Sunday, January 31, 2010

Visited to Diu




Visited to Diu on 30th January 2010. Photo with My Ph.D.Student Mr.Ramnikbhai Banbahniya in Diu fort and inside the Pani Kotha

Friday, January 29, 2010

Twenty Eight Marriage Anniversary of Prof.Mehboob Desai





Prof. Mehboob Desai Celebrated his Twenty eight Marriage Anniversary at Home with daughter Karishma Desai and brother-in-law Rahim Desai on 29th January 2010

Thursday, January 21, 2010




Attended 18th Saurashtra Kautch Itihas Parishad as a Chief Guest on 9th January 2010 at sakriya Mahila Arts College,Botad.

Tuesday, January 19, 2010

Chief Guest of FIELDVIEW INTERNATUONAL ACADEMI,DHANDHUKA




Attended Annual Function of Fieldview International Academy,DHANDHUKA on 18th January 2010 at 4.30.PM. With Principal Smt.Bharti Sharma

N.S.S Programme Officer's Seminar,Bhavnagar University,Bhavnagar.






Lecture on "Our Responsibility" on 17 January 2010 at N.S.S Programme Officer's Seminar,Bhavnagar University,Bhavnagar.

Saturday, January 16, 2010

Frist Translation of Kura-ne-sharif in Hindi by Prof. Mehboob Desai

કુરાન-એ-શરીફનો સૌ પ્રથમ હિન્દીમાં અનુવાદ

ડો.મહેબૂબ દેસાઈ


"અરબ વ હિન્દ કે તાલ્લુકાત "ગ્રન્થના સર્જક સૈયદ સુલેમાન નદવીએ પોતાના ગ્રંથમાં
કેટલીક ચોંકાવનારી વિગતો આપી છે. આ વિગતો અરબસ્તાન અને હિન્દના સંબંધોમાં રહેલ સદભાવનાની મીઠાસ વ્યક્ત કરે છે. એક હજાર વર્ષ પૂર્વે
કુરાન-એ-શરીફનો સૌ પ્રથમ હિન્દીમાં તરજુમો -અનુવાદ કરાવનાર એક હિંદુ રાજા હતો, એ ઘટના સાચ્ચેજ સર્વધર્મ સમભાવની પરાકષ્ઠા છે.

નદવી સાહેબ આ ઘટનાને પોતાના પુસ્તકમાં આલેખતા લખે છે,
"હિજરી સન ૨૭૦મા અલવરમાં રાજા મહેરોગ શાશન કરતા હતા.તેનો રાજ્ય વિસ્તાર કાશ્મીર અને પંજાબની મધ્યમાં હતો. એ સમયે અલવરના રાજાની ગણના મોટા રાજાઓમાં થતી.રાજા મહેરોગ અત્યંત વિનમ્ર અને જ્ઞાની હતા. સૂફીસંતોના સતત સમાગમ અને વાતોને કારણે તેમને ઇસ્લામ વિષે જાણવાની ઈચ્છા જાગી.
એટલે તેમણે સિંધના હાકેમ (ગવર્નર) અબ્દુલ બિન ઉમરને લખ્યું,
"કોઈ મુસ્લિમ વિદ્વાન અલવર મોકલો. મારે હિન્દી ભાષામાં કુરાન-એ-શરીફની વિગતવાર સમજ મેળવવી છે."

હાકિમ અબ્દુલ બિન ઉમરે અલવરના રાજાની વિનંતીનો સહર્ષ સ્વીકારી,એક અત્યંત વિદ્વાન,શાયર ઈરાકીને હિન્દ જવા આદેશ આપ્યો. એ ઈરાકીએ સૌ પ્રથમ અલવરના રાજાની પ્રસંશા કરતુ કાવ્ય લખી મોકલ્યું. અલવરના રાજા તે વાંચી અત્યંત ખુશ થયા. અને તેમણે એ ઈરાકીને હિન્દ આવવાનો ખર્ચ મોકલી આપ્યો.અને આમ એ વિદ્વાન ઈરાકી અલવરના રાજાનો મહેમાન બન્યો.

એ ઈરાકી વિદ્વાન અલવરમાં ત્રણ વર્ષ રહ્યો. રોજ તે અલવરના રાજાને કુરાન-એ-શરીફનો તરજુમો કરી સંભળાવતો અને તેની રોજે રોજ નોંધ કરતો.અલવરના રાજા મહેરોગ ખુબ જ ધ્યાનથી કુરાન-એ-શરીફની આયાતોનો અનુવાદ સાંભળતા. અને મનોમન મુગ્ધ થતા.તેમાંથી બોધ ગ્રહણ કરતા.આમ ત્રણ વર્ષ સતત રાજા મહેરોગ
કુરાન-એ-શરીફનું આચમન કર્યું. આમ ત્રણ વર્ષના અંતે કુરાન-એ-શરીફનો સોં પ્રથમ અનુવાદ તૈયાર થઈ ગયો.

