Thursday, December 17, 2009

Published books of Prof.Mehboob Desai


Published books of Prof.Mehboob Desai


History
1. Mahek (1986)
2. Betalisman Saurashtra (1989)
3. Avishkar (1990)
4. “Bhavnagar State Prajaparishad and
Popular Movements in the Context of
National Movements for Freedom of
India (1920-1947): A Study”
(1992) (Ph.D.Thesis)
5. Swatantra Sangramman Amereli (1991)
6. Hindostan Hamara (1994)
7. Gujaratna Swatantra yugnu Alekhan Karta
grantho (1995)
8. Azadina Ashak Meghani (1996)
9. Bhavnagar Rajyano Itihas (co-writer) (1997)
10. Saurashtrani Swtantra Zekhena (1997)
11. Gujratna Navter Satyagraho (1999)
12. Azadina Pagrav (2000)
13. Gujaratni Swtantra Sadhena (2001)
(second editon 2009)
14 Sardar Patel Ane Bhartiya Muslimo (2001)
15 V-Chariya (2006)
16 Bharatna Itihasni Tavarikh (2006)
17 Muslim Maha-Aatmao (2009)


Sociology (Gujarati)

1. Muslim Manas (2003)
2. Muslim Samaj: Vyath ane Vichar (2003)


Tourism (Gujarati)

1. Do Kadam Hambhi Chale (1997)
2. Safer-E-Saudi Arbia (2001)
3. Gujaratma Pravasan (2004)
4. Austrliya yatra (in press)

Literature (Gujarati)

1. Nokhi Matina Nokha Manvi (1995)
2. Gandhiji (1990)
3. Ravishanker Maharaj (1990)
4. Aapen Jewaher (1991)
5. Adikham Swatantra Sainik Morarji Desai(1992)
6. Krantikari Bhagat Singh
7. Snehni Sarvani (2004)
8. Sufi Jan To Tenere Kahiye.. (2007)
9. Smurtivandena (2008)

Education (Gujarati)

1. Proudha Shikshan: Sindhan Ane Vyvehar
(1989)
2. Proudh Shikshan (1990)
3. Proudha Shikshan:Yojana Ane Sanchalan
(1990)
4. Rameta Rameta Proudh Shikshan
(1991)(cowriter)
5. Janshikshan Niyam (1991)
6. Proudh Shikshan (1994)

Religion (Gujarati)

1. Parab (1991)
2. Shamm-E-Feroza – 1 (1991)
3. Shamm-E-Feroza - 2 (1994)
4. Hazerat Khadija (1991)
5. Kabira Soi Pir Hai.. (1997) (Second Edition 2004)
6. Manav Dharam Islam (1998)
7. Mulyanishtha Mazehab Islam (2004)
8. Alekhne Otele (2008)

English Book

1. Islam And Non-Violence (2009)


Edited Work (Gujarati)

1. Urbanization & Modernisation in Princely States
Of Western India (1858 to 1947) (2001)
2. Itihasma Pravasen (2004)




Research Projects

1. “Sardar Patel and Indian Muslims” sponsored by Indian Council
of Historical research, New Delhi in the year 2000-2001.
Research Project Published by University Granth Nirman Board,
Gujarat State, Ahmedabad.

2. “Muslim Manas” sponsored by Centre for
Social Studies , Vir Narmad south Gujarat
University,Surat .Published by same centre , 2003.

3. “Social Engagement of Professionals of
Gujarat” sponsored by Institute of Social Research
& Development, Ahmedabad during 2003-2004.
Worked as a Project Director.

4. “Sufism in Gujarat” sponsored by Darshak
Foundation, Baroda.
Published by Gurjar Granth Ratan , Ahmedabad , 2007.

5. “Islam and Non-Violence” sponsored by Mumbai
Yuvak Mandal , Mubai.
Published by Gyan Publiction , Delhi , 2009.

Research Project on "Documents of Veneration Presented to Mahatama Gandhiji

Research Project "Documents of Veneration Presented to Mahatama Gandhiji"

Gandhiji a great man , occupies a leading place among the messengers of peace in the world . Gabdhiji ‘s principles of truth ,non- violence and satyagraha (insistence on the observance of truth) and their practice is well-known all over the world . For this, a number of documents of veneration have been presented to Gandhiji from the country (India) as well as from foreign countries. But till to date no research of such documents of veneration has been done. Such documents have been preserved in the museums of India where, Gandhiji lived. For example several documents of veneration have been preserved in the sabermati ashrama at Amdavad. This research aims at discovering such available documents and carrying out formal research on them.

Documents presented to Gandhijin can be divided into two parts:

1. Documents of veneration received in South Africa.
2. Documents of veneration received in India.

By obtaining documents of veneration received by Gandhiji and to do their research study is inevitable. According to it:

1. The language of documents of veneration
2. Detail about the institution and the leading persons presenting such documents.
3. Ideas and expectations expressed in these documents.
4. Political, Social and Constrictive atmosphere of the period when they were presented.
5. Details about the programme arranged at the time of presenting such documents.
6. Gandhiji’s speech or response at the time of accepting such documents of veneration.

The objective of research of these documents of veneration is to weave a number of such matters,

This would be the first work relating to research of documents of veneration received by Gnadhiji . It is not known whether any such work in this field has been done before this. From this point of view , too, the value of this research work can be considered most important.

For this Project we require bulky amount. Any Gandhian Institute ready to help in this Project, we welcome him with thanks



Sunday, December 13, 2009

Hazrat Imam Husain


૧૨ ડીસેમ્બેરસુધી અઢળક લગ્નો લેવાયા.૧૨મીએ તો એક સાથે ત્રણ ચાર ભોજન
સમારંભોમા હાજરી આપવી પડી. કારણકે ૧૨ પછી ચાર-છ માસ સુધી કમુરતા છે. ઇસ્લામના અનુયાયો પણ આજ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ૧૯ ડિસેમ્બરે મહોરમ માસનો આરંભ થાય છે. એ માસ દરમિયાન મુસ્લિમો કોઈ શુભ પ્રસંગ કરતા નથી. મહોરમ હિજરી સંવંતનો પ્રથમ માસ છે. મુસ્લીમોના નવા વર્ષનો આરંભ આ જ માસથી થાય છે. મહોરમ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે ગમ , શોક કે દુ:ખ. આ જ માસની ૯ અને ૧૦મી તારીખે હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓની શહાદત થઈ હતી.
સત્ય અને અસત્યની એ લડાઈમાં ઈમામાં હુસેન શહીદ થયા. માટે જ આ માસ મુસ્લિમો માટે ગમ, શોક અને દુ:ખનો માસ છે. મોહંમદ સાહેબ (સ.અ.વ.)ના પુત્રી હઝરત ફાતિમા (ર.અ.)ના નિકાહ હઝરત અલી (ર.અ.) સાથે થયા હતા.તેમના સંતાન હઝરત ઈમામ હુસૈન (ર.અ.) કરબલાના યુદ્દમાં તેમના ૭૨ સાથીઓ સાથે શહીદ થયા.એ ઘટના ઇસ્લામી ઇતિહાસની અત્યંત કરુણ ઘટના છે. હઝરત ઈમામ હુસેનનો જન્મ મદીનામાં ૫ શાબાન હિજરી સંવંત ૪મા થયો હતો. નાના હઝરત મોહંમદ સાહેબ (સ.અ.વ.)નો ખોળો ખુંદી અત્યંત લાડકોડમાં ઉછરેલા હઝરત ઈમામ હુસેનની ઈબાદત અને સખાવત
ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે. ૨૫ વખત પગપાળા હજજ કરનાર ઈમામ હુસેન અંગે એક વાર હઝરત ઝયનુંલ આબેદીનને કોઈકે પૂછ્યું ,
" હઝરત ઈમામ હુસેનને ઔલાદ (સંતાન) કેમ ઓછી છે ?"
જવાબ મળ્યો,
" કારણ કે તેઓ રાત-દિવસ ખુદાની ઇબાદતમાં મશગુલ રહે છે."
હઝરત ઈમામ હુસેનની સખાવત પણ ચોમેર પ્રસરેલી હતી . વયોવૃદ્ધ , અશક્ત અને આબરૂદાર માનવીઓને ઈમામ હુસેન મોં માંગી મદદ કરતા. બેરોજગારોને એક હજાર દીનાર અને એક હજાર બકરીઓ વિના હીચકીચાહત તેઓ આપી દેતા. એકવાર એક નિર્ધન, પણ આબરૂદાર માનવી આપના દ્વારે આવ્યો. એક નાનકડી ચબરખીમાં તેણે લખ્યું,
" હું અત્યંત ગરીબ છું . જવનો એક દાણો ખરીદવા જેટલા પૈસા પણ મારી પાસે નથી. માત્ર એક વસ્તુ મારી પાસે છે, અને તે મારી આબરૂ . તેને વેચવા આપની પાસે આવ્યો છું.આપ તેની જે કિંમત આંકો તે મને મંજુર છે."
હઝરત ઈમામ હુસેન આ ચબરખી વાંચી બહાર દોડી આવ્યા. પેલા આબરૂદાર માનવીના હાથમાં દસ હજાર દીનાર મુકતા આપે ફરમાવ્યું,
"હે સવાલી, હાલ તુરત આનાથી વધારે રકમનો બંદોબસ્ત મારાથી થઇ શકે તેમ નથી. તું એમ જ સમજ જે કે તેં સવાલ નથી કર્યો અને મેં તારી આબરુની કિંમત નથી આંકી"

આવા ઉદાર,સખાવતી અને ખુદાની ઇબાદતમાં હંમેશા લીન રહેતા હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ જયારે દુશ્મન યઝીદના લશ્કરથી ઘેરાય ગયા ત્યારે પણ તેમનો આ સ્વભાવ
યથાવત હતો. કરબલાના મેદાનમાં મહોરમ માસની પહેલી તારીખથી જ હઝરત ઈમામ હુસેન તેમના ૭૨ સાથીઓ સાથે ઘરાય ગયા હતા. મહોરમ માસની ૭, ૮ અને ૯મી તારીખે તો પાણીના એક એક બુંદ માટે નાના મોટા સૌ તડપતા હતા. ૯ અને ૧૦મી વચ્ચેની રાત તો કતલની રાત હતી.યઝીદના ચાર હજાર ઘોડેસવારોએ અહિંસાના પુજારી સમા ઈમામ હુસેનના ૭૨ સાથીઓને ઘેરી લીધા.ત્યારે પણ હિંસાને રોકવા હઝરત ઈમામ હુસેને પોતાની જાતને અર્પણ કરતા યઝદીને સંદેશો પાઠવ્યો હતો,

" મને મારી નાખો, કેદ કરીલો પણ મારા નિર્દોષ સાથીઓ, બાળકો, સ્ત્રીઓ ને ન મારશો "

પણ ક્રૂર યઝદી તેમની વાત ન માન્યો અને પોતાનું વિશાલ લશ્કર ઈમામ હુસેનના સાથીઓ
પર છોડી મુક્યું . ઈમામ હુસેનના સાથીઓએ હિંમતભેર તેનો સામનો કર્યો. સત્ય અને અસત્ય,
ધર્મ અને અધર્મ, નીતિ અને અનીતિની એ લડાયમાં હઝરત ઈમામ હુસેનન ૭૨ સાથીઓ પણ યઝદીના વિશાલ લશ્કરને ભારે પડ્યા. યઝદીએ પીછેહટ કરવી પડી અને તેથી તે ઉશ્કેરાયો.
યુદ્ધના તમામ નિયમો નેવે મૂકી તેણે આડેધડ કતલેઆમ શરુ કરી. ત્યાં સુધી કે પ્રવચનમાં બેઠેલા હઝરત ઈમામ હુસેનને પણ પીઠ પાછળથી ઘા કરી ઝખ્મી કર્યા. અને આમ હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓ શહીદ થયા. એ દિવસ હતો ૧૦ મોહરમ ,શુક્રવાર હિજરી સંવંત ૬૧, ઈ.સ. ૬૮૦ ઓક્ટોબર માસની ૧૦ તારીખ ઈમામ હુસેનની આ શહાદતના શોકમાં મોહરમ માસમાં મુસ્લિમો શોક પાળે છે. ઈમામ હુસેન માટે દુઆ કરે છે અને તેમની શહાદતને આંસુભીની આંખે યાદ કરે છે.

 

Saturday, December 12, 2009

મને ભારતના વડાપ્રધાન બનાવો

મને ભારતના વડાપ્રધાન બનાવો

ડો. મહેબૂબ દેસાઈ

રાહુલ ગાંધીના વિધાને ખળભળાટ કર્યો છે. અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કરેલ વિધાન " કોઈ પણ લાયક મુસ્લિમ ભારતનો વડાપ્રધાન બની શકે” રાહુલ ગાંધીનું આ વિધાન ભારતના રાજકારણની અસલ તાસીર વ્યક્ત કરે છે. એ તાસીરના પ્રવાહોથી ભારતનો મુસ્લિમ અજાણ છે, તેમ કહેવું ખોટું છે. મુસ્લિમ નેતાગીરીમાં આવતી જતી ઓટથી કોણ અપરિચિત છે ? ભારતના ૧૩ ટકા મુસ્લિમ સમુદાયનું લોકસભા અને વિધાનસભામાં ઘટતું જતું પ્રતીનીધીત્વ આંકડોઓની ભરમાર વગર પણ જોઈ શકાય છે. ગત લોકસભાની ચૂંટણીમાં ૩૪ મુસ્લિમો ચૂંટાય આવ્યા હતા. આ વખતે તેની સંખ્યામાં ઘટાડો થયો છે. માત્ર ૨૮ સભ્યો મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. મુસ્લિમ નેતાઓ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. કોંગ્રસમાં ગુજરાતના અહેમદ પટેલ ,ગુલામનબી આઝાદ અને સલમાન ખુરશીદ જાણીતા નામો છે. ભાજપમાં તો મુસ્લિમ નેતાગીરીને પાંગરવાની તક જ નથી, એવો અહેસાસ ભારતનો દરેક મુસ્લિમ અનુભવે છે. આ માટે કેટલાક કારણો જવાબદાર છે.

૧. રાજકારણમાં ધર્મનો વધતો જતો પ્રભાવ
૨. મુસ્લિમ સમાજની રાજકારણ પ્રત્યેની ઉદાસીનતા છે.
૩. મુસ્લિમ સમાજની આંતરિક જૂથબંધી.
૪. મુસ્લિમ મતદાર વિસ્તારોનું થયલું વિભાજન

આ તમામ કારણોએ મુસ્લિમ નેતાગીરીને રૂંધી નાખી છે. આવા સંજોગોમાં મુસ્લિમ નેતાગીરીને આગળ આવવાની તક નહીંવત બની ગઈ છે. એવા સમયે ભારતના વડાપ્રધાન પદ માટે લાયક મુસ્લિમની વાત ઉચ્ચારવી એ ઝાંઝવાના જળ સમાન છે.આમ છંતા આપણા નેતાઓની ઉદારતા માટે માન થાય છે. બાળ ઠાકરે સાહેબ મુસ્લિમ વડા પ્રધાન બનાવવા તૈયાર છે. પણ રાહુલ ગાંધી જેવીજ લાયક ઉમેદવાર માટે ત્રણ શરતો મુકે છે.

૧. રામ જન્મ ભૂમિ પર મંદિર બનાવે
૨. વન્દેમાતરમ ગીતનો સ્વીકાર કરે
૩. સમાન સિવિલ કોડનો સ્વીકાર કરે.

આ ત્રણે શરતોનો સ્વીકાર કરનાર મુસ્લિમને ઠાકરે સાહેબ વડાપ્રધાન બનાવવા તૈયાર છે. હું તેમની એ ત્રણે શરતો સ્વીકારવા તૈયાર છું. રાહુલ ગાંધીની શરત મુજબ શિક્ષિત મુસ્લિમ તરીકે ભારતના વડાપ્રધાન થવાની લાયકાત હું ધરાવું છું. ઠાકરે સાહેબની ત્રણે શરતો મને માન્ય છે. કારણકે આ શરતો સ્વીકારવાથી ભારતનો શિક્ષિત મુસ્લિમ વડાપ્રધાન બની સકતો હોઈ તો પણ સોદો ઘણો સસ્તો છે.આજે જે રીતે મુસ્લિમ નેતાગીર અલોપ થઈ રહી છે, એ જોતા આટલી શરતોએ મુસ્લિમ નેતાગીરીને પાંગરવાની તક કઈ નાની સુની વાત નથી. રામ મંદિર બનાવવના મુદ્દે શિક્ષિત મુસ્લિમોનું વલણ હંમેશ હકારાત્મક રહ્યું છે.રામ મંદિરના હોબાળ સમયેજ મુસ્લિમોએ વારંવાર કહ્યું છે, મંદિર બનાવી વાતનો તંત મુકો. પણ મંદિરના સર્જન કરતા તેના વિવાદમાં રાજકારણીઓને વધુ રસ રહ્યો છે. જયારે વન્દેમાતરમના ફતવા સામે શિક્ષિત મુસ્લીમોના બહોળા હકારાત્મક પ્રતિભાવો હાલમાંજ આપણે જાણ્યા છે. સમાન સિવિલ કોડનો મુદ્દોતો હિંદુ અને મુસ્લિમ બંને પ્રજાને લાગુ પડે છે. હિંદુ કોડ અને મુસ્લિમ કોડના વિલીનીકરણ પછી જ સમાન સિવિલ કોડની રચના થશે.એ માટે માત્ર મુસ્લિમોએ જ ચિંતિત થવાની જરૂર નથી.

એક શિક્ષિત મુસ્લિમ તરીકે હું બંને નેતાઓને અપીલ કરું છું કે મને ભારતનો વડા પ્રધાન બનવો. કારણકે બન્ને નેતાઓની શરતોનું તહેદિલથઈ હું પાલન કરીશ.વાચકોને મારી દરખાસ્ત હસ્યાસ્પદ જરૂર લાગશે. પણ એમાં લગાડવાની જરૂર નથી. એ તો છે જ . પણ લોકશાહી રાષ્ટ્રમાં વડા પ્રધાન પદ માટેની શરતો લઘુમતી સમુદાય માટે મુકાય એ વાત પણ એટલી જ હાસ્યાસ્પદ લાગે છે. વળી, એ માટે એવા લઘુમતી સમાજની પસંદગી થાય કે જેની નેતાગીરી દિનપ્રતિદિન ક્ષીણ થતી જાય છે. એ સાચ્ચે જ દુ:ખદ બાબત છે. આજે મુસ્લિમ સમાજની નેતાગીરીને નવો ઓપ આપી, રાજકારણના હાંસિયામાં મુકાય ગયેલા મુસ્લિમ સમાજને લોકશાહીમાં પ્રતીનીધીત્વ આપવાની દેરક પક્ષની ફરજ છે. પણ એ ફરજ પ્રત્યે સભાનતા કેળવવાને બદલે મુસ્લિમોને લોકશાહીમાં શરતી વડા પ્રધાન બનાવવાની તરંગી વાતો કેટલી બંધારણીય ગણાય, એ મુદ્દો વિચારણા માંગી લે તેવો છે.

