Thursday, December 17, 2009

Published books of Prof.Mehboob Desai


Published books of Prof.Mehboob Desai


History
1. Mahek (1986)
2. Betalisman Saurashtra (1989)
3. Avishkar (1990)
4. “Bhavnagar State Prajaparishad and
Popular Movements in the Context of
National Movements for Freedom of
India (1920-1947): A Study”
(1992) (Ph.D.Thesis)
5. Swatantra Sangramman Amereli (1991)
6. Hindostan Hamara (1994)
7. Gujaratna Swatantra yugnu Alekhan Karta
grantho (1995)
8. Azadina Ashak Meghani (1996)
9. Bhavnagar Rajyano Itihas (co-writer) (1997)
10. Saurashtrani Swtantra Zekhena (1997)
11. Gujratna Navter Satyagraho (1999)
12. Azadina Pagrav (2000)
13. Gujaratni Swtantra Sadhena (2001)
(second editon 2009)
14 Sardar Patel Ane Bhartiya Muslimo (2001)
15 V-Chariya (2006)
16 Bharatna Itihasni Tavarikh (2006)
17 Muslim Maha-Aatmao (2009)


Sociology (Gujarati)

1. Muslim Manas (2003)
2. Muslim Samaj: Vyath ane Vichar (2003)


Tourism (Gujarati)

1. Do Kadam Hambhi Chale (1997)
2. Safer-E-Saudi Arbia (2001)
3. Gujaratma Pravasan (2004)
4. Austrliya yatra (in press)

Literature (Gujarati)

1. Nokhi Matina Nokha Manvi (1995)
2. Gandhiji (1990)
3. Ravishanker Maharaj (1990)
4. Aapen Jewaher (1991)
5. Adikham Swatantra Sainik Morarji Desai(1992)
6. Krantikari Bhagat Singh
7. Snehni Sarvani (2004)
8. Sufi Jan To Tenere Kahiye.. (2007)
9. Smurtivandena (2008)

Education (Gujarati)

1. Proudha Shikshan: Sindhan Ane Vyvehar
(1989)
2. Proudh Shikshan (1990)
3. Proudha Shikshan:Yojana Ane Sanchalan
(1990)
4. Rameta Rameta Proudh Shikshan
(1991)(cowriter)
5. Janshikshan Niyam (1991)
6. Proudh Shikshan (1994)

Religion (Gujarati)

1. Parab (1991)
2. Shamm-E-Feroza – 1 (1991)
3. Shamm-E-Feroza - 2 (1994)
4. Hazerat Khadija (1991)
5. Kabira Soi Pir Hai.. (1997) (Second Edition 2004)
6. Manav Dharam Islam (1998)
7. Mulyanishtha Mazehab Islam (2004)
8. Alekhne Otele (2008)

English Book

1. Islam And Non-Violence (2009)


Edited Work (Gujarati)

1. Urbanization & Modernisation in Princely States
Of Western India (1858 to 1947) (2001)
2. Itihasma Pravasen (2004)




Research Projects

1. “Sardar Patel and Indian Muslims” sponsored by Indian Council
of Historical research, New Delhi in the year 2000-2001.
Research Project Published by University Granth Nirman Board,
Gujarat State, Ahmedabad.

2. “Muslim Manas” sponsored by Centre for
Social Studies , Vir Narmad south Gujarat
University,Surat .Published by same centre , 2003.

3. “Social Engagement of Professionals of
Gujarat” sponsored by Institute of Social Research
& Development, Ahmedabad during 2003-2004.
Worked as a Project Director.

4. “Sufism in Gujarat” sponsored by Darshak
Foundation, Baroda.
Published by Gurjar Granth Ratan , Ahmedabad , 2007.

5. “Islam and Non-Violence” sponsored by Mumbai
Yuvak Mandal , Mubai.
Published by Gyan Publiction , Delhi , 2009.