આ ઘટનાનું વર્ણન વિખ્યાત પ્રવાસી બિન શહયારે હિજરી સન ૩૦૦માં પોતાના ગ્રન્થ "શહયારે ખુબ હિન્દ"માં પણ કર્યું છે. અરબસ્તાન અને ભારતના આવા સંબંધો એ જ ઇતિહાસના પાનાઓને સદભાવનાના સાગરથી ભરી દીધા છે.

Tuesday, January 12, 2010

Visit to Gujarat Vidhyapith Ahemedabad 0n 12 January 2010



Visit to Gujarat Vidhyapith Ahemedabad on 12 January 2010.Photo With Vice chancellor of Gujarat vidhyapith Prof. Sudershan Ingare.

Visit to Sabermati Ashram

Visit to Sabermati Ashram , Ahemedabad on 12 January 2010.





Visit to Sabermati Ashram , Ahemedabad on 12 January 2010. Photo With
Secretary of Samarmati Ashram Shri Amritbhai Modi,Myself and Mr.M.J.Parmar

Monday, January 11, 2010

Msudi Al : Hirodotas of Islami History

મસુદી અલ : ઇસ્લામી ઇતિહાસના હીરોડોટ્સ


ડો.મહેબૂબ દેસાઈ



નવમી સદીમાં બગદાદ (ઈરાન)માં જન્મેલ અબુ અલ હુસૈન અલી ઈબ્ન હુસૈન અલ મસુદીને ઇસ્લામી ઇતિહાસના પિતા - હીરોડોટ્સ કહેવામાં આવે છે. ઇસ્લામી ઇતિહાસના તેઓ પ્રથમ ઇતિહાસકાર હતા,જેમણે ઈતિહાસ અને ભૂગોળનો વૈજ્ઞાનિક અભિગમ સાથે અભ્યાસ કર્યો અને તેનું લેખન કર્યું. તેમનો બહુ જાણીતો ગ્રન્થ
"મરુજ અલ વહાબ વ મદીન અલ જવાહર" ( સુવર્ણ અને હીરાની દાસ્તાન) છે. આ ગ્રન્થ ૩૦ ભાગોમાં લખાયલો છે. તેમનો અન્ય એક ગ્રન્થ "અલ અશરફ" પણ
ઈતિહાસ લેખનની તેમની શૈલીની ઓળખ કરાવે છે.

બાળપણથી જ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા અને અદભૂત યાદ શક્તિ ધરાવનાર અલ મસુદી પુસ્તકોના વાંચન કરતા જાત તપાસના વધુ આગ્રહી હતા.જાત તપાસ દ્વારા મેળવેલ માહિતીના આધરે જ તેઓ લેખન કરતા. તેમના રસના વિષયો વિજ્ઞાન અને ધર્મ હતા.જાત તપાસના આધારે તેઓ લખતા હોઈ તેમણે અનેક દેશોની મુલાકાત લીધી હતી.સીરિયા, આફ્રિકા,ઝાંઝીબાર, મડાગાસ્કર, શ્રીલંકા, ઈરાન,ઓમાન જેવા અનેક દેશોની મુલાકાત લઈ, તેની સંસ્કૃતિ,સભ્યતા અને ધર્મનો ઊંડો અભ્યાસ કર્યા પછી તેના વિષે લખ્યું હતું.પોતાના જીવનકાળ દરમિયાન તેમણે ૨૦ ગ્રંથો લખ્યા હતા.પણ તેમના મોટા ભાગના ગ્રંથો આજે ઉપલબ્ધ નથી.

મસુદીએ ઇસ્લામના પયગમ્બર,તેના ખલીફાઓ અને તેની પેટા જાતિઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો.તેમનો એક ગ્રન્થ "અખબાર અઝ ઝમાન" અર્થાત "સમયનો
ઈતિહાસ" એ દ્રષ્ટિએ મહત્વનો છે. ત્રીસ ભાગમાં ફેલાયલો આ ગ્રન્થ વિશ્વ ઈતિહાસને આલેખતા વિશ્વકોષ જેવો સમૃદ્ધ છે. જેમાં વિશ્વનો રાજકીય અને માનવ ઈતિહાસ આધારભૂત રીતે આલેખ્યો છે.આ ગ્રંથની મૂળ પરત વિયેનામાં હોવાનું મનાય છે. આ ગ્રંથની વિશાળતા તેના અભ્યાસુઓ માટે કપરી હોઈને ,તેની લઘુ આવૃત્તિ પણ મસુદીએ તૈયાર કરી હતી. આ ગ્રંથને કારણે જ અલ મસુદીની ઇતિહાસકાર તરીકેની પ્રતિષ્ઠા સ્થાપિત થઈ હતી.