Monday, December 7, 2009

vandematram : Comments

આસ્લમુઅલ્યકા
સુવાસ અને આરીફની વાત સાથે સંમત છું. મેં આખું ગીત વાંચ્યું છે. અને તેનો ભાવાર્થ પણ જોયો છે.
પણ કોઈ ગીત ગાવા માત્રથી મારું ઈમાન ડગીજાય તેટલું નબળું નથી.અને કોઈ મુસ્લિમનું પણ ન હોવું
જોઈએ. કારણકે ઈમાન ઇસ્લામની નીવ છે.
વન્દેમાતરમનો આરીફ મોહંમદ ખાને કરેલો ઉર્દુ અનુવાદ જાણવા જેવો છે,
”માં તસ્લીમાત !
તું ભરી હૈ મીઠે પાની સે
ફળ-ફૂલો કી શાદાબી સે
દક્કીન કી ઠંડી હવાઓ સે
ફસલો કી સુહાની ફીજાઓ સે
તસ્લીમાત , માં તસ્લીમાત !

તેરી રાતે રોશન ચાંદ સે
તેરી રોનક સબ્જે-ફામ સે
તેરી પ્યાર ભરી મુસ્કાન સે
તેરી મીઠી બહુત જુબાન સે
તેરી બાહોંમે મેરી રાહત સે
તેરે કદમો મેં મેરી જન્નત સે

ડો. મહેબૂબ દેસાઈ

સૂફીસંત કમાલ : ડૉ. મહેબૂબ દેસાઈ


સંત શિરોમણી કમાલ

ડો. મહેબૂબ દેસાઈ


કબીરનો પુત્ર કમાલ પણ કબીરના માર્ગે ચાલ્યો હતો.બલ્કે કબીર કરતા બે કદમ આગળ હતો.
ઓશો કહે છે,
" કબીર સાધુ હતા, તો કમાલ સંત હતા."
સાધુ અને સંત વચ્ચેનો ભેદ પાતળો છે. પણ પામવા જેવો છે. સાધુ સંસારથી પર નથી. તે તેનો મૂળ ધર્મનો પાલક છે.સાધુ દિવસભર ધર્મકાર્યમાં રત રહે છે. પણ રાત્રે વિવશ થઈ જાય છે. સંત દિવસ રાત ઈશ્વર-ખુદાની યાદમાં લીન રહે છે.અલબત્ત કબીરની સાધુતા પરમ હતી.સંતને પણ શરમાવે તેવી હતી.એકવાર કાશી નરેશે કબીરને કહ્યું,
" કમાલને સમજવો મુશ્કેલ છે. ક્યારેક તો તે આમ ઇન્સાન જેમ વર્તે છે "
" આવું તમને કેવી રીતે લાગ્યું ?"
કાશી નરેશ કહ્યું,
“એક દિવસ હું એક બહુમુલ્ય હીરો લઇને તેમની પાસે ગયો. અને તેમને આપ્યો. તેમણે તે સ્વીકારી લીધો અને મને ઝૂંપડીની છતમાં મૂકી દેવા કહ્યું"
થોડીવાર મૌન રહી કાશી નરેશ બોલ્યા,
" ચોક્કસ એ હીરો બજારમાં વેચાઈ ગયો હશે "
કબીર તેમની વાત સાંભળી રહ્યા.પછી કાશી નરેશની સામે જોઈ બોલ્યા,
"તમે એક વાર જઈને તપાસ તો કરો કે હીરાનું શું થયું ?"
કાશી નરેશ કમાલ પાસે પહીંચી ગયા અને પૂછ્યું,
"પેલો હીરો મેં આપની ઝુપંડીની છતમાં ખોસ્યો હતો તે ક્યાં છે ?"
કમાલ કાશી નરેશનો પ્રશ્ન સંભાળી મલકાય પછી બોલ્યા,
"તે ઝૂંપડીની છતમાં જ્યાં ખોસ્યો હતો ત્યાં જોઈ લે "
અને કાશી નરેશે જ્યાં હીરો ખોસ્યો હતો તે જગ્યાએ હાથ નાખ્યો. હીરો ત્યાં જ હતો. અચરજ નજરે તેઓ કમાલને જોઈ રહ્યા.પણ કમાલે બંધ આંખે જ કહ્યું,

“મેં તને પહેલા જ કહ્યું હતું, આ પથ્થરને ઊંચકીને અહીં શું કામ લાવ્યો છે? અને લાવ્યો છે તો ઊંચકીને પાછો લઈ જવાની જહેમત શું કામ કરે છે ? અહિયાં જ ક્યાંક ઝુંપડીની છતમાં ખોસી દે. પથ્થર ગમે ત્યાં પડ્યો રહે શો ફેર પડે છે."

અને પુનઃ સંત કમાલ ખુદા-ઈશ્વરની યાદમાં લીન થઈ ગયા.

Tuesday, November 24, 2009

Gujrati Bhashanu gaurav : Prof.Mehboob Desai

સવાયા ગુજરાતીઓને કોટી કોટી વંદન.
પ્રોફ.મહેબૂબ દેસાઈ

યુનેસ્કોના શૈક્ષણિક અહેવાલમાં નોધ્યું છે,
" શિક્ષણના મૂળમાં પોતાની સંસ્કૃતિ અને ભાષા અનિવાર્ય છે."
અને એટલેજ આપણી સંસ્કૃતિ જેમજ ભાષાનો પ્રચાર- પ્રસાર અને જાળવણી અત્યંત જરૂરી છે. હેરીટેજની જેમજ આપણી માતૃભાષાને પણ સંભાળવાની,જતન કરવાની આપણી પવિત્ર ફરજ છે. એ ફરજ ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ, કવિઓ -લેખકો તો બરાબર બજાવે છે જ . પણ ગુજરાત બહાર વસતા અને અને આજે પણ ગુજરાતી ભાષાનું સતત સંવનન કરતા ગુજરાતીઓ કાકાસાહેબ કાલેલકર જેટલા સવાયા ગુજરાતીઓ છે. આજે એવા થોડાક ગુજરાતીઓની વાત કરવી છે.

બ્રિટનમાં ગુજરાતી સાહિત્યની કેડીને રાજમાર્ગ બનાવનાર કેટલાંક વિરલાઓમાં યાકુબ ઉમરજી મંકનું નામ કેમ વિસરાય ? અલબત તેમનું અસલ નામ સરહદોના સીમાડાઓ ઓળંગી શક્યું નથી.પણ તેમનું 'મહેક' ટંકારવી નામ ગુજરાત, બ્રિટન, કેનેડા અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં સોં તેને ઓળખે છે. બ્રિટનમાં ગુજરાતી ગઝલ અને મુશાયરાનો પ્રારંભ ૧૯૬૬મા થયો હતો. તેનો આરંભ કરનાર 'મહેક' ટંકારવી હતા.એ ઐતિહાસિક તથ્ય ગુજરાતી સાહિત્યનો બ્રિટનમાં ઈતિહાસ લખાશે ત્યારે અચૂક નોધવું પડશે.

“જીવનનું ચિત્ર એ રીતે સજાવીએ આવો
અસલ જે રંગ છે તેને લગાવીએ આવો”

બ્રિટનના મુશાયરોમાં સૂફીરંગની ગઝલોને તરન્નુમમાં રજુ કરી મુશાયરાને લુંટતા 'મહેક' ટંકારવી ગુજરાતી રાયટર ગીલ્ડ (યુ.કે.)ના સ્થાપક છે. બોલ્ટન યુ.કે.ના જુદા જુદા ભાગોમાં મુશાયરોનું આયોજન અને સંચાલન સાથે ગુજરાતી ગઝલકારોને સુલભ અને સાચું માર્ગદર્શન પૂરું પાડનાર 'મહેક' ટંકારવીએ ગુજરાતી ભાષાને બ્રિટનમાં જીવંત અને સમૃદ્ધ રાખી છે.
યુ.કે.માં જ એક અન્ય ભડવીર ગુજરાતી સમાધી લગાવી બેઠા છે. એનું નામ છે વિપૂલ કલ્યાણી.તેઓ વર્ષોથી "ઓપિનિયન" નામનું ગુજરાતી બૌદ્ધિક માસિક ચલાવે છે. બ્રિટન અને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓમાં "ઓપિનિયન" કાફી લોકપ્રિય છે. ગુજરાતના

જાણીતા-માનીતા અનેક લેખકોના લેખોથી "ઓપિનિયન"દર માસે દુલ્હનની જેમ સજીધજીને દુનિયાના ગુજરાતીઓના હાથોમાં રમે છે. " ઓપિનિયન"નાં ફેબ્રુઆરી ૨૦૦૪ના અંકમાં પ્રવીણ શેઠ તેમના લેખ " ગુજરાત અને ગુજરાતવંશી વચ્ચે 'સિનર્જી'નો અનુબંધ"માં લખે છે,

“જહાં જહાં વસ્તી હૈ
વહાં વહાં ગુજરાતી હૈ
જહાં જહાં મસ્તી હૈ
વહાં વહાં ગુજરાતી હૈ "

ખાદીનો સફેદ કફની- લેંઘો, ખભા પર બગલ થેલો અને હંમેશા મુર્દું સ્વરે વાતનો આરંભ કરતા વિપૂલભાઈ કલ્યાણી "ઓપિનિયન" ના પિતા તરીકે સવાયા ગુજરાતીની હરોળમાં બેઠા છે.

એક ઓર યુ.કે.નિવાસી છે જે ગુજરાતી ભાષાને શણગારવામાં અતિ વ્યસ્ત છે. જેમનું નામ છે દીપક બારડોલીકર. આમતો પાકિસ્તનથી હિજરત કરી યું.કે.પહોંચેલા દીપક બારડોલીકર અચ્છા શાયર અને ઉમદા ઇન્સાન છે. પણ એથી વિશેષ ગુજરાતી ભાષાના પ્રખર હિમાયતી છે. પાકિસ્તાનમાં રહેવા છતાં ગુજરાતી હોવાનો ગર્વ તેમના લખાણોમાં વારંવાર નીતર્યા કરે છે. તેમનીગુજરાતી ગઝલોમાં ઈશ્ક- કે- અકીકીના ઘાટા વિચારો વ્યક્ત થાય છે.

“નિરંતર ખુશી છે, નથી કોઈ ગમ
છે તારી કરમ મૌલા તારી કરમ

નથી અમને નિસ્બત કોઈ વાદથી
નબીનો ધરમ એ અમારો ધરમ

ચલો બેસી જઈએ હરમ છાંયમાં
સફળ થઈ જશે આપણો આ
જનમ”

ગુગલમાં "બાગે વફા" અને "બઝ્મે વફા" લખી સર્ચ કરો એટલે બે સુંદર ગુજરાતી વેબ સાઈડ નજરે પડશે. એ વેબ સાઈડના સર્જક છે મુહમ્મદઅલી યુસુફ ભૈડું. તખલ્લુસ છે "વફા".ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારોની રચનાઓને ઈન્ટરનેટના માધ્યમ દ્વારા વિશ્વ સમક્ષ મુકવાની નેમ લઈને ચાલતા "વફા" સાહેબ ઉમદા ઇન્સાન અને ઉત્તમકોટીના શાયર છે.


"હમ કુછ ભી નહીં ફિરભી હમારે હોનેકા હૈ વાહેમાં
વક્ત કી ચક્કી મેં પીસકે મિટ જાયેંગે એક દિન”

જિંદગીની આવી સચ્ચાઈને પોતાની કલમ દ્વારા સાકાર કરનાર વફા સાહેબે ગુજરાતી અને ઉર્દુમાં ૬૦૦ જેટલી ગઝલો રચી છે. છેક અપ્રિલ ૨૦૦૬થી તેઓ "બાગે વફા" નામક બ્લોગ ચલાવે છે. "બઝ્મે વફા"માં ગદ્ય અને પદ્ય મળીને કુલ ૧૦૮૦ જેટલી ગુજરાતી રચનાઓ
વિશ્વના ગુજરાતીઓ માટે સંગ્રાહેલી છે. આજના ઇન્ટરનેટ યુગમાં ગુજરાતી ભાષાને આમ ગુજરાતી સુધી પહોંચાડવાના "વફા" સાહેબના આવા પ્રયાસો તેમને પણ સવાયા ગુજરાતી બનાવી દે છે. કેનેડાની ધરતી પર "વફા" સાહેબ સાથેજ ગુજરાતી ભાષાની કેડીને શણગારનાર એક અન્ય સર્જક છે જય ગજ્જર. નવ નવલકથા અને બે નવલિકા સંગ્રહ આપનાર જય ગજ્જરનો એક પગ ગુજરાતમાં,તો એક પગ કેનેડામાં હોઈ છે.અને એટલેજ ગુજરાતના સામાયિકો તેમની કલમના વરસાદથી ભીંજાતા રહે છે.
બ્રિટનમાં રહેતા આદમ મુસા ધોડીવાલા અર્થાત અદમ ટંકારવીનું ગુજરાતી સાહિત્યમાં-ગઝલમાં પ્રદાન અજાણ્યું નથી. ૧૯૯૧થી યુ.કે.માં વસેલા સૂફીસંત સમા અદમ ટંકારવીની ગઝલોમાં સરળ શબ્દોની ગુથણીમાં જીવનનો ગુઢાર્થ છુપાયેલો હોઈ છે.

"એક તારું નામ લખતા આવડ્યું,
તે પછી તો સ્લેટ કોરી રહી”

બ્રિટેનમાં ૧૯૭૦થી કવિ મંડળની સ્થાપના કરનાર જનાબ અહમદ ગુલની ગુજરાતી ગઝલોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી બ્રિટનના અંગ્રેજી કવિઓનું ધ્યાન દોરનાર અદમ ટંકારવીને તેમના પુસ્તક " ગઝલની ચોપડી " માટે અકાદમીનું બીજું ઇનામ પ્રાપ્ત થયેલ છે.

ગુજરાતી ભાષાને વિદેશની ધરતીપર સજાવનાર-શણગારનાર આવા અનેક જાણીતા - અજાણ્યા સવાયા ગુજરાતીઓની યાદી ઘણી લાંબી છે. એવા સવાયા ગુજરાતીઓના પ્રતિક તરીકે સ્મૃતિમાં આણેલ આ અને આવા સૌ સવાયા ગુજરાતીઓને સમગ્ર ગુજરાત વતી કોટી કોટી વંદન.

(ગુજરાતી સાહિત્ય પરિષદનું આગામી અધિવેશન નવસારીના આંગણે ડીસેમ્બર ૨૦૦૯મા મળી રહ્યું છે. એ પ્રસંગે પ્રસિદ્ધ થનાર પુસ્તક માટે લખાયેલ લેખ.)

Sunday, November 22, 2009

“સેક્યુલર મુરબ્બો”: વાંચો, વિચારો અને આચરો :ડો.મહેબૂબ દેસાઈ

“સેક્યુલર મુરબ્બો”: વાંચો, વિચારો અને આચરો

ડો.મહેબૂબ દેસાઈ

ઇસ્લામ માનવ ધર્મ છે એ વાતના આધરો કુરાન-એ-શરીફના પાને પાને અંકિત થયેલા છે. આપણા જાણીતા ઇતિહાસકાર જદુનાથ સરકારે તેમના ગ્રન્થ
"હિસ્ટ્રી ઓફ ઔરંગઝેબ"મા લખ્યું છે,
"શિવાજીએ ઔરંગઝેબ ને લખેલા પત્રમાં જણાવ્યું છે , ' નામદાર , આપ જો પવિત્ર કુરાનમાં વિશ્વાસ ધરાવતા હો તો જાણી લો કે તેમાં ઈશ્વરનું સ્વરૂપ "રબ્બીલ-ઉલ-આલીમ " અર્થાત મનુષ્ય માત્રના ખુદા દર્શાવેલ છે. તેમાં રબ્બીલ-ઉલ-મુસ્લિમ અર્થાત માત્ર મુસ્લીમોના ખુદા નથી કહ્યું. કોઈ એક ધર્મ અને તેના રીત રીવાજો પ્રત્યે અંધ બની વળગી રહેવું , તે પવિત્ર કુરાનના આદેશ વિરદ્ધ છે. અને તે જાતનું વર્તન કરવું અલ્લાહનો વાંક કાઢવા સમાન છે.(પૃષ્ટ ૧૦૭)
હાલમાંજ પ્રસિદ્ધ થયેલ શ્રી ગુણવંત શાહના પુસ્તક " સેક્યુલર મુરબ્બો "
(પ્ર. આર.આર.શેઠની કુ.,અમદાવાદ)માં આપેલા આવા અવતરણો ઇસ્લામને માનવ ધર્મ તરીકે માનતા,સમજતા અને સ્વીકારતા શ્રી ગુણવંત શાહને સુંદર રીતે વ્યક્ત કરે છે. પોતાના સેક્યુલર વિચારોથી હિંદુ અને ઇસ્લામના કટ્ટરપંથીઓમાં ખળભળાટ મચાવનાર ગુણવંતભાઈ ત્રિશુલ દીક્ષા અંગે લખે છે,

" ત્રિશુલધારી મહાદેવની પૂજા સદીઓથી થતી આવી છે. મહાદેવની પૂજામાં બધું આવી જાય. મહાદેવથી અળગા કરેલ ત્રિશુલની પૂજા શા માટે ? કૃષ્ણની પૂજા કરનારો ભક્ત સુદર્શનધારી કૃષ્ણની પૂજા ભલે કરે. તમે ક્યાંય કેવળ સુદર્શન ચક્રની પૂજા થતી ભાળી છે ? ધનુર્ધારી રામની પૂજા સદીયોથી થતી આવી છે. રામથી ધનુષ્યને વેગળું કરી માત્ર ધનુષ્યની પૂજા શા માટે કરવી ? .... ત્રિશુલ હથિયાર છે. ગમે તેટલું નાનું હોઈ તોય એની ત્રણ અણીઓ તો તીષણ જ હોવાની . ત્રિશુલ સાથે વિમાની મુસાફરી ન જ થઈ સકે.... લોકશાહીમાં ધર્મના નામે આવું ધતિંગ ચલાવી ન લેવાય "(પૃષ્ટ ૮૫)

વંદેમાતરમનો વિવાદ હમણાં પાછો વકર્યો છે. વન્દેમાતરમનો આરીફ મોહંમદ ખાને કરેલો ઉર્દુ અનુવાદ આ પુસ્તકનું ઘરેણું છે. અત્રે તે અનુવાદ શબ્દસહ ગુણવંતભાઈએ આપ્યો છે. તે જાણવા અને માણવા જેવો છે,
”માં તસ્લીમાત !
તું ભરી હૈ મીઠે પાની સે
ફળ-ફૂલો કી શાદાબી સે
દક્કીન કી ઠંડી હવાઓ સે
ફસલો કી સુહાની ફીજાઓ સે
તસ્લીમાત , માં તસ્લીમાત !

તેરી રાતે રોશન ચાંદ સે
તેરી રોનક સબ્જે-ફામ સે
તેરી પ્યાર ભરી મુસ્કાન સે
તેરી મીઠી બહુત જુબાન સે
તેરી બાહોંમે મેરી રાહત સે
તેરે કદમો મેં મેરી જન્નત સે
તસ્લીમાત , માં તસ્લીમાત ! (પૃષ્ટ ૨૭૬)

વંદેમાતરમના આ ઉર્દુના અનુવાદ પછી તેનો વિરોધ કરતા મુસ્લિમ બિરાદરો પાસે કંઈ ખાસ કહેવાનું રહેશે નહિ.
આ જ પુસ્તકમાં ઇસ્લામના ૨૪ આલિમો (વિદ્વાનો)ના ઇસ્લામ અંગેના વિચારો પણ અત્રે અસરકારક રીતે રજુ થયા છે. ૩૧૪ પૃષ્ટોનું આ પુસ્તક શાળા-કોલેજો અને સ્વેચ્છિક સંસ્થાઓમાં માર્ગદર્શક બની રહે તેવી કક્ષાનું બન્યું છે. શ્રી ગુણવંતભાઈ શાહને એ માટે આકાશભરીને અભિનંદન.