Research Project on "Documents of Veneration Presented to Mahatama Gandhiji

Research Project "Documents of Veneration Presented to Mahatama Gandhiji"

Gandhiji a great man , occupies a leading place among the messengers of peace in the world . Gabdhiji ‘s principles of truth ,non- violence and satyagraha (insistence on the observance of truth) and their practice is well-known all over the world . For this, a number of documents of veneration have been presented to Gandhiji from the country (India) as well as from foreign countries. But till to date no research of such documents of veneration has been done. Such documents have been preserved in the museums of India where, Gandhiji lived. For example several documents of veneration have been preserved in the sabermati ashrama at Amdavad. This research aims at discovering such available documents and carrying out formal research on them.

Documents presented to Gandhijin can be divided into two parts:

1. Documents of veneration received in South Africa.
2. Documents of veneration received in India.

By obtaining documents of veneration received by Gandhiji and to do their research study is inevitable. According to it:

1. The language of documents of veneration
2. Detail about the institution and the leading persons presenting such documents.
3. Ideas and expectations expressed in these documents.
4. Political, Social and Constrictive atmosphere of the period when they were presented.
5. Details about the programme arranged at the time of presenting such documents.
6. Gandhiji’s speech or response at the time of accepting such documents of veneration.

The objective of research of these documents of veneration is to weave a number of such matters,

This would be the first work relating to research of documents of veneration received by Gnadhiji . It is not known whether any such work in this field has been done before this. From this point of view , too, the value of this research work can be considered most important.

For this Project we require bulky amount. Any Gandhian Institute ready to help in this Project, we welcome him with thanks



Sunday, December 13, 2009

Hazrat Imam Husain


૧૨ ડીસેમ્બેરસુધી અઢળક લગ્નો લેવાયા.૧૨મીએ તો એક સાથે ત્રણ ચાર ભોજન
સમારંભોમા હાજરી આપવી પડી. કારણકે ૧૨ પછી ચાર-છ માસ સુધી કમુરતા છે. ઇસ્લામના અનુયાયો પણ આજ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ૧૯ ડિસેમ્બરે મહોરમ માસનો આરંભ થાય છે. એ માસ દરમિયાન મુસ્લિમો કોઈ શુભ પ્રસંગ કરતા નથી. મહોરમ હિજરી સંવંતનો પ્રથમ માસ છે. મુસ્લીમોના નવા વર્ષનો આરંભ આ જ માસથી થાય છે. મહોરમ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે ગમ , શોક કે દુ:ખ. આ જ માસની ૯ અને ૧૦મી તારીખે હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓની શહાદત થઈ હતી.
સત્ય અને અસત્યની એ લડાઈમાં ઈમામાં હુસેન શહીદ થયા. માટે જ આ માસ મુસ્લિમો માટે ગમ, શોક અને દુ:ખનો માસ છે. મોહંમદ સાહેબ (સ.અ.વ.)ના પુત્રી હઝરત ફાતિમા (ર.અ.)ના નિકાહ હઝરત અલી (ર.અ.) સાથે થયા હતા.તેમના સંતાન હઝરત ઈમામ હુસૈન (ર.અ.) કરબલાના યુદ્દમાં તેમના ૭૨ સાથીઓ સાથે શહીદ થયા.એ ઘટના ઇસ્લામી ઇતિહાસની અત્યંત કરુણ ઘટના છે. હઝરત ઈમામ હુસેનનો જન્મ મદીનામાં ૫ શાબાન હિજરી સંવંત ૪મા થયો હતો. નાના હઝરત મોહંમદ સાહેબ (સ.અ.વ.)નો ખોળો ખુંદી અત્યંત લાડકોડમાં ઉછરેલા હઝરત ઈમામ હુસેનની ઈબાદત અને સખાવત
ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે. ૨૫ વખત પગપાળા હજજ કરનાર ઈમામ હુસેન અંગે એક વાર હઝરત ઝયનુંલ આબેદીનને કોઈકે પૂછ્યું ,
" હઝરત ઈમામ હુસેનને ઔલાદ (સંતાન) કેમ ઓછી છે ?"
જવાબ મળ્યો,
" કારણ કે તેઓ રાત-દિવસ ખુદાની ઇબાદતમાં મશગુલ રહે છે."
હઝરત ઈમામ હુસેનની સખાવત પણ ચોમેર પ્રસરેલી હતી . વયોવૃદ્ધ , અશક્ત અને આબરૂદાર માનવીઓને ઈમામ હુસેન મોં માંગી મદદ કરતા. બેરોજગારોને એક હજાર દીનાર અને એક હજાર બકરીઓ વિના હીચકીચાહત તેઓ આપી દેતા. એકવાર એક નિર્ધન, પણ આબરૂદાર માનવી આપના દ્વારે આવ્યો. એક નાનકડી ચબરખીમાં તેણે લખ્યું,
" હું અત્યંત ગરીબ છું . જવનો એક દાણો ખરીદવા જેટલા પૈસા પણ મારી પાસે નથી. માત્ર એક વસ્તુ મારી પાસે છે, અને તે મારી આબરૂ . તેને વેચવા આપની પાસે આવ્યો છું.આપ તેની જે કિંમત આંકો તે મને મંજુર છે."
હઝરત ઈમામ હુસેન આ ચબરખી વાંચી બહાર દોડી આવ્યા. પેલા આબરૂદાર માનવીના હાથમાં દસ હજાર દીનાર મુકતા આપે ફરમાવ્યું,
"હે સવાલી, હાલ તુરત આનાથી વધારે રકમનો બંદોબસ્ત મારાથી થઇ શકે તેમ નથી. તું એમ જ સમજ જે કે તેં સવાલ નથી કર્યો અને મેં તારી આબરુની કિંમત નથી આંકી"