તેમનો અન્ય એક ગ્રન્થ "કિતાબ-અલ-અવાસ્ત" (મધ્યકાલીન ઇતિહાસનો ગ્રન્થ) પણ ઇતિહાસનો અદભૂત ગ્રંથ છે.જેમાં તવારીખ પ્રમાણે ઇતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. અલ મસુદીનો ઈતિહાસ લેખન પ્રત્યેનો અભિગમ મૌલિક હતો.તેમના ઈતિહાસ આલેખનમાં સામાજિક,આર્થિક,ધાર્મિક અને સાંસ્કૃતિક પાસાઓ
કેન્દ્રમાં હતા. સ્થાનિક વેપારીઓ,લેખકો,શિક્ષકો અને આમ પ્રજા સાથેના સંવાદો દ્વારા મેળવેલ માહિતીનો તેમણે ઈતિહાસ લેખનમાં બહોળો ઉપયોગ કર્યો હતો.
તેમના લેખનમાં ઇસ્લામ ઉપરાંત હિંદુ અને જર્થોસ્ત ધર્મનો પણ સમાવેશ થાય છે.

અલ મસુદી જીવનભર ફરતો રહ્યો હતો. ઈ .સ. ૯૪૫મા દમીસ્કમાં ગયો.અને જીવનના અંતિમ દિવસો ત્યાજ રહ્યો. ઈ.સ.૯૫૭મા તેનું અવસાન થયું. તેનો અંતિમ ગ્રન્થ "કિતાબ અત તનવીર વા અલ ઈશરફ " (નોંધણી અને ચકાસણી) હતો.

Sunday, January 10, 2010

Life Styal Of Muhanmad Paygamber

મહંમદ સાહેબના આભુષણ સમાં જીવન મુલ્યો


ડો. મહેબૂબ દેસાઈ



મુલ્યનિષ્ઠ ઇસ્લામ અને સૂફી વિચારધારાના મૂળમાં કુરાન-એ-શરીફ અને મહંમદ સાહેબ (સ.અ.વ.)નું આદર્શ જીવન છે. માટે આજે હઝરત મહંમદસાહેબના જીવન વ્યવહારની કેટલીક ખૂબીઓની વાત કરવી છે. મુલ્યનિષ્ઠ જીવનના આગ્રહી સૌ માટે તે જાણવા અને પામવા જેવી છે.

* મહંમદ સાહેબ સત્ય વક્તા હતા.
* સાદગી તેમનો જીવન મંત્ર હતો.
* તેઓ નમ્ર અને દયાળુ હતા.
* અત્યંત સહનશીલ અને ધીરજવાન હતા.
* પ્રાણી માત્ર પ્રત્યે કરુણા અને અનુકંપા રાખતા.
* પોતાના નાના મોટા તમામ સહબીઓ (અનુયાયો)ની ઈજ્જત કરતા.
* સલામ કરવામાં હંમેશ પહેલ કરતા.
* વાળ-વસ્ત્રો સ્વચ્છ અને સુગઢ રાખતા.
* મિત્રો-સ્નેહીઓની સંભાળ રાખતા.
* બીમારની અચૂક ખબર લેતા.
* પ્રવાસે જનાર માટે હંમેશ પ્રાર્થના કરતા.
* મૃત્યુના સમાચાર સાંભળી મરનાર માટે પ્રાર્થના કરતા.
* નારાજ થયેલાઓને મનાવવા પોતે તેમના ઘરે જતા.
* દુશ્મન-દોસ્ત સૌને ખુશીથી મળતા.
* ગુલામોના ખાન-પાન અને પોષકમાં ભેદભાવ ન રાખતા.
* જે શખ્શ આપની સેવા કરતો,તેની સેવા આપ પણ કરતા.
* કોઈ પણ મજલીસ કે કાર્યક્રમમાં હંમેશ પાછળ બેસવાનું પસંદ કરતા.
* દરેકના મન-મર્તબાનું ખાસ ધ્યાન રાખતા.
* ગરીબને તેની ગરીબીનો અહેસાસ ન કરાવતા.
* અમીર કે બાદશાહની જાહોજલાલીથી ક્યારેય પ્રભાવિત ન થતા.
* ખુદની દરેક નેમતો - બક્ષિશોનો હંમેશ શુક્ર (આભાર) અદા કરતા.
* મહેમાનોની ઈજ્જત કરતા. તેઓ ભૂખ્યા રહી મહેમાનોને જમાડતા.
* પાડોશીઓની સંભાળ રાખતા.તેમના ખબર અંતર પૂછતાં રહેતા.
* પોતાના જોડા પોતે જ સીવતા.
* પોતાના ફાટેલા કપડા પોતે જ સીવતા.
* ભોજન પહેલા અને ભોજન પછી ખુદાનો શુક્ર (આભાર) માનતા.
* અલ્લાહનો જીક્ર રાત-દિવસ કરતા રહેતા.
* નમાઝ (પ્રાર્થના)લાંબી અને ખુત્બો (પ્રવચન) ટૂંકું કરતા.

