Friday, November 6, 2009

Vandematram : Prof.Mehboob Desai

ડૉ. મહેબૂબ દેસાઈ

વન્દેમાતરમ ગીતનો ફતવો : અકારણ વિવાદ



કુરાને શરીફમાં એક શબ્દ છે " તયમ્મુમ " જેનો અર્થ થાય છે,
“જયારે વઝુ (નમાઝ પૂર્વે પવિત્ર થવાની ક્રિયા) કરવા માટે પાણી ઉપલબ્ધ ન હોય ત્યારે જે સ્થળે તમે હોવ ત્યાની મીટ્ટી-માટીને હાથ, પગ અને મોં પર ફેરવી દો તો પણ નમાઝ માટેની પવિત્રતા પ્રાપ્ત થઈ જાય છે"
જે ધર્મમાં વતનની મીટ્ટી-માટીને પવિત્રતા માટેના માધ્યમ જેટલી અહેમિયત આપવામાં આવી હોય , તે ધર્મ વતન પ્રેમને વ્યક્ત કરતા ગીત "વન્દેમાતરમ"ને ગાવાની પાબંધી કેવી રીતે કરી શકે?.

ઈ.સ.૧૮૭૫ના દુર્ગા પુજાના તહેવાર નિમિતે બંકીમચંદ્ર ચટોપાધ્યાય (૧૮૩૮-૧૮૯૪)પોતાના વતન કાન્તાલ્પાડા ટ્રેનમાં જઈ રહ્યા હતા.ટ્રેનના ડબ્બાની બહાર દેખાતા ખેતરો, વૃક્ષો , ફૂલો, ફળો ,નદી , ઝરણાંને જોઈ બંકિમચંદ્રને પ્રેરણા મળી. અને તેમણે ટ્રેનના ડબ્બામાં જ એક ગીત રચ્યું.એ ગીત એ જ "વંદેમાતરમ".
.
પછી તો તેમણે એ ગીત તેમની નવલકથા "આનંદમઠ"માં મુક્યું. આનંદમઠ નવલકથામાં એક મુસ્લિમ અંગ્રેજ શાશકો સાથે મળીને આમપ્રજાનું શોષણ કરે છે. એ શોષણ સામે પ્રજા પ્રચંડ બંડ પોકારે છે.અને ત્યારે પ્રજા "વંદેમાતરમ" ગાય ઉઠે છે. રાષ્ટ્રીય જાગૃતિ પ્રેરક આનંદમઠ નવલકથાને કારણે "વંદેમાતરમ" ગીત કાફી પ્રચલિત થયું. પરિણામે
ઈ.સ.૧૮૯૬માં કલકત્તા મુકામે કોંગ્રસનું અધિવેશન મળ્યું ત્યારે એ અધિવેશનમાં રવીન્દ્રનાથ ઠાકુરે પ્રથમવાર વંદેમાતરમ" ગીત સ્વર અને સંગીત સાથે ગાયું.એ અધિવેશનના પ્રમુખ એક પ્રખર મુસ્લિમ મહંમદ રહેમતુલ્લા સયાની હતા. જેમણે પણ એ ગીત લોકો સાથે ગર્વ ભેર ગાયું હતું.

ઈ.સ.૧૯૦૫ના બંગાળના ભાગલા પછી ભારતમાં સ્વદેશી આંદોલન સક્રિય થયું.એ આંદોલનમાં બંગાળના મુસ્લિમો જુસ્સા પૂર્વક "વંદેમાતરમ" ગીત ગાતા. આ અંગે
ગાંધીજી લખે છે,
"બંગભંગ સમયે "વંદેમાતરમ" ગીત હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમું હતું"

ઈ.સ. ૧૯૦૬માં કોંગ્રસનું બાવીસમું અધિવેશન કલકત્તામાં મળ્યું . ત્યારે જ "વંદેમાતરમ"ને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રવાદી મહમદઅલી જીન્ના પ્રાંરભના દિવસોમાં "વંદેમાતરમ" ગીત ઉત્સાહ પૂર્વક ગાતા. પણ ૧૯૩૫ પછી તેમનો રાજકીય અભિગમ બદલાયો અને ૧૯૩૭માં તો જીન્નાએ "વંદેમાતરમ"ગીતનો સખ્ત વિરોધ કર્યો. પરિણામે મૌલાના આઝાદ,પંડિત નહેરુ , સુભાષચન્દ્ર બોઝ અને આચાર્ય નરેન્દ્ર દેવની એક સમિતિ રચાય.તેમણે આ ગીતનો પૂર્ણ અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું ,
“ગીતની પ્રથમ બે પંક્તિ ગાવા અંગે મુસ્લિમો માટે કોઈ ધર્મબાદ નથી.ગીત રાષ્ટ્રીય ગીત તરીકે પૂર્ણ યોગ્ય છે"

જો કે આ જ વિચારને અલીબંધુઓ મૌલાના શોકતઅલી અને મોહંમદઅલીએ વર્ષો પૂર્વે વ્યક્ત કર્યો હતો અને રાષ્ટીય ચળવળમાં"વંદેમાતરમ" ગીત અનેકવાર ઉત્સાહભેર ગાતા જોવા મળ્યા હતા.

એટલે આજનો વંદેમાતરમ ગીતનો ફતવો અને વિવાદ અકારણ લાગે છે.

2 comments:

  1. vande matram geet tame adhuru lakho cho. eni te panktio jema durga matani puja ni wat aave che te lakhvama nathi aawti, aarambh ni amuk panktio no arth batavi ne pachi aakhu geet musalmano pase bolawavi ne iman khatam karva no karso ce, tame prathmik shcool na pathya pustako la last page par aakhu geet chapayelu joy shako cho, jo rashtra geet aarambh ni amuk panktio j che to aa aakhu geet chapwa no aashay ?

    ReplyDelete
  2. તમારી વાત થી હુ સહમત છુ, મેહબુબ સાહેબે વગર સમજીને લખીને અક્કલનુ પ્રદર્શન કર્યુ છે

    ReplyDelete