Sunday, November 15, 2009

ખાદીમ : ડૉ. મહેબૂબ દેસાઈ

ખાદીમ

ડો.મહેબૂબ દેસાઈ


ખાદીમ શબ્દ અરબી ભાષાનો છે. ખદમ શબ્દ પરથી ખાદીમ શબ્દ આવ્યો છે. ખદમ એટલે નોકરીમાં રાખવું. ખાદીમ એટલે સેવક,દાસ, નોકર. ગુજરાત સરકાર હજ યાત્રાએ જતા ગુજરાતના હાજીઓ સાથે છ જેટલા ખાદીમો નિયમિત મોકલે છે. આ ખાદીમોનું મુખ્ય કાર્ય હાજીઓની સેવામાં રત રહેવાનું છે. આરંભથી અંત સુધી હાજીઓને મદદરૂપ થવા ઉત્સુક રહેતા ખાદીમોની પસંદગી ગુજરાત સરકાર મોટે ભાગે ગુજરાતના સરકારી કર્મચારીઓમાંથી કરે છે. જુદા જુદા સરકારી વિભાગોમાંથી પસંદગી પામેલા આ ખાદીમો માટે હાજીઓની ખિદમત-સેવા કરવાનો સુઅવસર જિંદગીની પુણ્ય કમાવાનો મોટામાં મોટી તક હોય છે. એ સુઅવસર ખુદા ના ફઝલો કરમથી આ વર્ષે મને સાંપડ્યો છે. એ માટે હું ખુદાનો આકાશ ભરીને શુક્રગુઝર છું.

૨૦૦૦મા હું અને મારી પત્ની હજ પઢવા ગયા હતા. ત્યારે ખિદમતની એક આદર્શ મિસાલ મને જોવા મળી હતી.મદીનાની મસ્જિત-એ-નબવીમાં હું નિયમિત એક વૃદ્ધને મસ્જિતની ફર્શ સાફ કરતા જોતો. એ દિવસે અસરની નમાઝ પછી એ વૃદ્ધ મસ્જિતની સફાય કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે જઈ મેં તેમને,
“અસ્સ્લામોઅલાયકા " કહ્યું
તેમણે મને જવાબ વાળ્યો,
"વાલેકુમ અસ્સલામ”
"આપસે કુછ બાત કર સકતા હું?”
"ખુશીશે કી જીયે" સફાય કરવાનું ચાલુ રાખતા તેઓ બોલ્યા,
"આપકો હંમેશા મસ્જિતકી સફાય કરતે દેખતા હું. ક્યા
આપ યહાં કામ કરતે હૈ?”
મારી સામે સ્મિત કરી થોડીવાર તેઓ મને જોઈ રહ્યા. પછી બોલ્યા,

"મેરા નામ મલેક ગોહરઅલી હૈ. મૈ પાકિસ્તાનકા રહેનેવાલા હું . પેશાવેરમેં મેરી કપડેકી દુકાન હૈ . યે મેરા કાર્ડ હૈ "

અને ગોહરઅલીએ એક આકર્ષક કાર્ડ મારા સામે ધર્યું. હું અવાચક નજરે સામાન્ય લિબાસમાં મસ્જિતની ફર્શ પર પોતા મારતા પેશાવરના વેપારીને તાકી રહ્યો. મારી સ્થિતિને પામી જતા ગોહરઅલી બોલ્યા,
"જનાબ, ઇસમેં ઇતના પરેશાન હોનેકી જરૂરત નહિ. મૈ ખુદાકે ઘરકી ઔર હાજીઓકી ખિદમત મેં હર સાલ હજ કે દીનોમે યહાં આતા હું. એક મહિના બીના હીચકીચાહટ દોનોકી ખિદમત કરતા હું.ઔર ફિર પેશાવર લોટ જતા હું "
આટલું કહી ગોહરઅલી પાછા પોતાના કામમાં લાગી ગયા. અને હું ખિદમતની સાચી પરિભાષાને તાકી રહ્યો.

આજે જયારે ગુજરાત સરકાર તરફથી ખાદીમ તરીકે જવાનો મોકો ખુદાએ મને આપ્યો છે, ત્યારે ખુદા પાસે એટલીજ દુઆ માંગું છું કે હાજીઓની ખિદમત કરવાની મને ગોહરઅલી જેવીજ લગન અને શક્તિ આપજો - આમીન.

15-11-2009
7.00 PM

Friday, November 6, 2009

Vandematram : Prof.Mehboob Desai

ડૉ. મહેબૂબ દેસાઈ

વન્દેમાતરમ ગીતનો ફતવો : અકારણ વિવાદ



કુરાને શરીફમાં એક શબ્દ છે " તયમ્મુમ " જેનો અર્થ થાય છે,
“જયારે વઝુ (નમાઝ પૂર્વે પવિત્ર થવાની ક્રિયા) કરવા માટે પાણી ઉપલબ્ધ ન હોય ત્યારે જે સ્થળે તમે હોવ ત્યાની મીટ્ટી-માટીને હાથ, પગ અને મોં પર ફેરવી દો તો પણ નમાઝ માટેની પવિત્રતા પ્રાપ્ત થઈ જાય છે"
જે ધર્મમાં વતનની મીટ્ટી-માટીને પવિત્રતા માટેના માધ્યમ જેટલી અહેમિયત આપવામાં આવી હોય , તે ધર્મ વતન પ્રેમને વ્યક્ત કરતા ગીત "વન્દેમાતરમ"ને ગાવાની પાબંધી કેવી રીતે કરી શકે?.

ઈ.સ.૧૮૭૫ના દુર્ગા પુજાના તહેવાર નિમિતે બંકીમચંદ્ર ચટોપાધ્યાય (૧૮૩૮-૧૮૯૪)પોતાના વતન કાન્તાલ્પાડા ટ્રેનમાં જઈ રહ્યા હતા.ટ્રેનના ડબ્બાની બહાર દેખાતા ખેતરો, વૃક્ષો , ફૂલો, ફળો ,નદી , ઝરણાંને જોઈ બંકિમચંદ્રને પ્રેરણા મળી. અને તેમણે ટ્રેનના ડબ્બામાં જ એક ગીત રચ્યું.એ ગીત એ જ "વંદેમાતરમ".
.
પછી તો તેમણે એ ગીત તેમની નવલકથા "આનંદમઠ"માં મુક્યું. આનંદમઠ નવલકથામાં એક મુસ્લિમ અંગ્રેજ શાશકો સાથે મળીને આમપ્રજાનું શોષણ કરે છે. એ શોષણ સામે પ્રજા પ્રચંડ બંડ પોકારે છે.અને ત્યારે પ્રજા "વંદેમાતરમ" ગાય ઉઠે છે. રાષ્ટ્રીય જાગૃતિ પ્રેરક આનંદમઠ નવલકથાને કારણે "વંદેમાતરમ" ગીત કાફી પ્રચલિત થયું. પરિણામે
ઈ.સ.૧૮૯૬માં કલકત્તા મુકામે કોંગ્રસનું અધિવેશન મળ્યું ત્યારે એ અધિવેશનમાં રવીન્દ્રનાથ ઠાકુરે પ્રથમવાર વંદેમાતરમ" ગીત સ્વર અને સંગીત સાથે ગાયું.એ અધિવેશનના પ્રમુખ એક પ્રખર મુસ્લિમ મહંમદ રહેમતુલ્લા સયાની હતા. જેમણે પણ એ ગીત લોકો સાથે ગર્વ ભેર ગાયું હતું.

ઈ.સ.૧૯૦૫ના બંગાળના ભાગલા પછી ભારતમાં સ્વદેશી આંદોલન સક્રિય થયું.એ આંદોલનમાં બંગાળના મુસ્લિમો જુસ્સા પૂર્વક "વંદેમાતરમ" ગીત ગાતા. આ અંગે
ગાંધીજી લખે છે,
"બંગભંગ સમયે "વંદેમાતરમ" ગીત હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમું હતું"

ઈ.સ. ૧૯૦૬માં કોંગ્રસનું બાવીસમું અધિવેશન કલકત્તામાં મળ્યું . ત્યારે જ "વંદેમાતરમ"ને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રવાદી મહમદઅલી જીન્ના પ્રાંરભના દિવસોમાં "વંદેમાતરમ" ગીત ઉત્સાહ પૂર્વક ગાતા. પણ ૧૯૩૫ પછી તેમનો રાજકીય અભિગમ બદલાયો અને ૧૯૩૭માં તો જીન્નાએ "વંદેમાતરમ"ગીતનો સખ્ત વિરોધ કર્યો. પરિણામે મૌલાના આઝાદ,પંડિત નહેરુ , સુભાષચન્દ્ર બોઝ અને આચાર્ય નરેન્દ્ર દેવની એક સમિતિ રચાય.તેમણે આ ગીતનો પૂર્ણ અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું ,
“ગીતની પ્રથમ બે પંક્તિ ગાવા અંગે મુસ્લિમો માટે કોઈ ધર્મબાદ નથી.ગીત રાષ્ટ્રીય ગીત તરીકે પૂર્ણ યોગ્ય છે"

જો કે આ જ વિચારને અલીબંધુઓ મૌલાના શોકતઅલી અને મોહંમદઅલીએ વર્ષો પૂર્વે વ્યક્ત કર્યો હતો અને રાષ્ટીય ચળવળમાં"વંદેમાતરમ" ગીત અનેકવાર ઉત્સાહભેર ગાતા જોવા મળ્યા હતા.

એટલે આજનો વંદેમાતરમ ગીતનો ફતવો અને વિવાદ અકારણ લાગે છે.

Wednesday, November 4, 2009

Ahinsa : Prof. Mehboob Desai

ડો. મહેબૂબ દેસાઈ

અહિંસા : આપણો સાંસ્કૃતિક વારસો



આજના યુગમાં અહિંસા સાથેનું જીવન દુર્લભ બનતું જાય છે. ભારતના યુગપુરુષોએ અહિંસાનો મહિમા વારંવાર તેમના ઉપદેશોમાં ગાયો છે. એ ઉપદેશોમાંના કેટલાક અવતરણો આજે વાગોળીએ.
અહિંસાના પરમ ઉપાસક ભગવાન મહાવીર કહે છે,
"સર્વ પ્રાણીઓને જીવનની કામના છે. જેમ તું તારી જાતને ચાહે છે, તેમ તું બીજાને પણ ચાહ"
મહાન રાજ્નીતિજ્ઞ ચાણક્ય કહે છે,
" અહિંસા ધર્મનું લક્ષણ છે."
શ્રી વ્યાસ પુરાણમાં લખ્યું છે,
"પારકાને પીડવાથી પાપ થાય છે"
ભગવાન બુદ્ધ કહે છે,
"આ લોકના સર્વ જીવોને કોઈ શસ્ત્ર વાપરી મારવા નહીં."
ભગવત ગીતામાં લખ્યું છે,
"જે પ્રાણીઓમાં આત્મવત દ્રષ્ટિ રાખે છે, તે જ પંડિત છે."
મહાભારતમાં કહ્યું છે,
"અહિંસા જ પરમ ધર્મ છે"
શિક્ષાપત્રીમાં નોધ્યું છે,
"અહિંસા આદી સદાચાર જે મનુષ્ય પાળે છે, તે આ લોક અને પરલોકમાં મહાસુખ પામે છે"
ગુરુ નાનક કહે છે,
'જે કોઈ માસ ખાય છે અને માદક પ્રદાર્થોનું સેવન કરે છે, તેનું તમામ પુણ્ય નષ્ટ થાય છે"
કુરાને શરીફમાં કહ્યું છે,
"જે અન્ય પ્રાણીઓ સાથે દયાનો વ્યવહાર કરે છે, તેના પર અલ્લાહ દયા કરે છે"
મહંમદ સાહેબ (સ.અ.વ.) કહે છે,
"દરેક જીવ વાળા પ્રાણીની સેવા કરવી તે સવાબ છે"
જૈન ધર્મમાં કહ્યું છે,
"પ્રાણી માત્રને જરા પણ પીડા ન આપવી તે જ દયા છે"
સત્ય સાઈબાબા કહે છે,
"બધા જ જીવો પર અપરંપાર દયા દર્શાવો"
શ્રી હેમચંદ્રચાર્યએ કહ્યું છે,
"જેમ આપણા આત્માને સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે , તેમ અન્યને પણ સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે"
સંત સુરદાસ કહે છે,
"દીનન દુ:ખ્હરન્ દેવ સન્તન હિતકારી"
સંત તુલસીદાસ કહે છે,
"તુલસી દયા ના પારકી
દયા આપકી હોઈ ,
તું કીણિ નૈ મારૈ નહી
તો તનૈ ન મારૈ કોઈ "
શ્રી રવીન્દ્રનાથ ટેગોર કહે છે,
" મારો પ્રેમ મને કોઈ ને કોઈ સેવાના કાર્ય તરફ દોરે છે"
સંત દયારામ ,
" સાચો સંત તે જેને દુ:ખ મળે તો પણ સુખ દે"
અહિંસાને આવી વિભાવના આપણા સંતોની આપણી સંસ્કૃતિની અમુલ્ય ભેટ છે.

Thursday, October 15, 2009

100 Eminent Personalities of Bhavnagar




૧૦૦ પ્રતિભાઓનું વિશિષ્ટ સન્માન
Bhaskar News, Bhavnagar
October 03 , 2009

પ્રતિમાઓની પૂજા કરતાં સમાજમાંથી પ્રતિભાઓને શોધી કાઢી, તેઓને સન્માનવાનું કાર્ય સૌરાષ્ટ્ર સમાચારે કર્યુ છે : પૂ. રમેશભાઈ ઓઝા આપણે પ્રતિમાઓની પૂજા કરવા ટેવાયેલા છીએ, પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા પણ આપણે કરીએ છીએ. પરંતુ જે સમાજમાં આપણે રહીએ છીએ, તે સમાજમાંથી અનન્ય પ્રતિભાઓને શોધી કાઢી તેઓનું સન્માન કરવાનું સ્ત્યુત્ય કાર્ય દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારે કર્યુ છે. તેમ ગુરૂવારે શ્રી પાર્ટી પ્લોટ ઈસ્કોન ખાતે યોજાયેલા એક રંગદર્શી સમારોહમાં ભાવ.જિલ્લાની એકસો પ્રતિભાવંત પ્રતિભાઓનું સન્માન કર્યા બાદ જાણીતા ભાગવતાચાર્ય પૂજય રમેશભાઈ ઓઝાએ પ્રસન્નતા વ્યકત કરી જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજનાં ઘડતરમાં પોતાની જાત નિચોવી નાંખનાર ભાવનગર જિલ્લાના ૧૦૦ શિલ્પીઓને શોધી કાઢવાનું કાર્ય કપરૂં છે પણ આ અખબારે તે સુપેરે પાર પાડયું છે. અખબાર સંચાલન કાંટાળો પથ હોવા અંગે પ્રકાશ પાડતા કહ્યુ હતું કે પત્રકાર, પોલીસ અને પોલિટિશ્યન માટે લાગણીશીલ હોવું તે તેની નબળાઇ છે કે તાકાત છે, આ યક્ષ પ્રશ્ન છે, આ ત્રણેય ક્ષેત્રના લોકો લાગણીશીલ હોય તો પોતાના કાર્યક્ષેત્રને ન્યાય આપી શકે નહી, અને લાગણીશૂન્ય હોય તો સમાજ માટે અસરકર્તા સાબિત થાય. પૂ.ઓઝાએ લાગણી વિનાના માણસને પાણી વિનાની નદી સમાન વર્ણવ્યો હતો. તેઓએ શિલ્પીઓ અંગે કહ્યું હતું કે, જે લોકો ઘ્યેય પાછળ સતત કાર્યરત રહે છે અને નિષ્ફળતાની લેશમાત્ર પરવાહ કર્યા વિના કામ કરતા રહે છે આવા માણસા થાકતા નથી.જ્યારે ઉર્જા અને નાણા રાજ્યમંત્રી સૌરભભાઈ પટેલે મુખ્ય અતિથિપદેથી ઉદ્દબોધન કરતા ૧૦૦ શિલ્પીઓને સન્માનિત કરવાના કાર્યક્રમ માટે સૌરાષ્ટ્ર સમાચારને બિરદાવ્યું હતું. અને ૧૦૦ પાવરફુલ વ્યક્તિઓને કેન્દ્રસ્થાને લઈ ભાવનગર જિલ્લાના વિકાસને ગતિમાં લાવવા સહિયારા પુરૂષાર્થની આવશ્યકતા છે. ભાવનગરના વિકાસ માટે સરકાર દ્વારા રૂ.૫૦૦ કરોડની જોગવાઈ થશે. જે માટે ભાવનગરના શિલ્પીઓનું માર્ગદર્શક સૂચન આવકાર્ય રહેશે અને વધુમાં સૌરભભાઈ પટેલે ભાવનગરના વિકાસની ઓળખ ઉભી કરવા જેમ અમદાવાદની ઓળખ આઈ.આઈ.એમ. છે તેમ આગામી દિવસોમાં ભાવનગરથી ભાલને જોડતો ગુજરાતનો સૌથી મોટો કેબલ સ્ટેન્ડ પુલ બનશે જે ભાવનગરની માત્ર રાજ્ય નહીં પરંતુ રાષ્ટ્રમાં એક આગવી ઓળખ ઉભી કરાશે.ભાવનગરના સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સમાચારે ૧૦૦ શિલ્પીઓ શોધી કાઢી તેનું સન્માન કરી ભાવેણા ઉપર ૧૦૦ ઉપકાર કર્યા છે. પિડા વિના કયારેય પ્રસિધ્ધિ મળતી નથી, પરંતુ આકરી મહેનત વડે મળેલી પ્રસિધ્ધિ પણ પારા સમાન હોય છે, તે કયારે સરકી જાય તેની ખબર રહેતી નથી.જ્યારે ભાવનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્કના ચેરમેન નાનુભાઈ વાઘાણીએ સૌરાષ્ટ્રની ઓળખસમાન સૌરાષ્ટ્ર સમાચાર હરહંમેશ સહકારીક્ષેત્રની પ્રગતિ માટેના સહકારમાં પણ મોખરે રહ્યું છે. અને ભાવનગરનાં શિલ્પીઓને સન્માનનો કાર્યક્રમ અનુકરણીય હોવાનું જણાવ્યું હતું.સન્માનીત શિલ્પીઓ વતી પોતાના પ્રતિભાવ વ્યકત કરતા શિપ બ્રેકિંગ એસોસિએશનના પ્રમુખ અને શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રદાન આપી રહેલા રમેશભાઇ મેંદપરાએ સૌરાષ્ટ્ર સમાચાર અંગે કહ્યું હતુકે શરૂઆતથીજ આ નિડર અખબારે સામાજિક દાયિત્વ નિભાવ્યું છે, અને જયારથી દિવ્ય ભાસ્કર સાથે તેનું એકત્રીકરણ થયું છે ત્યારથી સુઘડ મુદ્રણ, નામાંકિત લેખકોની કોલમો સાથેની સંઘરવાલાયક પૂર્તિઓ સહિતની બાબતે તેની અસ્કૃયામતમાં ઉમેરો કર્યો છે. અન્ય શિલ્પી ડો.મહેબૂબ દેસાઇએ શાયરાના અંદાઝમાં શિલ્પીઓ વિષે કહ્યુ હતુ કે, ‘ઉંગલીયાં યું ન સબ પે ઉઠાયા કરો, ખર્ચ કરને સે પહેલે કમાયા કરો. જિંદગી કયા હે ખુદ-બ-ખુદ જાન જાઓગે, બારિસો મેં પતંગ ઉડાયા કરો.’ડો.દેસાઇના મતે સામા પવને વહાણ ચલાવનારા લોકો જીવનમાં કાંઇક કરી શકે છે તેમ જણાવ્યું હતું. શિલ્પીઓના સન્માન બાદ પુસ્તકના જયુરી મેમ્બર ઈન્દુભાઈ ચાતુર્વેદી, અરૂણભાઈ મહેતા, ડો.પી.જી. કોરાટ, ડો.શૈલેષ જાની અને શ્રીમતી છાયાબેન પારેખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.૧૦૦ શિલ્પીઓના સન્માન સમારોહનો પ્રારંભ દિપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો. તમામ અતિથિઓનું પૂષ્પગુરછથી સ્વાગત કર્યું હતું. સ્વાગત પ્રવચન સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી પ્રતાપભાઈ શાહે કર્યું હતું અને સૌરાષ્ટ્ર-કચ્છનાં માર્કેટીંગ હેડ સંજય ગોરે ભાસ્કર ગ્રૂપનો પરિચય આપ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના એકિઝકયુટીવ એડિટર કાના બાંટવાએ ૧૦૦ શિલ્પીના પુસ્તક અંગે માહિતગાર કર્યાં હતા તેમજ આભારદર્શન ડેપ્યુટી એડિટર તારકભાઈ શાહે કર્યું હતું.આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે મેયર રીનાબેન શાહ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મેહુલભાઈ વડોદરીયા, દિવ્ય ભાસ્કૃર ગ્રૂપના ગુજરાત રાજ્યના એકઝિકયુટીવ એડિટર અજયભાઈ ઉમટ, માર્કેટીંગ સ્ટેટ હેડ ધર્મેન્દ્ર મિશ્રા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભાવનગર જિલ્લાભરમાંથી જુદા-જુદા ક્ષેત્રના અગ્રણી-આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.કાર્યક્રમની ઉદ્દઘોષણા સૌનક વ્યાસ અને સુમિત ઠક્કરે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર યુનિટ હેડ રાજેન્દ્રસિંહ યાદવ તથા માર્કેટીંગ ટીમના ચેતન સોની, હાર્દિક સોની, ફિરોજ પઠાણ, નિતિન પંડયા, સુરેશ વાળા, અજય ગૌસ્વામી અને મુકેશ મંગલાણી વિ.એ જહેમત ઉઠાવી હતી.