આવા ઉદાર,સખાવતી અને ખુદાની ઇબાદતમાં હંમેશા લીન રહેતા હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ જયારે દુશ્મન યઝીદના લશ્કરથી ઘેરાય ગયા ત્યારે પણ તેમનો આ સ્વભાવ
યથાવત હતો. કરબલાના મેદાનમાં મહોરમ માસની પહેલી તારીખથી જ હઝરત ઈમામ હુસેન તેમના ૭૨ સાથીઓ સાથે ઘરાય ગયા હતા. મહોરમ માસની ૭, ૮ અને ૯મી તારીખે તો પાણીના એક એક બુંદ માટે નાના મોટા સૌ તડપતા હતા. ૯ અને ૧૦મી વચ્ચેની રાત તો કતલની રાત હતી.યઝીદના ચાર હજાર ઘોડેસવારોએ અહિંસાના પુજારી સમા ઈમામ હુસેનના ૭૨ સાથીઓને ઘેરી લીધા.ત્યારે પણ હિંસાને રોકવા હઝરત ઈમામ હુસેને પોતાની જાતને અર્પણ કરતા યઝદીને સંદેશો પાઠવ્યો હતો,

" મને મારી નાખો, કેદ કરીલો પણ મારા નિર્દોષ સાથીઓ, બાળકો, સ્ત્રીઓ ને ન મારશો "

પણ ક્રૂર યઝદી તેમની વાત ન માન્યો અને પોતાનું વિશાલ લશ્કર ઈમામ હુસેનના સાથીઓ
પર છોડી મુક્યું . ઈમામ હુસેનના સાથીઓએ હિંમતભેર તેનો સામનો કર્યો. સત્ય અને અસત્ય,
ધર્મ અને અધર્મ, નીતિ અને અનીતિની એ લડાયમાં હઝરત ઈમામ હુસેનન ૭૨ સાથીઓ પણ યઝદીના વિશાલ લશ્કરને ભારે પડ્યા. યઝદીએ પીછેહટ કરવી પડી અને તેથી તે ઉશ્કેરાયો.
યુદ્ધના તમામ નિયમો નેવે મૂકી તેણે આડેધડ કતલેઆમ શરુ કરી. ત્યાં સુધી કે પ્રવચનમાં બેઠેલા હઝરત ઈમામ હુસેનને પણ પીઠ પાછળથી ઘા કરી ઝખ્મી કર્યા. અને આમ હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓ શહીદ થયા. એ દિવસ હતો ૧૦ મોહરમ ,શુક્રવાર હિજરી સંવંત ૬૧, ઈ.સ. ૬૮૦ ઓક્ટોબર માસની ૧૦ તારીખ ઈમામ હુસેનની આ શહાદતના શોકમાં મોહરમ માસમાં મુસ્લિમો શોક પાળે છે. ઈમામ હુસેન માટે દુઆ કરે છે અને તેમની શહાદતને આંસુભીની આંખે યાદ કરે છે.

