Thursday, October 15, 2009

100 Eminent Personalities of Bhavnagar




૧૦૦ પ્રતિભાઓનું વિશિષ્ટ સન્માન
Bhaskar News, Bhavnagar
October 03 , 2009

પ્રતિમાઓની પૂજા કરતાં સમાજમાંથી પ્રતિભાઓને શોધી કાઢી, તેઓને સન્માનવાનું કાર્ય સૌરાષ્ટ્ર સમાચારે કર્યુ છે : પૂ. રમેશભાઈ ઓઝા આપણે પ્રતિમાઓની પૂજા કરવા ટેવાયેલા છીએ, પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા પણ આપણે કરીએ છીએ. પરંતુ જે સમાજમાં આપણે રહીએ છીએ, તે સમાજમાંથી અનન્ય પ્રતિભાઓને શોધી કાઢી તેઓનું સન્માન કરવાનું સ્ત્યુત્ય કાર્ય દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારે કર્યુ છે. તેમ ગુરૂવારે શ્રી પાર્ટી પ્લોટ ઈસ્કોન ખાતે યોજાયેલા એક રંગદર્શી સમારોહમાં ભાવ.જિલ્લાની એકસો પ્રતિભાવંત પ્રતિભાઓનું સન્માન કર્યા બાદ જાણીતા ભાગવતાચાર્ય પૂજય રમેશભાઈ ઓઝાએ પ્રસન્નતા વ્યકત કરી જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજનાં ઘડતરમાં પોતાની જાત નિચોવી નાંખનાર ભાવનગર જિલ્લાના ૧૦૦ શિલ્પીઓને શોધી કાઢવાનું કાર્ય કપરૂં છે પણ આ અખબારે તે સુપેરે પાર પાડયું છે. અખબાર સંચાલન કાંટાળો પથ હોવા અંગે પ્રકાશ પાડતા કહ્યુ હતું કે પત્રકાર, પોલીસ અને પોલિટિશ્યન માટે લાગણીશીલ હોવું તે તેની નબળાઇ છે કે તાકાત છે, આ યક્ષ પ્રશ્ન છે, આ ત્રણેય ક્ષેત્રના લોકો લાગણીશીલ હોય તો પોતાના કાર્યક્ષેત્રને ન્યાય આપી શકે નહી, અને લાગણીશૂન્ય હોય તો સમાજ માટે અસરકર્તા સાબિત થાય. પૂ.ઓઝાએ લાગણી વિનાના માણસને પાણી વિનાની નદી સમાન વર્ણવ્યો હતો. તેઓએ શિલ્પીઓ અંગે કહ્યું હતું કે, જે લોકો ઘ્યેય પાછળ સતત કાર્યરત રહે છે અને નિષ્ફળતાની લેશમાત્ર પરવાહ કર્યા વિના કામ કરતા રહે છે આવા માણસા થાકતા નથી.જ્યારે ઉર્જા અને નાણા રાજ્યમંત્રી સૌરભભાઈ પટેલે મુખ્ય અતિથિપદેથી ઉદ્દબોધન કરતા ૧૦૦ શિલ્પીઓને સન્માનિત કરવાના કાર્યક્રમ માટે સૌરાષ્ટ્ર સમાચારને બિરદાવ્યું હતું. અને ૧૦૦ પાવરફુલ વ્યક્તિઓને કેન્દ્રસ્થાને લઈ ભાવનગર જિલ્લાના વિકાસને ગતિમાં લાવવા સહિયારા પુરૂષાર્થની આવશ્યકતા છે. ભાવનગરના વિકાસ માટે સરકાર દ્વારા રૂ.૫૦૦ કરોડની જોગવાઈ થશે. જે માટે ભાવનગરના શિલ્પીઓનું માર્ગદર્શક સૂચન આવકાર્ય રહેશે અને વધુમાં સૌરભભાઈ પટેલે ભાવનગરના વિકાસની ઓળખ ઉભી કરવા જેમ અમદાવાદની ઓળખ આઈ.આઈ.એમ. છે તેમ આગામી દિવસોમાં ભાવનગરથી ભાલને જોડતો ગુજરાતનો સૌથી મોટો કેબલ સ્ટેન્ડ પુલ બનશે જે ભાવનગરની માત્ર રાજ્ય નહીં પરંતુ રાષ્ટ્રમાં એક આગવી ઓળખ ઉભી કરાશે.ભાવનગરના સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સમાચારે ૧૦૦ શિલ્પીઓ શોધી કાઢી તેનું સન્માન કરી ભાવેણા ઉપર ૧૦૦ ઉપકાર કર્યા છે. પિડા વિના કયારેય પ્રસિધ્ધિ મળતી નથી, પરંતુ આકરી મહેનત વડે મળેલી પ્રસિધ્ધિ પણ પારા સમાન હોય છે, તે કયારે સરકી જાય તેની ખબર રહેતી નથી.