--------------------------------------------------------------------------

શિલ્પીઓનું સન્માન કરી સૌરાષ્ટ્ર સમાચારે અનોખો ચીલો ચાતર્યો છે : સૌરભભાઈ પટેલ

૧૦૦ શિલ્પીઓનું સન્માન કરી સૌરાષ્ટ્ર સમાચારે ભાવેણા ઉપર ૧૦૦ ઉપકાર કર્યા છે : રાજુભાઈ રાણા

સહકારી ક્ષેત્રની પ્રગતિ માટે સહકારમાં સૌરાષ્ટ્ર સમાચાર મોખરે : નાનુભાઈ વાઘાણી

નિડર અખબારે ૧૦૦ ઘડવૈયા શોધી સામાજિક દાયિત્વ સૂપેરે નિભાવ્યું : રમેશભાઈ મેંદપરા

સામ પવને વહાણ ચલાવનારા જ જીવનમાં સિધ્ધિ મેળવી શકે છે : પ્રો. મહેબૂબ દેસાઈ

Wednesday, October 14, 2009

Bhavnagar University
Department of History
M.A. Semester -4
Constitutional and Administrative History of India:1858-1950
Paper No. 14
Marks: 70
Lectures: 45
Unit: 1

1. Transfer of Power to British Crown: Act of 1858 and
Queen Victory’s Proclamation.
2. Council Acts: 1861, 1892 and 1909.

Unit: 2

3. Montague Declaration (1917) and Montford Reforms
(1919).
4. Exercise for Constitution: Simon Commission, C.R.Fromula
Round Table Conference.

Unit: 3

5. Act of 1935 and Provincial Autonomy
6. Constitutional Exercises during War Period (1940-1945)

Unit: 4

7. Mountbatten Plan and Indian Independence (1947)
8. Towards the new Constitution of Republic of India.

Unit: 5.

9. Crows Policy towards Princely State of India.
10. Development of local self government of India Under Crown.



Monday, October 12, 2009

Hazrat Davlash Pir : Prof. Mehboob Desai


શ્રદ્ધાનો દરિયો : હઝરત દાવલશાહ

ડો. મહેબૂબ દેસાઈ



ઇસ્લામમાં ચમત્કારો કરતા વિશેષ પ્રાધન્ય ઈમાન,શ્રધા, અને વિશ્વાસને આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ
ખુદા અને પછી તેના પ્યારા બંદા કે ભક્તો ની દુવા પર આમ ઇન્સાનનો વિશ્વાસ - ઈમાન ઇસ્લામી સંસ્કૃતિની શાન છે. રૂપેશ સિંઘા ઉંમર આશરે ૩૫ . જન્મે બંગાળી ક્ષત્રિય. શિવજીના પરમ ઉપાસક. જૈનકન્યા પ્રીમાં સાથે પ્રેમ લગ્નથી જોડાયેલા અને યશરાજ નામના પુત્રના પિતા સાથે થોડા દિવસ પૂર્વે મળવાનું થયું. વાતોમાંને વાતોમાં તેમણે મને કહ્યું,
" ખુદા-ઈશ્વર પર ઈમાન અને દાવલશાહ બાપુની દુઆઓથી જીવું છું."
મને ખુબ નવાઈ લાગી.છતાં એક પણ પ્રશ્ન પૂછ્યા વગર હું તેમને સાંભળી રહ્યો.
" દાવલશાહ બાપુની ૩૬૫ દરગાહ મહારાષ્ટ્રમાં છે. મારા બનેવીને પુનામાં નોકરીમાં સમસ્યા ઉભી થતા મારે પુના જવું પડ્યું. ત્યારે મને પુનામાં બંધ ગાર્ડન પાસે આવેલી દાવલશાહ બાપુની દરગાહની જાણ થઈ. અને મેં ત્યાં જઈ ફાતિહા અદા કર્યા. અને મારા બનેવીની મુશ્કેલી આસાન થઈ ગઈ."
મેં તેમની સામે જોઈ પૂછ્યું,
" તમને ફાતિહા પઢતા આવડે છે ?"
મારી સામે સ્મિત કરી રૂપેશભાઈએ આંખો બંધ કરી અને "અલ્હમ્દો લીલ્લાહે રબીલ આલમીન"ની આખી આયાત પઢી બતાવી. હું આશ્ચર્યચકિત નજરે તેમને તાકી રહ્યો.
જે દાવલશાહ પીરને કારણે તેમણે ફાતિહા માટેની આખી આયાત મોઢે કરી હતી, તે સૂફીસંત દાવલશાહ પીરનો ઉર્ષ ૩૦ ઓક્ટોબર (૧૧ જીલ્કાજ )ના રોજ છે. રૂપેશભાઈ જેવીજ શ્રધા અમદાવાદના કામઘેનું પેઢીના વડીલ ત્રિકમભાઈ નારાયણદાસનું આખું કુટુંબ સેવે છે. હઝરત દાવલશાહની દુવાઓથી તેમના સમગ્ર કુટુંબમાં સુરક્ષા,સુખ અને સમૃદ્ધી આવ્યાની વાતો કરતા કુટુંબનું એક પણ સભ્ય થાકતું નથી. ૧૯૮૫મા અમદાવાદમાં કોમી અશાંતિ વ્યાપી હતી. ચારે બાજુ આગ પ્રસરી હતી. ત્રિકમભાઈના મુહ્લ્લામાં સૌ ભયભીત હતા. પણ ત્રિકમભાઈ સૌને ધરપત આપતા અને કહેતા,
" ઈશ્વરની કૃપા અને દાવલશાહ પીરની દુવાથી આપણા વિસ્તારમાં કઈ નહિ થાય."
એ જ રાતે તેમને સ્વપ્નમાં દાવલશાહ પીર આવ્યા અને કહ્યું," બચ્ચા, એક સળગતું ચક્ર દિલ્હી દરવાજા થઈ,સલાપસ રોડ થઈ,ત્રણ દરવાજા થઈ ચાલ્યું જશે. તમારા વિસ્તારને કશુજ થશે નહિ"
અને સાચ્ચેજ એમ થયું.



તેમનો આખો વિસ્તાર તેમના કહેવા મુજબ દાવલશાહ પીરની દુવાથી બચી ગયો.
અમદાવાદના મોટા સૂફી સંત હઝરત શાહેઆલમ સાહેબના ખીદમતગર તરીકે જાણીતા અબ્દુલ લતીફ બિન મલિક ઉર્ફ હઝરત દાવલશાહની અસલ મઝાર સૌરાષ્ટ્રના મોરબી શહેર નજીક હાલર (જોડિયા) પાસે આમરણ ગામે આવેલ છે. આ જ દાવલશાહ પીર ગુજરાતના સુલતાન મહેમુદ બેગડાના માનીતા ધાર્મિક ઉમરાવ હતા. હઝરત દાવલશાહ સાહેબનો સમગ્ર વ્યવહાર ઇસ્લામના કાનુન મુજબ જ ચાલતો હતો. ઈબાદત અને ઈમાનદારી તેમના જીવનના મુખ્ય ઉદેશો હતા. મિરાતે સિકંદરીમાં તેની નોધ લેતા લખ્યું છે,
" યુદ્ધના સમયમાં એકવાર સીપાયોએ પોતાના ચાર દિવસ ભૂખ્યા ઘોડાઓને કોઈના ખેતરમાં ચરવા છોડી મુક્યા.એ જોઈ દાવલશાહ સાહેબ બોલી ઉઠ્યા " ખુદાનો ખોફ (ડર) રાખો અને તમારા ઘોડાઓને સબ્ર શીખવો"

સિપાયોએ જવાબ વાળ્યો ,
" ઘોડાઓ ચાર દિવસથી ભૂખ્યા છે. તેમનામાં સબ્ર ક્યાંથી આવે ?"
સીપાયોનો જવાબ સાંભળી દાવલશાહ સાહેબે પોતાનો ઘોડો ખુલ્લા ખેતરમાં છૂટો મૂકી દીધો. ઘોડાએ ખેતરનું એક તણખલું મોંમાં ન લીધું. સૌ સિપાયો હઝરત દાવલશાહના ઘોડાની સબ્ર જોઈ રહ્યા.ત્યારે આપે ફરમાવ્યું ,
" તમારી સબ્ર અને ઈમાનદારીનો પ્રભાવ તમારી સાથે જીવતા દરેક જીવ પર પડે છે."
આવા પાક સુફીસંત દાવલશાહ પીરની વફાત જીલ્કાજ માસના ૧૧માં ચાંદે હિજરી સવંત ૯૧૨ ઈ.સ. ૧૫૦૬ના રોજ થઈ હતી.
મિરાતે સિકંદરીના કર્તા લખે છે,
" હઝરત દાવલશાહની વફાતને એક સો પાંચ વર્ષ થયા છતાં હજુ પણ લોકોની ભીડ તેમની દરગાહ પર જામે છે."
આજે પણ આમરણ ગામે તેમના ઉર્ષમાં માનવ મહેરામણ ઉભરાય છે, અને શ્રધાની જ્યોત જ્યાં સુધી પ્રગટતી રહેશે ત્યાં સુધી માનવ મહેરામણ ઉભરાતું રહેશે.

Thursday, October 1, 2009

Happy New Year to All : Prof. Mehboob Desai

સુવિચારોના સથવારે નુતન વર્ષાભિનંદન



ડો. મેહબૂબ દેસાઈ



દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. નવા વર્ષના આગમનની ખુશીનો ઉત્સવ છે.
જીવનના દુખો,ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે.ખુશીને માણવાનો
પ્રસંગ છે. દરેક ધર્મમાં ખુશીને જીવવાના અવસરો મુક્કરાર થયા છે. હિંદુ
ધર્મમાં દિવાળી અને બેસતું વર્ષ છે. ઇસ્લામમાં ઈદ છે.
ખ્રીસ્તીમાં ક્રીશ્મસ છે. પારસીમાં પતેતી છે. આ બધાના નામો , રીવાજો અને
પહેરવેશો ભલે અલગ અલગ હોઈ પણ બધાનો ઉદેશ એક જ છે. અને તે છે ખુશી,આનંદ.
એ દિવસે સૌ
સાથે મળીને વડીલોના આશીર્વાદ લે છે. ભાવતા ભોજન આરોગે છે.અને ખુશીને માણી
સકાય તેટલી પેટ ભરીને માણે છે.
પ્રસંગોને માણવાની આ રીત દરેક ધર્મમાં સમાન છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) આ
અંગે કહે છે,

"તહેવારોમાં હળો મળો, હસી-મજાક કરો. ખાઓ -પીઓ , અને ખુશી મનાવો. ખુશીને
બરાબર ઉજવો "

ખુશીની ઉજવણી માત્ર ભાવતા ભોજન અને આનંદ પુરતી સીમિત ન હોઈ સકે. સદ
વિચારોનું આચમન પણ ઉત્સવની ઉજવણીનો હાર્દ છે. દીપાવલીની ઉજવણી ખલીલ
જિબ્રાનના કેટલાક સદ અવતરણોના આચમનથી કરીએ.
" મારા દુશ્મને મને કહ્યું ," તારા દુશ્મનને પ્રેમ કર' અને મેં તેનું
અનુસરણ કર્યું. અને મેં મારી જાતને ચાહી"

"ભક્તિ માટે અલગતા અને એકાંત અનિવાર્ય નથી"

"શક્તિ અને સહનશીલતા એ બે ભાગીદર છે."

"મારી અજ્ઞાનતાનું કારણ હું સમજુ તો હું સંત થઈ જાઉં"

"વાક્છટા અટેલે કાન પર જીભની લુચ્ચાઈ,પણ વ્ક્તુત્વ એટલે હ્રદયનું આત્મા સાથે મિલન"

" વિજ્ઞાન અને ધર્મ વચ્ચે પૂર્ણ સંવાદિતતા છે, પરંતુ વિજ્ઞાન અને વિશ્વાસ
વચ્ચે પૂર્ણ વિસંવાદ છે."
"મજબુત મનુષ્ય એકાંતમાં વિકસે છે,જયારે નિર્બળ ખરી પડે છે."

"ખરો ધાર્મિક માણસ એક ધર્મને વળગી રહેતો નથી, અને જે એક ધર્મને વળગી રહે
છે તે ધાર્મિક નથી"

"કંજૂસ સિવાયના બધા તરફ ઉદાર થવું એ જ કરકસર"

"ધર્મગુરુ ભોળા ભક્તોના હાડકા અને કબરો પર પોતાના અરમાનો પુરા કરે છે."

"પ્રેમ એ એક જ એવું પુષ્પ છે,જે ઋતુ સિવાય ખીલે છે."

"ધરતી શ્વાસ લે છે
આપણે જીવીએ છીએ
એ શ્વાસ રોકે છે
આપણે ઢળી પડીએ છીએ"

" જેણે વ્યથ જોઈ નથી,તે આનંદને પામી સકતો નથી"
"દયાળુ ન બનશો,
કારણકે
દયા ગુનાખોર કેદીયો પ્રત્યે
દર્શાવાય છે,

જયારે ન્યાય ,અને માત્ર ન્યાય જ નિર્દોષ વ્યક્તિની માંગ છે"

"અજ્ઞાન સાથીની મિત્રતા દારૂડિયા સામે દલીલ કરવા જેટલીજ મૂર્ખતાપૂર્ણ છે"

ખલીલ જિબ્રાનના આ વચનોને ઉત્સવના આનંદ સાથે વાગોળતા રહીએ , એજ પ્રાર્થના
સાથે સૌ વાચક મિત્રોને નુતન વર્ષાભિનંદન .

Wednesday, September 30, 2009

દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. નવા વર્ષના આગમનની ખુશીનો ઉત્સવ છે. જીવનના દુખો,ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે.ખુશીને માણવાનો પ્રસંગ છે. દરેક ધર્મમાં ખુશીને જીવવાના અવસરો મુક્કરાર થયા છે. હિંદુ ધર્મમાં દિવાળી અને બેસતું વર્ષ છે. ઇસ્લામમાં ઈદ છે.
ખ્રીસ્તીમાં ક્રીશ્મસ છે. પારસીમાં પતેતી છે. આ બધાના નામો , રીવાજો અને પહેરવેશો ભલે અલગ અલગ હોઈ પણ બધાનો ઉદેશ એક જ છે. અને તે છે ખુશી,આનંદ. એ દિવસે સૌ
સાથે મળીને વડીલોના આશીર્વાદ લે છે. ભાવતા ભોજન આરોગે છે.અને ખુશીને માણી સકાય તેટલી પેટ ભરીને માણે છે.
પ્રસંગોને માણવાની આ રીત દરેક ધર્મમાં સમાન છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) આ અંગે કહે છે,
"તહેવારોમાં હળો મળો , હસી-મજાક કરો. ખાઓ -પીઓ , અને ખુશી મનાવો. ખુશીને બરાબર ઉજવો "

Saturday, September 19, 2009

Manpatra of Gandhi 1896 : Prof. Mehboob Desai



તેરે નામકા ફૂલ જગમે ખીલે : ગાંધીજ


Prof. Mehboob Desai


૨ ઓક્ટોબર ૨૦૦૯ ના રોજ ગાંધીજીની ૧૩૭મી જન્મ જયંતી છે. "સત્ય એ જ ઈશ્વર " ને જીવનમંત્ર તરીકે સ્વીકારનાર ગાંધીજી બેરિસ્ટર બન્યા પછી ૨૪ અપ્રિલ ૧૮૯૩ના રોજ દાદા અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષીણ આફ્રિકા જવા નીકળ્યા, ત્યારે પણ તેમની ધર્મની વિભાવના સંપ્રદાયો સુધી સીમિત નહોતી.
તેમણે બેરિસ્ટરના અભ્યાસ કાળ દરમિયાન મહાભારત ,બાઈબલ અને કુરાનનું અધ્યયન કર્યું હતું. ગાંધીજી દક્ષીણ આફ્રિકામાં એક વર્ષના કરાર પર ગયા હતા. એ કરાર મુજબ જવા આવવાનું પ્રથમ વર્ગનું ખર્ચ અને રહેવા જમવાનો ખર્ચ અસીલના માથે હતો. ફી પેટે ૧૦૫ પાઉંડ નક્કી થયા હતા.
દક્ષીણ આફ્રિકામાં ૧૮૯૩ થી ૧૮૯૬ સુધીના તેમના રોકાણ પછી તેઓ ૫ જુન ૧૮૯૬ના રોજ ડર્બનથી આગબોટ "પોન્ગોલા" માં ભારત આવવા નીકયા હતા. આ સમય દરમિયાન હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું ન હતું. સૌ તેમને "ભાઈ" ના સંબોધનથી બોલાવતા હતા.છતાં સેવાકીય કાર્યોની તેમને સુવાસ દક્ષીણ આફ્રિકામાં પ્રસરી ગઈ હતી. એટલે હિંદીઓ તરફથી તેમના માનમાં વિદાય સમારંભો યોજાયા હતા. આવોજ એક વિદાય સમારંભ ૪ જુન ૧૮૯૬ના રોજ દક્ષીણ આફ્રિકાના હિન્દી કોંગ્રસ ભવનમાં દાદા અબ્દુલ્લાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમારંભમાં તેમને આપવામાં આવેલ માનપત્ર દક્ષીણ આફ્રિકાની પ્રજા ની ધાર્મિકભાવના , ગાંધીજી પ્રત્યેનો તેમનો પ્રેમ, દક્ષીણ આફ્રિકા કોંગ્રસનું કાર્ય અને ગાંધીજીને પરત આવવાની અરજ અસરકારક શૈલીમાં રજુ કરે છે.

