Wednesday, September 30, 2009

દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. નવા વર્ષના આગમનની ખુશીનો ઉત્સવ છે. જીવનના દુખો,ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે.ખુશીને માણવાનો પ્રસંગ છે. દરેક ધર્મમાં ખુશીને જીવવાના અવસરો મુક્કરાર થયા છે. હિંદુ ધર્મમાં દિવાળી અને બેસતું વર્ષ છે. ઇસ્લામમાં ઈદ છે.
ખ્રીસ્તીમાં ક્રીશ્મસ છે. પારસીમાં પતેતી છે. આ બધાના નામો , રીવાજો અને પહેરવેશો ભલે અલગ અલગ હોઈ પણ બધાનો ઉદેશ એક જ છે. અને તે છે ખુશી,આનંદ. એ દિવસે સૌ
સાથે મળીને વડીલોના આશીર્વાદ લે છે. ભાવતા ભોજન આરોગે છે.અને ખુશીને માણી સકાય તેટલી પેટ ભરીને માણે છે.
પ્રસંગોને માણવાની આ રીત દરેક ધર્મમાં સમાન છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) આ અંગે કહે છે,
"તહેવારોમાં હળો મળો , હસી-મજાક કરો. ખાઓ -પીઓ , અને ખુશી મનાવો. ખુશીને બરાબર ઉજવો "

No comments:

Post a Comment