩૪. પાઠક,જગજીવન કાલિદાસ,મુસ્લિમ મહાત્માઓ, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય,અમદાવાદ,૧૯૪૦.પુસ્તકમાં
આપેલ સૂફી સંતોના જીવન ચરિત્રોના અભ્યાસનું તારણ.
૩૫. કુરાને શરીફ, પારા-૪ ,આલી ઈમરાન,આયાત-૧૩૪.
૩૬. કુરાને શરીફ, પારા-૨,સુરે બકરાહ ,આયાત-૬૦.
૩૭. કુરાને શરીફ, પારા-૨,સુરે બકરાહ ,આયાત-૬૨.
૩૮. કુરાને શરીફ, પારા-૨,સુરે માઈદહ ,આયાત-૬૨.
૩૯. કુરાને શરીફ, પારા-૨,સુરે બકરાહ,આયાત-૨૬૧.
૪૦. કુરાને શરીફ, પારા-૨,સુરે બકરાહ,આયાત-૨૬૨.
૪૧. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ,ભાગ- ૧, થી ૬, પૃ.૧૬૬.
૪૨. કુરાને શરીફ, પારા-૩,સુરે આલે ઈમરાન,આયાત-૧૩૪.
૪૩. કુરાને શરીફ, પારા-૪,સુરે નિસાઅ,આયાત-૨૭.
૪૪. પંડિત,સુંદરલાલ, હઝરત મહંમદ અને ઇસ્લામ, પૃ ૧૩૧.
૪૫. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ,ભાગ- ૧, થી ૬, પૃ.૧૬૫.
૪૬. દેરાસરી, ડાહ્યાભાઈ બેરિસ્ટર, પૌરાણિક કથા કોશ,ખંડ-૧, ગ્રંથલોક અમદાવાદ, જુન ૧૯૮૮, પૃ. ૧૪૨.
૪૭. કુરાને શરીફ, પારા-૩, સુરે આલે ઈમરાન, આયાત-૪૪ થી ૪૭.


----------------------------------------------------
* શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાન માળામા ૩૦ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ સવારે
૯.૪૫ કલાકે પાટકર હોલ, મુંબઈમાં આપેલ વ્યાખ્યાન.