જ્યારે ભાવનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્કના ચેરમેન નાનુભાઈ વાઘાણીએ સૌરાષ્ટ્રની ઓળખસમાન સૌરાષ્ટ્ર સમાચાર હરહંમેશ સહકારીક્ષેત્રની પ્રગતિ માટેના સહકારમાં પણ મોખરે રહ્યું છે. અને ભાવનગરનાં શિલ્પીઓને સન્માનનો કાર્યક્રમ અનુકરણીય હોવાનું જણાવ્યું હતું.સન્માનીત શિલ્પીઓ વતી પોતાના પ્રતિભાવ વ્યકત કરતા શિપ બ્રેકિંગ એસોસિએશનના પ્રમુખ અને શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રદાન આપી રહેલા રમેશભાઇ મેંદપરાએ સૌરાષ્ટ્ર સમાચાર અંગે કહ્યું હતુકે શરૂઆતથીજ આ નિડર અખબારે સામાજિક દાયિત્વ નિભાવ્યું છે, અને જયારથી દિવ્ય ભાસ્કર સાથે તેનું એકત્રીકરણ થયું છે ત્યારથી સુઘડ મુદ્રણ, નામાંકિત લેખકોની કોલમો સાથેની સંઘરવાલાયક પૂર્તિઓ સહિતની બાબતે તેની અસ્કૃયામતમાં ઉમેરો કર્યો છે. અન્ય શિલ્પી ડો.મહેબૂબ દેસાઇએ શાયરાના અંદાઝમાં શિલ્પીઓ વિષે કહ્યુ હતુ કે, ‘ઉંગલીયાં યું ન સબ પે ઉઠાયા કરો, ખર્ચ કરને સે પહેલે કમાયા કરો. જિંદગી કયા હે ખુદ-બ-ખુદ જાન જાઓગે, બારિસો મેં પતંગ ઉડાયા કરો.’ડો.દેસાઇના મતે સામા પવને વહાણ ચલાવનારા લોકો જીવનમાં કાંઇક કરી શકે છે તેમ જણાવ્યું હતું. શિલ્પીઓના સન્માન બાદ પુસ્તકના જયુરી મેમ્બર ઈન્દુભાઈ ચાતુર્વેદી, અરૂણભાઈ મહેતા, ડો.પી.જી. કોરાટ, ડો.શૈલેષ જાની અને શ્રીમતી છાયાબેન પારેખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.૧૦૦ શિલ્પીઓના સન્માન સમારોહનો પ્રારંભ દિપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો. તમામ અતિથિઓનું પૂષ્પગુરછથી સ્વાગત કર્યું હતું. સ્વાગત પ્રવચન સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી પ્રતાપભાઈ શાહે કર્યું હતું અને સૌરાષ્ટ્ર-કચ્છનાં માર્કેટીંગ હેડ સંજય ગોરે ભાસ્કર ગ્રૂપનો પરિચય આપ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના એકિઝકયુટીવ એડિટર કાના બાંટવાએ ૧૦૦ શિલ્પીના પુસ્તક અંગે માહિતગાર કર્યાં હતા તેમજ આભારદર્શન ડેપ્યુટી એડિટર તારકભાઈ શાહે કર્યું હતું.આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે મેયર રીનાબેન શાહ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મેહુલભાઈ વડોદરીયા, દિવ્ય ભાસ્કૃર ગ્રૂપના ગુજરાત રાજ્યના એકઝિકયુટીવ એડિટર અજયભાઈ ઉમટ, માર્કેટીંગ સ્ટેટ હેડ ધર્મેન્દ્ર મિશ્રા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભાવનગર જિલ્લાભરમાંથી જુદા-જુદા ક્ષેત્રના અગ્રણી-આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.કાર્યક્રમની ઉદ્દઘોષણા સૌનક વ્યાસ અને સુમિત ઠક્કરે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર યુનિટ હેડ રાજેન્દ્રસિંહ યાદવ તથા માર્કેટીંગ ટીમના ચેતન સોની, હાર્દિક સોની, ફિરોજ પઠાણ, નિતિન પંડયા, સુરેશ વાળા, અજય ગૌસ્વામી અને મુકેશ મંગલાણી વિ.એ જહેમત ઉઠાવી હતી.