મહંમદ સાહેબના આ ગુણોને જીવનમાં સાકાર કરનાર સૂફી સંતોને આજે પણ આપણે યાદ
કરીએ છીએ અને હંમેશ કરતા રહીશું- આમીન.

Hazrat Jamil Shag

હઝરત જમીલ શાહ : કોમી એકતાનું પ્રતિક

ડો.મહેબૂબ દેસાઈ


ગીરનાર પર્વતમાળામાં લગભગ ૨૭૭૯ ફૂટની ઉંચાઈ પર આવેલ નાનકડા પહાડને
દાતારની ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. ભોગોલીક દ્રષ્ટીએ તે ટેકરીનું નામ
કાલચવન ટેકરી છે. પણ જમીલ શાહ બાવાના નિવાસ પછી તે આજદિન સુધી દાતારની
ટેકરી તરીકે જ ઓળખાય છે. સૂફીસંત જમીલ શાહ (ર.અ.) આ ટેકરી પર ક્યારે
આવ્યા તે અંગે જુદા જુદા મત મતાંતરો પ્રવર્તે છે. ફારસી વૃતાન્તો હઝરત
જમીલ શાહ ઈ.સ.૧૨૪૦મા ગીરનારમાં આવ્યાનું નોંધે છે. "તોહ્ફ્તુલ કીરામ"
નામક ઐતિહાસિક ગ્રંથમાં ઈ.સ.૧૭૦૦મા આવ્યાનું લખ્યું છે. જયારે કાઠીયાવાડ
ગેઝેટમાં નોંધ્યું છે,

"જમીલ શાહનું આગમન રા'માંડલિકના શાશનકાલ દરમિયાન થયું હતું."

આપણાં ઇતિહાસના આલેખનમાં આપણે સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસની આધારભૂતતા
પરત્વે ગંભીરતા દાખવતા નથી.પરિણામે આવા આધારો ને જ આપણે સ્વીકારવા પડે
છે. જમીલ શાહ હઝરત ઈમામ મુસા કાઝમના વંશમાંથી હતા.તેમનો જન્મ ઈરાનના
"તુસ" શહેરમાં થયો હતો. તેમનો મુખ્ય વ્યવસાય લુહારીકામનો હતો.જીવનભર
જીવનનિર્વાહ માટે તેઓ લુહારીકામ કરતા રહ્યા હતા.કહેવાય છે જમીલ શાહ સાત
વર્ષના હતા ત્યારે અઝાન (નમાઝ માટેનું કહેણ) સાંભળી ઇસ્લામનો પ્રથમ
કલમો બોલી ઉઠ્યા હતા,

"લાઈલાહા ઈલલાલ્લાહા મુહમદ દુર રસુલીલ્લાહ " અર્થાત " અલ્લાહ એક છે અને
મુહંમદ તેમના પયગમ્બર (સંદેશવાહક)છે."

સાત વર્ષની ઉંમરે જ જમીલને કુરાન-એ-શરીફ કંઠસ્ત હતું. કુરાન-એ શરીફના
ગુઢઅર્થોનું આપ સાત વર્ષની ઉંમરે બખૂબી બયાન કરતા. જમીલ શાહના પિતા સૂફી
સંપ્રદાયના ચિસ્તી પરંપરાના અનુયાયી હતા.
પિતા સાથે ૧૫ વર્ષની વયે જમીલ શાહે હજજયાત્રા કરી.હજ્જમાં આપે અત્યંત
કપરી ઈબાદત કરી.ખુદા આપની ઇબાદતથી પ્રસન્ન થયા.અને આપને ગીરનાર તરફ
પ્રયાણ કરવાની પ્રેણના મળી. ગિરનારની કાલચવન નામક ટેકરી પર આવી આપે
વસવાટ કર્યો. ધીમે ધીમે આમ પ્રજામાં આપની સેવા અનેસદભાવની સુવાસ પ્રસરવા
લાગી.
આપના સ્થાનકમાં ગરીબ -અમીર , હિંદુ-મુસ્લિમ સૌ સમાન હતા. નાતજાતના
ભેદભાવ વગર આપ સૌના દુ:ખ દર્દોને દુર કરવા ખુદાને દુઆ કરતા. આપની દુઓંની
અસર થતી.અને લોકોના દુ;ખો દુર થતા. આજે પણ એ સિલસિલો ચાલુ છે.ગિરનારની
યાત્રાએ આવનાર સૌ યાત્રીઓ પ્રથમ જમીલ શાહ બાપુને પ્રણામ કરે છે.

