Tuesday, February 9, 2010

પ્રિય મિત્રો,

શાહરૂખ ખાનના નિવેદન માટે મહારાષ્ટ્રમાં થઈ રહેલ ઝેરી પ્રચાર આપણને ભારતના બંધારણની યાદ અપાવે છે.રમતના ક્ષેત્રમાં ખેલદિલી અનિવાર્ય છે.
આપણું બંધારણ પણ અન્ય દેશો સાથેના મોહબ્બત ભર્યા સબંધોને આવકારે છે. જવાહરલાલ નહેરુની વિદેશ નીતિ આજ પંચશીલના સિદ્ધાંતો પર આધારિત છે.
શાહરૂખ ખાનના આવાજ મોહબ્બત ભર્યા નિવેદનનો અવળો અર્થ કરી તેની ફિલ્મના પોસ્ટરો ફાડવા એ બિનલોકશાહી કૃત્ય છે. એવા કૃત્યને વખોડી કાઢનાર સલમાન ખાન ,શબાના આઝમી અને મહેશ ભટ્ટ અભિનંદનને પાત્ર છે.
મારે શાહરૂખ ખાનને પણ અભિનંદન આપવા છે. તેમની નીડરતા બદલ. તેમની ફિલ્મ "માય નેમ ઇસ ખાન" અત્યંત સફળ થશે તેવી મારી દિલી દુઆ છે- આમીન

પ્રોફે. મહેબૂબ દેસાઈ

No comments:

Post a Comment