--------------------------------------------------------------------------

શિલ્પીઓનું સન્માન કરી સૌરાષ્ટ્ર સમાચારે અનોખો ચીલો ચાતર્યો છે : સૌરભભાઈ પટેલ

૧૦૦ શિલ્પીઓનું સન્માન કરી સૌરાષ્ટ્ર સમાચારે ભાવેણા ઉપર ૧૦૦ ઉપકાર કર્યા છે : રાજુભાઈ રાણા

સહકારી ક્ષેત્રની પ્રગતિ માટે સહકારમાં સૌરાષ્ટ્ર સમાચાર મોખરે : નાનુભાઈ વાઘાણી

નિડર અખબારે ૧૦૦ ઘડવૈયા શોધી સામાજિક દાયિત્વ સૂપેરે નિભાવ્યું : રમેશભાઈ મેંદપરા

સામ પવને વહાણ ચલાવનારા જ જીવનમાં સિધ્ધિ મેળવી શકે છે : પ્રો. મહેબૂબ દેસાઈ

Wednesday, October 14, 2009

Bhavnagar University
Department of History
M.A. Semester -4
Constitutional and Administrative History of India:1858-1950
Paper No. 14
Marks: 70
Lectures: 45
Unit: 1

1. Transfer of Power to British Crown: Act of 1858 and
Queen Victory’s Proclamation.
2. Council Acts: 1861, 1892 and 1909.

Unit: 2

3. Montague Declaration (1917) and Montford Reforms
(1919).
4. Exercise for Constitution: Simon Commission, C.R.Fromula
Round Table Conference.

Unit: 3

5. Act of 1935 and Provincial Autonomy
6. Constitutional Exercises during War Period (1940-1945)

Unit: 4

7. Mountbatten Plan and Indian Independence (1947)
8. Towards the new Constitution of Republic of India.

Unit: 5.

9. Crows Policy towards Princely State of India.
10. Development of local self government of India Under Crown.



Monday, October 12, 2009

Hazrat Davlash Pir : Prof. Mehboob Desai


શ્રદ્ધાનો દરિયો : હઝરત દાવલશાહ

ડો. મહેબૂબ દેસાઈ



ઇસ્લામમાં ચમત્કારો કરતા વિશેષ પ્રાધન્ય ઈમાન,શ્રધા, અને વિશ્વાસને આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ
ખુદા અને પછી તેના પ્યારા બંદા કે ભક્તો ની દુવા પર આમ ઇન્સાનનો વિશ્વાસ - ઈમાન ઇસ્લામી સંસ્કૃતિની શાન છે. રૂપેશ સિંઘા ઉંમર આશરે ૩૫ . જન્મે બંગાળી ક્ષત્રિય. શિવજીના પરમ ઉપાસક. જૈનકન્યા પ્રીમાં સાથે પ્રેમ લગ્નથી જોડાયેલા અને યશરાજ નામના પુત્રના પિતા સાથે થોડા દિવસ પૂર્વે મળવાનું થયું. વાતોમાંને વાતોમાં તેમણે મને કહ્યું,
" ખુદા-ઈશ્વર પર ઈમાન અને દાવલશાહ બાપુની દુઆઓથી જીવું છું."
મને ખુબ નવાઈ લાગી.છતાં એક પણ પ્રશ્ન પૂછ્યા વગર હું તેમને સાંભળી રહ્યો.
" દાવલશાહ બાપુની ૩૬૫ દરગાહ મહારાષ્ટ્રમાં છે. મારા બનેવીને પુનામાં નોકરીમાં સમસ્યા ઉભી થતા મારે પુના જવું પડ્યું. ત્યારે મને પુનામાં બંધ ગાર્ડન પાસે આવેલી દાવલશાહ બાપુની દરગાહની જાણ થઈ. અને મેં ત્યાં જઈ ફાતિહા અદા કર્યા. અને મારા બનેવીની મુશ્કેલી આસાન થઈ ગઈ."
મેં તેમની સામે જોઈ પૂછ્યું,
" તમને ફાતિહા પઢતા આવડે છે ?"
મારી સામે સ્મિત કરી રૂપેશભાઈએ આંખો બંધ કરી અને "અલ્હમ્દો લીલ્લાહે રબીલ આલમીન"ની આખી આયાત પઢી બતાવી. હું આશ્ચર્યચકિત નજરે તેમને તાકી રહ્યો.
જે દાવલશાહ પીરને કારણે તેમણે ફાતિહા માટેની આખી આયાત મોઢે કરી હતી, તે સૂફીસંત દાવલશાહ પીરનો ઉર્ષ ૩૦ ઓક્ટોબર (૧૧ જીલ્કાજ )ના રોજ છે. રૂપેશભાઈ જેવીજ શ્રધા અમદાવાદના કામઘેનું પેઢીના વડીલ ત્રિકમભાઈ નારાયણદાસનું આખું કુટુંબ સેવે છે. હઝરત દાવલશાહની દુવાઓથી તેમના સમગ્ર કુટુંબમાં સુરક્ષા,સુખ અને સમૃદ્ધી આવ્યાની વાતો કરતા કુટુંબનું એક પણ સભ્ય થાકતું નથી. ૧૯૮૫મા અમદાવાદમાં કોમી અશાંતિ વ્યાપી હતી. ચારે બાજુ આગ પ્રસરી હતી. ત્રિકમભાઈના મુહ્લ્લામાં સૌ ભયભીત હતા. પણ ત્રિકમભાઈ સૌને ધરપત આપતા અને કહેતા,
" ઈશ્વરની કૃપા અને દાવલશાહ પીરની દુવાથી આપણા વિસ્તારમાં કઈ નહિ થાય."
એ જ રાતે તેમને સ્વપ્નમાં દાવલશાહ પીર આવ્યા અને કહ્યું," બચ્ચા, એક સળગતું ચક્ર દિલ્હી દરવાજા થઈ,સલાપસ રોડ થઈ,ત્રણ દરવાજા થઈ ચાલ્યું જશે. તમારા વિસ્તારને કશુજ થશે નહિ"
અને સાચ્ચેજ એમ થયું.