મોટે ભાગે સૂફી સંતોના અવસાન પછી તેમની કબર પર દરગાહનું સર્જન થાય છે. પણ
જમીલ શાહ તેમાં અપવાદ છે. જમીલ શાહ જીવનના અંતિમ દિવસોમાં ગીરનારથી હિજરત
કરી સિંધમાં જઈ વસ્યા હતા. ત્યાજ તેમની વફાત (અવસાન) થઇ. પણ ગિરનારી
ટેકરી પર તેમનો વસવાટ અને નિવાસ લાંબો સમય હોઈ તેમનું સ્થાનક ત્યાં જ
બનાવવામાં આવ્યું છે. સૂફી સંતોની એજ તો ખાસિયત છે કે તેમની સમાજ
ઉપયોગી સેવાઓ જ તેમને સમાજમાં હંમેશ જીવંત રાખે છે.

Thursday, January 7, 2010

Ibn Ishak : Islamic Historian

ઇતિહાસકાર ઈબ્ન ઇશાક : મુહંમદ સાહેબનું પ્રથમ જીવનચરિત્ર લખનાર

ડો. મહેબૂબ દેસાઈ



ઇસ્લામના ઇતિહાસમાં ઈબ્ન ઇશાકનું નામ ઘાટા અક્ષરોમાં લખાયેલ છે. મુહંમદ સાહેબનું પ્રથમ જીવનચરિત્ર લખવાનો યશ ઈબ્ન ઈશાકને જાય છે.ઈબ્ન ઇશાકનું મૂળ નામ તો ઘણું લાંબુ છે. મુહંમદ ઈબ્ન ઇશાક ઈબ્ન યાસીર ઈબ્ન ખિયાર. પણ ઇસ્લામી ઇતિહાસમાં તેઓ ઈબ્ન ઇશાક તરીકે જાણીતા છે.ઈ.સ. ૭૦૪મા મદીનામાં જન્મેલ ઈબ્ન ઇશાકના પિતા આરબોના કેદી હતા. ઇસ્લામનો અંગીકાર કરતા તેમને મુક્ત કરવામાં આવ્યા.એ પછી તેઓ મદીનામાં આવી વસ્યા. નાનપણથી જ ઇશાક મુહંમદ સાહેબના નામ અને કામથી પ્રભાવિત હતા. પરિણામે નાનપણથી પિતા અને કાકા સાથે તેઓ મુહંમદ સાહેબની વિગતો એકત્રિત કરવા લાગ્યા હતા. તેમનો એ શોખ ગાંડપણની હદ સુધી વિસ્તર્યો. દિનપ્રતિદિન ઇશાક તેમાં ઊંડા ઉતરતા ગયા. અને એક દિવસ એવો આવ્યો કે તેઓ મુહંમદ સાહેબની આધારભૂત વિગતો માટેનું સ્રોત બની ગયા.

ઈબ્ન ઇશાકે અભ્યાસનો આરંભ અલેક્ઝાન્દીયમાં કર્યો હતો. ત્યાંથી તેમનું કુટુંબ ઈરાક આવી વસ્યું.ઈરાકના જઝીરહ અને હિરણ પ્રદેશમાં થોડો સમય તેઓ રહ્યા.અને પછી બગદાદમાં આવી વસ્યા. બગદાદમાં વસવાટ દરમિયાન જ ઇશાકે મુહંમદ સાહેબ અંગે જાણવાની શરૂવાત કરી હતી.એ પછી મદીના આવી મુહંમદ સાહેબ અંગે બાકાયદા સંશોધન આરંભ્યું. સંશોધને અંતે તેમણે મુહંમદ સાહેબનું સૌ પ્રથમ જીવનચરિત્ર લખ્યું. ઇન્બ ઇશાકે લખેલા મુહંમદ સાહેબના એ જીવનચરિત્રને ૬૦ વર્ષ પછી પુનઃ સંશોધિત કરી ઈબ્ન હિશામે પુનઃ પ્રકાશિત કર્યું. એજ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ એ. ગુલ્લ્યુંમે ૧૯૫૫મા "ધી લાઇફ ઓફ મુહંમદ" નામે કર્યો હતો.