૨ જુન ૧૮૯૬ના આ માનપત્ર નીચે ઉસ્માન નામ લખ્યું છે. માનપત્ર મસ્નવી શૈલી (ઉર્દુ-ફારસી ગદ્ય શૈલીનો એક પ્રકાર)મા લખાયું છે. માનપત્રની ભાષા હિન્દી - ઉર્દુ મિશ્રિત છે. તેમાં ગાંધીજી માટેનો પ્રેમ અને માન સુંદર રીતે વ્યક્ત થયા છે.૧૧૩ વર્ષ પૂર્વે ગાંધીજીને અપાયેલ આ માનપત્ર આજે પણ માણવા જેવું છે.

" કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ
કે હે દો જહાંકા ગફ્ફૂર રહીમ

કિયા જિસને પૈદા જમી આન પર
મેં કુરબા હું ઉસકે નામ પર


જો ચાહે કરે પલ મેં મુખ્તાર હેં
સભી કારોબાર ઉસકે અખત્યાર હે


હબીબ ઉનકે અવલ મોહંમદ રસુલ
સભુને કિયા દિન ઉસકા કબુલ

ક્યામત મેં હર જન મુનાદી કરે
સદાકતકા તાજ તેરે સરપે ધરે

કુરનમેં લિખા હકને ખેરુલ અનામ
નબુવત ખતમ ઔર દુરુદો સલામ

સુની હિંદીઓ કી ખુદાને દુઆ
દુઆ સે ગાંધી કા આના હુઆ

ઉજાલા ખુદાને ફિર ઐસા કિયા
યે બહાદુર અસર હિંદીઓકુ હુઆ

ખુદાને કિયા હમ પર લુંફ્તો કરમ
મોહનદાસ ગાંધીકા દિલ હે નરમ

નિહ્ગેબાન તેરા ખુદાવિંદ કરીમ
કે હે પાદ્શ દો જહાકા અકીમ

નસારુકા યે મુલક નાતાલ હેં
અવલ કાયદા યાકા બે તાલ હેં


વો હિદીકી કરતે ન દરકાર હે
અકલમંદ એસી યે સરકાર હે


મોહનદાસ દિલસે નસાર યે કિયા
ફ્રેન્ચયાસકા કામ અવલ કિયા

ફતેહ સારે કામોમેં તુમકો મિલે
તેરે નામકા ફૂલ જગમે ખીલે

ન દુશ્મન સે બિલકુલ વો દિલ મેં ડરે
લગા કાયદા વો બરાબર લડે

ઓંરોસે ઉસકો હુઆ ફાયદા
નસારુકા તોડા હે જુલ્મો જહાં

સફાઈ સે ફિર કોંગ્રસ ખડી
હે તેરે હી દમ સે આગે પડી

યે કોંગ્રસ સે હોને સે ચર્ચા ચલી
નસારોમે તો પડ ગઈ ખલબલી

આયા હે તાર ભાઇકા જાના હે ધર
પડી હિંદીઓ કે દિલ મેં ફિકર

મગર જાના તો જલ્દી આના યહાં
નહી તો હિન્દીઓ કા ઠીકાના કહાં ?

હિન્દીઓકી ખાતિર જો મહેનત કરે
તરક્કી ઉમર ઉસકી માલિક કરે

યે કોંગ્રેસ દુઆ તેરે હક મેં કરે
તેરે ભાઈઓ ભી ઇસમેં સામીલ રહે


કુટુંબ ઔર કબીલે મેં ન તુમ રહો
ખુશી સાથ જલ્દી યહાં પર ફિરો

ખતમ યહાસે કરતા હુ મેં મસ્નવી
યે મીમ્બેર દુઆ ચાહતે હે મિલે સભી

ગાંધીજીના આ અને આવા ૧૫૬ માનપત્રોનું અદભુદ પ્રદર્શન ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્ર , ભાવનગર વિશ્વ વિદ્યાલય, ભાવનગરમાં ૧૧,૧૨ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ સાબરમતી આશ્રમ,અમદાવાદના સૌજન્યથી યોજાય ગયું. ગાંધીજીને જાણવામાં, પામવામાં આવા દસ્તાવેજી પુરાવા નોંધપાત્ર પ્રદાન કરે છે. અને એટલે જ આવા પ્રદર્શનો ઠેર ઠેર યોજવા જોઈ.

Friday, September 18, 2009

વિજ્ઞાન અને ઇસ્લામ ડો. મહેબૂબ દેસાઈ

કુરાન-એ-શરીફ એ દરેક વિષયને આવરી લેતો ગ્રંથ છે. એ નાતે તેમાં વિજ્ઞાનના સિદ્ધાંતોનો પણ ઠેર ઠેર ઉલ્લેખ જોવા મળે છે. આ અંગે વિશ્વમાં વારંવાર વિશદ ચર્ચાઓ થતી રહી છે. ફ્રાંસની આયુર્વેદ વિજ્ઞાન અકાદમીમાં 9 નવેમ્બર 1976ના રોજ "કુરાનમાં શરીર વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર " અંગે વિસ્તુત સેમીનાર થયો હતો. એ સેમિનારમાં ડો. મોરીસ બુકેલએ "કુરાનમાં વિજ્ઞાન અને પ્રજનન " વિષય પર પોતાનું સંશોધનપત્ર રજુ કર્યું હતું. વિશ્વમાં થતી આવી ચર્ચાઓ એ બાબત તરફ નિર્દેશ કરે છે કે કુરાને શરીફમાં જીવન જીવવાની કલા સાથે વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો પણ આધારભૂત તથ્યો સાથે જોવા મળે છે. સૃષ્ઠીના સર્જનના વૈજ્ઞાનિક અભિગમને વ્યક્ત કરતા કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,
"તમારા પાલનહાર અલ્લાહે આ ધરતી અને આકાશનું સર્જન છ દિવસમાં કર્યું છે."
ધરતી અને આકાશની પૃથ્વીના સર્જન પૂર્વેની સ્થિતિનો ચિતાર આપતા એક આયાતમાં કહેવામાં આવ્યું છે,
"શું નાસ્તિકો નથી જાણતા કે ધરતી અને આકાશ પહેલાં પરસ્પર મળેલા હતા અને પછી ખુદાએ તેને અલગ અલગ કર્યા"
ધરતી અને આકાશનું સર્જન કરનાર ખુદાએ ધરતી અને આકાશની સમગ્ર દુનિયાનું એ પછી સર્જન કર્યું હતું . એ અંગે પણ કુરાને શરીફમાં કહ્યું છે,
" જેણે આકાશ અને ધરતી ને બનાવ્યા , તેણે જ ધરતી અને આકાશ વચ્ચે સમગ્ર સુર્ષ્ઠીનું સર્જન છ દિવસમાં કર્યું છે.

પૃથ્વીના સર્જન પછી રાત અને દિવસના ચક્રને વ્યક્ત કરતા કુરાને શરીફમાં કહ્યું છે,
"અને તે ખુદા જ છે જેણે રાત અને દિવસ બનાવ્યા છે. સૂર્ય અને ચન્દ્ર સૌ નભમંડળમાં તરી રહ્યા છે અને એ પ્રત્યેક એક એક મંડળ (ગ્રહ) છે."
પૃથ્વીના સર્જન પછી ઉત્પન થયેલ જીવસૃષ્ટીની પ્રક્રિયાને કુરાને શરીફની સુર અજ જુમરમાં વ્યક્ત કરતા કહ્યું છે,
"શું તમે નથી જોયું કે ખુદા - ઈશ્વરે આકાશમાંથી મેહ વરસાવ્યા. અને પછી ધરતી પર ધારાઓ (નદીઓ)
ચલાવી અને પછી તેના દ્વારા વિભિન્ન પ્રકારની ખાદ્ય વસ્તુઓ અને જીવ ઉત્પન કર્યા?"
આજ વાત ને જરા સરળ રીતે રજુ કરતા એક આયાતમાં કહ્યું છે,
" એજ ખુદા છે જેણે તમારા માટે ધરતીની પથારી બનાવી છે. તેમાં રસ્તાઓ બનાવ્યા છે.આકાશમાંથી
પાણી વરસાવ્યું છે. અને તેના દ્વારા તેણે વૃક્ષોના જોડાઓ બનાવ્યા છે. જે એકબીજાથી બિલકુલ ભિન્ન છે."
જેમ સૃષ્ઠીના સર્જન અંગે કુરાને શરીફમાં આયાતો છે, એમ જ માનવીના સર્જનની પ્રક્રિયા પણ તેમાં વ્યક્ત કરવામાં આવી છે. કુરાને શરીફમાં માનવશરીરના સર્જન માટે સ્ત્રીના ગર્ભમાં રોપાતા બીજને "અલક" કહ્યું છે. અને એ અંગે વિગતે આયાતમાં કહેવામાં આવ્યું છે ,
" પછી અમે (ખુદા-ઈશ્વર)એ “અલક” ને બીજારોપણની ક્ષમતા પ્રદાન કરી , પછી એ બીજ પર ધીમે ધીમે માંસનંા સ્થાપન કર્યું પછી માંસની આસપાસ હાડકાનું સર્જન કર્યું અને પછી અમે એ માંસ અને હાડકાઓને એક નિશ્ચિત રૂપ આપ્યું . આમ અમે માનવીનું સર્જન કર્યું."
કુરાને શરીફમાં પૃથ્વીના સર્જનથી માંડીને માનવીના સર્જન સુધીની આજથી ૧૪૦૦ વર્ષ પહેલા વ્યક્ત થયેલી આ આયાતો કુરાને શરીફના વેજ્ઞાનિક આભિગમને વ્યક્ત કરવા પુરતી છે.

Wednesday, September 16, 2009

The Exhibition of Mahatma Gandhi's MANPTRAS

The Exhibition of Mahatma Gandhi's MANPTRAS




Gandhian Studies Center,Bhavnagar University,Bhavnagar Organized Exhibition of Gandhi's 156 MANPTRAS on 11,12 September 2009. These MANPTRAS Presented to Gandhi's from various part of Country. One of them I here present for your information.

Monday, August 31, 2009

ઈદ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઈદ


દરેક સંપ્રદાયમાં ખુશી માટેના ધાર્મિક પ્રસંગો છે. હઝરત મહંમદ પય્ગ્મ્બેરએ પણ ફર્માંવિયું છે,
" દરેક કોમ માટે તહેવારોનો એક દિવસ મુકરર કરવામાં આવ્યો છે "
તહેવારના એ દિવસ પાછળનો ઉદેશ માનવી-માનવી વચ્ચેના મતભેદો , મનદુખોને પુનઃ પ્રેમથી ભીંજવી સમાજમાં ખુશી પ્રસરાવવાનો છે. બેસતું વર્ષ , ક્રિસમસ , હેપ્પી ન્યુયર , સંવત્સરી કે ઈદમાં આપવામાં આવતી શુભેચ્છાઓ નુતન વર્ષાભિનંદન , હેપ ન્યુયરે ,મિચ્છામી દુકડમ કે ઈદ પણ સામાજિક સંબંધોને પુનઃ સુગઠિત કરી સમાજમાં શુભકામનો પ્રસરાવવાનું સૂચવે છે. અને એટલે જ તમામ પ્રસંગો માત્ર વ્યક્તિગત નહીં , પણ સામાજિક ખુશી છે.

ઈદ એટલે પુનઃ પાછી ફરતી ખુશી . ઈદ મુબારક એટલે પુનઃ પ્રાપ્ત થયેલ ખુશી અંગે શુભેચ્છા . ઇદના પ્રસંગે દરેક મુસ્લિમને ત્યાં સવારે ખીર બને છે.ખીર એ પવિત્ર ભોજન છે. દૂધ,ખાંડ,સેવ અને સૂકો મેવો નાખી બનાવવમાં આવતી આ વાનગી જીવનમાં પુનઃ મીઠાસ પ્રસરાવવાનો સંદેશો આપે છે. ઈદની નમાઝ સમાનતાના સંદેશ સમી છે. નમાઝ બાદ મુસાફો (હસ્તધૂનન)કે ભેટીને એક બીજાને વીતેલા વર્ષમાં વ્યાપેલ કડવાશને ભૂલી જઈ, મન સ્વચ્છા કરી પુનઃ મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે.

કોઈ પણ માનવી મન , ર્હદય સ્વચ્છ કરી મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક કહેવા અને ખીરની મીઠાસને માણવા તેમના દ્વાર પર આવે છે, ત્યારે મુસ્લિમ બિરાદર પણ તેમને હોંશથી ગળે લગાડી ઈદ મુબારકની આપ લે દ્વારા ર્હદય શુદ્ધ કરે છે. કારણકે ઇસ્લામમાં પ્રાયશ્ચિતની યાચના ઇદની ઉજવણીમાં સોનામાં સુગંધ સમાન છે.

હઝરત કાબા બિન માલિકએ પોતાની ભૂલોની ખુદા પાસે રડીને , કરગરીને ક્ષમા માંગી અને ખુદાએ તેમની તમામ ભૂલો માફ કરી દીધી . ત્યારે સૌ તેમને મુબારકબાદી આપવા પહોંચ ગયા. સૌથી છેલ્લે મહંમદ સાહેબે તેમને મુબારકબાદી આપતા કહ્યું ,

“કાબા, તમારી જિંદગીનો આ ઈદ સમો દિવસ છે. આ ખુશીમાં મને પણ સામેલ કરો . અને મારી મુબારકબાદી સ્વીકારો "

આવી પ્રાયશ્ચિતની ક્રિયાઓ જ ઈદને સામાજિક ઉત્સવ બનાવે છે. એટલે જ ઈદ એ આપણા સંબંધો પર ચડી ગયેલી ધૂળ ખંખેરવાનું પર્વ છે.

અંગ્રેજીમાં કહેવત છે " We are Master of our unspoken words "
આપણે આપણા ન બોલેલા શબ્દોના માલિક છીએ . જે શબ્દો , કૃત્યો આપણી માંલીકીમાંથી સરી પડ્યા છે અને જે અન્યના મનની વ્યથા બની ગયા છે તે વ્યથા દૂર કરી પ્રેમનું પુનઃ સ્થાપન કરવાનો દિવસ એટલે ઈદ . એકવાર હઝરત મહંમદ પય્ગ્મ્બેર (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું ,

"ઇદના દિવસે શું જરૂરી છે ?"

મહંમદ સાહેબે ફરમાવ્યું ,

"ઈદના દિવસે ખુલ્લા દિલથી ખુશીનો એજ્હાર (અભિવ્યક્તિ)કરો . મનની કડવાશથી મુક્ત થાવ ખાઓ-પીઓ અને ખુશીની આપલે કરો . ખુશીને માણો અને ખુદાની યાદ કરતા રહો”
.
ઈદના એક પ્રસંગે કોઈક હબશી બાઝીગર તેનો ખેલ ખુલ્લા મેદાનમાં બતાવી રહ્યો હતો.મોટેભાગે મહંમદ સાહેબ ક્યારેય આવા ખેલો જોતા નહીં . પણ એ દિવસે આપ ખુદ રસ્તા પર ઉભા રહ્યા અને ખેલ જોવા લાગ્યા .અને હઝરત આઈશા (રદ)ને પણ પડદાની આડમાંથી એ ખેલ જોવા દીધો .

ટૂંકમાં, ઈદ એટલે સ્વચ્છ , નિર્મળ ખુશી. ચાલો આપણે પણ આવી નિર્મળ ખુશીને માત્ર વ્યક્તિગત ન બનાવતા , સામુહિક કે સામાજિક બનાવીએ . હિંદુ-મુસ્લિમ સૌને ખીરની મીઠાસને માણવા નીમન્ત્રીએ. અને આ દ્વારા સમાજને મહોબ્બત ,પ્રેમનો સંદેશ પાઠવીએ ,એ જ દુઆ - આમીન .
.

Friday, August 28, 2009

Muhnmad Begdo: A king of Gujarat

સૂફીયુગનો અદલ ઇન્સાફ

ડો. મહેબૂબ દેસાઈ



રમજાન માસના વીસમા રોઝે( હિજરી સન ૮૪૯, ઈ.સ.૧૪૪૬ )જન્મેલ અને રમજાન માસના બીજા રોઝે
( હિજરી સન ૯૧૭ ,ઈ .સ. ૧૫૧૧)અસર (સાંજ)ની નમાઝ બાદ ૭૦ વર્ષ અને અગીયાર માસની વયે અવસાન પામેલ મુહમદ બેગડાના શાસનને સૂફી યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત પર પંચાવન વર્ષ ,એક માસ અને બે દિવસ શાશન કરનાર મુહમદ બેગડાના સગા માસા સૂફીસંત શાહેઆલમ સાહેબ હતા. જયારે મહમૂદ બેગડાના શાસનકાળમાં જાણીતા સૂફીસંતોની ભરમાર હતી. શેખ સિરાજુદ્દીન અઝીઝુલ્લાહ , પીર સૈયદ ઇમામુદ્દીન અને હઝરત સૈયદ મુહમદ જોનપુરી જેવા સૂફી સંતોનો પ્રભાવ મુહમદ બેગડાના શાસન અને જીવન પર સ્પષ્ઠ દેખાતો હતો.. અને એટલે જ મુહમદ બેગડાની અંતિમ ઈચ્છા મુજબ તેને સૂફી સંત અહમદ ખતું ગંજ બક્ષના મકબરા સામે સરખેજમાં દફનાવવામાં આવેલ છે.