 

Saturday, December 12, 2009

મને ભારતના વડાપ્રધાન બનાવો

મને ભારતના વડાપ્રધાન બનાવો

ડો. મહેબૂબ દેસાઈ

રાહુલ ગાંધીના વિધાને ખળભળાટ કર્યો છે. અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કરેલ વિધાન " કોઈ પણ લાયક મુસ્લિમ ભારતનો વડાપ્રધાન બની શકે” રાહુલ ગાંધીનું આ વિધાન ભારતના રાજકારણની અસલ તાસીર વ્યક્ત કરે છે. એ તાસીરના પ્રવાહોથી ભારતનો મુસ્લિમ અજાણ છે, તેમ કહેવું ખોટું છે. મુસ્લિમ નેતાગીરીમાં આવતી જતી ઓટથી કોણ અપરિચિત છે ? ભારતના ૧૩ ટકા મુસ્લિમ સમુદાયનું લોકસભા અને વિધાનસભામાં ઘટતું જતું પ્રતીનીધીત્વ આંકડોઓની ભરમાર વગર પણ જોઈ શકાય છે. ગત લોકસભાની ચૂંટણીમાં ૩૪ મુસ્લિમો ચૂંટાય આવ્યા હતા. આ વખતે તેની સંખ્યામાં ઘટાડો થયો છે. માત્ર ૨૮ સભ્યો મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. મુસ્લિમ નેતાઓ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. કોંગ્રસમાં ગુજરાતના અહેમદ પટેલ ,ગુલામનબી આઝાદ અને સલમાન ખુરશીદ જાણીતા નામો છે. ભાજપમાં તો મુસ્લિમ નેતાગીરીને પાંગરવાની તક જ નથી, એવો અહેસાસ ભારતનો દરેક મુસ્લિમ અનુભવે છે. આ માટે કેટલાક કારણો જવાબદાર છે.

૧. રાજકારણમાં ધર્મનો વધતો જતો પ્રભાવ
૨. મુસ્લિમ સમાજની રાજકારણ પ્રત્યેની ઉદાસીનતા છે.
૩. મુસ્લિમ સમાજની આંતરિક જૂથબંધી.
૪. મુસ્લિમ મતદાર વિસ્તારોનું થયલું વિભાજન

આ તમામ કારણોએ મુસ્લિમ નેતાગીરીને રૂંધી નાખી છે. આવા સંજોગોમાં મુસ્લિમ નેતાગીરીને આગળ આવવાની તક નહીંવત બની ગઈ છે. એવા સમયે ભારતના વડાપ્રધાન પદ માટે લાયક મુસ્લિમની વાત ઉચ્ચારવી એ ઝાંઝવાના જળ સમાન છે.આમ છંતા આપણા નેતાઓની ઉદારતા માટે માન થાય છે. બાળ ઠાકરે સાહેબ મુસ્લિમ વડા પ્રધાન બનાવવા તૈયાર છે. પણ રાહુલ ગાંધી જેવીજ લાયક ઉમેદવાર માટે ત્રણ શરતો મુકે છે.

૧. રામ જન્મ ભૂમિ પર મંદિર બનાવે
૨. વન્દેમાતરમ ગીતનો સ્વીકાર કરે
૩. સમાન સિવિલ કોડનો સ્વીકાર કરે.