ઈબ્ન ઇશાકે લખેલ મુહંમદ સાહેબના જીવનચરિત્રની ઘણાં ઇસ્લામી વિદ્વાનોએ ટીકા કરી છે. જેમાં મલિક ઈબ્ન અનસ મોખરે છે. ઈબ્ન હન્બલ નામક ઇસ્લામી ઇતિહાસકાર પોતાનો પ્રતિભાવ આપતા લખે છે,

"ઈબ્ન ઇશાક મુહંમદ સાહેબના જીવનચરિત્રના આધારભૂત લેખક છે. પણ મુહંમદ સાહેબના જીવનના પૂર્ણ અભ્યાસુ નથી"

એ સત્યનો સ્વીકાર કરીએ તો પણ ઈ .સ. ૭૬૭માં બગદાદમાં અવસાન પામેલ ઈબ્ન ઇશાકનું નામ મુહંમદ સાહેબનું પ્રથમ જીવનચરિત્ર લખનાર લેખક તરીકે ઇસ્લામિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલું રહેશે.

Wednesday, January 6, 2010

Hishab Ebn Al Kalbi : Islami Historian

ઇસ્લામી ઇતિહાસના પિતા : હિશાબ ઈબ્ન અલ ક્લબી



ડો. મહેબૂબ દેસાઈ




પૂર્વ ઇસ્લામી ઈતિહાસ લેખનના પાયાના પથ્થર સમા હિશાબ ઈબ્ન અલ ક્લબીનો જન્મ ઈ.સ. ૭૪૭મા ઈરાકમાં થયો હતો. તેઓ અબુ અલ મુનવીર નામે પણ જાણીતા છે. તેમને ઇસ્લામી ઈતિહાસ લેખનના પિતા પણ કહેવામાં આવે છે. તેમના પિતા પણ મોટા વિદ્વાન હતા.બગદાદમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર હિશાબે પોતાના જીવનકાળ દરમિયાન કુલ ૧૯ ગ્રંથો લખ્યા હતા. પરંતુ આજે માત્ર તેમના ત્રણ ગ્રંથો જ ઉપલબ્ધ છે.

ઇસ્લામી ઈતિહાસ લેખનનો આરંભ કરનાર હિશાબીની ઈતિહાસ લેખન શૈલી અત્યંત રસપ્રદ હતી.ઘટનાઓનું આલેખન તેઓ બખૂબી કરતા. ઈતિહાસ લેખનમાં તેઓ તથ્ય અને સાક્ષીઓને પ્રાધાન્ય આપતા. આરંભમાં તેમણે આરબો અને તેમના ધર્મના ઇતિહાસનું આલેખન કર્યું હતું. તેમણે લખેલ ગ્રન્થ " અલ ખ્યાલ "માં તેમની ઈતિહાસ લેખનની શૈલી વ્યક્ત થાય છે. "અલ ખ્યાલ" અર્થાત વ્યવહારુ જ્ઞાન. આ ગ્રંથમાં તેમણે ઇસ્લામ પૂર્વેના વિચારો અને ગીતોનો પરિચય આપ્યો છે.તેમનો બીજો ગ્રંથ " જ્મ્હારાત અલ નસબ " ખુબ વખણાયો હતો. " જ્મ્હારાત અલ નસબ " અર્થાત "પેઢીનામું". આ ગ્રંથમાં તેમણે ઇસ્લામ પૂર્વેના અરબસ્તાનના સામાજિક, ધાર્મિક, સાહિત્યક અને રાજકીય ઇતિહાસની રસપ્રદ વિગતો આલેખી છે.ઇસ્લામના આગમન પૂર્વેના અરબસ્તાનને પામવા માટે આ
ગ્રન્થ આજેપણ આધારભૂત ગણાય છે.

તેમનું અન્ય એક પુસ્તક છે " કિતાબ- અલ -અસ્નામ ", અર્થાત "વિચારોનો સંગ્રહ ". આ ગ્રંથમાં તેમણે સૌ પ્રથમવાર ખુદની પરિકલ્પના કરી હતી. કુરાન-એં-શરીફના અવતરણ પહેલા ખુદાની કલ્પના કરનાર હિશાબનું આ પુસ્તક એં દ્રષ્ટિએ ક્રાંતિકારી હતું. ઇસ્લામ પૂર્વેના આરબ સમાજમાં ખુદાની કલ્પનાને સાકાર કરતું આ પુસ્તક આજે પણ ઇસ્લામી ઇતિહાસના અભ્યાસુઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે.ઇસ્લામી સાહિત્યના અભ્યાસુઓ તેને "ઇસ્લામી કાવ્ય " તરીકે બિરદાવે છે.