મહમદ બેગડાને ચાર રાણીઓ હતી. એ ચારેને એક એક પુત્ર હતો .પ્રથમ રાણી રૂપ મંજરી , જેની કબર માણેકચોક (અમદાવાદ)માં છે. તેને મુહમદ નામક પુત્ર હતો . બીજી રાણી શેહપરી (સીપરી). જેના પુત્રનું નામ આબાખાન હતું. ત્રીજી રાણી હીરાબાઈ ના પુત્રનું નામ હતું ખલીલખાન (મુઝફ્ફરખાન) .અને ચોથી રાણીના પુત્રનું નામ હતું અહેમદશાહ. આ ચારે રાણીઓમાં શેહ્પરી અત્યંત ખુબસુરત અને પ્રભાવશાળી હતી. તેનો પુત્ર આબાખાન રંગીન મિજાજનો માલિક હતો.. એક દિવસ આબાખાનની સવારી ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.. પ્રજા એ સવારીને નિહાળવા રસ્તાની બંને બાજુ ઉભી હતી. . રસ્તા પરના એક મકાનના કઠેરામાં એક અત્યંત ખુબસુરત કન્યા પણ શાહજાદાની સવારીને નિહાળી રહી હતી. . આબાખાનની નજર એ કન્યા પર પડી અને આબાખાન પોતાના રંગીન મિજાજને રોકી ન શક્યો. આબાખાને તે કન્યાને પ્રેમ ભર્યો ઈશારો કર્યો. પ્રજા આબાખાનના આ અપકૃત્યને જોઈ ગુસ્સે ભરાણી અને આબાખાન અને તેના રસાલા પર તૂટીપડી. શાહ્જદાના કિમંતી વસ્રતોના લીરેલીરા ઉડી ગયા . તેના સીપાયો ભાગી ગયા.

આ ઘટનાની જાણ મુહમદ બેગડાને થઈ. તેણે રાણી શેહ્પરી (સીપરી) અને પુત્ર આબાખાનને ખુલ્લા દરબારમાં બોલાવ્યા. અને ઘટનાની સત્યતા તપાસી . પ્રજાના નિવેદન સાંભળ્યા. અને પછી ઇન્સાફ કરતા કહ્યું ,

" આ સામે પડેલ ઈશ્ખોલ (પ્યાલો) ઉપાડો. તેમાં ઝેરની પડીકી નાખો. તેને પાણી ,ઓહ ભુલીયો આ તો શાહજાદો છે , તેને પાણીમાં ઝેર ન અપાય . તેને શરબત-એ-ગુલાબમાં ઝેર ઘોળીને આપો."
રાણી શેહ્પરી (સીપરી) આ સાંભળી ધ્રુજી ગઈ. મુહમદ બેગડાને તેણે આક્રંદ સાથે વિનંતી કરી,

" જહાંપના, શાહજાદો આબાખાન આપનો પુત્ર છે. આ તેની પહેલી ખતા છે. તેને આવી કડી સજા ન કરો.”
મુહમદ બેગડો પોતાની પ્રિય રાણીની વ્યથા જોઈ રહ્યો. તેના ચહેરા પર તેની બિલકુલ અસર ન હતી. પોતાના ઇન્સાફને વળગી રહેતા તે બોલ્યો ,

"આ તમારો પુત્ર છે અને જેને તેણે બીભ્સ્ય ઈશારો કર્યો હતો એ મારી પ્રજાપુત્રી છે. મારી પ્રજાની ઇઝ્ઝત આબરુની હિફાઝત કરવાની મારી પ્રથમ ફર્ઝ છે. પ્રજાના રક્ષકો જ પ્રજાના ભક્ષકો બનશે તો સૂફીસંતોની આ ધરા ધ્રુજી ઉઠશે."
રાણી શાહ્પારી (સીપરી)એ પોતાની વિનંતી ચાલુ રાખતા કહ્યું ,

"પણ, જહાંપના આટલી નાની બાબતની આટલી મોટી સજા ? "
આ સાંભળી મુહમદ બેગડો બોલી ઉઠ્યો ,
" આપની વાત સાચી છે. પણ મારો ઇન્સાફ આપના શાહજાદાની જિંદગી બરબાદ કરી નાખશે.
તેના હાથ પગ કાપી નાખવાનો મારો હુકમ તેને આખી જિંદગી રીબાવશે. અને એક માં તરીકે આપ એ જોઈ નહિ શકો. માટે ઝેર દ્વારા મુક્તિ એ જ એના માટે ઉત્તમ સજા છે."

અને રાણી શેહ્પરીએ પોતાના એકના એક પુત્રને શરબત-એ-ગુલાબમાં ઝેર ઘોળીને આપ્યું. આખો દરબાર મુહમદ બેગડાના ઇન્સાફને ચકિત નજરે જોઈ રહ્યો. થોડી જ પળોમાં શાહજાદા આબાખાનના શરીરમાં ઝેર પ્રસરી ગયું. અને એક સુલતાન બાપની ફર્ઝ ભૂલી પોતાના અદલ ઇન્સાફને ભીની આંખે તાકી રહ્યો.

આજે પણ આસ્ટોડિયા દરવાજા બહાર આવેલી શેહ્પરી (સીપરી)ની મસ્જિતમાં રાણી સીપરીની કબર
પાસે જ શાહજાદા આબાખાનની કબર મુહમદ બેગડાના ઇન્સાફની સાક્ષી પુરતી હયાત છે.

Monday, August 24, 2009

Letter to Shri Prakashbhai Shah for Shri Jasvantsinh Book

•શ્રી પ્રકાશભાઈ શાહ ગુજરાતના જાણીતા ચિંતક , લેખક અને “નિરીક્ષક” જેવા બૌદ્ધિક સામયિકના તંત્રી છે. બીજેપીના પૂર્વ નેતા શ્રી જસવંતસિંહના પુસ્તકને ગુજરાત સરકારે પ્રતિબંધિત કરેલ છે.તેની સામે હાઇકોર્ટમાં પ્રકાશભાઈએ અપીલ કરી છે. તે સંદર્ભે આ પત્ર તેમને પાઠવેલ છે.

;;;;;;;;;;;;;;;;;;


પ્રિય પ્રકાશભાઈ ,


આજના અખબારમાં સમાચાર વાંચી જાણવા મળ્યું કે શ્રી જસવંતસિંહના પુસ્તક અંગે આપે હાઈકોર્ટમાં તેના પરનો પ્રતિબંધ દૂર કરવા દાદ માંગી છે. એ બાબત તારીફ-એ -કાબિલ તો છે જ . પણ થોડી વિચારણા પણ માંગી લે છે.


૧. ભારતના આઝાદીના સંગ્રામમાં સરદાર પટેલની ભૂમિકા અત્યંત આદર પાત્ર રહી છે. બારડોલી સત્યાગ્રહ થી આરંભીને દેશી રાજ્યોના વિલીનીકરણ સુધીની તેમની દેશસેવા , તેમના રાષ્ટ્રીય વ્યક્તિત્વને સાકાર કરે છે. એવા રાષ્ટ્રવાદી નેતાના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાની ક્રિયા રાષ્ટ્રવાદી તો ન જ કહેવાય. અને આવું કોઈ પુસ્તક પ્રજામાં એવા કુવિચારને પ્રસરાવે તે તો કોઈ પણ ભારતીય કેવી રીતે સાંખી લે ? ગુજરાત સરકારના નર્ણય પાછળનો આવો જ હેતુ હશે તેમ માનું છું.

૨. ભારતના ભાગલામાં સરદાર પટેલની ભૂમિકા ઈતિહાસના પાનાઓ પર વિસ્તૃત રીતે આલેખયલી છે. હિંદુ-મુસ્લિમ સુરક્ષા માટે તેમની સક્રિયતા જાણીતી છે. ભાગલાને ટાળવાના તેમના પ્રયાસો નોધપાત્ર હતા, તે બાબત પણ નકારી શકાય તેમ નથી.

૩. બીજા પક્ષે , મુહમદ અલી ઝીણાના વ્યક્તિત્વથી ભારતનો ઈતિહાસ અને ભારતની પ્રજા સુપરિચિત છે. શ્રી જસવંતસિંહ તેમના પુસ્તકમાં તેની ગમે તેટલી તારીફ કરે ઝીણાના વ્યક્તિત્વને જરા
પણ બદલી શકવાના નથી. ભારતના ભાગલા પાછળનો તેમનો એક દેશના વડા થવાનો ઉદેશ સોં જાણે છે. તેમની એ જીજીવિષા ગાંધી, નેહરુ અને સરદાર પટેલ સાથેની ચર્ચામાં વારંવાર વ્યક્ત થઈ છે. અને ત્યારે ભાગલા અટકાવાવ ગાંધીજીએ ઝીણાને વડાપ્રધાન બનાવવા જેવું વિષપાન કર્યું હોવાના આધારો પણ ઇતિહાસમાં મળે છે.

૪. આવા વ્યક્તિવને ઉજળા બનાવાવની કે રાષ્ટ્રવાદી ચિતરવાની ક્રિયા રાષ્ટ્રીય દ્રોહ છે. અને એવા સાહિત્યને સમાજમાં પ્રસરાવી દેશના રાષ્ટ્રીય ઈતિહાસને ગેર માર્ગે દોરવામાં કોઈ રાજ્ય સહાય ભૂત ન થાય એ મારી દ્રષ્ટીએ યોગ્ય છે.

૫. આવતી કાલે આવા પુસ્તકો જ ઈતિહાસ સંશોધનના આધારો બનશે. અને ત્યારે ઈતિહાસને વિકૃત ચીતરવાનો દોષ આપણે નવ ઈતિહાસકારોના માથા પર ફોડીશું. પણ એ વખતે આવા પુસ્તકોને સમાજમાં પ્રસરાવનાર પરિબળો સામે કોઈ આંગળી નહિ ચીંધે.

આશા છે આપ જેવા જ્ઞાની ગુજરાત પુરુષ મારા જેવા અધ્યાપકની વાતને રાજકારણના ત્રાજવે નહિ તોલે અને તેની પાછળની એક શિક્ષકની ભાવનાને પામશ એજ અભ્યર્થના સાથે .

આપનો

મહેબૂબ દેસાઈ

Saturday, August 22, 2009

Umar Khaiyyam : Prof. Mehboob Desai

મહાન સૂફી ઉમર ખૈયામ



મહાન સૂફી ઉમર ખૈયામને હકીમ અબુ અલી સીનાનું પુસ્તક " શીફા " અત્યંત પ્રિય હતું. "વહદત " (એકત્વ) અને "કસરત" ( બહુત્વ )ના પ્રકરણોનું તેઓ વારંવાર અધ્યન કરતા. તે દિવસે પણ પુસ્તકનું વાંચન કરતા હતા , ત્યારે ઈબાદતનો સમય થયો. પુસ્તકના છેલ્લા બે પાના વચ્ચે દાંત ખોતરવાની સળી મૂકી તેઓ નમાઝ અદા કરવા બેઠા. એ ઈબાદત તેમની ઝીન્દગીની છેલ્લી ઈબાદત બની રહી. ઈબાદત સમયે તેમની છેલ્લી દુઆ (પ્રાર્થના) હતી ,

" હે ખુદા, મારી શક્તિ મુજબ મેં તને ઓળખવાનો પ્રયાસ કર્યો છે. એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોઈ તો મને ક્ષમા કરજે . કારણ કે જેટલું જ્ઞાન મેં તારા વિશે મેળવ્યું છે, તે તો તારા સુધી પહોંચવાનું સાધન માત્ર છે."

અને નીશાપુર (પર્શિયા - ઈરાન)ના તેમના નિવાસમાં હિજરી સંવત ૫૭૧ (ઈ .સ. ૧૧૨૩)માં ઉમર ખૈયામનું અવસાન થયું .
હિજરી સંવત ૪૦૮ (ઈ.સ . ૧૦૪૮)માં નિશાપુર નજીકના એક ગામમાં જન્મેલા ઉમર ખૈયામનું મૂળ નામ ગયાસુદ્દીન અબુલ ફતેહ ખૈયામ હતું. તેમના પિતા ઈબ્રાહીમ તંબુ બનાવવાનો વ્યસાય કરતા હતા . અરબીમાં તંબુને ખયમાં કહે છે. અને તંબુ બનાવનારને ખૈયામ કહે છે. આમ વંશપરંપરાગત વ્યવસાયને તેમની અટક ખૈયામ પડી હતી .એ સમયે ખૂરાશાનનું નીશપુર ગામ સાહિત્ય અને વિદ્યાનું મોટું ધામ હતું . ખ્વાજા મોફિક ત્યાંના વિદ્વાન અધ્યાપક હતા. તેમના મદ્રેશામાં યુવા ઉમરે હદીસ, વિજ્ઞાન , ખગોળશાસ્ત્ર , ઈતિહાસ , તર્કશાસ્ત્ર , નજૂમી (જ્યોતિષશસ્ત્ર)નું ઉચ્ચ શિક્ષણ લીધું. યુવા અવસ્થાથી જ ઉમર ખૈયામને એકાંતમાં વાંચન , મનનમાં લીન રહેતા.
ઇસ્લામના ઈસમાઈલી સંપ્રદાયના અનુયાયી ઉમર ખૈયામ ઉમર ખૈયામ તીવ્ર યાદશક્તિના માલિક હતા. એક વખત પુસ્તકનું વાંચન કરી લીધા પછી તેમને પુસ્તક પૃષ્ઠ નંબર અને તેની વિગતો સાથે યાદ રહી જતું .ઇસ્લામના ઊંડા અભ્યાસુ અને સૂફી વિચારધારાના મોટા કદના વિદ્વાન ઉમર ખૈયામ પુનર જન્મમાં માનતા હતા.

નીશાપુર(પર્શિયા - ઈરાન)ના એક જુના મદ્રેસાનું સમારકામ ચાલતું હતું. એ સમયે ગધેડાઓ પર માટી અને ઇંટો લઇ જવામાં આવતી . એક ગધેડો મદ્રેશાના દરવાજા પાસે જ અટકી ગયો . કોઈ હિસાબે અંદર જાય જ નહિ. તેના માલિકે બહુ ડફના માર્યા. છતાં ગધેડો હલ્યો નહિ . ઉમર ખૈયામ તેમના શિષ્યો સાથે આ ઘટના નિહાળી રહ્યા હતા .અંતે તેઓ ગધેડા પાસે ગયા અને તેના કાનમાં કંઇક કહ્યું. અને અત્યાર સુધી હઠીલો બની ઉભેલો ગધેડો કાનમાં રૂબાઈ પડતાં જ ચાલવા માંડ્યો .ગધેડાના માલિક અને શિષ્યો ને આ જોઈ નવાઈ લાગી . શિષ્યોએ ઉમર ખૈયામને તેનું રહસ્ય પૂછયું. ઉમર ખૈયામે શિષ્યોને સમજાવતા કહ્યું ,

" આ ગધેડો પૂર્વ જન્મમાં જ્ઞાની (આલીમ) હતો. આ જન્મમાં તેને મળેલ અવતારથી મદ્રેશામાં પ્રવેશતા
શરમાતો હતો.. એટલે મેં તેના કાનમાં એક રૂબાઈ પઢી. જેનો અર્થ હતો , ઓ છળકપટ રહિત ત્યાગી,
તું આ નાશવંત જગતમાંથી કુચ કરીને ફરીવાર ગધેડા રૂપે જન્મ્યો છે. તારી વિધ્વ્તાની દાઢી હવે તારી
પૂંછડી બની ગઈ છે. તારા નખો હવે પગની ખરીઓ બની ગયા છે. એટલે શરમાયા વગર મદ્રેસામાં
પ્રવેશ . આ તો તારી જ કર્મભૂમિ છે."

ઉમર ખૈયામ પૂર્વ જન્મમાં વિશ્વાસ કરતા હતા. દરેક જન્મમાં ખુદા-ઈશ્વરે સોંપેલું કાર્ય બાઈજ્જત અને નિષ્ઠાથી કરવાની હિદાયત ઉમર ખૈયામની આ કથાનો અર્ક છે.
ઉમર ખૈયામની આવી ફિલસુફી અને તત્વજ્ઞાનથી છલોછલ રુબાઈઓ ઈશ્કે હકીકીની જણસો છે. કેટલાક લોકોએ ઉમર ખૈયામના આવા વિચારોનો વિરોધ પણ કર્યો હતો. પણ ઉમર ખૈયામએ કયારેય તેની પરવા કરી ન હતી.


ઉમર ખૈયામના સાહિત્યનો ઊંડો અભ્યાસ કરનાર અને તેને આમ સમાજ સુધી પહોચાડનાર કીટ્સ જીરાલ્દ લખે છે,

" નાસર ખુશરુની દોસ્તી થયા પછી જ ઉમર ખૈયામ ધીમે ધીમે ઉંચ્ચ મકામ પર પહોચીયો હતો.
તે હંમેશ હયાત છે. તે પોતાની કિતાબમાં લખી ગયો છે કે હું હંમેશા જીવતો છું અને રહીશ. "

Thursday, August 20, 2009

Amir Khushro : Prof. Mehboob Desai

અમીર ખુશરો

ડો. મહેબૂબ દેસાઈ



સૂફી વિચારધારાને સૂફીસંતો એ આમલ (આચરણ) દ્વારા સાકાર કરી છે. જયારે કેટલાક ચિંતકોએ સૂફી વિચારને તેમની કલમ દ્વારા લોકભોગ્ય બનાવી હતી. એવા ચિંતકોમાં અમીર ખુસરો અગ્ર હતા. સૂફી વિચારના ચિશ્તી પરંપરાના જાણીતા સંત મુહંમદ નીઝામુદ્દીન ઓલિયાના શિષ્ય અમીર ખુસરોનો જન્મ ઈ.સ. ૧૨૫૩મા પતિયાલા (હાલ ઉત્તેર પ્રદેશ)માં થયો હતો. તેમનું મૂળ નામ અબુલ હસન હતું. દિલ્હીના બાદશાહ ઈલ્તુત્માસના તુર્કી અધિકારીના પુત્ર અમીર ખુસરો ઈ.સ. ૧૨૭૨ સુધી બાદશાહની સેવામાં રહ્યા.

ફારસીના જ્ઞાતા , ઉત્તમ શાયર અને ઇતિહાસકાર અમીર ખુસરોના જીવનમાં નીઝામુદ્દીન ઓલિયાનો પ્રવેશ અનાયાસે થયો હતો. તેમના વિચારોથી પ્રભાવિત થઈ તેઓ તેમના શિષ્ય બની ગયા.પાંચ હજાર દોહા અને શાયરીના પાંચ પુસ્તકો લખનાર અમીર ખુસરોની રચનાઓમાં સૂફી વિચારોનો અર્ક માણવા મળે છે.


તેમના ગુરુ નીઝામુદ્દીન ઓલિયાના અવસાનના સમાચાર તેમને ઘણાં મોડા મળ્યા. સમાચાર મળતાંજ અમીર ખુસરો તેમની દરગાહ પર પહોચી ગયા.ચોધાર આંસુએ રડ્યા. અને ત્યારે તેમનામાનો કવિ બોલી ઉઠયા,


“ખુસરો રૈન સોહાગ કી
જાગી પી કે સંગ
તન મોરો મન પિઉ કો
દાઉ ભયે એક સંગ

ગોરી સોવે સેજ પર
મુખ પર ડારે કેસ
ચલ ખુસરો ઘર અપને
રૈન ભઈ ચહું દેસ

શ્યામ સેત ગોરી લિયે
જનમત ભઈ અનિત
એક પલ મેં ફિર જાતે
જોગી કાકે મીત .