તેમનો આખો વિસ્તાર તેમના કહેવા મુજબ દાવલશાહ પીરની દુવાથી બચી ગયો.
અમદાવાદના મોટા સૂફી સંત હઝરત શાહેઆલમ સાહેબના ખીદમતગર તરીકે જાણીતા અબ્દુલ લતીફ બિન મલિક ઉર્ફ હઝરત દાવલશાહની અસલ મઝાર સૌરાષ્ટ્રના મોરબી શહેર નજીક હાલર (જોડિયા) પાસે આમરણ ગામે આવેલ છે. આ જ દાવલશાહ પીર ગુજરાતના સુલતાન મહેમુદ બેગડાના માનીતા ધાર્મિક ઉમરાવ હતા. હઝરત દાવલશાહ સાહેબનો સમગ્ર વ્યવહાર ઇસ્લામના કાનુન મુજબ જ ચાલતો હતો. ઈબાદત અને ઈમાનદારી તેમના જીવનના મુખ્ય ઉદેશો હતા. મિરાતે સિકંદરીમાં તેની નોધ લેતા લખ્યું છે,
" યુદ્ધના સમયમાં એકવાર સીપાયોએ પોતાના ચાર દિવસ ભૂખ્યા ઘોડાઓને કોઈના ખેતરમાં ચરવા છોડી મુક્યા.એ જોઈ દાવલશાહ સાહેબ બોલી ઉઠ્યા " ખુદાનો ખોફ (ડર) રાખો અને તમારા ઘોડાઓને સબ્ર શીખવો"

સિપાયોએ જવાબ વાળ્યો ,
" ઘોડાઓ ચાર દિવસથી ભૂખ્યા છે. તેમનામાં સબ્ર ક્યાંથી આવે ?"
સીપાયોનો જવાબ સાંભળી દાવલશાહ સાહેબે પોતાનો ઘોડો ખુલ્લા ખેતરમાં છૂટો મૂકી દીધો. ઘોડાએ ખેતરનું એક તણખલું મોંમાં ન લીધું. સૌ સિપાયો હઝરત દાવલશાહના ઘોડાની સબ્ર જોઈ રહ્યા.ત્યારે આપે ફરમાવ્યું ,
" તમારી સબ્ર અને ઈમાનદારીનો પ્રભાવ તમારી સાથે જીવતા દરેક જીવ પર પડે છે."
આવા પાક સુફીસંત દાવલશાહ પીરની વફાત જીલ્કાજ માસના ૧૧માં ચાંદે હિજરી સવંત ૯૧૨ ઈ.સ. ૧૫૦૬ના રોજ થઈ હતી.
મિરાતે સિકંદરીના કર્તા લખે છે,
" હઝરત દાવલશાહની વફાતને એક સો પાંચ વર્ષ થયા છતાં હજુ પણ લોકોની ભીડ તેમની દરગાહ પર જામે છે."
આજે પણ આમરણ ગામે તેમના ઉર્ષમાં માનવ મહેરામણ ઉભરાય છે, અને શ્રધાની જ્યોત જ્યાં સુધી પ્રગટતી રહેશે ત્યાં સુધી માનવ મહેરામણ ઉભરાતું રહેશે.