હિશાબ બિન અલ ક્લબીનું અવસાન ઈ.સ. ૮૧૯ અથવા ૮૨૧મા કુફામાં થયાનું માનવામાં આવે છે.ઇસ્લામી ઈતિહાસ લેખનનો પાયો નાખનાર હિશાબ ક્લબી આજે પણ ઇસ્લામી ઇતિહાસના પિતા તરીકે જીવંત છે.

Monday, January 4, 2010

ખભે કોથળો અને દેશ મોકળો : આકાશમાં પગલા માંડનાર યુવાનોની ગાથ

પ્રિય રશ્મિ બંસલ ,

આપનું પુસ્તક એક જ બેઠકે વાંચી ગયો . મજા પડી.
ઈશ્વેર આપની કલમને આથી પણ વધુ સારા સાહિત્યના સર્જનમાં સહભાગી કરે એ જ અપેક્ષાએ.

મહેબૂબ દેસાઈ
----------------------------------------------------------

ખભે કોથળો અને દેશ મોકળો : આકાશમાં પગલા માંડનાર યુવાનોની ગાથ



મારા મિત્ર ડો..ગરીશ પટેલે તેમના અકેડ્મિક કાઉન્સિલની ચુંટણીમાં વિજયની
ખુશીમાં મને એક પુસ્તક ભેટમાં મોકલ્યું. આમતો પુસ્તકો મારી નબળાય છે. પણ
પુસ્તક આવેકે તુરત વાંચવાનું મોટે ભાગે નથી બનતું.


પણ આ પુસ્તક તેમાં અપવાદ છે. પ્રથમ તો તેનું મથાળું મને ગમી ગયું.
બીજું, મથાળા ઉપર આપેલ સ્પષ્ટતા.બસ પછી મન બાંધ્યું ન રહ્યું. એક જ બેઠકે
પુસ્તક વાંચી ગયો. બીજા દિવસે મારા એમ.એ .ઇતિહાસના વિધાર્થીઓ પાસે
પુસ્તકની વિગતે વાત કરી.મરજીવા સાગરમાંથી મોતી શોધી લાવે તેમજ આ સાહસિક
યુવાનો જીવનમાંથી સફળતા શોધી લાવ્યા છે. આકાશમાં પગલા પાડનાર આ યુવાનોની
કથામાં વ્યથા સાથે વિજયની ગાથાની સુવાસ પણ અનુભવાય છે.


ગુજરાતના યુવાનોને પ્રેરણા આપતું આવું સર્જન કરી આપે ગુજરાતી
સાહિત્યની ઉમદા સેવા કરી છે. આજે જયારે અંગ્રજી ભાષાનું માધ્યમ વિકસ્યું
છે, પણ તેને પામવાની વૃતિ ઘટતી જાય છે. ત્યારે ગુજરાતીમાં આવું સાહિત્ય
ઉપલબ્ધ કરી આપવાનું સેવાકીય કાર્ય આપની કલમને સાંપડ્યું છે. તે માટે આપને
આકશ ભરીને અભિનંદન.


પ્રો.(ડો) મહેબૂબ દેસાઈ
પ્રોફેસેર અને અધ્યક્ષ
ઈતિહાસ અનુસ્નાતક ભવન
ભાવનગર વિશ્વવિદ્યાલય
ભાવનગર

Sunday, January 3, 2010

Visit to Dhordo-Kachcha



Visit to Dhordo-Kachcha (White Desert)for Yuva Chetna Shibir on 9th December 2009. Programme organized by Sauratshtra University,Rajkot.

Me & My Wife

Latest Photo of Me & My Wife 3-01-2010. My birthday is 5th January 1953. I completed 56 years on 5th January 201o.

Jama Masjit at Delhi - December 2009



Visited Delhi during 30 November to 6 December 2009 for Govt. Secret Work. 4th December Friday Namaz of Jumma Preform at Jama Masjit,Delhi.

National Conference at Akola - Maharasrta

National Conference on "The Role in Building Modern India of Pandit Nahru and Dr. B.R.Ambedker" Organized by Gulam Nabi Azad Arts ,Commerce and Science College ,Akola Maharastra 0n 27,28 December 2009 . First session of conference Chair and Conducted by Prof. Mehboob Desai

karishma



Saturday, January 2, 2010

અલ્લાહ સૌના છે. : ડો. મહેબૂબ દેસાઈ

અલ્લાહ સૌના છે.

