Wednesday, February 10, 2010

વિશ્વના ગુજરાતી ભાઈઓ-બહેનો અને લેખકો,

વિશ્વના ગુજરાતી ભાઈઓ-બહેનો અને લેખકો,

સલામ.

ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી મુકામે મળેલા ૪૫મા અધિવેશનમાં પ્રસિદ્ધ થનાર પુસ્તક "ચાલો, ગુજરાતીનું ગૌરવ વધારીએ" પુસ્તક હાલમાં જ મને મળ્યું છે.પુસ્તક નવભારત સાહિત્ય મંદિર ,અમદાવાદમાંથી મળી શકશે.તેમનું ઈમેલ આઈ ડી info@navbharatonline.com છે. ગુજરાતના અને ગુજરાત બહારના સૌ ગુજરાતીઓને વાંચવા લાયક આ ગ્રંથમાં ગુજરાતના નામી-અનામી લેખકોના ગુજરાતી ભાષા પરના અહોભાવ અને પ્રેમની અભિવ્યક્તિ અત્યંત સુંદર અને અસરકારક શૈલીમાં વ્યક્ત થઈ છે. વિનોબા, ગાંધીજી અને નારાયણ દેસાઈના વિચારો થી આરંભાએલ પુસ્તકમાં ભગવતીકુમાર શર્મા, ઈન્દુકુમાર જાની ઈલા પાઠક , કેશુભાઈ દેસાઈ,ગણેશ દેવી,નરોત્તમ પલાણ, નિરંજન રાજગુરુ , મનુભાઈ પંચોલી , રઈશ મનીયાર, કુમારપાળ દેસાઈ, ગુણવંત શાહ,દિનકર જોશી , પ્રકાશ શાહ ,મનસુખ સલ્લા , મણીલાલ પટેલ , મીરાં ભટ્ટ ,મહેબૂબ દેસાઈ, રઘુવીર ચોધરી ,રજનીકુમાર પંડ્યા ,સુરેશ દલાલ , સુદર્શન આયંગર જેવા લેખકોના લેખોથી શણગારેલ આ ગ્રન્થ સાચ્ચેજ માણવા લાયક બન્યો છે.
શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી (ફોન ૦૨૬૩૭ ૨૫૯૫૪૩)દ્વારા પ્રકાશિત ૩૧૪ પૃષ્ઠોના આ ગ્રંથની વિશિષ્ટતાએ છે કે તેમાં ગુજરાતી ભાષાનું ગૌરવ છલોછલ ભર્યું છે. વિશ્વના ગુજરાતી સમાજે આ ગ્રન્થ અચૂક મળેવી વાંચવા અને પોતાના અંગત ગ્રંથાલયમાં સાચવીને રાખવા જેવો છે.

મહેબૂબ દેસાઈ

1 comment: