Sunday, June 14, 2009

પ્રાયિશ્ચત અને દાનનો સંગમ ઇદ-ઉલ-ફિત્ર : ડૉ. મહેબૂબ દેસાઈ

હિજરી સન બીજી એટલે ઇ.સ. ૬૨૩ના રમઝાન માસથી ખુદાએ રોઝાને ફર્જ (ફરજિયાત) કર્યા. આ જ રમઝાન માસ પૂરો થવાના બે દિવસની વાર હતી, ત્યારે હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ને ઇદ-ઉલ-ફિત્રની નમાજ અને સદકા-એ-ફિત્રનો આયાત દ્વારા ખુદાનો આદેશ આપ્યો. એ આયાત (શ્લોક)માં ખુદાએ મહંમદ સાહેબ (સ.અ.વ.)ને જણાવ્યું હતું. ‘બેશક એ વ્યકિત સફળ થયો, જેણે બુરાઈઓથી પોતાની જાતને પાકસાફ કરી, ખુદાનું નામ લઈ નમાઝ અદા કરી.’

હજરત અબુલ આલિયહ અને હજરત ઉમર બિન અબ્દુલ અઝીઝ આ આયાતનું અર્થઘટન કરતા કહ્યું, ‘સફળ થયો એ વ્યકિત કે જેણે સદકા-એ-ફિત્ર અદા કરી અને ઇદની નમાઝ પઢી.’ આમ, ઇસ્લામમાં ‘ઇદ’નો પ્રારંભ થયો. ‘ઈદ’ શબ્દ મૂળ ‘અબદ’ પરથી આવ્યો છે. ‘અબદ’ એટલે પુનરાવર્તન. દરઅસલ પાછી ફરતી ખુશી એટલે ઈદ. ઇદનું મહત્ત્વ મારા બાહ્ય ખુશી પૂરતું સીમિત નથી. ઈદની ખુશી સાથે એકતા, શાંતિ, સરચાઈ, સમાનતા, ઇબાદત અને ખુદાની નેમતો (મહેરબાનીઓ)નો શુક્ર અદા કરવાની ભાવના પણ સંકળાયેલી છે. સમગ્ર રમઝાન માસ દરમિયાન રોઝા (ઉપવાસ) અને ઇબાદત (ભકિત) દ્વારા ઇસ્લામના માનવીય સિદ્ધાંતોને અનુસરવાના સંનિષ્ઠ પ્રયાસોની ખુશી એટલે ઇદ. ઈદના દિવસે દરેક મુસ્લિમને ત્યાં ખીર બને છે. ખીર એ પવિત્ર ભોજન છે. દૂધ, ખાંડ, સેવ અને સૂકો મેવો નાંખી બનાવવામાં આવતી આ ઈદની વાનગી જીવનમાં પુન: મીઠાશ પ્રસરાવવાનો સંદેશ આપે છે. ઇદની નમાઝ સમાનતાના સંદેશ સમી છે. નમાઝ પછી મુસાફો (હસ્તધૂનન) કે એકબીજાને ભેટીને, ગળે મળીને વીતેલા વર્ષમાં સંબંધોમાં વ્યાપેલ કડવાશ ભૂલી જઈ, મનને સ્વરછ કરી, પુન: પ્રેમ, મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે. કોઈ પણ મુસ્લિમ કે ગેરમુસ્લિમ મન, હૃદય સ્વરછ કરી મુસ્લિમ બિરાદરને ત્યાં ‘ઈદ મુબારક’ કરવા આવે છે ત્યારે તેને સામે ઉમળકાતી આવકાર મળે છે. બંને એકબીજાના ગળે મળે છે. ખીરની મીઠાશથી સંબંધોની કડવાશને દૂર કરવામાં આવે છે. બંનેના હૃદય પુન: શુદ્ધ બને છે. ‘ઈદ’ એ ¼ષ્ટિએ એકબીજાની ભૂલોને માફ કરવાનો દિવસ છે. હઝરત કાબા બિન માલિકે પોતાની ભૂલોની ખુદા પાસે આવીને ક્ષમા માંગી હતી અને ખુદાએ તેમની તમામ ભૂલો માફ કરી દીધી હતી. ત્યારે સૌ તેમને મુબારકબાદ આપવા ગયા. સૌથી છેલ્લે મહંમદસાહેબ (સ.અ.વ.)તેમને મુબારકબાદ આપવા ગયા ત્યારે આપે ફરમાવ્યું હતું, ‘કાબા, તમારી જિંદગીનો ઇદ સમો આ દિવસ છે. આ ખુશીમાં મને પણ સામેલ કરો અને મારી પણ મુબારકબાદ સ્વીકારો.’ આવી પ્રાયિશ્ચતની ક્રિયાઓ જ ઇદને સામાજિક ઉત્સવ બનાવે છે અને એટલે જ ઈદ એ આપણા સંબંધો પર ચડી ગયેલી ધૂળને ખંખેરવાનું પર્વ પણ છે. એક વાર હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું, ‘ઇદના દિવસે શું જરૂરી છે?’ મહંમદસાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું. ‘ઈદના દિવસે ખુલ્લા દિલથી ખુશીનો એજહાર (અભિવ્યકિત) કરો. મનની કડવાશથી મુકત થાવ. ખાઓ-પીઓ અને ખુશીની આપ-લે કરો. ખુશીને માણો અને ખુદાને યાદ કરતા રહો.’