આ ત્રણે શરતોનો સ્વીકાર કરનાર મુસ્લિમને ઠાકરે સાહેબ વડાપ્રધાન બનાવવા તૈયાર છે. હું તેમની એ ત્રણે શરતો સ્વીકારવા તૈયાર છું. રાહુલ ગાંધીની શરત મુજબ શિક્ષિત મુસ્લિમ તરીકે ભારતના વડાપ્રધાન થવાની લાયકાત હું ધરાવું છું. ઠાકરે સાહેબની ત્રણે શરતો મને માન્ય છે. કારણકે આ શરતો સ્વીકારવાથી ભારતનો શિક્ષિત મુસ્લિમ વડાપ્રધાન બની સકતો હોઈ તો પણ સોદો ઘણો સસ્તો છે.આજે જે રીતે મુસ્લિમ નેતાગીર અલોપ થઈ રહી છે, એ જોતા આટલી શરતોએ મુસ્લિમ નેતાગીરીને પાંગરવાની તક કઈ નાની સુની વાત નથી. રામ મંદિર બનાવવના મુદ્દે શિક્ષિત મુસ્લિમોનું વલણ હંમેશ હકારાત્મક રહ્યું છે.રામ મંદિરના હોબાળ સમયેજ મુસ્લિમોએ વારંવાર કહ્યું છે, મંદિર બનાવી વાતનો તંત મુકો. પણ મંદિરના સર્જન કરતા તેના વિવાદમાં રાજકારણીઓને વધુ રસ રહ્યો છે. જયારે વન્દેમાતરમના ફતવા સામે શિક્ષિત મુસ્લીમોના બહોળા હકારાત્મક પ્રતિભાવો હાલમાંજ આપણે જાણ્યા છે. સમાન સિવિલ કોડનો મુદ્દોતો હિંદુ અને મુસ્લિમ બંને પ્રજાને લાગુ પડે છે. હિંદુ કોડ અને મુસ્લિમ કોડના વિલીનીકરણ પછી જ સમાન સિવિલ કોડની રચના થશે.એ માટે માત્ર મુસ્લિમોએ જ ચિંતિત થવાની જરૂર નથી.

એક શિક્ષિત મુસ્લિમ તરીકે હું બંને નેતાઓને અપીલ કરું છું કે મને ભારતનો વડા પ્રધાન બનવો. કારણકે બન્ને નેતાઓની શરતોનું તહેદિલથઈ હું પાલન કરીશ.વાચકોને મારી દરખાસ્ત હસ્યાસ્પદ જરૂર લાગશે. પણ એમાં લગાડવાની જરૂર નથી. એ તો છે જ . પણ લોકશાહી રાષ્ટ્રમાં વડા પ્રધાન પદ માટેની શરતો લઘુમતી સમુદાય માટે મુકાય એ વાત પણ એટલી જ હાસ્યાસ્પદ લાગે છે. વળી, એ માટે એવા લઘુમતી સમાજની પસંદગી થાય કે જેની નેતાગીરી દિનપ્રતિદિન ક્ષીણ થતી જાય છે. એ સાચ્ચે જ દુ:ખદ બાબત છે. આજે મુસ્લિમ સમાજની નેતાગીરીને નવો ઓપ આપી, રાજકારણના હાંસિયામાં મુકાય ગયેલા મુસ્લિમ સમાજને લોકશાહીમાં પ્રતીનીધીત્વ આપવાની દેરક પક્ષની ફરજ છે. પણ એ ફરજ પ્રત્યે સભાનતા કેળવવાને બદલે મુસ્લિમોને લોકશાહીમાં શરતી વડા પ્રધાન બનાવવાની તરંગી વાતો કેટલી બંધારણીય ગણાય, એ મુદ્દો વિચારણા માંગી લે તેવો છે.

Monday, December 7, 2009

vandematram : Comments

આસ્લમુઅલ્યકા
સુવાસ અને આરીફની વાત સાથે સંમત છું. મેં આખું ગીત વાંચ્યું છે. અને તેનો ભાવાર્થ પણ જોયો છે.
પણ કોઈ ગીત ગાવા માત્રથી મારું ઈમાન ડગીજાય તેટલું નબળું નથી.અને કોઈ મુસ્લિમનું પણ ન હોવું
જોઈએ. કારણકે ઈમાન ઇસ્લામની નીવ છે.
વન્દેમાતરમનો આરીફ મોહંમદ ખાને કરેલો ઉર્દુ અનુવાદ જાણવા જેવો છે,
”માં તસ્લીમાત !
તું ભરી હૈ મીઠે પાની સે
ફળ-ફૂલો કી શાદાબી સે
દક્કીન કી ઠંડી હવાઓ સે
ફસલો કી સુહાની ફીજાઓ સે
તસ્લીમાત , માં તસ્લીમાત !