.
અને આ દોહા સાથેજ ખુસરો ગુરુની મઝાર પાસે બેભાન થઈ ગયા.
ખુસરોએ તેમની આ રચનોમાં ખુદા-ઈશ્વરને પ્રિયતમ કે દુલ્હન તરીકે આલેખ્યા છે. તેમની રચનાઓમાં પ્રિયતમ સાથેની મહોબ્બત એ ખુદા સાથેનો લગાવ વ્યક્ત કરે છે. તો વળી ક્યારેક ખુસરો માનવ દેહને દુલ્હન સ્વરૂપે પણ જુવે છે.

" બહુત રહી બાબુલ ઘર દુલ્હનિયા
ચલ તેરે પી ને બુલાઈ
બહુત ખેલ ખેલી સખીયાનસે
અંત કરી લારકાઈ


ન્હાય ધોય કે વસ્તર પહિરે
સબ હી સિંગાર બનાઈ
વિદા કરન કો કુટુંબ સબ આયે
સીગરે લોગ લુગાઈ


બેઠ્ત મહિન કપરે પહનાયે
કેસર તિલક લગાયી
ખુસરો ચલી સસુરારી સજની
સંગ નહીં કોઈ જાઈ "

બાબુલ અર્થાત પિતાના ઘરને ખુંસરોએ અહિયાં ઈહલોક તરીકે વર્ણવેલ છે. મનુષ્ય શરીરને દુલ્હન તરીકે ઓળખાવેલ છે. ઈહલોકમાં મનુષ્ય દેહ ઘણો સમય રહ્યો . સારા નરસા કાર્યો કર્યા. પણ હવે સસુરાલ અર્થાત પરલોક જવાનો વખત આવી ગયો છે. પરલોકના સાજ શણગાર અલગ છે. ત્યાં સદકાર્યોની સુવાસ સાથે જશે. ત્યાં પરમાત્માની ઈબાદત સાથે જશે. બસ હવે તેની તૈયારી કરીલે . ત્યાં તારી સાથે કોઈ નથી જવાનું , તારે ત્યા એકલા જ જવાનું છે.

આવા ગહન વિચારને સરળ શબ્દોમાં સાકાર કરનાર ખુસરોની પ્રખ્યાત રચનાઓમાં “ ખ્જૈન- અલ -ફતહ “ અને “ તારીખ-એ - અલાય” છે. જયારે ઐતિહાસિક રચનાઓમાં “ નૂહ સિફિર્” અને “ તુગલખનામ " જાણીતી છે. ઈ .સ. ૧૩૨૫માં તેમનું અવસાન થયું .તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમને તેમના ગુરુ નીઝામુદ્દીન ઓલિયાની કબર પાસેજ દફ્નાવાવમાં આવ્યા. આજે પણ ગુરુ શિષ્યની જુગલબંધી એકાંતની પળોમાં સૂફી વિચારોની ગહનતા પર તર્ક કરતી હશે . પણ એ તર્કનો અર્ક હવે આપણા નસીબમાં ક્યાં ?

Thursday, August 13, 2009

Hazrat Rabiya Basari : Prof. Mehboob Desai

હઝરત રાબીયા બસરી

મહેબૂબ દેસાઈ

" હું " પદનું વિસર્જન એ સૂફી વિચારધારાના કેન્દ્રમાં છે. પરમાત્મા અને આત્મા એકાકાર થાય છે, ત્યારે એક સૂફીનું સર્જન થાય છે. હઝરત રાબીયા એવા જ એક સૂફી હતા. બચપણમાં માતાના પ્રેમથી વંચિત રહેનાર રાબિયાને પિતા ઈસ્માઈલે ગરીબીમાં પણ પ્રેમથી ઉછેર્યા હતા. પિતાના અવસાન પછી બસરાના બઝારમાં રાબીયા ગુલામ તરીકે વેચાયા. એક અરબે તેમને ખરીદયા. એક દિવસ એ અરબને ત્યાં શરાબ અને કબાબની મહેફિલ ચાલતી હતી. રાબીયા મહેમાનોને ભોજન પીરસી રહ્યા હતા. એક અરબે શરાબના નશામાં માંસનો ટુકડો મોમાં મુકતા બાજુમાં બેઠેલા અરબને પુછયું ,
" માનવીના શરીરમાં પણ આવું જ માંસ હોઈ છે ?"
" હા "
પેલો શરાબી બોલ્યો ,
" મને ખાતરી કરાવ તો માનું "
અને ભોજન પીરસતા રાબીયાને રોકી , પેલા શરાબીએ તેમના પગમાંથી માંસનો ટુકડો કાપી બાજુના શરાબીને બતાવ્યો . એ જોઈ શરાબી બોલી ઉઠયો ,
" શુક્ર ખુદા , તારી કરામત અદભૂત છે."
અસહ્ય વેદનાથી પીડાતા હઝરત રાબીયાના કાને " શુક્ર ખુદા" શબ્દ પડ્યો . અને તેમણે "શુક્ર ખુદા" નું રટણ આરંભ્યું. થોડીવારમાં વેદના ઓસરવા લાગી.
આમ ખુદા સાથે રબીયાનો તંતુ પ્રથમવાર સધાયો. પછી તો રાત દિવસ રાબીયા પોતાની નાનકડી રૂમમાં ખુદાની ઈબાદત કરતા રહેતા . એક દિવસ તેમનો માલિક આ જોઈ ગયો. તેણે રાબિયાને તેની ગુલામીમાંથી મુક્ત કર્યા . જાણે પિંજરામાં પુરાયેલ પક્ષીને ઉડવા આકાશ સાંપડ્યું. અને રાબીયા સૂફીસંતોના સહવાસની શોધમાં નીકળી પડ્યા . વર્ષોની રઝળપાટ અને અનેક સંતો-ફકીરો સાથેના આધ્યત્મિક સમન્વયે રાબિયાને ખુદામય બનાવી મુક્યા.

હઝરત રાબીયા બસરીના હાજરજવાબી સ્વભાવની સાક્ષી પૂરતા અનેક કિસ્સાઓ પ્રચલિત છે.તેમના જવાબોની ખૂબી માત્ર જવાબ આપવા પુરતી સીમિત ન હતી.પણ આપના જવાબોમાં ઈબાદત દ્વારા આપે મેળવેલ જ્ઞાન પણ નીતરતું હતું.એક વખત એક શખ્સે માથા પર પટ્ટી બાંધી હતી.તેને જોઈ આપે પટ્ટી બાંધવાનું કારણ પૂછ્યું . પેલાએ કહ્યું ,
“મારું માથું દુઃખે છે."
આપે ફરમાવ્યું ,
"તારી ઉંમર કેટલી થઈ?”
પેલાએ કહ્યું , " ત્રીસ "
આપે ફરમાવ્યું ,
"તે ત્રીસ વર્ષની ઉંમરમાં ખુદાએ બક્ષેલ તન્દુરસ્તીનો શુક્ર અદા કરતી પટ્ટી ક્યારેય બાંધી છે? અને આજે એક દિવસના માથાના દુખાવામાં શિકાયતની પટ્ટી બાંધીને બધાને દેખાડ્યા કરે છે."

આપે એક વ્યક્તિને ચાર દીહરમ આપી , એક કામળો ખરીદી લાવવા કહ્યું . પેલાએ આપને પૂછ્યું,
"કામળો કાળો લાઉ કે સફેદ?”
આ જવાબ સાંભળી આપે દીહરમ પાછા લઈ લીધા અને દરિયામાં ફેંકતાં ફરમાવ્યું ,
" હજુ કામળો ખરીદ્યો પણ નથી ત્યાં તો કાળા અને સફેદનો ઝગડો તેં ઉભો કરી દીધો .ખરીદીને લાવીશ ત્યારે તો કઈ પરિસ્થિતિ હશે ખુદા જાણે ?"
અને આપે શરદીના એ કપરાં દિવસો કામળા વગર જ વિતાવ્યા.

હઝરત હુસેન બસરી હઝરત રાબીયાના જ્ઞાન અને ઈબાદતથી ખુબ પ્રભાવિત હતા . જ્યાં સુધી હઝરત રાબીયા તેમની ઉપદેશ સભામાં ન આવે ત્યાં સુધી તેઓ ઉપદેશ ન આપતા.એકવાર ઉપદેશ સભા ખચોખચ ભરાઈ ગઈ હતી , છતાં હઝરત હુસેન બસરીએ ઉપદેશ આપવાનો આરંભ ન કર્યો.અટેલે એક ભક્તે ટકોર કરતા કહ્યું ,

" સભામાં આપને સાંભળવા અનેક ઉચ્ચ અધિકારીઓ અને વિદ્વાનો આવ્યા છે. છતાં વૃદ્ધ રાબિયાની રાહ જોઈ , આ મહાનુભવોને શા માટે નારાજ કરો છો ? "
આપે અત્યંત શાંત સ્વરમાં ફરમાવ્યું ,
“જ્ઞાનનું જે શરબત મેં હાથી માટે તૈયાર કર્યું છે , તે કીડીઓ કેવી રીતે પચાવી શકશે ? "


એકવાર કેટલાક મુસ્લિમો આપની પાસે આવ્યા . આપે તેમને પૂછ્યું ,
" તમે ખુદાની બંદગી શા માટે કરો છો ? "
એકે જવાબ આપ્યો ,
"અમે જહન્નમ(નર્ક)ની યાતનાઓથી ડરીને ખુદાની બંદગી કરીએ છીએ . જેથી ખુદા જહ્ન્નમના બદલે અમને જન્નત (સ્વર્ગ) બક્ષે . અને દોઝકની આગથી અમે બચી જઈએ "
આપે ફરમાવ્યું ,
"અટેલે કે તમે સ્વાર્થી છો. જન્નતની તમન્નાએ બંદગી કરો છો."
આ સાંભળી એક મુસ્લિમ તુરત બોલી ઉઠયો ,
"આપ શા માટે ખુદાની બંદગી કરો છો ?"
આપે ફરમાવ્યું ,
"ખુદાની ઈબાદત એ તો ફર્ઝ છે. ખુદાએ જન્નત અને દોઝકનો ડર ન રાખ્યો હોત , તો પણ તેની બંદગી કરવાની આપણી ફરજ છે. માટે જ ડર અને અપેક્ષાથી મુક્ત થઈ , સ્વાર્થ વગર ખુદાની બંદગી કરો . એજ સાચી ઈબાદત છે."

એકવાર વસંત ઋતુ પુરબહારમાં ખીલી હતી . છતાં રાબીયા પોતાની ઝુંપડીમાં ઈબાદતમાં લીન હતા.
એક શિષ્યએ ઝુંપડીમાં પ્રવેશીને કહ્યું,
" આપ બહાર આવીને જુવો તો ખરા, વસંત પુરબહારમાં ખીલી છે. કુદરતની લીલા કેટલી સુંદર ભાસે છે."
બંધ આંખો સાથે જ હઝરત રાબીયા એટલુંજ બોલ્યા ,
" તું અંદર આવીને તો જો ખુદાની ખુબસુરતી કેવી અદભુદ છે."


એકવાર બે મહેમાનો રાબિયાને મળવા આવ્યા . ભોજનનો સમય થયો એટલે રાબિયાએ પોતાની પાસે ઢાંકી રાખેલી બે રોટી તેમને આપી. મહેમાનો ભોજન આરંભે તે પહેલાં એક ફકીર આવી ચડ્યો. અને તેણે ભોજન માટે કઈક માગ્યું
રાબિયાએ પેલી બે રોટી. મહેમાનો પાસેથી લઈ, ફકીરને આપી દીધી. આથી પેલા બંને મહેમાનોને નવાઈ લાગી.છતાં તેઓ ચુપ રહ્યા. થોડીવારે એક બાઈ ઝુપડીમાં પ્રવેશી. તેના હાથમાં રોટલીઓ હતી. હઝરત રાબિયાને તે આપતા બોલી,
" મારી શેઠાણીએ આપને માટે રોટલીઓ મોકલી છે."
રાબિયાએ રોટલીઓ હાથમાં લઈ ગણી.અને પછી પાછી આપતા કહ્યું,
"તારી શેઠાણીએ રોટલીઓ મોકલવામાં ભૂલ કરી છે. પાછી લઈ જા"
પેલી બાઈ રોટલીઓ પાછી લઈ ગઈ અને પોતાની શેઠાણીને કહ્યું,
"હઝરત રાબિયાએ રોટલીઓ ગણીને પરત કરી છે"
શેઠાણીએ ચુપચાપ એ રોટલીઓમાં બે રોટલી ઉમેરીને હઝરત રાબિયાને પરત કરી. રાબિયાએ તે સ્વીકારી લીધી અને બધાએ ભોજન કર્યું. આ ઘટના જોઈ રહેલા બંને મહેમાનોમાંથી એકે પૂછ્યું,
"આપે રોટલીયો પાછી શા માટે મોકલી ? આપણે જેટલી રોટલીયો હતી તેમાં જ ચલાવી લેત "
હઝરત રાબીયાએ એક નજર એ મહેમાન પર કરી,પછી બોલ્યા,
"ખુદાનો કોલ છે કે મારો બંદો જેટલી ઝકાત (દાન) આપશે તેના કરતા બમણું હું તેને આપીશ. મહેમાનો પાસેથી લઈને મેં બે રોટી ફકીરને આપી હતી.એ બે ના બદલે બમણી, વીસ રોટલીયો ખુદાએ મોકલવી જોઈએ.પણ રોટલીયો ૧૮ જ હતી .એટલે મેં તે પરત કરી .ખુદાનો કોલ ક્યારેય ખોટો નથી હોતો.”

Wednesday, August 12, 2009

હિજરી સંવતને ઓળખીએ : ડો. મહેબૂબ દેસાઈ

હિજરી સંવતને ઓળખીએ

ડો. મહેબૂબ દેસાઈ

‘મહોરમ’ માસ ઇસ્લામના કેલેન્ડર પ્રમાણે પ્રથમ માસ છે. જોકે મહોરમ શોક-ગમનો માસ છે. તેના નવ અને દસમા ચાંદે હજરત ઇમામ હુસેન (ર.અ.)ની કરબલાના મેદાનની શહાદતને ઇસ્લામના અનુયાયીઓ યાદ કરે છે. ગાંધીજીએ જેમને વિશ્વના પ્રથમ સત્યાગ્રહનું બિરુદ આપ્યું છે, એવા હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ના નવાસા હજરત ઇમામ હુસેન (ર.અ.) યઝદીના અત્યાચારો સામે શહીદ થયા. સત્ય અને અસત્યના એ યુદ્ધમાં ભલે અસત્યનો ક્ષણિક વિજય થયો, પણ હજરત ઇમામ હુસેન (ર.અ.)ની શહાદત આજે પણ વિશ્વ યાદ કરે છે અને એટલે જ મહોરમ માસમાં મોટે ભાગે મુસ્લિમોે શુભ પ્રસંગો કરતા નથી.

ઇસ્લામિક કેલેન્ડરમાં પણ બાર માસ છે. એ મુજબ મહોરમ, સફર, રબ્બી ઉલ અવ્વલ, રવ્વી ઉલ આખીર, જમા ઉલ આબીર, જુમેદ અલ ઉમ્મર, રજબ, શાબાન, રમજાન, સવાલ, જીલ્કાદ અને જીલ્હેજ. ઇસ્લામી કેલેન્ડરનો આરંભ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) મક્કાથી મદીના હિજરત (પ્રયાણ) કરી ગયા ત્યારથી થયો છે. હિજરી સંવતનો આરંભ પણ એ જ ઘટનાને કારણે થયો છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) એ ઇસુ અર્થાત્ ઇ.સ.ની ૧ જુલાઇ ૬૨૨ના રોજ મક્કાથી મદીના હિજરત કરી હતી.

મક્કાવાસીઓનો વિરોધ એ માટે કારણભૂત હતો. મહંમદ સાહેબ (સ.અ.વ.) તેનાથી કંટાળી મદીના જવા નીકળ્યા. એ ઘટનાને ઇસ્લામમાં ‘હિજરત’ અર્થાત્ પ્રયાણ કહે છે. એ દિવસથી હિજરી સંવતનો આરંભ થયો. ઇસ્લામિક વર્ષ ગણના માટેની તે ધાર્મિક સંવત છે. જેમ હિંદુ સાલ ગણના માટે વિક્રમ સંવતનો ઉપયોગ થાય છે. હિજરી મહિનાઓ ચાંદ (ચંદ્ર) પ્રમાણે ચાલે છે. ચંદ્રની ગતિ ઉપર દિવસનો આધાર છે. અને એટલે જ રમજાન માસ ઉનાળામાં પણ આવે છે, શિયાળામાં પણ આવે છે અને ચોમાસામાં પણ આવે છે.

હિજરી સંવતની મૂળભૂત વિશિષ્ટતાઓ નોંધવા જેવી છે. એ મુજબ : ૧. હિજરી સંવત ચાંદ (ચંદ્ર)ની ગતિ પર ચાલે છે. ૨. અન્ય સંવતોથી હિજરી સંવતમાં માસના દિવસો ઓછા હોઇ, તે આગળ નીકળી જાય છે. ૩. તહેવારો સતત ફરતા રહે છે. ૪. ચાંદ (ચંદ્ર) દેખાય તો જ મુસ્લિમ માસ બદલાય છે. ૫. ઇસુના વર્ષ મુજબ દિવસ રાત્રે બાર વાગ્યે બદલાય છે જયારે હિજરી સંવતમાં દિવસ સૂર્યાસ્ત સમયે બદલાય છે. ૬. હિજરી સંવતમાં વિક્રમ સંવત જેવી તિથિ કે અર્ધતિથિ હોતી નથી. ૭. મહિનામાં એક એકાદશી જવાય છે અને ઉપવાસના બદલે આખું ભોજન લે છે. ૮. ઇસ્લામી કેલેન્ડરનો પવિત્ર માસ રમજાન છે. જેમ હિંદુ સંવતમાં શ્રાવણ માસ હોય છે. ૯. ઇસ્લામી કેલેન્ડરમાં પ્રથમ અને શોક-ગમનો માસ મહોરમ છે જેમાં શુભકાર્યો થતાં નથી.

હિજરી સંવત સાઉદી અરબ દેશો, યમન, ફ્રાંસની ખાડીના દેશો, તેમજ ભારતમાં અધિકòત સંવત તરીકે ચાલે છે. સંયુકત આરબગણ રાજય સીરિયા, જૉર્ડન અને મોરક્કોમાં હિજરી અને ઇસવીસન બંને ચાલે છે પરંતુ ઇસ્લામના અનુયાયીઓ ધાર્મિક-સામાજિક પ્રસંગો હિજરી સંવત મુજબ જ જવે છે, ગોઠવે છે.

ભારતમાં મુસ્લિમોના આગમન બાદ હિજરી સંવત પ્રચારમાં આવેલ છે. તૂર્ક-અફઘાન અને મોગલ શાસકોના શાસનકાળ દરમિયાન ફારસી, અરબી ભાષાઓ રાજયભાષા બની હતી. એ જ રીતે હિજરી સંવતને પણ સરકારી સાલ ગણના તરીકે સ્વીકારવામાં આવી હતી.

આજે પણ હિજરી સંવત ભારતીય જનજીવનનો હિસ્સો બની રહી છે. મુસ્લિમ શાસનકાળ (ઇ.સ. ૧૨૦૬થી ૧૭૦૭) દરમિયાન મુસ્લિમ શાસકોએ સ્થાપત્યકલાના અદ્ભુત નમૂનાઓ ભારતને આપ્યા છે. જેમાં કુતુબમિનાર, લાલકિલ્લો, તાજમહાલ વગેરેનો સમાવેશ થાય છે. આવાં સ્મારકો અને ઐતિહાસિક દસ્તાવેજૉને જાણવા કે તેનો અભ્યાસ કરવા હિજરી સંવતનો ઉપયોગ થયો છે, પરિણામે હિજરી સંવતને ઇસવીસનમાં પરિવર્તિત કરવાનું પ્રયોજન વારંવાર થાય છે. હિજરી સંવતને ઇસવીસનમાં બદલવા માટે અત્યંત સરળ રીત છે.

જેમ કે સર્વપ્રથમ હિજરી સંવતમાંથી ત્રણ ટકા આંક બાદ કરી, ૬૨૨નો આંક તેમાં ઉમેરી દો. જેથી ઇસવીસનની સાલ મળી જશે. દા.ત. હિજરી સંવત ૮૧૫ની ઇસવીસન શોધવા માટે ૮૧૫માંથી તેના ત્રણ ટકા લેખે ૨૫ બાદ કરો એટલે ૭૯૦ આવશે. ૭૯૦માં હિજરીના ૬૨૨ ઉમેરો એટલે ઇસવીસન ૧૪૧૨ આવી જશે એટલે કે હિજરી સંવત ૮૧૫ની ઇ.સ. ૧૪૧૨ થાય. હિજરી સંવતની આટલી ટૂંકી ચર્ચા ઇસ્લામી કેલેન્ડર અને માસની જાણકારી ઇરછતા સૌ માટે ખૂબ ઉપયોગી થઇ પડશે.

મહાવીર અને મહંમદ સિક્કો એક બાજુ બે : ડો. મહેબૂબ દેસાઈ

મહાવીર અને મહંમદ સિક્કો એક બાજુ બે

ડો. મહેબૂબ દેસાઈ


૧૮ એપ્રિલના રોજ મહાવીર જયંતી ઊજવાશે. એ નિમિત્તે મનમાં એક વિચાર ઉપજયો છે. ભગવાન મહાવીર અને હજરત મહંમદ પયગમ્બરના વિચારો અને ઉપદેશોનો તુલનાત્મક અભ્યાસ કરવાની જરૂર છે. કોઇ પ્રોફેસર પોતાના પીએચ.ડી.ના વિધાર્થીને આ વિષય પર સંશોધન કરાવે તો બંને મહાનુભાવો અને તેમના ધર્મનાં નૈતિક મૂલ્યોમાં પ્રવર્તતી સમાનતા અને સિદ્ધાંતોની સામ્યતા બહાર આવશે.

ભગવાન મહાવીર સ્વામી છેલ્લા તીર્થંકર હતા. મહંમદસાહેબ પણ છેલ્લા પયગમ્બર હતા. મહાવીર સ્વામીનો વૈરાગ્ય અને ત્યાગ અદ્વિતીય છે. મહંમદસાહેબનું સમગ્ર જીવન ત્યાગ અને બલિદાનની મિસાલ છે. દયા, કરુણા અને સમભાવ બંને મહાનુભાવોની વિશિષ્ઠતા હતાં. બંને મહાનુભાવોએ તપ કે ઇબાદતને પ્રાધાન્ય આપ્યું છે. મહંમદસાહેબે ફિરકા પરસ્તીને કયારેય પ્રાધાન્ય કે મહત્ત્વ આપ્યું નથી. ભગવાન મહાવીરે પણ જૈન ધર્મમાં જ્ઞાતિવાદને પ્રસરવા નથી દીધો.

ભગવાન મહાવીર અહિંસાના પૂજારી હતા. અહિંસા તેમના જીવનમાં સૂક્ષ્મ રીતે વણાયેલી હતી. જીવમાત્રને દુ:ખ આપવાની ક્રિયાને પણ તેઓ હિંસા માનતા. મહંમદસાહેબના જીવનમાંથી નીતરતી અહિંસા વાસ્તવદર્શી હતી. પક્ષીના માળામાંથી ઇંડાં કે બરચાઓને ભેટમાં લઇ આવનાર સહાબીને મહંમદસાહેબ કયારેય પસંદ ન કરતા. પાડોશમાં રહેતા પાડોશીને અપશબ્દ બોલી નારાજ કરનાર નમાઝીની નમાઝ કબૂલ નહીં થાય, તેમ કહેનાર મહંમદસાહેબની અહિંસા મહાવીરની અહિંસા કરતાં કંઇ જુદી નથી લાગતી.

ભગવાન મહાવીરે તપ દ્વારા દિવ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી. મહંમદસાહેબ ગારેહિરામાં નિયમિત જતા, ખુદાની ઇબાદત કરતા. ખુદાની ઇબાદતને જૈન ધર્મમાં તપનો દરજજૉ આપવામાં આવ્યો છે. ૪૦ વર્ષે મહંમદસાહેબને તેમના તપનું-ઇબાદતનું ફળ મળ્યું, અને તેમના પર ખુદાનો પૈગામ તર્યો. ઇસ્લામ અને જૈન ધર્મના સિદ્ધાંતો અને કથાઓમાં પણ સામ્યતા ડીને આંખે વળગે છે.

ઇસ્લામમાં ‘ફના’ થવાનો વિચાર ‘નિર્વાણ’ના વિચારને મળતો આવે છે. જૈનોના ઉત્તરાઘ્યયન સૂત્રની એક ગાથા છે. ‘અપ્પા એવ જૂજજાઇ...’ અર્થાત્ ‘અરે ભાઇ, જૉ તારે લડવું જ હોય તો તારી જાત સાથે લડ અને તારી જાત ઉપર જ વિજય મેળવ. રણસંગ્રામોમાં હજારો વિજય મેળવવા કરતાં પોતાની જાત ઉપર વિજય મેળવવો દુષ્કર છે. ઇસ્લામમાં ‘જેહાદ’નો જે સાચો અર્થ છે તે આ જ છે. ‘તારા દુગુણર્ોસામે લડ, તેમાંથી મુકત થા. એ જ સાચી જેહાદ છે.’

આઘ્યાત્મિક વિચારોની આવી સામ્યતા જૈન અને ઇસ્લામની સામ્યતાની પરંપરાને ઇબાદત (ભકિત)ની સામગ્રી સુધી લઇ જાય છે. ઇસ્લામમાં જે સ્થાન મુસ્લ્લાનું છે તે સ્થાન જૈન ધર્મમાં આસનનું છે. મુસ્લ્લા શબ્દનો અર્થ થાય છે, નમાઝ પઢતી વખતે પાથરવાનું કપડું. જૈનો આસન પર સ્થાનગ્રહણ કરી પ્રાર્થના કરે છે. કુરાને શરીફ જેના પર મૂકી અઘ્યયન કરવામાં આવે છે, તેને ઇસ્લામમાં ‘રિહાલ’ કહે છે.

અરબી ભાષાના શબ્દ ‘રિહાલ’નો અર્થ થાય છે પ્રસ્થાન કરવું. કુરાને શરીફ તેના પર મૂકી કુરાને શરીફમાં પ્રવેશવું કે પ્રસ્થાન કરવું. જૈન ધર્મમાં એ જ વસ્તુને ‘ઠવણી’ કે ‘ઠમણી’ કહે છે. ઠવણી એટલે વાંચતી વખતે પુસ્તક મૂકવાની ઘોડી. એવી જ એક અન્ય સામ્યતા છે તશ્બીહ કે માળા. ઇસ્લામી તશ્બીહમાં ૧૦૧ પારા-મણકા હોય છે. જયારે જૈન માળામાં એકસો આઠ મણકા હોય છે. માળાના ફુમતાની નીચેના મણકાને જૈન ધર્મમાં ‘મેર’ કહે છે. જયારે ઇસ્લામમાં તેને ઇમામ કહે છે.

તશ્બીહ અને માળાનો મૂતભૂત ઉદ્દેશ એક જ છે. ઇશ્વર કે ખુદાની ઇબાદત-ભકિત. જૈન ધર્મમાં સામાયિક એટલે સમભાવની પ્રાર્થના. ઇસ્લામમાં નમાઝ એટલે સમભાવની પ્રાર્થના. નમાઝની એક પણ આયાતમાં ભેદભાવનો ઉલ્લેખ નથી માત્ર ને માત્ર ખુદાને સમર્પિત થવાની બાંયધરી છે. જૈન સાધુઓ અને હાજીઓના પોષાકની સામ્યતા પણ નોંધવા જેવી છે. બંનેમાં સફેદ સાદાં કપડાં અનિવાર્ય છે. બંનેમાં સીવ્યા વગરનાં બે સફેદ કપડાંથી જ શરીર ઢાંકવામાં આવે છે. ઇસ્લામમાં તેને (અહેરામ) કહે છે. જયારે જૈન ધર્મમાં ઉપરના સફેદ વસ્ત્રને પછેડી અને નીચેના સફેદ વસ્ત્રને ચોલપટ્ટો કહે છે.

ટૂંકમાં જૈન અને ઇસ્લામના પ્રર્વતકો, સિદ્ધાંતો અને ઇબાદતની સામગ્રીની સામ્યતાનો ડો અભ્યાસ અનિવાર્ય છે.

ધર્મ એટલે મૂલ્યોનું જતન. એવા પાયાના ધાર્મિક વિચારોના પ્રસારમાં આવા તુલનાત્મક અભ્યાસો સમાજમાં મહોબ્બત અને એખલાસને સાકાર કરવામાં પાયાનું પરિબળ બની રહે છે.

Tuesday, August 11, 2009



Prof.Mehboob Desai's new book " Islam & Non-Violence" released by Dr.B.L.Sharma,Vice-Chancellor of Bhavnagar University,Bhavnagar and opposite leader shri shaktisinh Gohil at Bhavnagr on 25th July 2009.The book is published by Gyan Publishing House,
New Delhi.

SARDAR PATEL AND INDIAN MUSLIM:Prof. Mehboob Desai

SARDAR PATEL AND INDIAN MUSLIM

Prof.MehboobDesai



On the 4th January 1932, Sardar Patel was arrested
Along with Gandhiji for taking part in Civil Disobedience
Movement. Both were taken to Yeravada jail, where
Sardar stayed with Gandhiji for 16 months. During this
period they used to discuss often the Hindu-Muslim
problems. These discussions gave a true shape to Sardar's
approach towards Muslims.As Sardar respected
Gandhiji's views,Gandhiji played-conspicuous role in
moulding and changing Sardar's attitude towards Muslims
during those days . For example, on a morning of 30.3.1932
an issue of a Muslim leader having come under discussion,
Sardar Patel abruptly said:
"When a critical situation emarges, this
gentleman too reports to narrow and communal
attitude and demands separate fund and appeal
for the muslims"
in reply Gandhiji said:
"He cannot be blamed for the reason. What
favours do we render the Muslims! We deal with
them as if they were untouchable. Therefore if Amtus
Salam has to be sent to Deolali,can we suggest
keeping her there? As a matter of fact the Hindus
should advance forward.if the Hindus understand
the heart of the matter , and the wall of
discrimination,which has been raised,is removed,
it can reduce the bitterness considerably."
Vallabhbhai argues:

"But the Muslims differ in customs they are non-
vegetarian where as we believe in vegetarianism, it
is impossible to stay with them in a single home."
Bapu counters:
"No,No,Hindus are no where Vegetarian except
in Gujarat. Every Hindu eats meat in Punjab, Sindh,
and Utter Pradesh."
On the 6th June 1932, Sardar Patel with as dismal
note asked Gandhiji at Yeravada Jail:
“Is there any Muslim who pays attention to what
You say?”
In reply Gandhiji said:
"Doesn't Matter ,it does not make any difference,
but let us hope that they too open their eyes.The
very base of the Satyagraha is that we should trust
human nature which means at least one Muslim
will certainly come out to say,'we cannot bear if
this much takes place"2
On the 8th April 1933 Sardar Patel referring to
Indian Muslims said to Gandhiji:
"The Muslims are tongue-tied. They do not speak
a word and they are fairly co-operating the
Government"
Bapu's reply was:
"The Hindu-Muslim unity is never to realize till
the Muslims do not see their own welfare in the
welfare of the country."3

Such dialogue only which had taken place between
Sardar and Gandhiji at the Yeravada Jail had made a
noticeable contribution in changing Sardar's attitude
towards the Muslims and giving it a constructive mould,
the effect of which is discernible in Sardar's later attitude
towards the Muslim of India.

After his release from the Jail,Sardar Patel was
appointed as the president of the congress Parliamentary
Board to select the candidates for the elections of State
Legislative Assemblies. Those elections were being held
in accordance with the 1935 State Assembly Law. Due
to the leadership of Sardar Patel, the Congress ministries
were formed in five states out of the eleven. During this
period only Mohammad Ali Jinnah was becoming active
in the political arena of the Muslim League and because
of his efforts the Muslims League candidates in Bombay
and U.P. had put up good performance, Talks started
for the construction of united of Governments of the
Congress and the Muslims League in the several states.
Jawaharlal Nehru and Maulana Azad represented the
Congress albeit this debate ended in failure. Several
historians consider Nehru's unrealistic policy responsible
for this failure. Nehru had, during the debate put a
condition that at first the Muslim League should merge
with the Congress, then and then only the construction
of the united Govt. be considered.Sardar Patel was
kept quite aloof from this debate,but when he come to
know about this type of attitude of Nehru, he had said:

"If the chief leader of the Muslim League
Khaliquzzaman were consulted, certain compromise
would have been taken place."

Majority of the historians agree with this opinion
and say that this agreement could have certainly avoided
partition Gandhiji's Secretary shri Pyarelal Writes:
"This was the mistake of a prime order so far
as policy is concerned."
The news writer of the "The Times" of London of
Delhi,Mr.Louis Horren hasd also written:
"After several months of partition Mr. Jinnah
had told me that Nehru was responsible for
partition. If the Muslim League were included in
the Congress Governments of 1937 in U.P.,Pakistan
would not have been born."4

The British officer Penderal Moon active in ICS before
and after the Independence had also shared the opinion
and said that:
"The Prime cause of the Creation of Pakistan
was Congress's failure to cooperate with the league
in 1937."

Franh Morays,the British historian also putting
the same argument, "Pakistan might never have come
into being' had 'Congress handled the League more
tactfully after the [1937] election".5

the historical events are analyzed under these types
of 'IFS' and 'THEN', but the essence of all such arguments
is that Sardar was kept aloof from all such discussions.
If Sardar who was protagonist in the merger of Princely
States in Indian Union, if he were the Participant of
this debate ,the history of India after Independence would
have been certainly different from what it is.

After this event, the communal and separatist
tendency of League leader Mohammad Ali Jinnah
intensified;which can be seen in his communal speeches.
Sardar Patel was much perturbed with Mr. Jinnah's
speeches vomiting communal poison and the Muslim
community was consciously led away by a Muslim leader
whose aim was to shatter and bring to pieces the Hindu-
Muslim unity.Sardar found it impossible to understand
why maulana Azad,who had digested the Islam deeply,
hesitated to expose Jinnah's hollowness. Mohammad
Ali Jinnah hardly possessed the principles of a true
Muslim.He never remained strictly faithful to the Islamic
Principles like following the five times Namaz everyday
and abstinence from alcohol. The question as to why the
staunch Muslims still followed Jinnah puzzled Sardar.
However,Sardar Patel expressed in public his internal
desire for communal harmony against Jinnah's speeches
vomiting communal poison. In the year 1936,in U.P., as
a president of the farmer's gathering he had said:

"The kisan Community cannot have such
differences as Hindu & Muslim or one caste or
the other,a cultivator who produces corn with his
hard labour, a small land owner ,a farmer, or a
labourer helping the farmer in cultivation, let them
belong to any faith or caste, are all farmers only.
All are sailing in the same boat; all with sink in or
swim out together. Nature never sees such differences
of religion or caste. Nature is impartial when it
strikes on them in the form of a natural calamity
or showers favours on them. The monetary suffering
of all the farmer is equal.Our sufferings will end
only then when we all remain faithful to our faith
and sect,setting aside differences,bringing end to
communal infightings joins together in the mission
of economic, social and political uplift."6

Jinnah's Communal Policy was naturally supported
by the British Govt. as a result of which his efforts to
disturb communal harmony met some success, which
led him to rumblings with granted enthusiasm and greater
malice - such as:

"Cogress wishes to establish The Hindu Raj"
while refusing this statement of Jinnah, Sardar Patel
had said in the 11th session of the Legislative Assembly
at Rajpipla as the President on the 25th December 1937:

"The nation's legislative assembly is a formidable
organization which seeks independence not for 25
crores of its people but it aspires for the same goal
for 35 crores that includes Hindus,Muslims,Parsees,
Christian and all others taken together."7

This policy of Sardar had received positive response
from the people in his activities of public concern. The
Congress Session of February 1938 was conducted entirely
under his supervision. He had selected Haripura Village
on the bank of river Tapi in Bardoli Taluka for
the Congress Session. At the same time not only Hindus
but also Muslim farmers also had spared their 500 acres
of land of the village for this session, with least hesitation.
sardar had obtained as much trust and affinity with
the Muslim leaders as he had from and with the Hindus
by the end of 1938,Subhas Chandra Bose decided that
he wished to continue as a Congress President for the
second year also.Sardar Patel did not like this declaration
of Subhas Babu.Many reasons were of course responsible
for this.Gandhiji also had thought of the name of Maulana
Azad for it.And Sardar Patel had supported this view
of Gandhiji.

Maulana Azad,however,expressed his unwillngness
to accept the Presidentship of the Congress but agreed
to accept it after long discussion with Gandhiji and
Sardar at Bardoli on January 1939.Referring to this
Sardar Patel wrote to Rajendra Babu.

"We have been able to persuade Maulana to
accept the Responsibility....After hesitation for a
long time he has given his assent to it."

After Maulana Azad's consent having been given,
Vallabhbhai Patel also took back candidature formally.
But Maulana Azad after returning to Bombay from Bardoli
changed his early decision and approached Gandhiji to
make himself free from his early consent of acceptance
of the Presidentship.Maulana Azad,who was himself
the resident of Calcatta,perhaps felt that it might he
unfair and may be unpleasant to indulge in rivalry with
anther Bengali.However,Subhas Babu had been elected
with 1580 against 1375 as a president on the 29th of
January 1939. 8

But the fact that the manner in which Vallabhbhai
had acceped Gandhiji's opinion of suggesting the name
of Maulana Azad in place of the name of Subhas Babu,
for the Presidentship of the Congress, itself exhibits
Sardar's mind as far more inclined towards communal
Harmony as being communal.

References
1. Mahadevbhai's Diary,Volume-1,p.65.
2. Parikh Narhari,Sardar Vallabhbhai Part-II,p.109.
3. Mahadevbhai's Diary,Volume-3,p.222.
4.Zakaria,Rafiq,Sardar Patel and Indian Muslims,p.37
5.Gandhi,Rajmohan,Patel A Life,p.262.
6.Parikh,Narhari and Shah,Uttamchand[Editors] Speeches
of Sardar Vallabhbhai p.33.
7. Parikh & Shah,Speeches of Sarder Patel,p. 416.
8. Gandhi,Rajmohan,Patel A Life,p.279.