Thursday, October 1, 2009

Happy New Year to All : Prof. Mehboob Desai

સુવિચારોના સથવારે નુતન વર્ષાભિનંદન



ડો. મેહબૂબ દેસાઈ



દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. નવા વર્ષના આગમનની ખુશીનો ઉત્સવ છે.
જીવનના દુખો,ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે.ખુશીને માણવાનો
પ્રસંગ છે. દરેક ધર્મમાં ખુશીને જીવવાના અવસરો મુક્કરાર થયા છે. હિંદુ
ધર્મમાં દિવાળી અને બેસતું વર્ષ છે. ઇસ્લામમાં ઈદ છે.
ખ્રીસ્તીમાં ક્રીશ્મસ છે. પારસીમાં પતેતી છે. આ બધાના નામો , રીવાજો અને
પહેરવેશો ભલે અલગ અલગ હોઈ પણ બધાનો ઉદેશ એક જ છે. અને તે છે ખુશી,આનંદ.
એ દિવસે સૌ
સાથે મળીને વડીલોના આશીર્વાદ લે છે. ભાવતા ભોજન આરોગે છે.અને ખુશીને માણી
સકાય તેટલી પેટ ભરીને માણે છે.
પ્રસંગોને માણવાની આ રીત દરેક ધર્મમાં સમાન છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) આ
અંગે કહે છે,

"તહેવારોમાં હળો મળો, હસી-મજાક કરો. ખાઓ -પીઓ , અને ખુશી મનાવો. ખુશીને
બરાબર ઉજવો "

ખુશીની ઉજવણી માત્ર ભાવતા ભોજન અને આનંદ પુરતી સીમિત ન હોઈ સકે. સદ
વિચારોનું આચમન પણ ઉત્સવની ઉજવણીનો હાર્દ છે. દીપાવલીની ઉજવણી ખલીલ
જિબ્રાનના કેટલાક સદ અવતરણોના આચમનથી કરીએ.
" મારા દુશ્મને મને કહ્યું ," તારા દુશ્મનને પ્રેમ કર' અને મેં તેનું
અનુસરણ કર્યું. અને મેં મારી જાતને ચાહી"

"ભક્તિ માટે અલગતા અને એકાંત અનિવાર્ય નથી"

"શક્તિ અને સહનશીલતા એ બે ભાગીદર છે."

"મારી અજ્ઞાનતાનું કારણ હું સમજુ તો હું સંત થઈ જાઉં"

"વાક્છટા અટેલે કાન પર જીભની લુચ્ચાઈ,પણ વ્ક્તુત્વ એટલે હ્રદયનું આત્મા સાથે મિલન"

" વિજ્ઞાન અને ધર્મ વચ્ચે પૂર્ણ સંવાદિતતા છે, પરંતુ વિજ્ઞાન અને વિશ્વાસ
વચ્ચે પૂર્ણ વિસંવાદ છે."
"મજબુત મનુષ્ય એકાંતમાં વિકસે છે,જયારે નિર્બળ ખરી પડે છે."

"ખરો ધાર્મિક માણસ એક ધર્મને વળગી રહેતો નથી, અને જે એક ધર્મને વળગી રહે
છે તે ધાર્મિક નથી"

"કંજૂસ સિવાયના બધા તરફ ઉદાર થવું એ જ કરકસર"

"ધર્મગુરુ ભોળા ભક્તોના હાડકા અને કબરો પર પોતાના અરમાનો પુરા કરે છે."

"પ્રેમ એ એક જ એવું પુષ્પ છે,જે ઋતુ સિવાય ખીલે છે."

"ધરતી શ્વાસ લે છે
આપણે જીવીએ છીએ
એ શ્વાસ રોકે છે
આપણે ઢળી પડીએ છીએ"

" જેણે વ્યથ જોઈ નથી,તે આનંદને પામી સકતો નથી"
"દયાળુ ન બનશો,
કારણકે
દયા ગુનાખોર કેદીયો પ્રત્યે
દર્શાવાય છે,

જયારે ન્યાય ,અને માત્ર ન્યાય જ નિર્દોષ વ્યક્તિની માંગ છે"

"અજ્ઞાન સાથીની મિત્રતા દારૂડિયા સામે દલીલ કરવા જેટલીજ મૂર્ખતાપૂર્ણ છે"

ખલીલ જિબ્રાનના આ વચનોને ઉત્સવના આનંદ સાથે વાગોળતા રહીએ , એજ પ્રાર્થના
સાથે સૌ વાચક મિત્રોને નુતન વર્ષાભિનંદન .