તેરી રાતે રોશન ચાંદ સે
તેરી રોનક સબ્જે-ફામ સે
તેરી પ્યાર ભરી મુસ્કાન સે
તેરી મીઠી બહુત જુબાન સે
તેરી બાહોંમે મેરી રાહત સે
તેરે કદમો મેં મેરી જન્નત સે

ડો. મહેબૂબ દેસાઈ

સૂફીસંત કમાલ : ડૉ. મહેબૂબ દેસાઈ


સંત શિરોમણી કમાલ

ડો. મહેબૂબ દેસાઈ


કબીરનો પુત્ર કમાલ પણ કબીરના માર્ગે ચાલ્યો હતો.બલ્કે કબીર કરતા બે કદમ આગળ હતો.
ઓશો કહે છે,
" કબીર સાધુ હતા, તો કમાલ સંત હતા."
સાધુ અને સંત વચ્ચેનો ભેદ પાતળો છે. પણ પામવા જેવો છે. સાધુ સંસારથી પર નથી. તે તેનો મૂળ ધર્મનો પાલક છે.સાધુ દિવસભર ધર્મકાર્યમાં રત રહે છે. પણ રાત્રે વિવશ થઈ જાય છે. સંત દિવસ રાત ઈશ્વર-ખુદાની યાદમાં લીન રહે છે.અલબત્ત કબીરની સાધુતા પરમ હતી.સંતને પણ શરમાવે તેવી હતી.એકવાર કાશી નરેશે કબીરને કહ્યું,
" કમાલને સમજવો મુશ્કેલ છે. ક્યારેક તો તે આમ ઇન્સાન જેમ વર્તે છે "
" આવું તમને કેવી રીતે લાગ્યું ?"
કાશી નરેશ કહ્યું,
“એક દિવસ હું એક બહુમુલ્ય હીરો લઇને તેમની પાસે ગયો. અને તેમને આપ્યો. તેમણે તે સ્વીકારી લીધો અને મને ઝૂંપડીની છતમાં મૂકી દેવા કહ્યું"
થોડીવાર મૌન રહી કાશી નરેશ બોલ્યા,
" ચોક્કસ એ હીરો બજારમાં વેચાઈ ગયો હશે "
કબીર તેમની વાત સાંભળી રહ્યા.પછી કાશી નરેશની સામે જોઈ બોલ્યા,
"તમે એક વાર જઈને તપાસ તો કરો કે હીરાનું શું થયું ?"
કાશી નરેશ કમાલ પાસે પહીંચી ગયા અને પૂછ્યું,
"પેલો હીરો મેં આપની ઝુપંડીની છતમાં ખોસ્યો હતો તે ક્યાં છે ?"
કમાલ કાશી નરેશનો પ્રશ્ન સંભાળી મલકાય પછી બોલ્યા,
"તે ઝૂંપડીની છતમાં જ્યાં ખોસ્યો હતો ત્યાં જોઈ લે "
અને કાશી નરેશે જ્યાં હીરો ખોસ્યો હતો તે જગ્યાએ હાથ નાખ્યો. હીરો ત્યાં જ હતો. અચરજ નજરે તેઓ કમાલને જોઈ રહ્યા.પણ કમાલે બંધ આંખે જ કહ્યું,

“મેં તને પહેલા જ કહ્યું હતું, આ પથ્થરને ઊંચકીને અહીં શું કામ લાવ્યો છે? અને લાવ્યો છે તો ઊંચકીને પાછો લઈ જવાની જહેમત શું કામ કરે છે ? અહિયાં જ ક્યાંક ઝુંપડીની છતમાં ખોસી દે. પથ્થર ગમે ત્યાં પડ્યો રહે શો ફેર પડે છે."

અને પુનઃ સંત કમાલ ખુદા-ઈશ્વરની યાદમાં લીન થઈ ગયા.