ડો. મહેબૂબ દેસાઈ


હમણાં મલેશયાની અદાલતે એક સુંદર ચુકાદો આપ્યો. અદાલતે કહ્યું,

" ગોડનો ઉલ્લેખ કરતી વખતે "અલ્લાહ" શબ્દનો પ્રયોગ કરવાનો મલેશયાના ખ્રિસ્તીઓને પણ અધિકાર છે. અલ્લાહ શબ્દ માત્ર મુસ્લિમો માટે જ નથી"

અલ્લાહ શબ્દ અને ખુદ અલ્લાહ સૌના છે. એટલી નાની વાત માટે પણ અદાલતમાં જવું પડે તે સાચ્ચે જ શરમજનક બાબત નથી લાગતી ? અલ્લાહ માત્ર મુસ્લીમોના જ નથી એ વાત કુરાન-એ -શરીફમાં વારંવાર કહેવામાં આવી છે. કુરાન-એ -શરીફમાં કહ્યું છે,

" રબ્બીલ આલમીન " અર્થાત " સમગ્ર માનવજાતના અલ્લાહ"
કુરાન-એ-શરીફમાં ક્યાંય "રબ્બીલ મુસ્લિમ" અર્થાત " મુસ્લિમોના અલ્લાહ " કહ્યું નથી.

જેમ અલ્લાહ શબ્દ સમગ્ર માનવજાત માટે છે તેમજ ઈશ્વર શબ્દ પણ દરેક માનવ માટે છે. ક્યારેક હું મારા લેખમાં ઈશ્વર શબ્દ લખું છું. ત્યારે કેટલાક મિત્રો મને ટોકે છે. એક મુસ્લિમ દાકતર મિત્રએ
તો એકવાર મને ફોન કરીને કહ્યું હતું,

" તમે વારંવાર અલ્લાહ શબ્દ સાથે ઈશ્વર શબ્દ શા માટે લખો છો ?"

ત્યારે મેં તેમને કહ્યું હતું ,
" અલ્લાહ અને ઈશ્વર બન્ને માનવજાતની મૂળભૂત આસ્થા છે. નામ અલગ છે.પણ સ્વરૂપ એક છે."
અલ્લાહના સ્વરૂપ અંગે ઇસ્લામિક ગ્રંથોમાં કહ્યું છે,

"અલ્લાહ શબ્દ નથી એક વચન , નથી બહુવચન. અલ્લાહને કોઈ લિંગ નથી. તે નથી પુલિંગ, નથી સ્ત્રીલિંગ. અલ્લાહ કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધરિત નથી.પણ સૌ સજીવ અને નિર્જીવ તેના પર આધરિત છે.તે શાશ્વત, સનાતન અને સંપૂર્ણ પ્રભુત્વશાળી છે."

આમ છતાં અલ્લાહ પરમકૃપાળુ છે. કુરાન-એ-શરીફમાં કહ્યું છે,

" અલ્લાહ પરમ કૃપાળુ છે. તેને કોઈ સંતાન નથી. તે કોઈનું સંતાન નથી. તેની સમકક્ષ કોઈ નથી "

અર્થાત અલ્લાહ સાથે નાતો બાંધનાર સૌ તેના સંતાનો છે. તેમાં કોઈ જાતિ,ધર્મ કે રંગભેદને સ્થાન નથી.અલ્લાહ તેને ચાહનાર તેના સૌ બંદાઓને ચાહે છે. તે સૌનું ભલું ઇચ્છે છે.અલ્લાહથી ડરનાર,તેની ઈબાદતમાં રત રહેનાર સૌ અલ્લાહને પ્રિય છે.કુરાન-એ-શરીફમાં આજ બાબતનો ઉલ્લેખ કરતા કહ્યું છે,
" વાસ્તવિકતા એ છે કે અલ્લાહથી ડરનાર, તેની ઈબાદત કરનાર સર્વ માટે જન્નતમાં બક્ષિશોના ભંડાર છે."
ટૂંકમાં , અલ્લાહ શબ્દ માત્ર ઇસ્લામની જાગીર નથી. તે તો "રબ્બીલ આલમીન" છે. સમગ્ર માનવજાતનો અલ્લાહ છે. અને એટલેજ ઈસ્લામને વિશ્વમાં "માનવધર્મ ઇસ્લામ" તરીખે ઓળખવામાં આવે છે.

3-01-2010