ઇદ જેમ પોતાના સંબંધોને પુન: ધબકતા કરવાનો તહેવાર એમ જ ઇદ-ઉલ-ફિત્ર સાથે ‘ફિત્ર’ની ભાવના પણ અતૂટપણે સંકળાયેલી છે. રમઝાન ઇદની નમાઝ પૂર્વે દરેક મુસ્લિમે બે કિલો ઘઉં અથવા તેની કમિંત બરાબર રૂપિયા દાનમાં આપવા જરૂરી છે. તેને ફિત્ર: કહે છે. ઇદની ખુશીમાં દાનનો મહિમા પણ સંકળાયેલો છે. તેમને ઇસ્લામમાં ‘સદકો’ પણ કહે છે.

એક વાર એક ચીંથરેહાલ ગરીબ મહંમદસાહેબ (સ.અ.વ.) પાસે આવ્યો અને બોલ્યો, ‘યા રસુલલ્લાહ, કેટલાય દિવસોથી ભૂખ્યો છું. કંઈ ખાવાનું હોય તો આપો.’ આપે પ્રથમ પોતાના ઘરમાં પૂછ્યું, ‘કંઈ ખાવાનું છે?’ ઘરમાંથી જવાબ મળ્યો, ‘પાણી સિવાય કશું જ નથી.’ આપે સાથીઓને ફરમાવ્યું, ‘કોઈ છે જે આ ગરીબને આજે પોતાનો મહેમાન બનાવે?’ હજરત અબુ તલહાએ ભા થઈને કહ્યું, ‘યા રસુલ્લાહ, હું તેને મારો મહેમાન બનાવું છું.’

હજરત અબુ તલહા એ ગરીબને પોતાના ઘરે લઈ ગયા. મહેમાનને બેઠકમાં બેસાડી, અંદર જઈ આપે પત્નીને કહ્યું, ‘કંઈ ખાવાનું છે?’ ‘માત્ર તમારા જેટલું જ ખાવાનું બાકી છે.’ થોડું વિચારી તલહાએ કહ્યું, ‘ઘરના તમામ ચિરાગો બુઝાવી દો.’

પછી અંધારામાં પેલા ગરીબને બોલાવી તેને ખાવાનું પીરસ્યું. પોતે પણ તેની સાથે બેઠા. અંધારામાં પેલો ગરીબ ખાતો રહ્યો. અબુ તલહા અંધારામાં એવી રીતે હાથ-મોં ચલાવતા રહ્યા જાણે પોતે પણ મહેમાન સાથે જમતા ન હોય? આ રીતે ગરીબ મહેમાનને પેટ ભરીને ભોજન કરાવી આપે તેને પ્રેમપૂર્વક વિદાય આપી. આ બધું ચૂપચાપ જૉઈ રહેલી પત્નીથી ન રહેવાયું અને તે બોલી ઠી, ‘તમે ગરીબ મહેમાનને પેટ ભરીને જમાડયો અને તમે અંધારામાં જમવાનો દેખાવ કેમ કર્યો?’ હજરત અબુ તલહાએ કહ્યું, ‘તમે તંગીમાં હો, છતાં તમારી પાસે જે કંઈ છે તેમાંથી પ્રથમ ગરીબોને આપો.’

ટૂંકમાં ઈદની ખુશી માત્ર સ્વજનોને ભેટવામાં નથી, પણ જાણીતા કે અજાણ્યા સૌને તેમાં સામેલ કરવામાં છે. પ્રાયિશ્ચત અને દાન આ બંને ઈદની ખુશીનાં મૂળભૂત લક્ષણો છે. જૈન સમાજ ‘મિરછામી દુક્કડમ’ કહીને નવા વર્ષનો આરંભ કરે છે. હિંદુ સમાજ ‘સાલ મુબારક’ સાથે મહોબ્બતની આપ-લે કરે છે. જયારે મુસ્લિમ સમાજ ‘ઈદ મુબારક’કહીને ઈદની ખુશી વહેંચે છે. પણ આ વહેંચણીમાં ભૂલ-ક્ષમા દ્વારા સંબંધોને ખીર દ્વારા પુન: પ્રસરાવવામાં આવે છે. આ સાથે જ ગરીબો-મઝલુમોને પણ ઈદની ખુશી માણવાનો, મહેસૂસ કરવાનો અવસર પણ પ્રદાન કરે છે. ખુદા, આ ઈદ આપણને સૌને ઉપરોકત ઉદ્દેશોને સાકાર કરવામાં સફળતા બક્ષે, એ જ દુવા સાથે હિન્દુ-મુસ્લિમ સૌને અમારા ઈદ મુબારક : આમીન.

No comments:

Post a Comment